ગુજરાત
નવાગામના યુવાનનાં મોતની તપાસ કુવાડવા રોડ પોલીસ પાસેથી છીનવી LCBને સોંપાઈ
સ્થાનિક કુવાડવા પોલીસની બેદરકારી અંગે એસીપીને તપાસ કરી બે દિવસમાં રિપોર્ટ કરવા હુકમ
નવાગામમાં અંદાજે સવા બે માસ પહેલા એક તરૂૂણના મોત મામલે નવો જ ખુલાસો થયો હતો અને પોલીસે કુવાડવા રોડ પોલીસે સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી આ મામલે ગોડાઉનના માલિકની પણ બેદરકારી સામે આવશે તો પુરાવા એકત્ર કર્યા બાદ તેની પણ ધરપકડ કરવામાં આવશે. બીજી તરફ આ મામલે તપાસ કરતી કુવાડવા પોલીસ પાસેથી તપાસ છીનવી લેવામાં આવી છે અને આ અંગેની તપાસ એલસીબી ઝોન-1ને સોપવામાં આવી છે. બીજી તરફ કુવાડવા પોલીસ દ્વારા બે મહિના સુધી આ બનાવ ઉપર ઢાંક પીછોડો કરવામાં આવ્યો હોય જેને લઈને પોલીસ કમિશ્નરે કુવાડવા પોલીસ સામેની તપાસ એસીપી સોંપી છે અને બે દિવસમાં આ અંગેનો રિપોર્ટ કરવા હુકમ કર્યો છે.
વધુ વિગતો મુજબ,સંત કબીર રોડ પરનાં ગોકુલનગર શેરી નંબર 5માં રહેતા હર્ષિલ ગોરી (ઉ.17) ઘરખર્ચ કાઢવા માટે હર્ષિલ એકાદ વર્ષ પહેલા નવાગામ (આણંદપર)માં પંચાયત ઓફિસ સામે આવેલ નારાયણ પેરાજનામની ટ્રાન્સપોર્ટ પેઢીની ઓફિસમાં કામે લાગી ગયો હતો.જયાં ગઈ તા. 1મેના રોજ રાત્રે તે કામ કરતો હતો ત્યારે અચાનક બેભાન બની જતાં તેને સિવિલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરનાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.તે વખતે તેનાં શેઠ શિવજીભાઈએ હર્ષિલનાં પરિવારજનોને એમ કહ્યું કે,હર્ષિલ બેભાન થઈ ગયો હતો અને તેનું હાર્ટએટેકથી મોત થયાનું કુવાડવા રોડ પોલીસને જણાવાતાં તેનો સ્ટાફે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ પૂરી કરી નાખી હતી.
પરિવારજનોએ વાત સાચી માની હર્ષિલની અંતિમવિધિકરી નાખી હતી.હર્ષિલનાં માતા પિતાએ પણ હાર્ટએટેકથી મોત થયાનું માની લીધું હતું. કુવાડવા રોડ પોલીસે તેમના નિવેદનો પણ લીધા હતાં.બાદમાં હર્ષિલ જયાં નોકરી કરતો હતો ત્યાંથી પરિવારજનો પેન ડ્રાઈવમાં સીસીટીવી ફુટેજ લઈ આવ્યા હતાં.સીસીટીવી ફુટેજ ચેક કરતાં જોવા મળ્યું કે, બનાવનાં દિવસે તેનો પુત્ર હર્ષિલ અને તેની સાથે જ નોકરી કરતો સુશિલે આવેશમાં આવી પોતાનાં હાથમાં રહેલા મોબાઈલ ફોનનો હર્ષિલ તરફ ઘા કરતાં જ તે ઓફિસનાં પગથીયા પરથી નીચે પટકાઈ ગયો હતો.આ ઘટનાને લઇ તપાસ કરતા હર્ષિલ બેલેન્સનું બ્રેઈન હેમરેજ થવાથી મોત થયાનું પોલીસમાંથી જાણવા મળ્યું હતું. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા સમક્ષ કરેલી ફરિયાદ બાદ આ મામલામાં હર્ષિલનાં પિતાની ફરિયાદ પરથી સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી સુશિલ ઉર્ફે સુનિલ સુખાભાઈ હેરભા (ઉ.વ. 24, રહે, રાજલક્ષ્મી સોસાયટી, મોરબી રોડ)ની અટકાયત કરી હતી.
પોલીસ કમિશ્નરે આ બનાવની તપાસ કુવાડવા પોલીસ પાસેથી આંચકી લઈ આ અંગેની તપાસ એલસીબી ઝોન-1ને સોંપી છે. પીએસઆઈ બોરીસાગર અને તેમની ટીમે આ ઘટનાની ઉલટ તપાસ શરૂ કરી છે જેમાં મૃતકના પરિવારજનોએ કરેલા આક્ષેપમાં આ મામલે ગોડાઉન માલીકની પણ સંડોવણી હોવાનો આક્ષેપ કરાયો હોય ત્યારે એલસીબીની તપાસમાં ગોડાઉન માલિક શિવજી સામે પણ કાર્યવાહી કરી તેની ધરપકડ કરવામાં આવશે. તેમજ આ ઘટનામાં કુવાડવા પોલીસની બેદરકારી સામે આવી હોય જેને લઈને પોલીસ કમિશ્નરે કુવાડવા પોલીસ સામેની ખાતાકીય તપાસ માટે એસીપી બારૈયા તપાસ સોંપી છે અને બે દિવસમાં આ અંગેનો રિપોર્ટ કરવા હુકમ કર્યો છે. રિપોર્ટ આવ્યા બાદ કુવાડવા પોલીસના જવાબદાર સામે પગલાં ભરાશે.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત2 days ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય12 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
કચ્છ2 days ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
-
ગુજરાત2 days ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય2 days ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો