ગુજરાત
મિત્રએ મિત્રને બીજો ઘા ઝીંકયો, છરી શરીરમાં ખૂંપી ગઇ ને જીવ ગયો
જંકશનરોડ પર પાળીએ બેસવા બંન્ને મિત્રોને માથાકૂટ થઇ હતી
‘મેં મર્ડર કર્યું છે’ આરોપીએ કંટ્રોલ રૂમમાં કોલ કર્યો ને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો, આરોપીની ધરપકડ
રાજકોટના રેલવે સ્ટેશન સામે આવેલી હોટલ નજીકના ફૂટપાથ પર રવિવારે બપોરે એક મિત્રએ બીજા મિત્રની છરીના બે ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. હત્યા બાદ ખૂદ આરોપીએ પોલીસ કંટ્રોલ રૃમમાં કોલ કરી પોલીસને મોકલવા જણાવ્યું હતું. પ્ર.નગર પોલીસે તત્કાળ સ્થળ પરથી ભાગી ગયેલા આરોપીને ઝડપી લીધો હતો. ફૂટપાથની પાળી પર બેસવા બાબતે થયેલા ઝગડામાં હત્યા થયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
હત્યાનો ભોગ બનનારનું નામ કરણ શિવજીભાઈ ઠાકોર(ઉ.25)તે જંકશન આજુબાજુના ફૂટપાથ પરથી ભંગાર વિણવા સહિતનું કામ કરતો હતો. જંકશન સ્ટેશન રોડ પર જ આવેલી જયહિન્દ હોટલમાં આરોપી પ્રવિણ રમેશ વાઘેલા કામ કરતો હતો.બંને મિત્રો હતા.પ્ર.નગર પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે બંને વચ્ચે રવિવારે સવારે ફૂટપાથની પાળી પર બેસવા બાબતે બોલાચાલી થઇ હતી. જેને કારણે કરણે આરોપી પ્રવિણને ફૂટપાથની પાળી પર બેસવાની ના પાડી હતી.
જેનો આરોપી પ્રવિણે વિરોધ કર્યો હતો.બપોરે બંને વચ્ચે ફરી મુદ્દે આશાપુરા હોટલ સામેના ફૂટપાથ પર ફરીથી બોલાચાલી થઇ હતી.જેમાં ઉશ્કેરાઇ ગયેલા આરોપી પ્રવિણે મિત્ર કરણના પડખા અને ગુપ્ત ભાગે છરીના બે ઘા ઝીંકી દીધા હતા.ઘા એટલા ઝનૂનમાં ઝીંક્યા હતા કે છરી કરણના શરીરમાં જ ખૂંપી ગઇ હતી.જે તબીબોએ પોસ્ટમોર્ટમ દરમિયાન કાઢી હતી.
હત્યા કર્યા બાદ આરોપી પ્રવિણે પોલીસ કંટ્રોલ રૃમમાં કોલ કરી કહ્યું કે મેં મર્ડર કર્યું છે,તમે પોલીસ ને મોકલો.પોલીસ કંટ્રોલ રૃમ તરફથી આ કોલ અંગે પ્ર.નગર પોલીસને જાણ કરાતા પીઆઇ ભાર્ગવસિંહ ઝણકાટ,પીઆઇ પિયુષ ડોબરીયા, પીએસઆઈ બેલીમ,પીએસઆઈ જે.એમ.જાડેજા, એએસઆઈ ડી.વી. ખાંભલા, મનસુરશા, પ્રતિકસિંહ, અશ્વિનભાઈ રાઠોડ,અલ્પેશભાઈ વઘેરા, પીસીઆર વેનના રમાબેન સોલંકી અને ડ્રાઇવર રવિભાઈ તેમજ ડિસ્ટાફના વિમલભાઈ તેમજ કનુભાઈ ભમ્મર સહિતનો સ્ટાફ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો.તપાસના અંતે આરોપી પ્રવિણને રેલવે સ્ટેશનની પાછળના ભાગેથી ઇજાગ્રસ્ત હાલતે ઝડપી લીધો હતો.
તેમજ ઘટના અંગે જાણ થતા ડીસીપી ઝોન-2 જગદીશ બંગારવાએ પણ સિવિલ હોસ્પિટલે પહોંચી સમગ્ર બનાવની હકીકત મેળવી હતી.પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, મૃતક અને આરોપીના કોઇ વાલી-વારસ હાલ મળ્યા નથી.જેને કારણે અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ કનુભાઈ ઘેડ સરકાર તરફે ફરિયાદી બનાવાયા છે.તેની ફરિયાદ પરથી આરોપી પ્રવિણ સામે ખૂનનો ગુનો નોંધી તેની ધરપકડ કરાઇ છે.આરોપી જયહિન્દ હોટલના માલિક યુનુસભાઈ જૂણેજાના મકાનમાં રહે છે.આ ઘટનામાં આરોપી પ્રવીણ રમેશભાઈ વાઘેલા(ઉ.22)ને પણ માથામાં ઇજા થતાં પોલીસ જાપતામાં જ તેમને સિવિલ હોસ્પિટલે સારવાર આપવામાં આવી હતી.
મૃતક કરણે ચાર વર્ષ પહેલાં બાવાજી યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા,પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી
જંકશન મેઈન રોડ પર ગઈકાલે બપોરે કરણ ઠાકોર નામના યુવાનની હત્યા થતા પ્ર.નગર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.આ મામલે પોલીસને જાણવા મળ્યું હતું કે મૃતક કરણે ચાર વર્ષ અગાઉ અંકિતા કમલેશભાઈ ગૌસ્વામી સાથે પ્રેમલગ્ન કર્યા હતા.તેમને એક પુત્ર રુદ્રાક્ષ(ઉ.2) છે.કરણના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે.
ગુજરાત
વરસાદ સાથે ત્રાટકેલી વીજળીએ બે ભોગ લીધા
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ પણ ચાલુ રહેલા કમોસમી વરસાદ સાથે ત્રાંટકેલી વિજળીએ સૌરાષ્ટ્રમાં બે લોકોના ભોગ લીધા છે. વિસાવદર તાલુકાના સરસઈ ગામે તથા તળાજાના દેવળિયા ગામે વિજળી પડવાથી બે મહિલાના મોત થયા છે. બીજી તરફ આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન 41 તાલુકામાં ઝાપટાથી માંડી બે ઈંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કોટડા સાંગાણી-માણાવદરમાં બે ઈંચ, રાણાવાવ, જામકંડોરણા, માળિયા હાટીના, જગડિયા, કુકાવાવ, અમરેલી, જૂનાગઢ, માંગરોળ અને ઓલપાડમાં એકથી બે ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો છે. જ્યારે વિસાવદરના સરસઈ ગામે વિજળી પડતા મજુર મહિલાનું તેમજ ભાવનગરના દેવળિયા ગામે વિજળી પડતા મહિલાનું મોત થયું હતું.
કોટડાસાંગાણી
કોટડાસાંગાણી માં સવારથી ગરમી નો ઉકરાટ અને સવારથી બપોરના સુમારે તરકો અને ગરમી નો ઉકરાટથી એકાએક સાંજના સુમારે વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા સાંજ ના સમયે 6 વાગ્યાથી વરસાદી વાતાવરણ થયેલ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને 6 થી 7 વાગ્યા સુધી ડોટ ઈંચ જેટલો વરસાદ પડેલ વીજળી ના કરાકાભરક સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો એક કલાક માં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો.
બગસરા
બગસરા શહેરમાં સવારથી અસહ્ય ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. બપોર બાદ બગસરા તેમજ આજુ બાજુના ગામો જેવાકે સાપર, સુડાવડ, મૂંજીયાસર, રાફળા, માણેકવાડા, જેવા ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પાડ્યો હતો. જેના હિસાબે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અને શહેરના મુખ્ય માર્ગો ઉપર જાણે નદી વહેવા લાગી હોય તેવા દ્રશ્યો જોવા મળિયા હતા.જયારે ખેડૂતોની માઠી દશા બેસી ગઈ છે. બે દિવશ પહેલા જ 3.5 ઇંચ જેવો વરસાદ પડેલ હતો ત્યાર બાદમાં એક દિવશના વિરામ બાદ આજે ફરી પાછો અડધી કલાકમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જેના પગલે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. અને કુદરતે જાણે મોઢામાં આપેલ કોળિયો છીનવી લીધો હોય તેમ કપાશ,માંડવી તેમજ સોયાબીન જેવા પાકોમાં વ્યાપક નુકશાન થયું છે. જેના લીધે ખેડૂતો પાયમાલ થઇ ગયા છે.
દેવળિયા ગામે વીજળી પડતા મહિલાનું મોત
ભાવનગર જિલ્લાના દેવળીયા ગામે વિજળી પડતાં મહિલા નું મોત નિપજ્યું હતું. પ્રાપ્ત થતી વિગતો મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા ના દેવળીયા ગામે ખેત મજૂરી કરતા દયાબેન ભીમજીભાઈ મકવાણા ઊં.વ.50 ઉપર વીજળી પડતા તેણી નું કરુણ મોત નિપજ્યું હતું. આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 35.7 ડીગ્રી રહ્યું હતું. જ્યારે લઘુતમ તાપમાન 28.0 ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 61% રહ્યું હતું જ્યારે પવનની ઝડપ 10 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.
ગુજરાત
ખંભાળિયામાં ઝેરી ટીકડા ખાઈ આપઘાત
ખંભાળિયામાં આવેલી કણઝાર હોટલ પાસે રહેતા પ્રકાશભાઈ ધીરજલાલ જાદવાણી નામના 40 વર્ષના યુવાને ગત તારીખ 16 ના રોજ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવાના ટીકડા પી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ કિશોરભાઈ ધીરજલાલ જાદવાણી (ઉ.વ. 50, રહે. જામપર) એ અહીંની પોલીસને કરી છે.
બાઈક સ્લીપ
ઓખા મંડળના મીઠાપુર નજીક આવેલા મૂળવેલ તથા મૂળવાસર ગામ વચ્ચે જી.જે. 37 એલ 3696 નંબરના મોટા સાયકલ લઈને જઈ રહેલા રઘુકુમાર નરેશ પ્રસાદ કુસવાહા (મૂળ રહે. બિહાર, હાલ સુરત) એ પોતાનું મોટરસાયકલ પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા આ મોટરસાયકલ સ્લીપ થઈ જવા પામ્યું હતું. જેના કારણે બાઇકની પાછળ બેઠેલા તેમના મિત્ર હરીસંગભા નાગશીભા કેરને શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઈજાઓ થતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માત બાદ આરોપી રઘુકુમાર તેનું મોટરસાયકલ લઇને નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે મૃતક હરીસંગભાના પિતા નાગશીભા કાયાભા કેર (ઉ.વ. 64, રહે. હાલ જામનગર, મૂળ રહે. ગોરીંજા – દ્વારકા)ની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે આરોપી બાઈક ચાલક રઘુકુમાર નરેશ પ્રસાદ સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આર.પી. રાજપુત દ્વારા હાથ ધરવામાં આવી છે.
ક્રાઇમ
ગુજરાતમાં ડ્રગ્સ બનાવી 7 રાજ્યમાં મોકલવાના કાવતરાનો પર્દાફાશ
દુબઇથી વિરેન્દ્ર વસોયા ઉર્ફે વીરૂ યુકેના સતવિંદર મારફતે ડ્રગ્સ ઘુસાડતો હતો: ગુજરાતમાં ફાર્મા કંપનીમાં રીફાઇન કરીને દિલ્હી, પંજાબ, ઉત્તરપ્રદેશ, પશ્ર્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં સપ્લાય કરાતું હતું
દુબઈ સ્થિત ગેંગસ્ટર વિરેન્દ્ર બસોયા ઉર્ફે વીરુની સૂચના પર યુકેનો દાણચોર સતવિંદર તેને દરિયાઈ માર્ગે ગુજરાતમાં પહોંચાડતો હતો. ગુજરાતમાંથી તેને દિલ્હી અને અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતી હતી.
દિલ્હી અને ગુજરાતમાંથી 13 હજાર કરોડ રૂૂપિયાના ડ્રગ્સ ઝડપાયાના મામલામાં નવા ખુલાસા થઈ રહ્યા છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન, સ્પેશિયલ સેલને જાણવા મળ્યું કે દાણચોરોનું નેટવર્ક દિલ્હી, પંજાબ, કાશ્મીર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં ફેલાયેલું છે. પભારતનો નકામા માલથ સૌથી પહેલા ગુજરાતમાં પહોંચ્યો હતો.
આ નેટવર્કમાં આંતરરાષ્ટ્રીય તેમજ સ્થાનિક દાણચોરોનો સમાવેશ થાય છે. દુબઈ સ્થિત કિંગપિન વીરેન્દ્ર બસોયા ઉર્ફે વીરુની સૂચના પર, યુકેનો દાણચોર સતવિંદર તેને દરિયાઈ માર્ગે ગુજરાતમાં લઈ જતો હતો, જ્યાં કાચા માલને ફાર્માસ્યુટિકલ કંપનીમાં રિફાઈન કરીને દિલ્હી મોકલવામાં આવતો હતો, જેનો ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે ઉપયોગ થતો હતો. દાણચોરી આ પછી તેને અન્ય રાજ્યોમાં સપ્લાય કરવામાં આવ્યો હતો. હજુ પણ ઘણા આરોપીઓ ફરાર છે.
કોકેઈનનું ક્ધસાઈનમેન્ટ ગુજરાતમાં પહોંચાડનારા અનેક ફરાર આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપીઓએ એવો પણ ખુલાસો કર્યો છે કે અત્યાર સુધીમાં ઝડપાયેલા લગભગ 1,300 કિલો કોકેઈનનું ક્ધસાઈનમેન્ટ દક્ષિણ અમેરિકન દેશોના દાણચોરો દ્વારા ગુજરાતની ડ્રગ્સ કંપનીમાં પહોંચાડવામાં આવ્યું હતું. જોકે, આ ગેંગનો પર્દાફાશ થતાં જ નેટવર્ક સાથે સંકળાયેલા ઘણા મોટા ખેલાડીઓ, ખાસ કરીને યુકેના નાગરિકો અને તેના નેટવર્ક સાથે સંકળાયેલા દાણચોરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ગુજરાતમાં પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓ – વિજય ભેસનિયા, અશ્વની રામાણી, બ્રિજેશ કોઠિયા, મયુર દેસલે અને વડોદરાના રહેવાસી અમિત – યુકે સ્થિત હેન્ડલર્સ સાથે નજીકના સંબંધો ધરાવતા હતા.
ટોળકીના કોઈને પણ ખબર ન હતી કે કોણ શું કામ કરે છે. વાસ્તવમાં, આ નેટવર્ક મુખ્યત્વે દુબઈના વીરેન્દ્ર બસોયા, યુકેના સતવિંદર અને ભારતના તુષાર ગોયલ દ્વારા સંચાલિત હતું. ત્રણેયનું પોતાનું અલગ નેટવર્ક હતું. ત્રણેય લોકલ નેટવર્ક સાથે જોડાયેલા લોકો સાથે કોડ વર્ડ્સમાં વાત કરતા હતા. દાણચોરીને છુપાવવા માટે આનો ઉપયોગ સંદેશાવ્યવહારના માધ્યમ તરીકે થતો હતો. અત્યાર સુધીમાં 13 હજાર કરોડ રૂૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે 2 ઓક્ટોબરે સ્પેશિયલ સેલે દિલ્હીના મહિપાલપુરમાં એક વેરહાઉસમાંથી 560 કિલોથી વધુ કોકેઈન અને 40 કિલો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો હતો. તેની કિંમત 5,620 કરોડ રૂૂપિયા આંકવામાં આવી હતી અને ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં અન્ય બે અમૃતસર અને ચેન્નાઈમાંથી ઝડપાયા હતા. આ કેસમાં હજુ પણ ઘણા તસ્કરો ફરાર છે, જેમને સ્પેશિયલ સેલ શોધી રહી છે.
-
આંતરરાષ્ટ્રીય2 days ago
SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા
-
ક્રાઇમ2 days ago
ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો
-
રાષ્ટ્રીય18 hours ago
10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની
-
આંતરરાષ્ટ્રીય18 hours ago
નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા
-
ગુજરાત2 days ago
પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ
-
ગુજરાત2 days ago
આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત