Connect with us

કચ્છ

કચ્છમાં ભેદી તાવથી મૃત્યુ આંક 15 થયો

Published

on

22 મેડિક્લ ટીમો ઉતારાઇ

અબડાસા તાલુકામાં પણ વાઇરસનો પગ પેસારો થતા લોકોમાં ફફડાટ

કચ્છમાં હડકંપ મચી ગયો છે. કચ્છમાં ભેદી વાયરસે વધુ ત્રણ લોકોના ભોગ લેતા મૃત્યુઆંક 15 થયો છે. લખપત બાદ હવે અબડાસા તાલુકામાં પણ ભેદી વાયરસનો પગ પેસારો થયો છે. રાજકોટ અને ગાંધીનગરની તબીબી ટીમોએ સઘન તપાસ હાથ ધરી છે. ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લુ, કોંગો ફીવર સહિતના નમુનાઓ પરીક્ષણ માટે મોકલાયા છે. રાજ્ય સરકાર પણ આ સ્થિતિને લઈને એક્શન મોડમાં આવી છે.


વાયરસથી થતા આ તાવમાં ચેપથી બચવુ ખાસ જરૂૂરી છે. સ્થાનિક મીડિયા કર્મી રિપોર્ટિંગ કરવા જતા તાવમાં પટકાયા છે. અત્યાર સુધીમાં ભેદી વાયરસના કારણે કુલ 15 લોકોનાં મોત નિપજ્યા છે.એકલા લખપત તાલુકામાં ભેદી બીમારીથી 13 લોકોના મોત નિપજ્યા છે. ભેખડ ગામે આરોગ્ય વિભાગની ટીમ પહોંચી છે. રાજ્ય સરકારે આરોગ્ય વિભાગની ટીમો કચ્છ મોકલી છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યા છે. લખપતનાં અસરગ્રસ્ત ગામોનાં રાજ્યની આરોગ્ય ટીમ પહોંચી છે. ભેખડ સહિતના ગામમાં આરોગ્ય ટીમે તપાસ હાથ ધરી છે. એકલા ભેખડ ગામમાં તાવનાં લીધે 3 મોત થયા હતા.


કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવી ગંભીર બીમારીના કારણે મોત થઈ રહ્યા છે ત્યારે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી રજા પર હોવાનું જાણવા મળી રહ્યું છે. તો કચ્છ કલેકટર અમિત અરોરાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે લખપત તાલુકાના ગામોમાં જત કોમ્યુનિટીમાં આ રોગના કારણે મોત થઈ રહ્યા છે.


પરિવારજનોના ડેન્ગ્યુ, મલેરિયા, એચવનએનવન સ્વાઈન ફ્લૂ તેમજ નિમોનિયા સંબંધિત સેમ્પલ લઈને રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. તેમજ આરોગ્ય વિભાગની 22 જેટલી ટીમો સર્વેલન્સ કરી રહી છે. તો સાથે જ સ્ટેટ વિભાગની ટીમો પણ સર્વે માટે તેમજ વધુ ચકાસણી માટે ત્યાં પહોંચી છે. સાથે સાથે મગવાણા અને દયાપર પીએસસી સેન્ટરના ડોક્ટરોને પણ ઓપીડી ચેકઅપ માટે કાર્યરત કરવામાં આવ્યા છે હાલમાં પરિસ્થિતિ કંટ્રોલમાં હોવાનું કચ્છ કલેકટરે જણાવ્યું હતું.


કચ્છ જિલ્લામાં ભારે વરસાદ બાદ બીમારી ફાટી નીકળી છે. લખપત તાલુકામાં ન્યુમોનિયા થી 13 લોકોના મોતથી હાહાકાર મચી ગયો છે. એક જ સપ્તાહમાં લખપતમાં 13 યુવાનોના મોત થયા છે. લખપત તાલુકાના બોખડા ગામે 5, વાલાવારી 2, સાંન્ધ્રો, મોરગર, મેડી, ભરાવાઢ અને લાખાપર ગામમાં 1-1 વ્યક્તિનું મોત નિપજ્યું છે.

સરકાર-વિપક્ષ સામસામે

વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે આ મામલે સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, કચ્છ જીલ્લાના લખપત તાલુકામાં ફાટી નીકળેલા રોગચાળાનો ભોગ વિસ્તારના લોકો બની રહ્યા છે અને 14 લોકોએ જીવ ગુમાવ્યો છે. સરકાર અને પ્રશાસનનું ધ્યાન દોરવા છતાં કોઈ ગંભીર પગલાં લેવામાં નથી આવ્યા. લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેના માટે કોઈ સુવિધા નથી. વારંવાર ધ્યાન દોરવા છતાં સરકારી તંત્રના પેટનું પાણી નથી હલ્યું. એક પણ જવાબદાર ઉચ્ચ અધિકારીએ હજુ સુધી લખપતના ગામોની મુલાકાત નથી લીધી. જ્યારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે, શકિતસિંહ ગોહિલનું નિવેદન તથ્ય વિહોણું છે. આરોગ્ય વિભાગ આ મુદ્દે ત્યાં કાર્યરત છે. હાલ સર્વેની કામગીરી ચાલુ છે. રાજકોટથી પણ નિષ્ણાતોની ટીમ ત્યાં ગઈ છે. ઝેરી મેલેરિયા, ડેન્ગ્યુનાં કારણે મોત થયાની હાલ પ્રાથમિક વિગતો મળી છે. તમામ મુદ્દે હાલ સર્વે કરવામાં આવી રહ્યો છે. સરકારે તુરંત જ કાર્યવાહી કરી છે.

કચ્છ

કચ્છમાં ઇદના દિવસે બોલેરોના ચાલકે આઠ વર્ષના બાળકને કચડી નાખતાં મોત

Published

on

By

આજે સવારે ખાવડાની કોટડા ચેકપોસ્ટ પાસે ધ્રોબાણાના ધુબારાવાંઢનું આઠ વર્ષીય બાળક રિઝવાન રાજપાર સમા માર્ગ પર પગે જઇ રહ્યું હતું, ત્યારે બોલેરોએ તેને કચડી નાખતાં તેનું કમકમાટીભર્યું મોત થયું હતું. ઇદના દિવસે જ પરિવાર પર આભ તૂટી પડયું હતું, જ્યારે અંજારમાં અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. ખાવડા પાસેની કોટડા ચેકપોસ્ટ નજીક થયેલા કરુણ અકસ્માત અંગે પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે 9.30 વાગ્યાના અરસામાં ધ્રોબાણા ધુબારાવાંઢ (ખાવડા)નો આઠ વર્ષીય માસૂમ રિઝવાન રસ્તો પાર કરી રહ્યો હતો ત્યારે બાલેરો નં. જી.જે. 12 સી.ટી. 5654એ તેને કચડી નાખતાં માથા તથા પગમાં ગંભીર ઇજાનાં પગલે ઘાયલ થયો હતો. પ્રથમ ખાવડા બાદમાં વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યો હતો.

આ અકસ્માત અંગે રિઝવાનના કાકા રસીદ જાકબ સમાએ વિગતો જાહેર કરી ખાવડા પોલીસ મથકે બોલેરોચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. ઇદના દિવસે જ આ ગોઝારી ઘટનાથી પરિવાર અને સંબંધીઓ પર આભ તૂટી પડયું હતું. બીજી તરફ અંજારમાં જેસલ તોરલ નજીક આવકાર ગેસ્ટહાઉસ, તુલસી સોડા શોપની બાજુમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. ભિક્ષુક જેવો લાગતો આ યુવાન ગઇકાલે સવારે બેભાન મળી આવ્યો હતો. તેને હોસ્પિટલ લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ યુવાનના પગમાં પાટો બાંધેલો છે. તેના સંબંધીઓએ અંજાર પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

Continue Reading

કચ્છ

નલિયાની જેલની દીવાલ કૂદી કેદીનો ભાગવાનો પ્રયાસ

Published

on

By

કેદીનો હાથ ભાંગી ગયો, સારવારમાં ખસેડાયો

અબડાસા તાલુકાના ડુમરામાં દારૂૂના નશામાં ઝડપાયેલા આરોપીને નલિયાની સબ જેલમાંથી નાસવાનો પ્રયાસ ભારે પડયો હતો. આ બનાવની તબક્કાવાર વિગતો રમૂજ સાથોસાથ રોચક છે. બપોરે 11-12 વાગ્યાના અરસામાં કોઠારા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ડુમરાના બસ સ્ટેશન પાસે લથડિયા ખાતે ગામના કોલીવાસનો કરશન ઉર્ફે કિશન બાબુ કોળી (ઉ.વ. 20) મળી આવ્યો હતો. કોઠારા પોલીસે કેફી પીણું પીધેલા કરશન ઉપર ગુનો દાખલ કરી અટક કરી નલિયા સબ જેલને સોંપ્યો હતો.

નલિયાની સબ જેલમાં કેદ આરોપી કરશને બાથરૂૂમ જવાનું કહેતાં તેને બાથરૂૂમ લઇ જવાયો હતો ત્યારે તે સબ જેલની પાછળની દીવાલ કૂદીને ભાગવા જતાં માથેથી પટકાયો હતો. આથી કરશનને હાથમાં અસ્થિભંગ અને મોઢાના ભાગે ઇજા થતાં દાંત તૂટી પડયા હતા. આમ, કરશન માટે કેદમાંથી ભાગવાનો પ્રયાસ ભારે પડયો હતો. નાસવાના પ્રયાસ અંગે પણ નલિયા પોલીસે તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

Continue Reading

કચ્છ

કચ્છમાં ફરી એક વખત ધરા ધ્રૂજી, ભચાઉ નજીક 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

Published

on

By

કચ્છમાં ફરી ભૂકંપના આચંકા અનુભવાયા છે. ભચાઉ નજીક આજે સવારે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. આજે સવારના 6:59 વાગ્યે 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. કોઈ જાનહાનિ થવાની માહિતી મળી નથી.કચ્છની ધરા પરથી ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 10 કિ.મી. દૂર નોંધાયું છે. બે મહિના અગાઉ કચ્છના ભચાઉમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો

ત્યારબાદ 10 ડિસેમ્બરે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી ઉઠતા લોકો ઘરની બહાર દોડી આવ્યા છે. ભૂકંપનો આંચકો આવતા જ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં 20 સેકન્ડ સુધી ધરતી ધ્રૂજી ઉઠી હતી.

ભૂકંપના અતિ સક્રિય એવા ઝોન-૫માં આવતા કચ્છમાં સમયાંતરે નાના-મોટા અને અતિ વિનાશકારી આંચકાએ પેટાળને ધ્રુજાવી નાખ્યું છે. મોડી રાત્રે ફરી એકવાર કચ્છની ધરા ધ્રૂજી ઉઠી હતી. ચાર-ચાર ફોલ્ટ લાઇન ધરાવતા કચ્છમાં ભૂકંપ અને આંચકા આવતા રહે છે.

Continue Reading
Sports7 seconds ago

હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત-ચીનનો મુકાબલો

ગુજરાત22 seconds ago

આંદોલનની વાત જ નથી, ક્ષત્રિય આંદોલન પૂરું થઈ ગયું : શંકરસિંહ

ગુજરાત3 mins ago

ખંભાળિયા તાલુકાના નાના અસોટા ગામે જાતરના મેળામાં જુગારના છ દરોડા, 22 શખ્સો ઝડપાયા

આંતરરાષ્ટ્રીય5 mins ago

લંડન ફેશન વીકની શાનદાર ઉજવણી

ગુજરાત6 mins ago

અગલે બરસ તું જલ્દી આના: વિઘ્નહર્તાને ભાવિકોની ભાવભરી વિદાય

અમરેલી9 mins ago

અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ

ગુજરાત10 mins ago

કચ્છની કંપનીમાંથી બે ટન કાર્ટિસ મળ્યા

રાષ્ટ્રીય11 mins ago

લિકર કેસમાં સીબીઆઇ, ઇડી પાસે પુરાવા જ નથી?

ગુજરાત14 mins ago

રાજકોટમાં નેત્રયજ્ઞ કેમ્પમાં આવેલા પ્રૌઢા સહિત ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત

ગુજરાત16 mins ago

લાલપુર ચોકડી પાસે માનસિક અસ્વસ્થ યુવકનો ડમ્પર હેઠળ ઝંપલાવી આપઘાત

રાષ્ટ્રીય23 hours ago

ઈદ મિલાદ ઉન નબી પર કર્ણાટકમાં હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતર્યા, જુઓ વિડીયો

રાષ્ટ્રીય24 hours ago

VIDEO: કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મારવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, મોતના ડરથી ભાગતા જોવા મળ્યા

રાષ્ટ્રીય1 day ago

‘રાઈડ ઓફ પ્રાઈડ’ ગણાતી બુલેટનું પહેલાના સમયની કિંમત જાણો, બિલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત

ગુજરાત19 hours ago

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રની સારવાર માટે અમેરિકા જશે, એક મહિનાની રજા માગી

ગુજરાત20 hours ago

મનપા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો કાલથી પ્રારંભ

રાષ્ટ્રીય1 day ago

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે નવી ઊંચાઈ હાસલ કરી, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સ્મોલકેપ-મીડકેપ શેર્સમાં પણ તેજી

રાષ્ટ્રીય20 hours ago

બજાજના આઈપીઓમાં એકના ડબલ, રૂા.14,980 સામે 17,120ની કમાણી

ધાર્મિક18 hours ago

ઘરમાં ભૂલથી પણ આ જગ્યાએ ન રાખવી જોઈએ પિતૃની તસવીર, નહીંતર સુખ શાંતિ હણી જશે

ગુજરાત19 hours ago

રીબડા ગુરુકુળના ડ્રાઈવરે પીધેલી હાલતમાં બસ હંકારી છાત્રોના જીવ જોખમમાં મૂકયા

મનોરંજન19 hours ago

અક્ષય કુમારને ‘હેરા ફેરી 3’ બનાવવા માટે ડિરેક્ટરે પાડી ના, જાણો શું મૂકી શરત

Trending