ગુજરાત
સૌરાષ્ટ્રના 23 ડેમોમાં સતત પાણીની આવક: 15 ઓવરફ્લો
સાત ડેમના 1થી 4 ફૂટ દરવાજા ખોલાયા, નદીકાંઠાના અને હેઠવાસના વિસ્તારોને સાવચેત કરાયા: ભાદર ડેમની સપાટી 21 ફૂટે પહોંચી
સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચ દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદના પગલે છ જિલ્લાના 23 જળાશયોમાં વધુ નવાનીરની આવક નોંધાઈ છે. આથી 23 ડેમ પૈકી 15 ડેમ ઓવરફ્લો થયા છે. જ્યારે અગાઉ ઓવરફ્લો થયેલા સાત જળાશયોના દરવાજા એકથી ચાર ફૂટ ખોલવામાં આવ્યા છે. ગઈકાલે પડેલા વરસાદના પગલે સૌરાષ્ટ્રના સૌથી મોટા બીજા નંબરના ભાદર ડેમની સપાટી 21 ફુટ પહોંચી તેમજ ફોફળ, સરસોઈ, પન્ના, ફુલજર-1, ઉંડ-3, વાડીસંગ, રૂપારેલ, વર્તુ-1, ગઢડી, સોનમતી, સીંઘણી, સાબરકા, મીણસર અને સોરઠી સહિતના 15 ડેમ 1થી 3 ફૂટ ઓવરફ્લો થઈ રહ્યા છે. હાલ પણ પાણીની આવક ચાલુ હોય ડેમ વધુ ફૂટે ઓવરફ્લો થવાની સંભાવના જોવાઈ રહી છે. એક દિવસમાં રાજકોટ જિલ્લાનો 1, જામનગર જિલ્લાના 6, મોરબી જિલ્લાનો 1, પોરબંદર જિલ્લાનો 1 અને દ્વારકા જિલ્લાના 6 ડેમ ઓવરફ્લો થયા છે.
ગઈકાલે અનેક જિલ્લાઓમા પાંચથી 12 ઈંચ જેટલો ભારે વરસાદ વરસી જતાં ભાયાવદર પાસેનો મોજ ડેમ ઓવરફ્લો 15 ગેટના દરવાજા 5 ફૂટ ખોલાયા ભાયાવદરમાં તથા મોજડેમ વિસ્તારના ગામોમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડે છે. તેથી ભાયાવદરનો મોજ ડેમ 44 ફૂટનો છે તે ઓવરફ્લો થયેલ છે. અને 15 ગેટના દરવાજા 5 ફૂટ ખોલાયા છે. મોજડેમમાં આવતા ગામો મોજીરા, ખાખીજાળિયા, ઉપલેટા, ગઢાળા, નવાપરા, સેવંત્રા, કેશળ, પાઠલ, ચેતવણી આપવામાં આવી છે. નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેતીના પગલા લેવા આથી સુચના આપવામાં આવી છે. મોજડેમ ઉપર જનતા ઉમટી પડી છે. આજે ભાયાવદર ગામની રૂપાવટી નદી તથા હોકળી બે કાંઠે પુર આવેલ છે. કોઈપણ જાતની જાનહાની થયેલ નથી. આજે સવારે 9થી 1 સુધીમાં 4 ઈંચ વરસાદ પડેલ છે. અરણી-4, વડાળી-5, ખીરસરા 4, સાજડિયાળી 3, જામ ટીંબળી 5, ચિત્રાવડ-5, મોજ ખીજડિયા-4, વરસાદ પડેલ છે.
ધોરાજીનો ભાદર 2 ડેમ સતત બીજી વખત થયો ઓવર ફ્લો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ ના કારણે ડેમમાં પુષ્કળ પ્રમાણમાં થઈ પાણી ની આવક થઈ હતી પાણીની આવક વધતા ભાદર 2 ડેમ ના 2 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા હતા ભાદર 2 ડેમ માં 2600 ક્યુસેક ની આવક તો 2600 ક્યુસેક ની જાવક નોંધાઈ છે ભાદર 2 ડેમ હેઠળ આવતા માણાવદર, કુતિયાણાના, પોરબંદર સહિત 19 ગામોને કરાયા એલર્ટ ધોરાજી ઉપલેટા માણાવદર કુતિયાણાના અને પોરબંદર સહિત ના કુલ 68 જેટલા ગામો ને પીવાના પાણી ની અને સિંચાઇ નો પ્રશ્ન હલ થયો ધોરાજી થી લઇ અને પોરબંદર સુધીના ભાદર નદી કાંઠા વિસ્તારના ગામોને સાવચેત કરાયા હતા લોકોને નદીના પટમાં અવર જવરના કરવા તંત્રએ અપીલ કરેલ હતી.
ખાતે ભારે વરસાદના પગલે જંગલ માંથી પસાર થતી તમામ નદીઓ નાળાઓમાં પુર આવ્યુ હતું. ગીરના ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ગીર પંથક માથી પસાર થતી શાહી નદી, દ્રોણની મચ્છુન્દ્રી નદી, રાવલ, બાબરીયા, થોરડી ગામ પાસેથી પસાર થતી શાંગાવાળી નદી, રૂૂપેણ નદી સહીતની નદીઓમાં પુર આવ્યુ હતું. સુપ્રસિદ્ધ તુલસીશ્યામ મંદિરના પગથીયા પાસેથી પાણીનો ધોધ વહેતો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અને પાસે આવેલી નદી નાળાંમાં પણ ભારે પુર આવ્યુ હતું.
ગીરગઢડા તાલુકાના કોદિયા ગામ પાસે આવેલ મચ્છુન્દ્રી જળાશયમાં પાણીની આવક વધતાં, જળાશય તેમના ડીઝાઈન સ્ટોરેજ પ્રમાણે 80 ભરાઈ ગયેલ છે. હાલનું લેવલ 108 મીટર છે. ઉંડાઇ 8.50 મીટર છે અને ગ્રોસ જથ્થો 25.4303 મી. ઘન મીટર છે. પાણીની આવક ચાલુ હોય ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે છે. જેથી નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવે છે. નદીના પટમાં કે કાઠા વિસ્તારમાં અવર જવર ન કરવા, તેમજ ઢોર ઢાખર અને વાહન પસાર કરવા નહીં. તેવી ચેતવણી અપાય જવા તેમજ સાવચેત રહેવા ગીરગઢડા તાલુકાના રસુલપરા, કોદિયા, દ્રોણ, ઇટવાયા, ફાટસર, ઝુડવડલી, મેણ, ગુંદાળા ઉના તાલુકાના ચાચકવડ, ઉના, દેલવાડા, કાળાપાણ, રાજપરા, રામપરા, ઝાખરવાડા, નવાબંદર સહિત 16 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ ડેમનું લેવલ 108 મીટર, ઉંડાઈ 8.50 મીટર, જથ્થો 25.4306 મી.ઘ.મી., ઈનફ્લો 5297 ક્યુસેક છે.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત2 days ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય12 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
કચ્છ2 days ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
-
ગુજરાત2 days ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય2 days ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો