કોડીનારના દેવડીમાં રાજપૂત સમાજના અગ્રણીના ઘર પર પથ્થરમારો

કોડીનાર તાલુકા ના દેવડી ગામના કારડીયા રાજપુત સમાજના અગ્રણી અને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા કરસનભાઈ સોલંકી ના ઘર ઉપર ગતરાત્રિના વહેલી સવારના કોઈ અજાણ્યા શખ્સોએ…

કોડીનાર તાલુકા ના દેવડી ગામના કારડીયા રાજપુત સમાજના અગ્રણી અને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા કરસનભાઈ સોલંકી ના ઘર ઉપર ગતરાત્રિના વહેલી સવારના કોઈ અજાણ્યા શખ્સોએ ભારે પથ્થર મારો ચલાવીને ઘરની બાલકની ના ટફન ગ્લાસ તોડી નાખ્યા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કોડીનાર તાલુકાના શૈક્ષણિક ક્ષેત્રે અને કારડીયા રાજપુત સમાજમાં આગવું સ્થાન ધરાવતા કરસનભાઈ મૂળજીભાઈ સોલંકી એ બનાવ અંગે અજાણ્યા શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે ત્યારે દેવડી ગામમાં સલામત સ્થળે આવેલા કરસનભાઈ ના મકાન ઉપર પથ્થર મારાની ઘટનાને લઈને ચર્ચા સાથે ચકચાર જાગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *