Site icon Gujarat Mirror

કોડીનારના દેવડીમાં રાજપૂત સમાજના અગ્રણીના ઘર પર પથ્થરમારો

કોડીનાર તાલુકા ના દેવડી ગામના કારડીયા રાજપુત સમાજના અગ્રણી અને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા કરસનભાઈ સોલંકી ના ઘર ઉપર ગતરાત્રિના વહેલી સવારના કોઈ અજાણ્યા શખ્સોએ ભારે પથ્થર મારો ચલાવીને ઘરની બાલકની ના ટફન ગ્લાસ તોડી નાખ્યા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કોડીનાર તાલુકાના શૈક્ષણિક ક્ષેત્રે અને કારડીયા રાજપુત સમાજમાં આગવું સ્થાન ધરાવતા કરસનભાઈ મૂળજીભાઈ સોલંકી એ બનાવ અંગે અજાણ્યા શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે ત્યારે દેવડી ગામમાં સલામત સ્થળે આવેલા કરસનભાઈ ના મકાન ઉપર પથ્થર મારાની ઘટનાને લઈને ચર્ચા સાથે ચકચાર જાગી છે.

Exit mobile version