ગુજરાત
દ્વારકા પાલિકાને બાંધકામ મંજૂરીની પુન:સત્તા
અગાઉ આવેલ અને 30 સપ્ટેમ્બર સુધી આવનાર અરજીઓને પાલિકા કક્ષાએથી મંજૂરી મળશે
આશરે છ માસ પહેલાં રાજ્ય સરકાર દ્વારા દ્વારકા અને ઓખાના વિકાસકાર્યોને વેગવંતા બનાવવાના આશય સાથે દ્વારકા ઓખા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટીની રચનાની જાહેરાત કરાયેલ.જેને હાલ સુધી કાર્યરત ન કરી શકાતા અને સરકારની જાહેરાત બાદ દ્વારકા અને ઓખા નગરપાલીકા પાસેથી કોઈપણ પ્રકારના રહેણાંક કે કોમર્શીયલ બાંધકામને મંજૂરી આપવાની સત્તા છીનવાઈ જતાં આ બંને નગરપાલીકા વિસ્તારમાં વિકાસકાર્યો અટકી જતાં અરજદારો મુશ્કેલીમાં મૂકાયા હતા. આથી શહેરી વિકાસ મંત્રાલયે દ્વારકા અને ઓખા પાલિકાને બાંધકામ મંજુરીની સત્તા આપવાની જાહેરાત કરી છે.
જુલાઈ માસમાં ખંભાળીયા કલેક્ટર કચેરી ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી બાવળીયાની અધ્યક્ષતામાં તેમજ કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા, જિલ્લા કલેક્ટર જી.ટી.પંડયા સહિત અધિકારીગણની ઉપસ્થિતિમાં યોજાયેલ સંકલન મીટીંગમાં બંને નગરપાલીકા વિસ્તારના લોકોને પડતી સમસ્યા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ. બાદમાં આ અંગે કલેકટર જી.ટી.પંડયા દ્વારા રાજય સરકારને વિકાસના પરવાના ઈશ્યુ કરવાની સત્તા દ્વારકા તથા ઓખા નગરપાલીકાને પુન: આપવા રજૂઆત કરેલ.
આ પ્રશ્ન આજરોજ રાજયના શહેરી વિકાસ મંત્રાલય વિભાગ દ્વારા આગામી 30-09-2024 સુધી ઓખા અને દ્વારકા નગરપાલીકા હસ્તકના વિકાસના પરવાના અંગે આવેલ અરજીઓ તેમજ આગામી 30મી સુધી વિકાસકાર્યો માટે જે કોઈ અરજી આવે તેને અગાઉની જેમ જ નગરપાલીકા કક્ષાએથી મંજૂરી આપવા માટેની સૂચના આપવામાં આવી છે. આ સમાચારથી દ્વારકા અને ઓખા નગરપાલીકા વિસ્તારમાં બાંધકામ ઈચ્છુક નાના અને મધ્યમવર્ગના શહેરીજનો તેમજ ધંધાકીય એકમ શરૂૂ કરવા માંગતા બીઝનેસમેનોમાં આનંદની લાગણી વ્યાપી છે. આ સાથે છેલ્લાં છ માસ દરમ્યાન મંજૂરીને અભાવે અટકેલા બાંધકામોને મંજૂરી મળ્યે પુન: વિકાસકાર્યોને વેગ મળશે.
ફેબ્રુઆરી માસમાં સુદર્શન સેતુના લોકાર્પણ હેતુ પ્રધાનમંત્રી મોદીની દ્વારકા બેટ દ્વારકાની મુલાકાતના આશરે દસેક દિવસ બાદ માર્ચ માસમાં ગુજરાત સરકાર દ્વારા દ્વારકા તથા ઓખા નગરપાલીકાને વિસ્તાર વિકાસ સત્તામંડળ તરીકેનો દરજજો છીનવી લઈ દ્વારકા ઓખા શહેરી વિકાસ સત્તામંડળની રચના કર્યાના આશરે છ માસના સમયગાળા બાદ પણ ઉઘઞઉઅ માત્ર કાગળ પર જ રહી જતાં ઓખા તથા દ્વારકા નગરપાલીકા સહિતના વિસ્તારોમાં બાંધકામ પરવાનગી અટકી જતાં અનેક નવા નિર્માણો અટકી ગયા હતા.
આશરે છ માસથી દ્વારકા તેમજ ઓખા નગરપાલીકા પાસેથી દરજ્જો છિનવાઈ જતાં નવા ઘર, દુકાનો તથા અન્ય કોમર્શીયલ બાંધકામોની પરવાનગી માંગતી અરજીઓ અંગે નગરપાલીકાના અધિકારીઓએ આ માટે મંજૂરી આપવાની સત્તા તેઓને ન હોવાનું જણાવી ના પાડી દીધી હતી અને આવી મંજૂરી આપવા માટેની જવાબદાર સત્તા તરીકે દ્વારકા ઓખા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી (ઉઘઞઉઅ) ની કામગીરી શરૂૂ કરવાની હજુ બાકી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
અનધિકૃત બાંધકામોમાં વધારો
એક તરફ બંને નગરપાલીકાઓએ સત્તાના અભાવે લોકોના વિકાસલક્ષી કામોની મંજૂરી બંધ કરી દેવામાં આવી છે તો બીજી તરફ સરકારની ઓનલાઈન ડેવલોપમેન્ટ પરમીયાન સીસ્ટમ પર પણ આવી અરજીઓ ઓનલાઈન સ્વીકારવામાં આવતી ન હોય બંને નગરપાલીકા વિસ્તારમાં લોકો મંજૂરી માટે અહીંથી ત્યાં ભટકી રહ્યા હોવાનું અને લોકો પાસે કોઈ વિકલ્પ જ ન હોવાનું સ્થાનીય અગ્રણીએ જણાવ્યું છે. તો અન્ય એક અગ્રણી કહેલ કે લોકોને વિકાસ પરવાનગી માટે કયાંય જવાનું ન હોય જેના કારણે ઘણા બધા અનધિકૃત બાંધકામો પણ થઈ રહ્યા હતા.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય9 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
કચ્છ1 day ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો