ગુજરાત
આગ દુર્ઘટના બાદ ભાભા કોમ્પ્લેક્સ સીલ કરવામાં તંત્રના પારોઠના પગલાં
ફાયર સેફ્ટીના સાધનો અને NOC ન હોવાથી સીલિંગ કાર્યવાહી માટે ગયેલી કોર્પોરેશનની જાન લીલા તોરણે પરત
વેપારીઓની રજૂઆત સાંભળ્યા બાદ ફાયર NOC માટે સાત દિવસની મુદ્ત અપાઇ
શહેરની ગેમ ઝોન દુર્ઘટના બાદ ફરી વખત આજે બંગડી બજારના ભાભા કોમ્પ્લેક્સમાં છઠ્ઠા માળે ભીષણ આગ લાગતા ફાયર વિભાગે આગ કાબૂમાં લીધી હતી અને રવિવાર હોવાથી દૂકાનો બંધ હોય જાનહાની ટળી હતી. પરંતુ તપાસ દરમિયાન આ ઇમારતમાં ફાયર સેફ્ટીના સાધનો અને ફાયર એનઓસી ન હોવાનું ખૂલતા આજે ફાયર વિભાગે કોમ્પ્લેક્સ સીલ કરવા માટે કાર્યવાહી કરી હતી. જેનો વેપારીઓએ વિરોધ કરી ફાયર એનઓસી માટે સાત દિવસની મુદ્ત માંગતા કોર્પોરેશનનો ફાયર વિભાગનો કાફ્લો સિલિંગ કાર્યવાહી કરાયા વિના પરત ફર્યો હતો.
રાજકોટમાં ગેમ ઝોન દુર્ઘટના હજુ તાજી છે,ત્યારે શહેરની બંગડી બજારના ભાભા કોમ્પ્લેક્સના છેલ્લા માળે ગેરકાયદે પતરાના સ્ટ્રક્ચરમાં બનેલા ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી.જેને લીધે સ્થાનિક વેપારી દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા એક કલાકની જહેમત બાદ આગ બુઝાવી હતી.આગને પગલે બંગડી બજારના વેપારી હિરેનભાઇએ જણાવ્યું હતું કે,હું સવારે મારી દુકાને આવ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે, બજારમાં ઉપરના ભાગેથી આગ લાગી છે.જેથી મે તુરંત જ સવારે 10 વાગ્યે પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.જે બાદ તુરંત જ પહોંચી ગયો હતો અને છેલ્લા એક કલાકથી આગ બુજાવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.
ભાભા બજારમાં મૂળ માલિક દુષ્યંત મહેતાનું ગોડાઉન હોવાનું સામે આવ્યું છે તેમ જણાવતા ભાડુઆત ભૂપતાણીએ જણાવ્યું હતું કે, ગિફ્ટ આર્ટિકલનું ગોડાઉન ભાડે રાખ્યું હતું. જેનું 4,000 ભાડું ચૂકવતો હતો.ગોડાઉનમાં ગિફ્ટ આર્ટીકલનો માલ સામાન પડેલો હતો.જોકે સવાલ એ છે કે મહાનગર પાલિકાને આ પ્રકારનું ગેરકાયદે પતરાનું સ્ટ્રક્ચર શા માટે ન દેખાયું.રાજકોટની બંગડી બજાર અને આસપાસના વિસ્તારમાં સાંકડી શેરીઓ છે અને તેને કારણે આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સ પણ અહીં એન્ટર થાય તો ફસાઈ જાય છે.આ પ્રકારની પરિસ્થિતિમાં તમામ ગેરકાયદેસર સ્ટ્રકચરો હટાવવા જોઈએ.તેથી આ પ્રકારની આગની દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની ન થાય.
ફાયર બ્રિગેડમાં નોંધ મુજબ,રાજકોટના ઘી કાટા રોડ પર આવેલી ભાભા બજારમાં કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે આગ લાગવાની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ પાંચ ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ખૂબ સાંકળી જગ્યા હોવાથી ફાયર બ્રિગેડના સ્ટાફને બે કલાક સુધી જહેમત ઉઠાવી પાણીનો મારો ચલાવ્યો ત્યારે આગ કાબૂમાં આવી હતી.આગથી અન્ય કોઈ જાનહાની થઈ નથી.ફાયર સિસ્ટમ દ્વારા દુકાન અને ગોડાઉનના લોકોએ આગ બુજાવવા માટેની કામગીરી કરી હતી. બાકીની અન્ય દુકાન અને ગોડાઉન ફાયર બ્રિગેડએ બચાવી લીધા છે.આ કોમ્પલેક્ષનું ફાયર એનઓસી નથી.ઘટના સમયે સ્થળ પર પોલીસ અને પીજીવીસીએલનો સ્ટાફ હાજર હતો.
ચેકિંગ ઝુંબેશમાં ભાભા કોમ્પ્લેક્સ કેમ ન દેખાયું ?
બંગડી બજારના ભાભા કોમ્પ્લેક્સમાં ગોડાઉનમાં આગ લાગ્યા બાદ તપાસમાં માલૂમ પડેલ કે આ કોમ્પ્લેક્સમાં ફાયર સેફ્ટીના સાધનો તેમજ ફાયર એનઓસી હતી જ નહીં આથી ટીઆરીપ ગેમ ઝોન દુર્ઘટના બાદ શહેરની તમામ ઇમારતોમાં ફાયર સેફ્ટી મુદ્દે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો ભાભા કોમ્પ્લેક્સમાં શા માટે તપાસ નથી કરાઇ અથવા આ કોમ્પ્લેક્સ ફાયર સેફ્ટીની કેટેગરીમાં આવે છે કે કેમ તે અંગેની જાણકારી હાલ ફાયર વિભાગ પાસે ન હોવાનું જણાવા મળેલ છે.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય8 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
કચ્છ1 day ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત