ચોટીલા સ્મશાનગૃહમાં સુવિધાઓનો અભાવ, તંત્રની સામે સવાલો

વરસાદી માહોલમાં અંતિમવિધિ માટે આવતા પરિવારજનોને પીવાનું પાણી, સ્નાન અને અન્ય મૂળભૂત સુવિધાઓ માટે હાલાકી ચોટીલા શહેરના સ્મશાનગૃહમાં છેલ્લા ઘણા સમયથી મૂળભૂત સુવિધાઓના અભાવની ફરિયાદો…

વરસાદી માહોલમાં અંતિમવિધિ માટે આવતા પરિવારજનોને પીવાનું પાણી, સ્નાન અને અન્ય મૂળભૂત સુવિધાઓ માટે હાલાકી

ચોટીલા શહેરના સ્મશાનગૃહમાં છેલ્લા ઘણા સમયથી મૂળભૂત સુવિધાઓના અભાવની ફરિયાદો સામે આવી રહી છે. ચોમાસાની ઋતુમાં અંતિમવિધિ માટે પોતાના સ્વજનને લઈને આવતા પરિવારજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાના આક્ષેપો સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યા છે.

સ્મશાનગૃહમાં પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા નથી, જ્યારે અંતિમવિધિ બાદ સ્નાન માટે પણ પૂરતું પાણી ઉપલબ્ધ ન હોવાની ફરિયાદો છે. બાથરૂૂમની સુવિધા હોવા છતાં તેનો યોગ્ય ઉપયોગ થઈ શકે તેવી પાણીની વ્યવસ્થા ન હોવાને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે.

સ્મશાનગૃહમાં લાખો રૂૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી ઇલેક્ટ્રિક/ઇલેક્ટ્રોનિક સગડી પણ અંદાજે એક વર્ષથી બંધ હાલતમાં જોવા મળી રહી છે. ચોમાસા દરમિયાન વરસાદને કારણે લાકડાથી અંતિમવિધિ કરવામાં પણ મુશ્કેલી સર્જાતી હોવાની લોકોની ફરિયાદ છે. અગાઉ આશરે સાત વર્ષ સુધી અમરશીભાઈ દ્વારા સ્મશાનગૃહની વ્યવસ્થા સંભાળવામાં આવતી હતી, ત્યારે જરૂૂરી સુવિધાઓ સારી રીતે ઉપલબ્ધ હોવાનો તેમનો દાવો છે. ત્યારબાદ વ્યવસ્થામાં ફેરફાર થયા બાદ સ્મશાનગૃહની સ્થિતિ કથળી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

આ દાવાઓ અંગે સંબંધિત તંત્રનો અધિકૃત ખુલાસો આવવાનો બાકી છે.સ્મશાનગૃહમાં સીસીટીવી કેમેરા સહિતની જરૂૂરી સુવિધાઓની પણ અછત હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. એક તરફ સરકાર અને નગરપાલિકા દ્વારા જાહેર સુવિધાઓ પાછળ નાણાં ખર્ચવામાં આવે છે, ત્યારે બીજી તરફ અંતિમ સંસ્કાર જેવી સંવેદનશીલ પ્રક્રિયા માટે આવશ્યક સુવિધાઓનો અભાવ કેમ છે તે અંગે લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે.ચોટીલાના લોકોની માંગ છે કે સ્મશાનગૃહમાં પીવાનું પાણી, સ્નાન માટે પાણી, બાથરૂૂમ, લાકડાની વ્યવસ્થા, ઇલેક્ટ્રિક સગડીનું સમારકામ અને સીસીટીવી સહિતની તમામ જરૂૂરી સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *