Connect with us

Uncategorized

શહેર-જિલ્લામાં દારૂ વેચનારાઓ પર પોલીસની ધોંસ

Published

on

આઠ દરોડામાં ઈંગ્લિશ દારૂની નાની મોટી 11પ બાટલી ઝડપાઈ: નવ શખ્સોની અટકાયત

જામનગર શહેર તેમજ જિલ્લામાં પોલીસે જુદા જુદા 8 સ્થળોએ દારૂ અંગેના દરોડા પાડી કુલ ઈંગ્લીશ દારૂની નાની મોટી 11પ બોટલ કબજે કરી છે અને આઠ જેટલા શખ્સોની મુદામાલ સાથે ધરપકડ કરી છે.
જામનગર સીટી એ ડિવિઝન પોલીસે દિગ્વિજય પ્લોટ શેરી નંબર 42 માં રજા મેન્શન પાસે રહેણાંક મકાનમાં રેડ પડી હતી. આ દરમિયાન યોગેશ્વર રમણીકલાલ વિઠલાણીના રહેણાંક મકાનમાંથી 3500ની કિંમતની 7 બોટલ તથા 31 ચપલા દારૂ સહિત 6600નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેને પગલે પોલીસે વધુ તપાસ કરતા અશોક ઉર્ફે મિર્ચી ખટાઉભાઈ મંગે નામના શખ્સનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


વધુમાં દારૂની બાતમીના આધારે સીટી એ ડિવિઝન પોલીસે કિસાન ચોકમાં આવેલ માલદે ભુવન શેરી નંબર ત્રણમાં રેડ પાડી હતી. આ વેળાએ 12000 ની કિંમતની 24 બોટલ દારૂના જથ્થા સાથે નીકળેલ કરણ ગુલાબભાઈ ડાભી નામના કોડીના દંગા પાસે સોનલ નગર મેઈન રોડ સર્કલ જામનગરમાં રહેતા શખ્સને પકડી પાડ્યો હતો.
આ ઉપરાંત પોલીસે દારૂ સંબંધીત વધુ એક દરોડો કિસાન ચોકમાં નંદા બ્રધર્સ વાળી ગલીમાં પાડ્યો હતો. જ્યાં રવિ અમરીશભાઈ ધેયડા નામના શખ્સના કબજામાંથી 24 બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધી હતો.પોલીસે 12 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી આદરી છે. આ ઉપરાંત જામનગર શહેરના વિશ્રામ વાડી વિસ્તારમાં રહેતા ક્રિષ્ના ઉર્ફે એકો મહેન્દ્ર ગોરી ના રહેણાંક મકાનમાંથી એક બોટલ દારૂ મળી આવ્યો હતો. જોકે આરોપી હાજર મળ્યો ન હતો.


તેજ રીતે દિગ્વિજય પ્લોટ 58 માં આવેલ બાળકોના સ્મશાન પાસેથી સુરેશ ઉર્ફે સુરિયો ગંગારામ જોશી દારૂૂની બોટલ સાથે પકડાયો હતો. જ્યારે દર્શન ઉર્ફે ખેતો હરીશભાઈ ચાંદરાનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ આદરી છે. તો નાગર ચકલા પાસે જાહેરમાં દારૂની બાટલી સાથે નીકળેલા કૃણાલ મહેશભાઈ ઝીંઝુવાડીયાને પોલીસે પકડી પાડ્યો હતો.


મેઘપર પોલીસે મોટીખાવડી ગામે આવેલ નાગાર્જુન પેટ્રોલ પંપ પાછળ નરેન્દ્રસિંહ ગંભીરસિંહ જાડેજાની ટ્રાન્સપોર્ટ ની ઓફિસમાં રેડ પડી હતી જ્યાં ત્રણ બોટલ દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. મેકર પોલીસે નરેન્દ્રસિંહ જાડેજા તેમજ નવલભાઇ ખેરાભાઈ બુજડ નામના બંને શખ્સોની અટક કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સીટીસી ડિવિઝન પોલીસે અંતરાશ્રમ ફાટક પાસે આવાસ કોલોની બ્લોક નંબર 51 માં બીપીન ઉર્ફે લાકડી કારાભાઈ મુછડીયાના મકાનમાં રેડ પડી હતી. જ્યાં તપાસ હાથ ધરતા 9200 ની કિંમતની 23 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે પરિસ્થિતિ પારખી આરોપી બીપીન હાજર ન મળતા તેમને ફરારી જાહેર કરાયો છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Uncategorized

વડાપ્રધાનની સભા પહેલાં કાશ્મીરમાં અલગ-અલગ જગ્યાએ પાંચ આતંકી ઢેર

Published

on

By

બારામુલ્લા અને કઠુઆમાં સેનાની કાર્યવાહી, બે જવાનની શહીદીનો બદલો લેવાયો

જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આજે સવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા, આતંકવાદીઓની હાજરી અંગે ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન શરૂૂ કરવામાં આવ્યા બાદ શુક્રવારે મોડી રાત્રે ઉત્તર કાશ્મીર જિલ્લાના પટ્ટન વિસ્તારમાં ચક ટેપર કરીરીમાં ગોળીબાર શરૂૂ થયો હતો. આ ઓપરેશન હાલ ચાલુ છે.

Continue Reading

Uncategorized

શહેરમાં ગાબડારાજ: પ્રજાના કલ્યાણ કરતાં ભ્રષ્ટાચારને પ્રાધાન્ય

Published

on

By

સરકારે પ્રચાર-પ્રસારમાં આંકડાઓની માયાજાળ અને વાહવાહીને બદલે વાસ્તવિકતા પર ભાર મૂકવો જરૂૂરી..

જામનગર શહેર અને જિલ્લાના રસ્તાઓની હાલત દિનપ્રતિદિન વણસતી જાય છે. ભારે વરસાદ બાદ રસ્તાઓ ઉબડખાબડ બની ગયા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. ગ્રામ્ય વિસ્તારોમાં તો સ્થિતિ વધુ ગંભીર છે. લોકોને સ્વયંભૂ ખાડા પૂરવાની ફરજ પડી છે. શહેરી વિસ્તારોમાં સરકાર દ્વારા માર્ગોની મરામત માટે નાણા ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ નાણાંનો ઉપયોગ કેટલી હદે થશે તે અંગે શંકાઓ વ્યક્ત થઈ રહી છે.


સરકારી તંત્ર દ્વારા પ્રેસ રિલીઝ અને અન્ય માધ્યમો દ્વારા સતત માહિતી આપવામાં આવે છે, પરંતુ આ માહિતીમાં મોટાભાગે કરાયેલી કામગીરીની વાહવાહી અને આંકડાઓની માયાજાળ જોવા મળે છે. વાસ્તવિક સ્થિતિ અને સમસ્યાઓના કાયમી ઉકેલ માટે લેવામાં આવતા પગલાં અંગેની વિગતવાર માહિતી લોકોને મળતી નથી. મેયર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા પંચાયતના પ્રમુખો, કલેક્ટરો વગેરેએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા વાસ્તવિક સ્થિતિ જાહેર કરવી જોઈએ અને સમસ્યાઓના કાયમી ઉકેલ માટેના પગલાં અંગેની માહિતી આપવી જોઈએ.


લોકો સરકારી તંત્ર પાસેથી વાસ્તવિક માહિતી અને કાર્યક્ષમ કામગીરીની અપેક્ષા રાખે છે. લોકો સરકારી તંત્રની ઢીલાશ અને ભૂલો સ્વીકારવા તૈયાર છે, પરંતુ તેને છુપાવવાના પ્રયાસો સામે વિરોધ કરે છે. સરકારી તંત્રને લોકોની અપેક્ષાઓને પૂરી કરવા માટે વધુ પારદર્શી અને જવાબદાર બનવું જરૂૂરી છે. વાસ્તવિક સ્થિતિ સ્વીકારવી અને તેના સંદર્ભમાં તત્કાળ પગલાં લેવા, કાયમી ઉકેલ માટેના પગલાં અંગેની વિગતવાર માહિતી લોકોને આપવી અને પ્રચાર-પ્રસારમાં આંકડાઓની માયાજાળ અને વાહવાહીને બદલે વાસ્તવિકતા પર ભાર મૂકવો જરૂૂરી છે.

પ્રશાસનિક અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા લોકો સાથે સીધો સંવાદ કરવો જોઈએ. જામનગર શહેર અને જિલ્લાના રસ્તાઓની દયનીય સ્થિતિ પાછળ સરકારી તંત્રનો ભ્રષ્ટાચાર જવાબદાર છે. પ્રજાનાં કલ્યાણ કરતાં ભ્રષ્ટાચારને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આ સ્થિતિમાં પરિવર્તન લાવવા માટે લોકોએ એક થઈને સરકારને જવાબદાર બનાવવી પડશે.

Continue Reading

Uncategorized

મનપામાં ત્રણ વર્ષથી એક જગ્યાએ ચીપકેલા 14 વોર્ડ ઓફિસરોની બદલી

Published

on

By

ડે. ઈજનેર, એઆઈનો ઘાણવો કાઢ્યા બાદ મ્યુનિ. કમિશનરે બાકી રહી ગયેલા વિભાગોમાં કરી સાફસફાઈ

મનપામાં કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ દેવાંગ દેસાઈએ મોટાભાગના વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓની બદલીઓ કરી નાખી છે. બે દિવસ પહેલા એક સાથે 53 ઈજનેરોની બદલી કર્યા બાદ આજે ત્રણ વર્ષથી એક જ સ્થળે ફરજ બજાવતા 14 વોર્ડ ઓફિસરોની અરસપરસ બદલી અને આસિ. કમિશનર તેમજ મેનેજર સહિતના 7 અધિકારીઓ પાસેથી અમુક ખાતાઓ છીનવી નવા વિભાગનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે.

બી.એલ.કાથરોટિયા – ઈ.ચા. આસિ. કમિશનર
હાલની કામગીરી :- ઈ.ચા. આસી. કમિશનર, સો.વે.મે. શાખા CITIES 2.0, સ્વચ્છ સર્વેક્ષણ, IEC Activity, સફાઈ કામદારને લગત તમામ વહીવટી કામગીરી, MGM, આંબેડકર મ્યુઝીયમ સંબંધિત કામગીરી તેમજ મધ્યાહન ભોજન યોજનાનાં ઈ.ચા. નાયબ કલેકટર તરીકેની કામગીરી; ઈ.ચા.આસી. કમિશનર, વેરા વસુલાત- વ્યવસાય વેરો(ઈ.ઝો), પ્રોજેક્ટ શાખા, દબાણ હટાવ શાખા, એસ્ટેટ શાખા અને શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ, સામાન્ય વહીવટ વિભાગ, ચીફ વિજીલન્સ ઓફિસર તરીકેની કામગીરી અને નાયબ કમિશનરશ્રી ઈ.ઝો.ની સુચના અનુસારની કામગીરી, હવે પછીની કામગીરી :- ઈ.ચા.આસી.કમિશનર તરીકે (1)CITIES 2.0, સ્વચ્છ સર્વેક્ષણ, IEC Activity, સફાઈ કામદારને લગત તમામ વહીવટી કામગીરી, (2)પ્રોજેક્ટ શાખા, (3) દબાણ હટાવ શાખા, (4)એસ્ટેટ શાખા, (5) શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ, (6)સામાન્ય વહીવટ વિભાગ, (7) સાંસ્કૃતિક વિકાસ વિભાગ, (8)રેસકોર્ષ સંકુલ તથા સંબંધિત નાયબ કમિશનરની સુચના અનુસારની કામગીરી તેમજ MGM, આંબેડકર મ્યુઝીયમ સંબંધિત કામગીરી, મધ્યાહન ભોજન યોજનાનાં ઈ.ચા. નાયબ કલેકટર તથા ચીફ વિજીલન્સ ઓફિસર તરીકેની કામગીરી (પગારની શાખા:સો.વે.મે.શાખા)

સાત ઈ.ચા. આસિ. કમિશનર અને મેનેજરને નવી જવાબદારી સોંપાઈ
રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ઈન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર તેમજ પીએટુ કમિશનર, મેનેજર સહિતનાઓને અગાઉ ફાળવવામાં આવેલ વિભાગોની જવાબદારી પરત લઈ નવા વિભાગની જવાબદારીઓ સોંપવામાં આવી છે. કુલ સાત અધિકારીઓની અરસ-પરસ જવાબદારીઓની બદલીઓના હુકમ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવ્યા છે.

એન.કે. રામાનુજ-ઈ.ચા. આસિ. કમિશનર અને પી.એ.ટુ કમિશનર
હાલની કામગીરી :- મેનેજર કમિશનર વિભાગ, ઈ.ચા. આસી. કમિશનર શાળા બોર્ડ અને સુરક્ષા તેમજ પી.એ.ટુ. કમિશનર તરીકેની કામગીરી, હવે પછીની કામગીરી :- (1) મેનેજર, કમિશનર વિભાગ, (2) પી.એ. ટુ. કમિશનર તેમજ (3) મહેકમ શાખાના ઈ.ચા. આસી. કમિશનર તથા સબંધિત નાયબ કમિશનરની સુચના અનુસારની કામગીરી (પગારની શાખા-કમિશનર વિભાગ)

એમ.ડી. ખીમસુરિયા – મેનેજર
હાલની કામગીરી :- મેનેજર, ટ્રાફિક, ટ્રાન્સપોર્ટ એન્ડ પાર્કિંગ મેનેજમેન્ટ શાખા અને આર.આર. સેલ તથા આઈસીસીસીના નોડલ ઓફિસર, હવે પછીની કામગીરી :- મેનેજર, વેરા વસુલાત શાખા-વે.ઝો અને અન્ય કર સેલ તેમજ શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ શાખા (પગારની શાખા:વેરા વસુલાત શાખા)

ડી.એમ. ડોડિયા-મેનેજર
હાલની કામગીરી :- મેનેજર, આવાસ યોજના વિભાગ (વહીવટી) તથા એસ્ટેટ શાખા તથા આરઆરએલ ખાતે જાહેરાતના હક્કો સબંધિત કામગીરી, હવે પછીની કામગીરી :- મેનેજર, આવાસ યોજના વિભાગ (વહીવટી) અને ઈ.ચા.સહાયક કમિશનર તરીકે (1)વેરા વસુલાત શાખા(વે.ઝો.) (2)વ્યવસાય વેરો, અન્ય કર સેલ તથા સંબંધિત નાયબ કમિશનરશ્રીની સુચના અનુસારની કામગીરી (પગારની શાખા:આવાસ યોજના વિભાગ)

એસ.જે. ધડુક ઈન્ચાર્જ આસિ. કમિશનર

હાલની કામગીરી :- ઈ.ચા. આસિ. કમિશનર-વે ઝો., વેરા વસુલાત શાખા, વ્યવસાય વેરો, મહેકમ શાખાના આસી. કમિશનર, વેરા વસુલાત શાખા-વ્યવસાય વેરા (સે.ઝો.)ઈ.ચા. ડાયરેક્ટર (આઈ.ટી.) તથા નાયબ કમિશનર શ્રી વે.ઝો.ની સુચના અનુસારની કામગીરી હવે પછીની કામગીરી :- ઈ.ચા. આસિ. કમિશનર તરીકે (1) વેરા વસુલાત શાખા (સે.ઝો.), (2) વેરા વસુલાત શાખા (ઈ.ઝો.), (3) શાળા બોર્ડ (4) સુરક્ષા વિભાગ તથા સબંધિત નાયબ કમિશનરની સુચના અનુસારની કામગીરી તેમજ ઈ.ચા. ડાયરેક્ટર (આઈ.ટી.) તરીકેની કામગીરી (પગારની શાખા સામાન્ય વહીવટ વિભાગ)

એમ.આઈ. વોરા-મેનેજર
હાલની કામગીરી :- મેનેજર, સોલીડવેસ્ટ મેનેજમેન્ટ શાખા, આરોગ્ય શાખા અને નોડલ અધિકારી આઈઈસી સેલ, હવે પછીની કામગીરી :- મેનેજર, ટ્રાફિક,ટ્રાન્સપોર્ટ એન્ડ પાર્કિંગ મેનેજમેન્ટ શાખા અને આર.આર.એલ. તથા ઈંઈઈઈનાં નોડલ ઓફિસર. (પગારની શાખા:ટી ટી, પાર્કિંગ મેનેજમેન્ટ શાખા)

એન.એમ. વ્યાસ – મેનેજર
હાલની કામગીરી :- મેનેજર, વેરા વસુલાત શાખા-વે.ઝો. અને અન્ય કર સેલ તેમજ શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ શાખા, હવે પછીની કામગીરી :- મેનેજર, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, આરોગ્ય શાખા અને નોડલ અધિકારી ઈંઊઈ સેલ (પગારની શાખા: સો.વે.મે શાખા)

Continue Reading
રાષ્ટ્રીય16 hours ago

વન નેશન, વન ઈલેક્શન પ્રસ્તાવને કેબિનેટની લીલીઝંડી

રાષ્ટ્રીય16 hours ago

સિંધુ જળ કરારમાં ફેરફાર કરવા પાક.ને ભારતની નોટિસ

ગુજરાત16 hours ago

ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટમાં પેઈડ FSIમાં મળશે વળતર

ગુજરાત16 hours ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

ગુજરાત16 hours ago

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

આંતરરાષ્ટ્રીય16 hours ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

રાષ્ટ્રીય16 hours ago

TATA ગ્રૂપના ઉતરાધિકારી તરીકે માયા ટાટાનું નામ મોખરે

રાષ્ટ્રીય16 hours ago

આર્થિક અસમાનતા વધી, 10 કરોડથી વધુ કમાણી કરનારા ભારતીયોમાં વધારો

રાષ્ટ્રીય16 hours ago

મહારાષ્ટ્રના ભિવંડી અને રાજસ્થાનના બરાનમાં ગણેશ વિસર્જનમાં બબાલ

રાષ્ટ્રીય17 hours ago

ટોલ વસૂલાત પહેલા અને પછી સરકારને ઘણા ખર્ચાઓ ભોગવવા પડે છે: ગડકરી

રાષ્ટ્રીય2 days ago

‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા

ગુજરાત2 days ago

દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો

આંતરરાષ્ટ્રીય2 days ago

બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા

અમરેલી2 days ago

અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ

ગુજરાત16 hours ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

ગુજરાત2 days ago

PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ

આંતરરાષ્ટ્રીય2 days ago

અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી

રાષ્ટ્રીય19 hours ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

ગુજરાત2 days ago

મોદી@74: કુંડળી જ મંગળ તો અમંગળ કોણ કરી શકે?

ગુજરાત2 days ago

મોદી વડાપ્રધાન બનશે: 34 વર્ષ પહેલાં ધીરૂભાઇ અંબાણીએ ભાખ્યું હતું

Trending