ગુજરાત
સૌરાષ્ટ્રભરમાં રક્ષાબંધન નિમિત્તે બહેનોએ ભાઈઓને રાખડી બાંધી, બ્રાહ્મણોએ જનોઈ બદલી
બહેનોએ ભાઈઓના દીધાર્યુ અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી : ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે યજ્ઞોપવિત ધારણ કરી
શ્રાવણ માસના સોમવાર અને પૂનમના દિવસે બહેનોનો અતિ પ્રિય તહેવાર એવા રક્ષાબંધનના દિવસે બહેનોએ હોશે હોશે પોતાના વ્હાલાસોથા વિરાના કાંડે રાખડી બાંધી પ્રભુ સમક્ષ ભાઈ માટે દીર્ધાયુ અને સ્વસ્થ જીવન સાથે નીતિમતા રૂપી બરકત અને પરિવારમાં પ્રેમભવની પ્રાર્થના કરેલ ઉપરાંત આજના પવિત્ર દિવસે બ્રહ્મણોએ યજ્ઞોપવિત ધારણ કરી હતી.
હળવદ
ઝાલાવાડમાં વીરગતિ વહોરનારા વીરોના સૌથી વધુ પાળિયાઓ આવેલા છે જેઓએ બહેનો દીકરીઓની રક્ષા કાજે, સિમાડાની રક્ષા કાજે કે પછી ગાયોની રક્ષા કાજે વ્હારે ચડ્યા હતા અને વીરગતિ વહોરી હતી તે વીરોના પાળિયાઓની અમર ગાથા આજે પણ હળવદના પાદરમાં આવેલા સ્મશાનમાં જોવા મળી રહી છે ત્યારે ભાઇ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે હળવદના શિક્ષક દિપકભાઈ ચૌહાણ સ્કુલની વિદ્યાર્થીનીઓ આવે છે અને છેલ્લા 8 વર્ષોથી દિપકભાઈ ચૌહાણ સ્કુલની વિદ્યાર્થીનીઓ રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડીનું મહત્વ સમજાઇ તેમજ બહેન, દિકરીઓ અને ગાયોની રક્ષા માટે જેમને વીરગતિ પામ્યા છે તેના વિષેની માહિતીથી વાકેફ થાય અને વીરોના પાળીયા શા માટે રાખવામાં આવતા હતા તે દિકરીઓ સહિતનાઓને સમજાય તે માટે પાળીયાને રાખડી બાંધીનો રક્ષા બંધનની ઉજવણી કરે છે ખાસ કરીને તેમની સાથે પ્રાથમિક શાળા નં 10 અને આર.પી.પી ગર્લ્સ માદ્યમિક શાળાની 140થી વધુ બાળાઓ 400થી વધુ પાળીયાઓને રાખડી બાંધે છે.
વાંકાનેર
વાંકાનેર ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત માતૃશ્રી વ્રજકુંવરબેન મગનલાલ મહેતા કોમ્પ્યુટર સાયન્સ એન્ડ મેનેજમેન્ટ કોલેજ ઈન્દુબેન લલીતભાઈ મહેતા મહિલા કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીઓના સંયુક્ત ઉપક્રમે રક્ષાબંધનના પાવન તહેવારની ઉજવણીના ભાગરૂપે દેશની સરહદ પર તથા દેશની અંદર સામાજિક સુરક્ષા જાળવનાર સૈનિકો તથાખાસ કરીને તમામ વિભાગોમાં મહિલા અધિકારીઓની રક્ષા માટે પ્રાર્થના કરી પ્રતિક રૂપે આમંત્રિત મહેમાનોને રાખડી બાંધી દરેક વિદ્યાર્થીઓએ રાખડી, શુભેચ્છા કાર્ડ અર્પણ કર્યા હતાં. આ અવસરના મુખ્ય મહેમાન તરીકે ઈન્ચાર્જ મામલતદાર પટેલ, પી.એસ.આઈ. કાનાણી મેડમ, મોરબી જિલ્લા સમાજ અધિકારી રંજનબેન મકવાણા, મોરબી સિનિયર સિટિઝન હેલ્પ લાઈનના અધિકારી રાજદીપભાઈ, વાંકાનેર મહિલા અને બાળ વિકાસ વિભાગમાંથી મહિલા કાઉન્સિલર (પીબીએસસી) તેજલબા ગઢવી, હાલ બેંગ્લોરમાં 29 વર્ષથી સુબેદાર તરીકે ફરજ બજાવી રહેલા વાંકાનેરના વતની દિનેશભાઈ બાંભવા, વાંકાનેરની મહિાલઓના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નો કરતા દમયંતિબેન મહેતા ઉપસ્થિત રહ્યા હતાં.
પ્રાંચી
ગિર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાચી ખાતે યાત્રાધામ પ્રાચી માં શ્રાવણી પર્વ બળેવની ભુદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ઉજવણી કરવામાં આવી.બહોળી સંખ્યા માં ભુદેવોએ જનોઈ બદલી.શ્રવણ નક્ષત્ર નાં શુભ મહુર્તમાં આજે બળેવ પ્રસંગે જનોઈ બદલવામાં આવી. જનોઈ બદલ્યા બાદ રક્ષાબંધન પર્વ ઉજવાશે. પ્રાચી તીર્થ આજે મોક્ષ પીપળા સાનિધ્યમાં પ્રાચી તીર્થ ના ભૂદેવો દ્વારા સમૂહ જળ સન્માન કર્યુ હતું.
મોરબી સબજેલ
મોરબી સબ જેલમાં દર વર્ષે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે.જેમાં જેલમાં બંધ કેદીઓ ની બહેનો તેમના હક થી વંચિત ન રહી જાય તે માટે જેલના નીતિ નિયમોને ધ્યાન માં રાખીને ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવતી હોય છે.તેમ મોરબી સબ જેલ ખાતે પણ આજે આ ઉજવણી કરવા આવી હતી.જેમાં બહેનો પોતાના જેલ માં બંધ ભાઈને રાખડી બાંધીને ચોધાર આંસુ એ રડી પડી હતી.અને હ્રદય દ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા.તેમજ બહેનો એ પોતાના ભાઈને જેલ માંથી જલ્દી મુક્ત થાય અને આગામી સમયમાં સારા નાગરિક બની ને બહાર આવે તેવા આશીર્વાદ આપ્યા હતા.તેમજ તમામ કેદીઓ અને રાખડી બાંધવા આવનાર બહેનોએ મોરબી સબ જેલના સ્ટાફ નો આભાર માન્યો હતો.
સિંધાજ
હિન્દુ સંસ્કૃતિ ની પરંપરા પ્રમાણે બળેવ એટલે કે રક્ષા બંધન નાં પર્વ ઉપર દર વર્ષે ની જેમ કોડીનાર તાલુકાના સિંધાજ ગામે બલરામ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું જેમાં પરંપરા પ્રમાણે ગામ નાં ચોકમાં હળ નું પૂજન કરવામાં આવેલ ત્યાર બાદ ચાર નાના ભૂલકાઓ ને જેઠ અષાઢ શ્રાવણ અને ભાદરવો નામ આપી પાણી ભરેલા મોરયા થી પ્રદિક્ષણા કરી આવતા વર્ષના ચોમાસા નો વરતારો કાઢવામાં આવેલ ત્યાર બાદ ગામથી ત્રણ કિલોમીટર દૂર ફાચરયા ફાટક થી દોડ ની હરીફાઈ કરવામાં આવેલ જેમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર ને હળ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવેલ જેમાં તથા બીજા ક્રમે અને ત્રીજા વિજેતાઓ ને સર્ટીફીકેટ અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામા આવેલ આ તકે તાલુકા પંચાયત કારોબારી સમિતિ નાં ચેરમેન સુનિલભાઈ રાઠોડ ભરતભાઈ ગોહિલ ઉપસ્થિત રહેલ આ કાર્યક્રમ નું સંચાલન કિશનભાઇ જાદવ દ્વારા કરવામાં આવેલ.
આમોદ્રા
ઉનાનાં આમોદ્રા ગામે આવેલ શ્રી ખોડિયાર આશ્રમમાં છેલ્લા 22 વર્ષની પરંપરા મુજબ ઉના તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા શ્રાવણી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા ભરનાં સેંકડો ભુદેવ જનોની ઉપસ્થિતિમાં શાસ્ત્રી રમેશભાઈ દીક્ષિત, મુકેશભાઈ જોશી દ્વારા ખોડિયાર આશ્રમ આમોદ્રાના મુકસેવક હસુદાદાના યજમાન પદે વેદોક્ત વિધિ પૂર્વક નૂતન યજ્ઞોપવિત ધારણ કરાવેલ.
ઓખા
ઓખા ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમુદ્ર કિનારે દેહ શુદ્ધિ સ્નાન કરી બ્રહ્મસમાજ ની વાડીમાં સમૂહ જનોઈ બદલવાનો પ્રસંગ ઉજવ્યો હતો. આ પ્રસંગે તમામ ભૂદેવ પરિવારો માટે આયોજકોએ સમૂહ પ્રસાદનું પણ આયોજન કરેલ હતું.
ફલ્લા
જામનગર તાલુકાના ફલ્લા ગામે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. બહેને ભાઈની રક્ષા કાજે હેતથી ભાઈના કાંડે રાખડી બાંધી હતી.
વેરાવળ
વેરાવળ સીટી પોલીસની શી-ટીમે પવિત્ર રક્ષાબંધનનાં તહેવાર સબબ નીરાધારનો આધાર આશ્રમમાં રહેતા નીરાધાર પ્રભુજીઓને રાખડી બાંધી રક્ષાબંધનનો તહેવાર ઉજવણી કરેલ હતી. જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા, જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, વિભાગીય પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર દ્રારા શીટીમે શહેરમાં વયોવૃધ્ધ સીનિયર સીટીઝનો તથા નીરાધાર લોકોને મળી તેમની મદદરૂૂપ થવા અવાર નવાર સુચના કરવામાં આવેલ હતી.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત2 days ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય11 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
કચ્છ2 days ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
-
ગુજરાત2 days ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય2 days ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો