Connect with us

ગુજરાત

CBRT પદ્ધતિ નાબુદ કરવા કલેક્ટર કચેરીમાં NSUIનું હલ્લાબોલ

Published

on

ધોળે દિવસે કચેરીના દરવાજા બંધ કરવા પડ્યા, ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન પહેલાંના અને પછીના માર્કસ જાહેર કરવા માંગ

રાજ્યભરમાં ફોરેસ્ટ ભરતીમાં ગોટાળા બાબતે ઉમેદવારોનો વિરોધ ફાટી નીકળ્યા બાદ આજે રાજકોટમાં એનએસયુઆઇ દ્વારા કલેકટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ સાથે સુત્રોચ્ચાર અને રજુઆત કરવામાં આવી હતી. એનએસયુઆઇના પ્રદેશ મંત્રી અંકિત સોંદરના સહિતના હોદેદારોએ કલેકટર કચેરીની અંદર ઘુસવાનો પ્રયત્ન કરતા પોલીસ દ્વારા આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. એનએસયુઆઇ દ્વારા કલેકટરને રજુઆતમાં જણાવાયું હતું


છેલ્લા ઘણા સમયથી ગૌણસેવા દ્વારા, ફોરેસ્ટ, સીસીઇ, સબ- ઓડિટર, સિનિયર સર્વેયર, ઙહફક્ષક્ષશક્ષલ ફતતશતફિંક્ષિ,ં ઠજ્ઞસિ ફતતશતફિંક્ષિ,ં મદદનીશ ઇજનેર સિવિલ, ગ્રાફિક ડિઝાઈનર.. એમ અલગ અલગ સવર્ગ અને કેડરની ભરતીઓ સીબીઆરટી પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે.આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલી વાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલા કહેવામાં આવતું હતું કે આ સીબીઆરટી દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય, પારદર્શી, પેપર રહિત, ભૂલ રહિત છે, પરંતુ છેલ્લે લેવાયેલ પરીક્ષાઓ અનેક છબરડા સામે આવ્યા છે. ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષા દ્વારા લેવામાં આવે છે.

ટીસીએસ કે અન્ય પ્રાઇવેટ એજન્સી દ્વારા જે કોન્ટ્રાકટ ધોરણે કામ આપવામાં આવે છે તેમાં તેને ગુજરાતી ભાષા નો કોઈ અનુભવ જ નથી હોતો તેમ જ ગૌણસેવા ના અધિકારી અને એજન્સી ના માણસો વચ્ચે સંકલનનો અભાવ છે, તેમાં સૌથી વધુ ભાષાંતર ની ભૂલો જોવા મળે છે. એકથી વધારે શિફટમાં જે પેપર લેવામાં આવે છે તેમાં પ્રશ્નો નું સ્તર જળવાતું નથી, કોઈ પેપર ખૂબ સહેલા નીકળે છે અને કોઈ પેપર ખૂબ અઘરા નીકળે છે. પછી નોર્મલાઇઝેશન મેથડ ઉપયોગ કરી જે મેરીટ યાદી તૈયાર કરવામાં આવે છે તેમાં ગુણભાર ચોક્કસાઇથી માપી શકાતો નથી અને તુલનાત્મક માપદંડો પણ જાળવતા નથી. આ નોર્મલાઇઝેશન પદ્ધતિ ખૂબ નુકશાનકારક અને અન્યાય કરતા છે.

2022 માં ફોરેસ્ટ બીટ ગાર્ડ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી હતી. 823 પદ માટે 8 લાખ અરજીઓ થઈ હતી અને તેમાંથી 4 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા સીબીઆરટી પદ્ધતિથી લેવાઇ હતી. જેમાં નોર્મલાઇઝેશન સિસ્ટમ એપ્લાય કરવામાં આવી હતી, વિધાર્થીઓના માર્ક્સ જાહેર થવા જોઈએ તે અંગે ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા ના પાડવામાં આવી છે, જેને લઈ અમારી માંગ છે કે નોર્મલાઇઝેશન પહેલાના અને પછીના માર્ક્સ જાહેર કરવામાં આવે, સીબીઆરટી પદ્ધતિ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે અને સાથે જ જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓમાં વધારો કરવામાં આવે એમ સીબીઆરટી પ્રમુખ નરેન્દ્ર સોલંકીની યાદીમાં જણવાવું છે.

ગુજરાત

કચ્છની કંપનીમાંથી બે ટન કાર્ટિસ મળ્યા

Published

on

By

તાલુકાના મીઠી રોહર નજીક ઓવર બ્રિજ પાસે આવેલા ભંગારના વાડામાં પોલીસે કાર્યવાહી કરી વિદેશથી આવેલા 2 ટન જેટલા ફૂટેલા કાર્ટીસ જપ્ત કર્યા હતા. પૂર્વ કચ્છ એસ.ઓ.જી ટીમ ગત તા.14/9ના ગણેશ ઉત્સવ તથા ઈદે મિલાદના તહેવારો અંતર્ગત પેટ્રોલીંગમાં હતી આ ટીમ ગાંધીધામ ભચાઉ ધોરીમાર્ગ ઉપર મીઠી રોહર નજીકના ઓવરબ્રિજ પાસે પહોંચી હતી. દરમ્યાન મીઠી રોહર સીમ સર્વે નંબર 554/5માં આવેલ સાક્ષી ઈમ્પેક્ષ નામની કંપનીમાં વિદેશથી આયાત કરેલા ક્રેપ (ભંગાર)માં આધુનિક હથીયારમાં ઉપયોગમાં લેવામાં આવતા કાર્ટીઝ આવેલા છે અને મોટી માત્રામાં છે.

કંપનીના સંચાલક હરિઓમ સુભાષચંદ્ર શુક્લા અને પ્રદિપ યદુનાથ પાન્ડેએ યમનથી ભંગારના ક્ધટેઈનર મંગાવ્યા હતા જેમાં આ વસ્તુ આવી ગઈ હતી. પોલીસે અહીં તપાસ કરતા અહીં 2 ટન ભંગારમાં ઓટોમેટીક અને મોટા હથીયારનો ગોળીના કેટલા ભાગ, ખાલી કેસ વગેરે મળી આવ્યું હતું. જુની થઈ ગયેલી ફૂટેલી આ ગોળીઓ ઉપર લખાણ પણ બરોબર વંચાતું ન હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ બે ટનમાંથી એકેય જીવંત કાર્ટીઝ મળ્યા નથી. તેમજ મળેલા કાર્ટીઝને એફ.એસ.એલ. માટે મોકલવામાં આવશે તેવું પી.આઈ. ડી.ડી. ઝાલાએ જણાવ્યું હતું. આ શહેર અને સંકુલમાં આવેલા અમુક શંકાસ્પદ ભંગારના વાડાઓની તપાસ હાથ ધરવામાં આવે તો અનેક શંકાસ્પદ વસ્તુઓ મળે તેમ છે. પરંતુ આવું કરાતું નથી.

તે પણ હકીકત હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અગાઉ અહીં કંડલા બંદરે પણ વિસ્ફોટક વસ્તુઓ આવી ગઈ હતી. થોડા વર્ષો પહેલાં ઈફકો (ઉદયનગર) વસાહતમાંથી રોકેટ લોન્ચરનો ફૂટેલો સેલ મળ્યો હતો. ડીપીએ પ્રસાશનીક કચેરી પાછળ બાવળની ઝાડીમાંથી પણ આવા સેલ મળ્યા હતા. ભંગારના વાડાઓમાં વસ્તુઓ તોડતી વખતે બ્લાસ્ટ થવાના બનાવો પણ અહીં બની ચૂક્યા છે. ત્યારે ખરેખર આવા અમુક વાડાઓમાં નિતિમત્તાથી તપાસની જરૂૂરીયાત હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

Continue Reading

ગુજરાત

રાજકોટમાં નેત્રયજ્ઞ કેમ્પમાં આવેલા પ્રૌઢા સહિત ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત

Published

on

By

રાજ્યભરમાં હૃદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ અનેક માનવજીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત નિપજ્યા છે. જેમાં રાજકોટમાં રણછોડદાસ બાપુના આશ્રમ ખાતે નેત્રયજ્ઞ કેમ્પમાં આવેલા તાલાળાના ખીરધર ગામના પ્રૌઢા સહિત ત્રણ વ્યક્તિના હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યા છે.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, તાલાળા તાલુકાના ખીરધર ગામે રહેતા કવીબેન પીઠાભાઈ કેશવાળા નામના 56 વર્ષના પ્રૌઢા ગત શનિવારના રોજ રાજકોટમાં કુવાડવા રોડ પર આવેલ રણછોડદાસ બાપુના આશ્રમ પાસે હતાં ત્યારે બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. પ્રૌઢાને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. પ્રાથમિક પુછપરછમાં મૃતક કવિબેન કેશાવાળાને સંતાનમાં બે પુત્ર છે અને રણછોડદાસ બાપુના આશ્રમ ખાતે કેમ્પમાં આંખનું ઓપરેશન કરાવવા આવ્યા હતાં તે દરમિયાન હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.


બીજા બનાવમાં રાજકોટમાં ભગવતીપરા વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા રામવતીબેન બનવારી ભગત (ઉ.42) પોતાના ઘરે હતા ત્યારે હૃદયરોગનોં હુમલો આવતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. ત્રણ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.


ત્રીજા બનાવમાં કલ્યાણપુરના નંદાળા ગામે રહેતા રમણલાલ પુંજાભાઈ મકવાણા (ઉ.61)ને હૃદયરોગનો હુમલો આવતાં તાત્કાલીક સારવાર માટે ખંભાળીયા બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં વૃધ્ધાનું સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પુછપરછમાં મૃતક વૃધ્ધ છ ભાઈ બે બહેનમાં વચેટ હતાં અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

લાલપુર ચોકડી પાસે માનસિક અસ્વસ્થ યુવકનો ડમ્પર હેઠળ ઝંપલાવી આપઘાત

Published

on

By

મૃતકની ઓળખ માટે પોલીસે પ્રયાસ હાથ ધર્યો

જામનગરના લાલપુર બાયપાસ ચોકડી નજીક ગઈકાલે બપોરે એક અકસ્માતની દુર્ઘટના બની હતી. પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામે આવેલા રસ્તા પર એક માનસિક અસ્વસ્થ વ્યક્તિએ ડમ્પર ટ્રક હેઠળ કૂદીને આપઘાત કર્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ વ્યક્તિ છેલ્લા બે દિવસથી આ જ સ્થળે બેઠો હતો.
ડમ્પર જ્યારે આ વ્યક્તિની નજીકથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક તેણે ટ્રકના જોટા નીચે કૂદકો મારી ઝંમ્પલાવી આ આત્મઘાતી પગલું ભર્યું હતું. ઘટનાની ગંભીરતાને જોતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂૂ કરી છે અને મૃતકની ઓળખ કરવાના પ્રયાસો કરી રહી છે.આ ઘટનાએ એકવાર ફરી માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ તરફ આપણું ધ્યાન દોર્યું છે.

આપણા સમાજમાં માનસિક રોગોથી પીડિત લોકોને ઘણીવાર અવગણવામાં આવે છે અને તેમને યોગ્ય સારવાર પણ મળતી નથી. આવી ઘટનાઓને રોકવા માટે સરકાર અને સમાજે સાથે મળીને કામ કરવું જરૂૂરી છે. આ ઘટનામાં ટ્રક ચાલકની ભૂમિકા પણ શંકાસ્પદ છે. સ્થાનિકોનો આરોપ છે કે, ટ્રક ચાલકે આ ઘટનાને અટકાવવા કોઈ પ્રયાસ કર્યો ન હતો. પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે.

Continue Reading
ગુજરાત18 seconds ago

કચ્છની કંપનીમાંથી બે ટન કાર્ટિસ મળ્યા

રાષ્ટ્રીય47 seconds ago

લિકર કેસમાં સીબીઆઇ, ઇડી પાસે પુરાવા જ નથી?

ગુજરાત4 mins ago

રાજકોટમાં નેત્રયજ્ઞ કેમ્પમાં આવેલા પ્રૌઢા સહિત ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત

ગુજરાત6 mins ago

લાલપુર ચોકડી પાસે માનસિક અસ્વસ્થ યુવકનો ડમ્પર હેઠળ ઝંપલાવી આપઘાત

ક્રાઇમ9 mins ago

ચોટીલાના નાની મોલડીના પ્રૌઢની હત્યાનો ભેદ ખુલ્યો: યુવતી અને બે સગીર ભાઇઓની ધરપકડ

ગુજરાત12 mins ago

ભાજપના નેતાઓના વન ટુ વન ક્લાસ લેતા મોદી

ગુજરાત12 mins ago

જાણીતા તબીબનાં યુવાન પુત્રનું બીમારીના કારણે મોત

ગુજરાત16 mins ago

સોહમનગરમાં મહિલાએ ઝેરી દવા પી લેતાં મોત

Uncategorized17 mins ago

શહેર-જિલ્લામાં દારૂ વેચનારાઓ પર પોલીસની ધોંસ

ગુજરાત20 mins ago

પોલીસે દેશી દારૂના ધંધાર્થીનો પીછો કરતાં ફિલ્મી દૃશ્યો સર્જાયા

રાષ્ટ્રીય23 hours ago

ઈદ મિલાદ ઉન નબી પર કર્ણાટકમાં હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતર્યા, જુઓ વિડીયો

રાષ્ટ્રીય24 hours ago

VIDEO: કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મારવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, મોતના ડરથી ભાગતા જોવા મળ્યા

રાષ્ટ્રીય1 day ago

‘રાઈડ ઓફ પ્રાઈડ’ ગણાતી બુલેટનું પહેલાના સમયની કિંમત જાણો, બિલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત

ગુજરાત19 hours ago

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રની સારવાર માટે અમેરિકા જશે, એક મહિનાની રજા માગી

ગુજરાત19 hours ago

મનપા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો કાલથી પ્રારંભ

રાષ્ટ્રીય1 day ago

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે નવી ઊંચાઈ હાસલ કરી, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સ્મોલકેપ-મીડકેપ શેર્સમાં પણ તેજી

રાષ્ટ્રીય19 hours ago

બજાજના આઈપીઓમાં એકના ડબલ, રૂા.14,980 સામે 17,120ની કમાણી

ધાર્મિક18 hours ago

ઘરમાં ભૂલથી પણ આ જગ્યાએ ન રાખવી જોઈએ પિતૃની તસવીર, નહીંતર સુખ શાંતિ હણી જશે

ગુજરાત19 hours ago

રીબડા ગુરુકુળના ડ્રાઈવરે પીધેલી હાલતમાં બસ હંકારી છાત્રોના જીવ જોખમમાં મૂકયા

મનોરંજન19 hours ago

અક્ષય કુમારને ‘હેરા ફેરી 3’ બનાવવા માટે ડિરેક્ટરે પાડી ના, જાણો શું મૂકી શરત

Trending