થોડા સમય પહેલા હજુ ઠાકોર સમાજે પોતાનું નવું બંધારણ જાહેર કર્યું હતું. જેમાં લગ્નમાં ચાલતા કુરિવાજો સામે સમાજે લાલઆંખ કરી છે. આ સાથે જ હવે આ બંધારણનો અમલ ધારાસભ્યએ પોતાના ઘરથી જ કરી છે. વાવના ધારાસભ્ય અને રાજ્યમંત્રી સ્વરૂૂપજી ઠાકોરે આ સામાજિક બંધારણના સુધારાની શરૂૂઆત પોતાના ઘરથી કરી છે.
થોડા સમય પહેલા ઓગડધામ ખાતે ઠાકોર સમાજે સર્વ પક્ષના આગેવાનો, વડીલો તથા યુવાઓની ઉપસ્થિતિમાં સમાજનું નવું બંધારણ તૈયાર કર્યું હતું. આ બેઠકમાં ઓછા ખર્ચે લગ્ન, ખોટા દેખાદેખી ખર્ચાનો ત્યાગ, સમાજમાં જાગૃતિ લાવવી, શિક્ષણને પ્રોત્સાહન આપવું તથા આવનારી પેઢી પર આર્થિક ભાર ન પડે તેવા દ્રઢ નિર્ણયો સર્વસંમતિથી લેવાયા હતા.
જે બાદ આ બંધારણનો અમલ ગણતરીના દિવસોમાં જ કરવામાં આવ્યો છે. ગઈકાલે સ્વરૂૂપજી ઠાકોરની દીકરી તથા તેમના ભાઈની દીકરીના લગ્ન કરવામાં આવ્યા હતા. જે ખુબ જ સાદગીપૂર્ણ રીતે કરવામાં આવ્યા હતા. સમગ્ર લગ્ન પ્રસંગ સમાજના નક્કી કરેલા નિયમો મુજબ સાવ સાદગીથી યોજાયો હતો. મહેમાનો માટે આમંત્રણ પત્રિકા છપાવી ન હતી તેમજ ભોજન વ્યવસ્થા પણ સમાજના રિવાજ પ્રમાણે જ રાખવામાં આવી હતી. એટલે કે રાજ્યમંત્રી સ્વરૂૂપજી ઠાકોરે પોતાના ઘરથી જ નવા બંધારણની શરૂૂઆત કરી અને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
