ભગવાન ઇસુના જન્મદિનને વધાવવા ખ્રિસ્તી સમાજમાં અનેરો ઉત્સાહ-ઉમંગ જોવા મળી રહયાં છે શહેરના ચર્ચને નયન રમ્ય રોશનીથી શણગારવામાં આવ્યાં છે. રાત્રે 12 ના ટકોરે મેરી ક્રિસમસથી જન્મદિનના વધામણા કરવામાં આવશે. આ અવસરે વિશેષ પ્રાર્થના-પુજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.શહેરમાં છેલ્લા 58 વર્ષથી એકમાત્ર કેથોલિક સેક્રેટ હાર્ટ ચર્ચ કે જેમાં પ્રતિવર્ષ નાતાલ ની ભવ્ય ઉજવણી થાય છે, અને ભગવાન ઈસુના જન્મની વધામણી અને પ્રાર્થના સહિતના અનેક કાર્યક્રમો યોજાય છે.
નાતાલ એ માનવતા માટે ભગવાનના પ્રેમનો ઉત્સવ છે શાંત રાત્રે શાળાના કાર્યક્રમ, પેરિશ ઉજવણી અથવા પ્રાર્થના સેવા માટે યોગ્ય નાતાલનું ટૂંકું વર્ણન છે, અને નાતાલ એ માનવતા પ્રત્યેના ભગવાનના મહાન પ્રેમનો ઉત્સવ છે. બેથલેહેમમાં શાંત રાત્રે, ભગવાનનો જન્મ મહેલમાં નહીં, પરંતુ એક નમ્ર ગમાણમાં થયો હતો. તે બાળપણમાં આવ્યો હતો – નિરાશામાં રહેલા લોકો માટે આશા, અંધકારમાં રહેલા લોકો માટે પ્રકાશ અને વિશ્વમાં શાંતિ લાવતો. નાતાલએ બધા સાથે પ્રેમ, આનંદ, ક્ષમા અને દયા વહેંચીને સર્વે ના હૃદયમાં ઈસુનું સ્વાગત કરવા માટે નો પર્વ છે. ઈસુખ્રિસ્તનો પ્રકાશ પ્રત્યેક ના જીવનમાં ચમકવા અને તેમની શાંતિનું સાધન બનાવવું જોઈએ. આજે 24 ડિસેમ્બરે રાત્રે 12.00 વાગ્યે મધ્યરાત્રિ માસ સાથે નાતાલની ઉજવણી કરવામાં આવશે, અને કેથોલિક પરિવારોના સર્વે સમાજમાં ઈસુની શાંતિ અને ખુશી પ્રસરે તેવી પ્રાર્થના કરવામાં આવે છે. (તસવીર: મુકેશ રાઠોડ)
