ગુજરાત
માધાપર ટી.પી. 11માં કૌભાંડ, રસ્તા 40 ટકા કપાતમાં બતાવી દીધા!
સસ્પેન્ડ ટીપીઓ સાગઠિયા અને એક પદાધિકારીએ મળી કળા કર્યાનો ઘટસ્ફોટ થતાં ટીપીનો ડ્રાફ્ટ નામંજૂર કરતી સરકાર
જમીનનો એક રોડ જ 40 ટકા કપાતમાં લેવાના બદલે અમુક જમીનોમાં તમામ રસ્તા કપાતમાં આપી દીધા: નવા સરવે નં. 511 અને 512નો સમાવેશ કરવામાં આવશે
રાજકોટ શહેરનો વ્યાપ અને વસ્તી વધતા પેન્ડીંગ તથા નવી ટીપી સ્કીમો તૈયાર કરવાની સૂચના સરકારે આપતા મહાનગરપાલિકાએ છેલ્લા પાંચ વર્ષથી નવી ટીપી સ્કીમનો ડ્રાફ્ટ તૈયાર કરવાની કામગીરી શરૂ કરી છે. જેમાં અનેક ડ્રાફ્ટ સરકારમાં મંજુરી અર્થે મોકલવામાં આવ્યા છે. પરંતુ ટીપી સ્કીમ બનાવવામાં પણ કૌભાંડો થતાં હોવાનું બહાર આવી રહ્યું છે. તાજેતરમાં મોટામૌવા ટીપી સ્કીમ નં. 24માં કૌભાંડો થયાની શંકાએ સરકારે ડ્રાફ્ટ પરત મોકલ્યો હતો. અને હવે માધાપર ટીપી સ્કીમ નં. 11માં 40 ટકા કપાતમાં રસ્તાનું કૌભાંડ થયાની શંકા દર્શાવી સરકારે ડ્રાફ્ટ પરત મોકલી આ ટીપી સ્કીમમાં સર્વે નં. 511 અને 512નો ઉમેરો કરવાની તેમજ સુધારા-વધારા કરવાની સૂચના આપતા ખળભળાટ મચી ગયેલ છે.
રાજકોટ શહેરમાં બે વર્ષ પહેલા છેવાડાના પાંચ ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે પૈકી માધાપર ગ્રામ પંચાયતનો મનપાની હદમાં સમાવેશ થતાં આ વિસ્તારમાં ટીપી સ્કીમ લાગુ કરવાની સુચના સરકાર દ્વારા આપવામાં આવેલ તે પહેલા આ વિસ્તાર રૂડામાં આવતો હોય ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો હતો. ત્યારે જ મનપાની હદમાં આ વિસ્તાર આવી જતાં ડ્રાફ્ટ તૈયાર કરવાની જવાબદારી ટાઉન પ્લાનીંગ ઓફિસર સાગઠિયા પાસે આવી હતી. તેમના દ્વારા ડ્રાફ્ટ તૈયાર કરી સરકારમાં મંજુરી અર્થે મોકલવામાં આવેલ પરંતુ આ ટીપી સ્કીમમાં કૌભાંડ થયાનું પ્રાથમિક ધોરણે નજરમાં આવ્યું હતું. જેમાં 40 ટકાકપાતમાં મુકવામાં આવતા મુખ્ય રસ્તાની સાથો સાથ નિયમ વિરુદ્ધના નાના રસ્તાઓનો પણ કપાતમાં સમાવેશ કરી બિલ્ડરો તેમજ પ્લોટ ધારકોને સિધ્ધો લાભ આપવામાં આવ્યો હોય તેવું જણાતા સરકારે આ ડ્રાફ્ટ મહાનગરપાલિકાને પરત મોકલી જરૂરી સુધારા-વધારા સાથે નવો ડ્રાફ્ટ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા ટીપી સ્કીમ તૈયાર કરવામાં આવે ત્યારે જમીન માલીકની જમીનના 40 ટકા જમીન રસ્તા માટે કપાતમાં લેવામાં આવતી હોય છે. ટીપી સ્કીમના નિયમ મુજબ 40 ટકા કપાતમાં ફક્ત મુખ્યમાર્ગો જ લેવાના હોય છે. પરંતુ માધાપર ટીપી સ્કીમ નં. 11માં મુખ્ય રોડ રસ્તાની સાથો સાથ શેરીઓના નાના રસ્તાઓને પણ કપાતમાં ગણી લેવામાં આવ્યા હોવાનું સરકારના ધ્યાનમાં આવ્યું હતું. જેથી આ ટીપી સ્કીમ મંજુર થાય તે પહેલા મહાનગરપાલિકાને પરત મોકલી રોડ-રસ્તાનો ફરી વખત સર્વે કરી નિયમ મુજબના મુખ્યમાર્ગો 40 ટકા કપાતમાં લેવાની સૂચના આપવામાં આવી છે.
હાલ જાહેર આ બંને સર્વે નંબરના સમાવેશ માટે કહેવાયું છે પણ રોડ રસ્તા કપાત મામલે પણ કોઈ શંકાસદ બાબત સામે આવી છે અને તેના અનુસંધાને તપાસ પણ ચાલી રહી છે. નિયમો પ્રમાણે 40 ટકા કપાતમાં મુખ્ય રસ્તા જ બાદ મળતા હોય છે પણ ટી.પી. સ્કીમોમાં અંતરંગ રસ્તાઓ પણ જમીન માલિકોને બાદ આપી દેવાયા છે અને આ મામલે ધડાકા થઈ શકે છે. માધાપર ટી.પી. સ્કીમ ફાઈનલ કરવા મોકલી આપી તેના અમલીકરણની તૈયારીઓ શરૂૂ થઈ હતી. મનપાના અધિકારીઓ ટી.પી. ફાઈનલ થઈને આવવાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે જ સરકારે સ્કીમની મંજૂરી ફગાવીને પરત મોકલી છે. મહાપાલિકા દ્વારા હવે આ ટી.પી. સ્કીમમાં સુધારા કરીને પરત મોકલાશે અને રાજકોટના ઉકત બંને સર્વે નંબરને આવરી લઈ નવેસરથી કાર્યવાહી હાથ ધરાશે.
રાજકોટ મહાપાલિકાએ મોકલેલી માધાપર ટી.પી. સ્કીમ 11 સરકારે પરત મોકલી તેમાં ચકાસણી કરી સુધારણા માટે સૂચના આપી હોવાની વિગતો પ્રાપ્ત થાય છે. અગાઉ રૂૂડાએ બનાવેલી સ્કીમ છેલ્લે સાગઠીયાએ બનાવીને ડ્રાફટ ફાઈનલ કરી અંતિમ મંજૂરી માટે મોકલ્યો હતો અને સરકારે તે મંજૂર રાખવાના બદલે પરત મોકલી છે. ટી.પી. સ્કીમમાં ગરબડ હોવાની શંકા વ્યકત કરવામાં આવી છે.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય9 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
કચ્છ1 day ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત