ગુજરાત
ગોંડલ ચોકડી ખાતે ચાર્જિંગ સ્ટેશનનું લોકાર્પણ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજરોજ ગોંડલ ચોકડી બી.આર.ટી.એસ. બસ સ્ટેશન ખાતે ઇલેક્ટ્રિક બસના ચાર્જીંગ માટે બનાવવામાં આવેલ 180 કિલો વોટના કુલ 5 ચાર્જર(4+1 સ્પેર) મુજબ ઇલેક્ટ્રિક બસના ચાર્જીંગ સ્ટેશનનું લોકાર્પણ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરના વરદ હસ્તે કરવામાં આવ્યું. ચાર્જીંગ સ્ટેશન ખાતે ચાર્જીંગ કરવામાં આવેલ ઈ-બસોનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રતિકાત્મક રૂૂપે બસ ડેપો કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ.
આ લોકાર્પણ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, વોર્ડ નં.12ના કોર્પોરેટર અને એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિ ચેરમેન મગનભાઈ સોરઠીયા, કોપોરેટર ડો.પ્રદીપ ડવ, શહેર ભાજપ ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા, વોર્ડ નં.12ના મહામંત્રી ધીરજભાઈ મૂંગરા, નાયબ કમિશનર સ્વપ્નિલ ખરે, આર.આર.એલ.ના જનરલ મેનજર વાય. કે.ગોસ્વામી, આર.આર.એલ.નાં ડેપ્યુટી જનરલ મેનેજર એ.આર.લાલચેતા, ડેપ્યુટી એન્જીનિયર કે.પી.દેથરીયા, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગના મેનેજર મયુર ખીમસુરીયા, પી.એસ.ટુ મેયર અને મેનેજર વી.ડી.ઘોણીયા, આર.આર.એલ.ના અધિકારી-કર્મચારીઓ, એજન્સીના ડાયરેક્ટર અને પ્રતિનિધિઓ, અગ્રણી ચેતનભાઈ લાઠીયા, ચેતનભાઈ વસોયા વગેરે ઉપસ્થિત રહેલ.
રાજકોટ મહાનગરપાલિકાને કેન્દ્ર સરકારનાં એકમ ડીપાર્ટમેન્ટ ઓફ હેવી ઈન્ડ.-નવી દિલ્હીની FAME INDIA SCHEMEઅંતર્ગત ઇલેક્ટ્રિક બસનાં પ્રથમ તબક્કામાં 50 ઇલેક્ટ્રિક બસ અને બીજા તબકકામાં 100 ઇલેક્ટ્રિક બસ એમ મળી કુલ 150 ઇલેક્ટ્રિક બસ મંજુર થયેલ જે પૈકી, પ્રથમ તબક્કાની 50 ઇલેક્ટ્રિક બસ રાજકોટ મહાનગરપાલિકાને મળેલ છે જ્યારે બીજા તબક્કાની 100 ઇલેક્ટ્રિક બસ પૈકી અત્યાર સુધીમાં 75 ઇલેક્ટ્રિક બસ મળી કુલ 125 ઇલેક્ટ્રિક બસની ડીલેવરી એજન્સી દ્રારા કરવામાં આવેલ છે. જે બસ શહેરમાં કાર્યરત કરવામાં આવેલ છે.
હાલ, ઈલેક્ટ્રિક બસનાં ચાર્જીગ માટે અમુલ સર્કલ પરનો ડેપો કાર્યરત છે જેમાં કુલ 19 ચાર્જરનું ઇન્સ્ટોલેશન કરવામાં આવેલ છે. આ ચાર્જરથી નિયત શેડ્યુલ મુજબ હાલનાં તબક્કે અંદાજીત 77 ઇલેક્ટ્રિક બસનું ચાર્જીગ કરવામાં આવે છે. આમ, હાલ ઉપલબ્ધ અને ભવિષ્યમાં આવનાર વધુ ઇલેક્ટ્રિક બસોની ચાર્જીગ તથા પાર્કીગની સુવિધા પણ ઉભી કરવાની જરૂૂરિયાતને લક્ષમાં લઈને રાજકોટ રાજપથ લી અને PMI Electromobility pvt ltd. સાથે થયેલ આ કામનાં મુળ કરાર મુજબ ગોંડલરોડ ડેપો ખાતેની જગ્યા માં વધુ 180 કિલો વોટનાં કુલ 5 ચાર્જર(4+1 સ્પેર) મુજબ ઇલેક્ટ્રિક બસની ચાર્જીંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે.
આ જગ્યાએ ચાર્જીંગ સ્ટેશન-ડેપો બનવાથી બી.આર.ટી.એસ.માં મુસાફરી કરતાં લોકોને સમયસર તેમજ વિશેષ ફ્રિકવન્સીથી ઇલેક્ટ્રિક બસ મળી શકશે. હાલ દૈનિક અંદાજીત 22,000 મુસાફરો બી.આર.ટી.એસ. પર ચાલતી 22 ઇલેક્ટ્રિક બસનો લાભ લે છે. ગોડલ રોડ પર અંદાજીત 2925 સ્કે. મિટર ક્ષેત્રફળ જેટલી જગ્યામાં ઈલેક્ટ્રિક બસ ચાર્જીંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. જેમાં ચાર્જીગ ઈન્ફ્રાસ્ટ્રકચરનાં ભાગરૂૂપે 180 કી.વો.નાં કુલ 5(પાચ) ચાર્જર ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે. આ ચાર્જરથી ચાર્જીગ શેડ્યુલ મુજબ વિશેષ 22-25 ઇલેક્ટ્રિક બસનું ચાર્જીગ કરી શકાય છે. જેથી શહેરનાં બી.આર.ટી.એસ. કોરિડોર પર ચાલતી ઇલેક્ટ્રિક બસને ચાર્જીંગ હેતુ આજી ડેપો, અમુલ સર્કલ ખાતે મોકલવાની જરૂરિયાત રહેશે નહિ જેનાં લીધે મુસાફરોને બી.આર.ટી.એસ. બસ સમયસર મળતી રહે.
ગુજરાત
ગોંડલમાં વોકિંગમાં નીકળેલા વૃદ્ધને આખલાએ ઢીંકે ચડાવતાં મોત
વૃદ્ધે સારવારમાં દમ તોડતા પરિવાર શોકમાં ગરકાવ
રાજકોટ સહિત રાજ્યભરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે અને રખડતા ઢોરના કારણે અનેક લોકોને મુશ્કેલી ભોગવવી પડે છે એટલું જ નહીં પરંતુ અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોવાની પણ ઘટનાઓ છાશવારે સામે આવી રહી છે.
ત્યારે વધુ એક બનાવમાં ગોંડલમાં વોકીંગમાં નીકળેલા વૃધ્ધને આખલાએ ઢીક મારી પછાડી દીધા હતાં. વૃધ્ધને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતાં. જ્યાં વૃધ્ધનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલમાં જેતપુર રોડ પર આવેલી દાસીજીવણ સોસાયટીમાં રહેતા ઈશ્ર્વરભાઈ મનજીભાઈ પાડલીયા નામના 75 વર્ષના વૃધ્ધ સવારના સાતેક વાગ્યાના અરસામાં જેતપુર રોડ પર ચાલીને જતાં હતાં ત્યારે આખલાએ ઢીક મારી પછાડી દીધા હતાં.
ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધને તાત્કાલીક સારવાર માટે ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં વૃધ્ધની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ વૃધ્ધે હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
પ્રાથમિક પુછપરછમાં મૃતક ઈશ્ર્વરભાઈ પાડલીયા બે ભાઈ ચાર બહેનમાં નાના હતા અને હાલ નિવૃત્ત જીવન જીવતાં હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે.ઈશ્ર્વરભાઈ પાડલીયા સવારના વોકીંગમાં નીકળ્યા હતાં ત્યારે આખલાએ ઢીક મારી પછાડી દેતાં ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગોંડલ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
વરસાદના કારણે ખેતરમાં ધોવાણ થતા આર્થિક સંકડામણથી ખેડૂતનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
ચોટીલાના નાની મોલડી ગામની ઘટના: સંતાનોની ફીના રૂપિયાનો પણ મેળ નહીં પડતા પગલું ભર્યુ
રાજ્યભરમાં વરસેલા ભારે વરસાદને પગલે લોકોને હાલાકી ભોગવવી પડી હતી અને અતિશય વરસાદના કારણે ખેડૂતો પાયમાલ બન્યા હોય તેમ પાકમાં નુકસાન પહોંચ્યું છે સરકાર દ્વારા પણ નુકસાનીનો સર્વે કરવાનો આદેશ કરાયા છે ત્યારે રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા ચોટીલા તાલુકાના નાના મોલડી ગામે રહેતા ખેડૂતે ભારે વરસાદના કારણે ખેતરમાં ધોવાણ થતાં આર્થિક સંકડામણના કારણે સંતાનોની ફી ભરવાના રૂપિયાનો પણ મેળ નહીં પડતાં આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ચોટીલા તાલુકાના નાની મોલડી ગામે રહેતા રમેશભાઈ મંગાભાઈ ચૌહાણ નામનો 30 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરતાં ચોટીલા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને પોલીસે ઝેરી દવા પી લેનાર યુવકનું નિવેદન નોંધ્યું હતું.
પ્રાથમિક પુછપરછમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરનાર રમેશભાઈ ચૌહાણ બે ભાઈ અને ત્રણ બહેનમાં વચેટ છે અને તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. રમેશભાઈ ચૌહાણ ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ભારે વરસાદના કારણે રમેશભાઈ ચૌહાણના ખેતરમાં ધોવાણ થઈ ગયું હતું. ભારે વરસાદના કારણે થયેલી નુકસાનીથી રમેશભાઈ ચૌહાણ પાસે વાવણી કરવા અને છોકરાઓની ફી ભરવાના રૂપિયાનો મેળ નહીં પડતાં આર્થિક ભીંસમાં સપડાયેલા રમેશભાઈ ચૌહાણે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ચોટીલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
આંદોલનની વાત જ નથી, ક્ષત્રિય આંદોલન પૂરું થઈ ગયું : શંકરસિંહ
આગામી 20 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના ગોતા ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાવા જઈ રહ્યું છે. જેમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહેવાના છે. જેને લઈને ગઈકાલે રાજકોટ ખાતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ બેઠક બાદ શંકરસિંહ વાઘેલાએ ક્ષત્રિય આંદોલનને લઈને મોટું નિવેદન આપ્યું છે. અને પત્રકારોએ પુછેલા પ્રશ્ર્નના જવાબમાં શંકરસિંહે જણાવ્યું કે, આંદોલનની વાતજ નથી, આંદોલન પુરુ થઈ ગયું છે. સમાજમાં બીજા સમાજનું જોઈને શીખવાનો સવાલ છે.
મારી નવી પાર્ટી બનાવવાની વાતો થઈ રહી છે, પરંતુ જેને જે વાતો કરવી હોય તે કરે. જ્યારે સમાજનું બંધન હોય, ત્યારે જે સંસ્થા હોય, ત્યાં રાજકીય જોડા બહાર કાઢીને જવાનું. સમાજમાં માત્ર સમાજની જ વાત કરવાની.
ક્ષત્રિય સંમેલનને લઈને રાજકોટમાં સમાજની એક બેઠકમાં શંકરસિંહ વાઘેલા પહોંચ્યા હતા. આ બેઠકમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ તેમજ સંસ્થાના અગ્રણી આગેવાનો તેમજ ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.
જો કે ક્ષત્રિય સમાજની બેઠકમાં પદ્મિનીબા દેખાયા નહતા. પદ્મિનીબા વાળાને સર્કિટ હાઉસ ખાતે અલગ બેઠક માટે બોલાવવામાં આવ્યા હતા. જ્યાં પદ્મિની બા અને શંકરસિંહ વાઘેલા સાથે 15 મિનિટ સુધી ચર્ચા થઈ હતી.
આ બેઠક બાદ પત્રકારોના પ્રશ્નનો જવાબ આપતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, બેઠકમાં કોઈ રાજકીય મુદ્દા પર ચર્ચા કરવામાં આવી નથી. આ બેઠકમાં સમાજનું કલ્યાણ કેમ થાય અને સમાજ કેવી રીતે આગળ આવે? તેવા મુદ્દા પર ચર્ચા થઈ હતી.
-
રાષ્ટ્રીય24 hours ago
ઈદ મિલાદ ઉન નબી પર કર્ણાટકમાં હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતર્યા, જુઓ વિડીયો
-
રાષ્ટ્રીય1 day ago
VIDEO: કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મારવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, મોતના ડરથી ભાગતા જોવા મળ્યા
-
રાષ્ટ્રીય1 day ago
‘રાઈડ ઓફ પ્રાઈડ’ ગણાતી બુલેટનું પહેલાના સમયની કિંમત જાણો, બિલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત
-
ગુજરાત20 hours ago
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રની સારવાર માટે અમેરિકા જશે, એક મહિનાની રજા માગી
-
ગુજરાત20 hours ago
મનપા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો કાલથી પ્રારંભ
-
રાષ્ટ્રીય1 day ago
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે નવી ઊંચાઈ હાસલ કરી, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સ્મોલકેપ-મીડકેપ શેર્સમાં પણ તેજી
-
રાષ્ટ્રીય20 hours ago
બજાજના આઈપીઓમાં એકના ડબલ, રૂા.14,980 સામે 17,120ની કમાણી
-
ગુજરાત20 hours ago
રીબડા ગુરુકુળના ડ્રાઈવરે પીધેલી હાલતમાં બસ હંકારી છાત્રોના જીવ જોખમમાં મૂકયા