આંતરરાષ્ટ્રીય
ઇઝરાયલની સેના લેબનોનમાં પ્રવેશી, આરપારની લડાઇ શરૂ
હવાઇ હુમલા બાદ જમીની લડાઇ, હિઝબુલ્લાહના ઠેકાણાઓ નિશાના પર, ઇઝરાયલી સેનાને જડબાતોડ જવાબ આપવા કાસિમનો હુંકાર
ઇઝરાયલી દળોએ દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાહના લક્ષ્યાંકો પર હુમલા શરૂૂ કર્યા છે. મંગળવારે જારી કરાયેલા એક નિવેદનમાં, ઇઝરાયેલી સેનાએ કહ્યું કે તેણે મર્યાદિત ગ્રાઉન્ડ ઓપરેશન શરૂૂ કર્યું છે. લેબનીઝ આતંકવાદી સંગઠન સામે આ નવો મોરચો છે. ઈંઉઋએ કહ્યું કે તે ઇઝરાયેલની સરહદ નજીક હિઝબુલ્લાહના સ્થાનોને નિશાન બનાવી રહ્યું છે. આ સમય દરમિયાન એરફોર્સ અને આર્ટિલરી યુનિટ આર્મીની મદદ કરી રહ્યા છે. આ ઓપરેશન કેટલો સમય ચાલશે તે અંગે તેમણે કોઈ માહિતી આપી નથી. જો કે, એવું ચોક્કસપણે કહેવામાં આવ્યું હતું કે આ માટેની તૈયારી અને તાલીમ મહિનાઓથી ચાલી રહી હતી.
ઈઝરાયલ આર્મીના નિવેદન અનુસાર, જે ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે તે તેમના દેશની સરહદે આવેલા ગામોમાં બનાવવામાં આવ્યા છે. ઉત્તર ઇઝરાયેલમાં રહેતા દેશવાસીઓ માટે આ તાત્કાલિક ખતરો છે. આ હુમલાઓ રાજકીય મંજૂરી મળ્યા બાદ શરૂૂ કરવામાં આવ્યા છે અને તેને હિઝબુલ્લાહ સામેના યુદ્ધના આગલા સ્તર તરીકે વર્ણવવામાં આવ્યા છે. આ પહેલા અમેરિકી અધિકારીઓએ કહ્યું હતું કે ઈઝરાયેલ અને હિઝબુલ્લાએ નાના પાયે જમીન પર હુમલો કર્યો છે. વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે ઈઝરાયેલે અમેરિકાને આ અંગે જાણ કરી છે. કહેવામાં આવ્યું હતું કે સરહદ પર હિઝબુલ્લાહના સંસાધનોને નષ્ટ કરવા માટે આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
ઈઝરાયેલ દ્વારા ત્રણ ઈમારતોને ખાલી કરાવવાના આદેશ બાદ લેબનોનની રાજધાની બેરૂૂત અને દક્ષિણ ઉપનગરોમાં હવાઈ હુમલાના પડઘા સંભળાઈ રહ્યા છે. સર્વત્ર ધુમાડાના વાદળો છવાઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આ વિસ્તારોમાં હિઝબુલ્લાહની ખૂબ જ મજબૂત પકડ છે. જો કે, ઈઝરાયેલની સેના અને હિઝબુલ્લાહ આતંકવાદીઓ વચ્ચે જમીની અથડામણના કોઈ સમાચાર નથી. ગાઝામાં યુદ્ધની શરૂૂઆતથી જ ઈઝરાયેલ અને હિઝબુલ્લાએ એકબીજા પર ભારે ગોળીબાર કર્યો છે. જેના કારણે ઈઝરાયેલ અને લેબેનોનમાં લોકો મોટા પાયે વિસ્થાપિત થયા છે.
ઇઝરાયેલે કહ્યું છે કે જ્યાં સુધી લેબનોન સરહદી વિસ્તાર પરિવારો માટે સુરક્ષિત નહીં બને ત્યાં સુધી તે હિઝબુલ્લાહ પર હુમલા ચાલુ રાખશે. સાથે જ હિઝબુલ્લાએ પણ વચન આપ્યું છે કે તે રોકેટ ફાયર કરવાનું ચાલુ રાખશે. હિઝબુલ્લાએ સોમવારે જાહેરાત કરી હતી કે નસરાલ્લાહ અને અન્ય ટોચના નેતાઓ માર્યા ગયા હોવા છતાં, તે લડાઈમાંથી પાછળ નહીં હટે. હિઝબુલ્લાહના કાર્યકારી નેતા નઈમ કાસિમે પહેલેથી જ કહ્યું છે કે હિઝબુલ્લાહના નેતા હસન નસરાલ્લાહ, ચળવળના દક્ષિણી મોરચાના કમાન્ડર અલી કરાકી, વરિષ્ઠ ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) કમાન્ડર અબ્બાસ નિલફોરોશન અને નસરાલ્લાહના ગાર્ડના સૈનિકો ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયા હતા.
જો ઇઝરાયેલ ગ્રાઉન્ડ ઓપરેશન હાથ ધરવાનું નક્કી કરે છે, તો પ્રતિકાર દળો જમીની આક્રમણ માટે તૈયાર હશે. કાસિમે પોતાના સંબોધનમાં કહ્યું કે અમે અમારી જાતને તૈયાર કરી લીધી છે અને અમને વિશ્વાસ છે કે ઇઝરાયેલ દુશ્મન તેના લક્ષ્યોને હાંસલ નહીં કરે. અમે આ યુદ્ધ જીતીશું. તેણે કહ્યું કે તે ગાઝાને સમર્થન આપવાનું ચાલુ રાખશે.
આંતરરાષ્ટ્રીય
ઇઝરાયલે UNચીફ એન્ટોનિયો ગુટેરેસના પ્રવેશ પર લગાવ્યો પ્રતિબંધ, કહ્યું- તેમણે ઈરાનના હુમલાની નિંદા કરી નથી
ઈઝરાયેલે ગંભીર આરોપ લગાવીને યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પર તેના દેશમાં પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ બાદ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ હવે ઈઝરાયેલની મુલાકાત લઈ શકશે નહીં. પ્રતિબંધ લગાવવાની સાથે ઈઝરાયેલે કહ્યું કે એન્ટોનિયો ગુટેરેસને ‘સંયુક્ત રાષ્ટ્રના ઈતિહાસ પર એક ડાઘ’ તરીકે જોવામાં આવશે.
ઇઝરાયેલના વિદેશ મંત્રી કાત્ઝે કહ્યું કે તેમણે યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસને ઇઝરાયેલમાં પ્રવેશતા અટકાવ્યા છે. વિદેશ મંત્રી કાત્ઝે કહ્યું કે યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસને ઈઝરાયેલમાં પર્સન નોન ગ્રેટા જાહેર કરવામાં આવ્યા છે. તેમજ તેના દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ઇઝરાયેલે ગુટેરેસ પર કયા આક્ષેપો કર્યા?
કાત્ઝે કહ્યું કે ‘જે કોઈ પણ ઈરાન દ્વારા ઈઝરાયેલ પરના ગુનાહિત હુમલાની નિંદા કરવામાં અસમર્થ છે તે ઈઝરાયેલની ધરતી પર પગ મૂકવાને લાયક નથી. આ સેક્રેટરી જનરલ છે જે ઈઝરાયેલને નફરત કરે છે, જે આતંકવાદીઓ, બળાત્કારીઓ અને હત્યારાઓને સમર્થન આપે છે. ગુટેરેસને સંયુક્ત રાષ્ટ્રના ઈતિહાસ પર એક ડાઘ તરીકે યાદ કરવામાં આવશે. ઈઝરાયેલનું માનવું છે કે સંયુક્ત રાષ્ટ્રના વર્તમાન મહાસચિવ આતંકવાદીઓને સમર્થન આપી રહ્યા છે.
વાસ્તવમાં ઈઝરાયેલ દ્વારા આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ઈરાને ઈઝરાયેલ પર મોટી સંખ્યામાં મિસાઈલ હુમલા કર્યા છે. પેલેસ્ટાઈનમાં પણ સંયુક્ત રાષ્ટ્ર હંમેશા પેલેસ્ટાઈનના હિતોની વાત કરતું આવ્યું છે. આ સાથે, તે ઇઝરાયેલ પર તેમને માનવતાવાદી સહાય આપવા માટે દબાણ કરી રહ્યું છે. ઈરાનના હુમલા બાદ ઈઝરાયેલને સમર્થન ન આપવા બદલ ઈઝરાયેલે એન્ટોનિયો ગુટેરેસ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
આંતરરાષ્ટ્રીય
લેબનોનમાં પેજર હુમલાથી ભારત એલર્ટ, ચીની ઉપકરણો પર પ્રતિબંધ લાગશે
જે રીતે લેબનોનમાં પેજર અટેક કરવામાં આવ્યો તે પછી દુનિયભરના દેશ ચેતી ગયા છે. ખાસ કરીને ભારત કે જેના પડોશમાં ચીન જેવો દુશ્મન દેશ છે જે આ પ્રકારની ભવિષ્યમાં કરે તો નવાઈ નથી. લેબનોનમાં થયેલા પેજર અટેક બાદ ભારત સરકાર દેશમાં ચાઈનીઝ નિર્મિત સર્વેલન્સ ઈક્વિપમેન્ટના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહી છે.સરકાર સ્થાનિક વિક્રેતાઓને પ્રોત્સાહન આપવા માટે સર્વેલન્સ માર્કેટમાં નવી માર્ગદર્શિકા ઝડપથી લાગુ કરવાની યોજના બનાવી રહી છે.
પેજર વિસ્ફોટોના પગલે, ભારત સરકાર સપ્લાય ચેઇન પર ઊંડાણપૂર્વક તપાસ કરશે. 18 સપ્ટેમ્બરના રોજ ઈઝરાયેલે લેબનીઝ આતંકી સંગઠન હિઝબુલ્લાહના કાર્યકરોના હજારો પેજર અને મોબાઈલ ડિવાઈસને બ્લાસ્ટ કર્યા હતા. આમાં ઘણા લોકો માર્યા ગયા હતા. આ હુમલાઓ અગાઉ પેજર અને અન્ય ઉપકરણોમાં છુપાયેલા વિસ્ફોટકો વડે કરવામાં આવ્યા હતા.
એક રિપોર્ટ અનુસાર, ભારત સરકારની નવી નીતિ 8 ઓક્ટોબરથી લાગુ થઇ શકે છે, જે ચીની કંપનીઓને બજારથી બહાર કરીને ભારતીય કંપનીઓને ફાયદો પહોંચાડશે.
આ વર્ષે માર્ચ અને એપ્રિલમાં નોટિફિકેશન જારી કરવામાં આવ્યા હતા, પરંતુ લેબનોન વિસ્ફોટોને પગલે સુરક્ષા પર વધુ ધ્યાન આપવામાં આવતા આ માર્ગદર્શિકાનો ઝડપથી અમલ કરવામાં આવી રહ્યો છે.સરકાર ઈઈઝટ કેમેરા અંગેની માર્ગદર્શિકાને ઝડપથી લાગુ કરવાની તૈયારી કરી રહી છે. નવા નિયમો ફક્ત વિશ્વસનીય સ્થાનો પરથી કેમેરાના વેચાણ અને ખરીદીને મંજૂરી આપશે.
રિપોર્ટમાં કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના એક નિષ્ણાતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે હાલમાં, ઈઙ પ્લસ, હિકવિઝન અને દહુઆ ભારતીય બજારના 60%થી વધુને નિયંત્રિત કરે છે. જ્યારે ઈઙ પ્લસ ભારતીય કંપની છે, ત્યારે હિકવિઝન અને દહુઆ ચીની કંપનીઓ છે. નવેમ્બર 2022 માં, યુએસ સરકારે હિકવિઝન અને દહુઆના ઉપકરણોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો, કારણ કે તેનાથી રાષ્ટ્રીય સુરક્ષા માટે સ્વીકાર્ય ખતરો ગણવામાં આવ્યો હતો.
તાજેતરમાં જ ભારત સરકારે ચાઇનીઝ ઈઈઝટ સાધનો માટેના ટેન્ડરને નકારી કાઢવાનું શરૂૂ કર્યું છે અને બોશ જેવી યુરોપિયન કંપનીઓને પ્રાધાન્ય આપ્યું છે. બોશ એપ્લાયન્સીસ ચાઈનીઝ એપ્લાયન્સ કરતા 7 થી 10 ગણા મોંઘા માનવામાં આવે છે.
અન્ય એક સૂત્રએ જણાવ્યું હતું કે, ઈઈઝટને લઇને દબાણ પેજર વિસ્ફોટ પહેલાનું છે. સુરક્ષા પ્રમાણપત્ર અંગેની માર્ગદર્શિકા માર્ચમાં જારી કરવામાં આવી હતી અને ઓક્ટોબરમાં અમલમાં આવશે.
આનું મુખ્ય કારણ સંભવિત ડેટા લીક અંગેની ચિંતા છે, કારણ કે ઈઈઝટ કેમેરા સંવેદનશીલ સ્થળોએ લગાવવામાં આવ્યા છે અને તેનો ઉપયોગ લોકોની હિલચાલને ટ્રેક કરવા માટે થઈ શકે છે. કેમેરા માત્ર વિશ્વાસુ સ્થળો પરથી જ ખરીદવામાં આવે. વિશ્વસનીય સ્થાન તે છે જ્યાં ભારત સરકાર પાસે સમગ્ર ઉત્પાદન શૃંખલા વિશે માહિતી હોય છે અને ખાતરી આપવામાં આવે છે કે ઉપકરણોમાં કોઈ પાછલા દરવાજા નથી કે જે ડેટા લીક અથવા ચોરી કરી શકે.
આંતરરાષ્ટ્રીય
તેલ અવીવમાં આતંકવાદી હૂમલો,8ના મોત, હૂમલાખોર બે શખ્સો પણ ઠાર
ઈઝરાયેલના તેલ અવીવમાં આતંકી હુમલો થયો છે. અહીં બે અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતુ. જેમાં 8 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.આ હુમલામાં અનેક જાનહાનિ થયાના અહેવાલો પણ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ હુમલો જાફામાં સ્ટેશન પાસે કરવામાં આવ્યો હતો.
ઈઝરાયેલ પોલીસ દ્વારા એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં બે બંદૂકધારી ટ્રેનમાંથી નીચે ઉતરતા જોવા મળી રહ્યા છે. પોલીસે બંનેને મારી નાખ્યાં છે.આતંકી હુમલો, ઈઝરાયેલના સમય મુજબ સાંજે 7 વાગ્યે થયો હતો. જેમાં જાફા નજીકના સ્ટેશન પર અચાનક ફાયરિંગ શરૂૂ થઈ ગયું હતું. સુરક્ષા દળોને કંઈક સમજાયું ત્યાં સુધીમાં હુમલાખોરો ઘણા લોકોને ઘાયલ કરી ચૂક્યા હતા. બાદમાં આમાંથી 8 લોકોના મોત થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા.
તેલ અવીવ પર હુમલો કરનાર બંને આતંકવાદીઓ માર્યા ગયા છે. આ આતંકવાદીઓ ક્યાંથી આવ્યા અને તેમનો ઉદ્દેશ્ય શું હતો.હાલ પોલીસ હર્ઝલિયાની એક હોટલમાં આતંકીઓની તપાસ કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે. હજુ પણ વધુ આતંકીઓ ઈઝરાયેલમાં છુપાયેલા હોઈ શકે છે.
ઈઝરાયેલના તેલ અવીવમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ઈરાને ઈઝરાયેલ પર અંધાધૂંધ મિસાઈલ છોડી હતી. દાવો કરવામાં આવ્યો છે કે આ મિસાઇલોની સંખ્યા 400થી વધુ હતી. જો કે, ઇઝરાયેલના આયર્ન ડોમે આ તમામ મિસાઇલોનો સામનો કર્યો અને તેમાંથી મોટાભાગની મિસાઇલોને હવામાં જ નષ્ટ કરી દીધી હોવાનો દાવો કરાઈ રહ્યો છે.
-
ગુજરાત2 days ago
મોરબીમાં કારમાં આગ ભભૂકી: સિરામિક ઉદ્યોગપતિ ભડથું
-
ક્રાઇમ2 days ago
VIDEO: અમદાવાદમાં શિક્ષકે વિદ્યાર્થીના વાળ ખેંચી માથું દીવાલ પછાડ્યું, સેકન્ડોમાં 10 લાફા મારનાર શિક્ષક સસ્પેન્ડ
-
ગુજરાત18 hours ago
એઈમ્સમાં નવી રમત: મહિલા તબીબની માનસિક સંતાપની ફરિયાદમાં બિલાડીને જ દૂધના રખોપા
-
રાષ્ટ્રીય2 days ago
શેરબજારની ‘મંગળ’ શરૂઆત, સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો તો નિફ્ટી 25,900ને પાર
-
રાષ્ટ્રીય2 days ago
‘મંદિર હોય કે મસ્જીદ, કોઈપણ ધાર્મિક સ્થળ અડચણ ન બની શકે..’ બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટેની ટીપ્પણી
-
ક્રાઇમ2 days ago
ફલેવરવાળો વિદેશી દારૂ બનાવવાનું કારખાનું પકડાયું
-
ગુજરાત2 days ago
રિંગ રોડ-2 ફોરલેન બનાવવા 80 કરોડના ખર્ચને મંજૂરી
-
ધાર્મિક23 hours ago
આવતી કાલથી નવરાત્રી શરૂ, જાણો કલશ સ્થાપનાના શુભ મુહૂર્ત