ગુજરાત
48 કલાકમાં દરિયાકાંઠાને ધમરોળી નાખ્યો, હજુ બે દી’ વરસાદની આગાહી
બે દિવસમાં પોરબંદરમાં 24 ઈંચ, કલ્યાણપુરમાં 17, કેશોદમાં 16, દ્વારકા 18, વંથલીમાં 14 ઈંચ પાણી પડી જતાં જળબંબાકાર જેવી સ્થિતિ
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને મેઘરાજાએ ઘમરોળી નાખ્યો હોય તેમ છેલ્લા 48 કલાકમાં 24 ઈંચ જેટલો ભારે વરસાદ વરસી જતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા બે દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદે પોરબંદરમાં 24 ઈંચ, કલ્યાણપુર 17, કેશોદ 16, દ્વારકા 18, વંથલીમાં 14 ઈંચ પાણી વરસાવી દીધું હતું. ભારે વરસાદના પગલે શહેરોમાં પુરની સ્થિતિ જોવા મળી હતી. ખેતરો પાણીમાં ગરકાવ થઈ જતાં ખેતીના પાકને ભારે નુક્શાનીનો અંદાજ લગાવાઈ રહ્યો છે. બે દિવસ દરમિયાન અનેક રોડ રસ્તા ઉપર પાણી ફરી વળતા બંધ કરવાની સ્થિતિ સર્જાઈ હતી. તેમજ સેંકડો વૃક્ષો અને વિજપોલ ધરાશાઈ થતાં વિજપુરવઠો ખોરવાઈ ગયો હતો.
સૌરાષ્ટ્રમાં છેલ્લ 48 કલાકમાં સૌથી વધુ પોરબંદર પંથકમાં 24 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે કલ્યાણપુરમાં 17, કેશોદમાં 16, દ્વારકા 18, વંથલીમાં 14 ઈંચ, તેમજ ખંભાળિયા 5 ઈંચ, રાણાવાવ 4, મેંદરડા 3॥, કાલાવડ, જૂનાગઢ, માળિયા હાટીના, ઉપલેટા, ભેસાણમાં વધુ 3 ઈંચ પાણી વરસી ગયું હતું. જ્યારે ભાણવડ, જામ કંડોરણા, માણાવદર, અંજાર, માંગરોળ, તાલાલામાં 2 ઈંચ, તેમજ લાલપુર, ભૂજ, સુત્રાપાડા, જામજોધપુર, માળિયા સહિતના વિસ્તારોમાં 1થી 1॥ ઈંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના પગલે સરકાર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ ઉતારી રેસક્યુની કામગીરી શરૂ કરવામાં આવી છે. અનરાધાર વરસાદના કારણે જળાશયોમાં નવા નીરની આવક જોવા મળી છે. અને ખેતીના પાકને જીવંતદાન મળ્યું છે. તો બીજીતરફ નદીઓમાં નદીઓના પુર ખેતરોમાં ઘુસી જતાં ખેતીના પાકને નુક્શાન થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
સૌરાષ્ટ્રમાં આજે અને કાલે રેડ એલર્ટ
સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અરબી સમુદ્રમાં વાદળોની જમાવટ સાથે સાયક્લોનીક સર્ક્યુલેશન સર્જાયુ છે. આ ઉપરાંત ગુજરાતથી કેરલ વચ્ચે ટ્રોપ જારી હોવાથી ભારે વરસાદના સંજોગો હજુ પણ યથાવત હોવાથી આજે અને આવતી કાલે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 55થી 65 પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાશે અને દેવભૂમિ દ્વારકા, દીવ, ગીર સોમનાથ, પોરબંદરના દરિયામાં 15 ફૂટ મોજા ઉછળતા રેડએલર્ટ જાહેર કરી આગામી ચાર દિવસ સચરાચર વરસાદ થવાની આગાહી સાથે રેડએલર્ટ જારી કરવામાં આવ્યું છે.
26 રસ્તાઓ બંધ, 21 ગામો અસરગ્રસ્ત
સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદનાપગલે પોરબંદર-જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથના 26 મુખ્યમાર્ગો ઉપર પાણી ફરી વળતા બંધ કરવામાં આવ્યા છે. તેમજ 21થી વધુ ગામો સંપર્ક વિહોણા થઈ જતાં અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. તેવી જ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં વીજપોલ ધરાશાયી થતાં 30થી વધુ કામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે રેસક્યુ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ