જામનગરમાં જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામમાં રહેતા જગદીશભાઈ રમેશભાઈ મકવાણા નામના 33 વર્ષના દલિત યુવાને પોતાના ભાઈ રવજીભાઈ ઉપર સરપંચ પદની જૂની ચૂંટણીના મનદુખના કારણે લોખંડના પાઇપ, સળીયા, છરી જેવા હથિયારો વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તેમજ પોતે દલિત જ્ઞાતિનો છે, તેવું જાણતા હોવા છતાં સમાજમાં હલકા પાડવા માટે પોતાના જ ગામના જગદીશ ઉર્ફે જગાભાઈ ભરવાડ, મનાભાઈ પાલાભાઈ ભરવાડ, પ્રફુલ પુંજાભાઈ ભરવાડ, રામાભાઇ સેજાભાઈ ભરવાડ, સેજાભાઈ ભરવાડ, અને મનાભાઈ નો પુત્ર વગેરે છ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર સરપંચ પદની ચૂંટણીમાં જગાભાઈ ભરવાડ ઉમેદવાર હતા, ત્યારે તેઓને ચૂંટણીમાં સાથ ન આપવા બાબત ફરિયાદી ના ભાઈ રવજીભાઈ સાથે તકરાર કરાઈ હતી, અને ત્યારબાદ આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. પોલીસે હુમલા તેમ જ એસ્ટ્રોસિટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
