ક્રાઇમ
ઉતાવળથી મૃતદેહની અંતિમવિધિ કરી નાખી, ક્રાઇમ સીનની વીડિયોગ્રાફી પણ ન કરી
કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં એક ટ્રેની મહિલા ડોક્ટર સાથે કથિત દુષ્કર્મ બાદ હત્યા મામલે CBIએ કોલકાતા પોલીસ પર મોટા આરોપ લગાવ્યો છે. CBIના આરોપ પ્રમાણે કોલકાતા પોલીસ અધિકારી અભિજીત મંડલે આરોપી સંજય રોયને બચાવવાનો પ્રયાસ કર્યો અને 31 વર્ષીય મહિલા ડોક્ટરના મૃતદેહનો ઉતાવળમાં અંતિમ સંસ્કાર કરાવી દીધો.
CBIઅધિકારીઓએ આરોપ લગાવ્યો છે કે, મંડલને 9 ઓગસ્ટના રોજ સવારે 10:03 વાગ્યે આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ પાસેથી ઘટના વિશે જાણકારી મળી હતી પરંતુ તે તાત્કાલિક ઘટનાસ્થળે નહોતો પહોંચ્યો. તાલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અધિકારી હોવા છતાં તેઓ સવારે 11:00 વાગ્યે ત્યાં પહોંચ્યા હતા.અધિકારીઓએ એવો પણ આરોપ લગાવ્યો છે કે પોલીસ રેકોર્ડમાં મંડલની જનરલ ડાયરીની નોંધણીમાં ખોટી માહિતી હતી, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ડોક્ટરનો મૃતદેહ ચેસ્ટ મેડિસિનના સેમિનાર રૂૂમમાં બેભાન અવસ્થામાં પડેલો મળી આવ્યો હતો. જ્યારે હકીકત એ હતી કે, પીડિતાને પહેલાથી જ ડોક્ટરોએ મૃત જાહેર કરી દીધી હતી જેમણે શરીરની તપાસ કરી હતી. CBIને શંકા છે કે મંડલે હોસ્પિટલના અધિકારીઓ અને અન્ય અજાણ્યા લોકો સાથે મળીને કાવતરા હેઠળ જાણી જોઈને ડાયરી એન્ટ્રીમાં ખોટા તથ્યો નોંધ્યા હતા.એજન્સીએ એ પણ આરોપ લગાવ્યો કે મંડલ ક્રાઈમ સીનને સુરક્ષિત રાખવામાં અને સુરક્ષા કરવા માટે કોર્ડન કરવામાં નિષ્ફળ રહ્યો છે. જેના કારણે અનધિકૃત લોકોને ક્રાઈમ સુધી પહોંચવાની અને મહત્વપૂર્ણ પુરાવાઓને નુકસાન પહોંચાડવાની તક મળી. CBI તપાસમાં સામે આવ્યું છે કે, કોલકાતા પોલીસે ઋઈંછ નોંધવામાં 14 કલાકનો વિલંબ કર્યો હતો.
મંડલ પર બંગાળ નાર્કોટિક્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (ઇગજજ)ની જોગવાઈઓ હેઠળ ક્રાઈમ સીન પાસેથી વસ્તુઓને હટાવવા, જૈવિક નમૂનાઓને સીલ કરવા વગેરેની સમગ્ર પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અધિકારીઓએ એવો પણ આરોપ લગાવ્યો છે કે પરિવારના સભ્યોની બીજી વખત મૃતદેહ પરીક્ષણની માગણી છતાં મંડલે સોમવારે ઉતાવળમાં અંતિમ સંસ્કારની મંજૂરી આપી હતી.
CBIતપાસમાં કોલકાતા પોલીસ દ્વારા મહત્વપૂર્ણ પુરાવા જપ્ત કરવામાં થયેલી ચૂક પણ સામે આવી છે. 10 ઓગષ્ટના રોજ ક્રાઈમમાં ભૂમિકા સામે આવ્યા છતાં આરોપી સંજય રોયના કપડા અને સામાન જપ્ત કરવામાં બે દિવસોનો બિનજરૂૂરી વિલંબ કરવા માટે મંડલને જવાબદાર ઠેરવવામાં આવ્યો છે. CBIને શંકા છે કે, તપાસની દિશાને ભટકાવવાના ઈરાદાથી સંજય રોય અને અન્ય અજ્ઞાત આરોપીઓની તપાસ કરવા માટે અન્ય સંભવિત આરોપીઓ સાથે ગુનાહિત કાવતરું ઘડવામાં આવ્યું હતું.
ક્રાઇમ
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ
રાજકોટના નિલ સીટી કલબ પાસે સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા કેટરસ સંચાલકે દિલ્હીની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી રાજકોટની બે હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારતાં આ મામલે એ ડીવીઝન પોલીસમાંથી ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કેટરસ સંચાલકની ધરપકડ કરી છે.
મળતી વિગતો મુજબ, મુળ દિલ્હીની વતની અને હાલ રાજકોટમાં એક વિસ્તારમાં ભાડેથી મકાન રાખીને રહેતી 31 વર્ષિય યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે નિલ સિટી કલબ સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા કેટરસ સંચાલક અમીત ભગવાનજી ભાલોડિયાનું નામ આપ્યું છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તે અમીતને ત્યાં કેટરસમાં કામ કરતી હોય બન્ને વચ્ચે સંપર્ક થયા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. અમીતના છુટાછેડા થયા હોય તેણે કેટરસમાં કામ કરતી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ખોટા વાયદાઓ કરી રાજકોટની લીમડા ચોકમાં આવેલી કે.રોઝ હોટલ તથા અન્ય હોટલમાં લઈ જઈ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારી શરીર સંબંધ બાંધ્યો હતો. યુવતીએ અમીત તેની સાથે લગ્ન કરી લેશે તેની લાલચે ફરિયાદ કરી ન હતી. છેલ્લા ચાર વર્ષથી અમીતના શોષણનો ભોગ બનતી કેટરસમાં નોકરી કરતી યુવતીએ જ્યારે અગાઉ લગ્ન નહીં કરે તો ફરિયાદ કરવાની ધમકી આપતાં અમીતે તેને લગ્ન કરવા માટેનું વાયદો કર્યો હતો અને તેણે ધમકાવી ફરિયાદ કરશે તો જાનથી મારી નાખશે તેવું કહી યુવતીને નોટરી પાસે લઈ જઈ રૂબરૂમાં સમાધાનના લખાણ ઉપર તેની બળજબરીથી સહી પણ કરાવી લીધી હતી.
છેલ્લા ચાર વર્ષથી અમીત પોતાના કેટરસમાં કામ કરતી દિલ્હીની યુવતીનું શોષણ કરી તેની સાથે બળજબરી પૂર્વક શરીર સબંંધ બાંધીને દુષ્કર્મ ગુજારતો હોય અંતે આ યુવતીએ પોલીસની મદદ લીધી હતી અને આ મામલે એ ડીવીઝન પોલીસ મથકમાં ભોગ બનનાર યુવતીની ફરિયાદને આધારે રાજકોટનાં નિલ સિટી કલબમાં આવેલ સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા અમીત ભગવાનજી ભાલોડિયા સામે ગુનો નોંધ્યો હતો. આ મામલે એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટ તથા સેક્ધડ પીઆઈ કે.એ.દેસાઈ અને તેમની ટીમે તપાસ કરી અમીત ભાલોડિયાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
ક્રાઇમ
રાજકોટમાં બે જૂથ વચ્ચે માથાકૂટ બાદ ભારે તંગદિલી: સાતની ધરપકડ
સામુ જોવા બાબતે મુસ્લિમ અને ભરવાડ જુથ વચ્ચે ખેલાયેલા ધીંગાણામાં ત્રણ ઘાયલ : કુંભારવાડામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
રાજકોટના કુંભારવાડામાં ગઈકાલે રાત્રે સામુ જોવા જેવી નજીવી બાબતે મુસ્લિમ અને ભરવાડ જૂથ વચ્ચે માથાકુટ થયા બાદ શસ્ત્ર બઘડાટી બોલી હતી. જેમાં બન્ને જૂથના ત્રણ લોકોને ઈજા થઈ હતી. આ મામલે એ-ડીવીઝન પોલીસ સહિતનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો અને સ્થિતિને કાબુમાં લીધી હતી. આ બનાવમાં પોલીસે બન્ને પક્ષે સામેસામે ફરિયાદ નોંધી છે અને બનાવ બાદ આજે સવારથી સમગ્ર કુંભારવાડા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હજુ પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે પોલીસે કોમ્બીંગ કરીને ભરવાડ જૂથના 4 અને મુસ્લિમ જુથના 3 એમ કુલ 7 આરોપીઓને ઝડપી લીધા હતાં. જ્યારે અન્યની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
રાજકોટના કુંભારવાડામાં બનેલી જૂથ અથડામણની ઘટનામાં પોલીસે સામે સામે ફરિયાદ નોંધી છે જેમાં મકાનનું લે-વેચનું કામ કરતાં દિવ્યેશ રમેશ પરમારની ફરિયાદને આધારે કુંભારવાડાના અકીલ શબીર મકરાણી, ફરાજ સલીમ ફલીયાણી, અરમાન સુમરા, અફઝલ હાજી, મુસ્તાક હાજી અને અજાણ્યા સહિત છ સામે ગુનો નોંધ્યો છે. જ્યારે સામા પક્ષે એકાત પ્રોવીઝન સ્ટોર પાસે રહેતા અકીલ શબીર મકરાણીની ફરિયાદને આધારે હાથીખાના કુંભારવાડામાં રહેતા અવધ ભરવાડ તેના ભાઈ દિવ્યેશ ભરવાડ તેના કાકાનો પુત્ર મંથન તથા તેના મિત્ર અમીત ગોહેલ અને અજાણ્યા બે મળી છ સામે ગુનો નોંધ્યો છે.
દિવ્યેશ પરમારે ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના મોટા બાપુનો પુત્ર મંથન સ્કુટર લઈને જતો હતો ત્યારે અકીલ મકરાણી સાથે સામુ જોવા જેવી બાબતે ઝઘડો થયો હતો ત્યારબાદ દિવ્યેશ અને તેની સાથેનો ભાઈ કાર લઈને જતાં હતાં ત્યારે અકીલ સહિતના શખ્સોએ કાર ઉપર હુમલો કરી છુટા સોડા બોટલના ઘા કરી કારમાં નુકસાન કર્યુ હતું. તેમજ કારના કાચ તોડી નાખી દિવ્યેશ ઉપર અને મંથન ઉપર હુમલો કર્યો હતો. સામાપક્ષે અકીલ મકરાણીએ જણાવ્યા મુજબ, કાળા કલરની સ્કોર્પિયોમાં આવેલા દિવ્યેશે અકીલ એકસેસ મોટર સાઈકલ લઈને જતો હતો ત્યારે સામુ કેમ જોતો હતો તેમ કહી ગાળો આપી અકીલ અને તેની સાથેના ભાઈ અલ્કાબા મસ્જીદ પાસે હતા ત્યારે સોડા બોટલના ઘા કરી હુમલો કર્યો હતો.
આ બનાવ બાદ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી તેમજ પીઆઈ આર.જી.બારોટ સહિતનો સ્ટાફ તાત્કાલીક કુંભારવાડા ખાતે દોડી ગયો હતો અને સ્થિતિ કાબુમાં લીધી હતી. આ બનાવ બાદ આખી રાત પોલીસે કોમ્બીંગ કર્યુ હતું અને ભારેલા અગ્નિની સ્થિતિ વચ્ચે આ બનાવમાં મુસ્લિમ જુથના ત્રણ અને ભરવાડ જૂથના 4 એમ સાત શખ્સોની ધરપકડ કરી છે.
ક્રાઇમ
મીઠાપુર નજીક કારમાંથી દારૂ, બીયરના જથ્થા સાથે બે ઝડપાયા
ઓખા મંડળના મીઠાપુર સોસાયટીમાં સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલી ડ્રાઈવમાં ગરબી ચોક પાસેથી જી.જે 37 ટી. 9260 નંબરની એક સ્વીફ્ટ મોટરકારના ચેકિંગ દરમિયાન પોલીસને આ મોટરકારમાંથી દારૂૂ, બિયરનો જથ્થો સાંપળ્યો હતો.
તેની વધુ તપાસમાં મોટરકારમાં છુપાવીને રાખવામાં આવેલી જુદી જુદી બ્રાન્ડની 240 બોટલ વિદેશી શરાબ તેમજ 23 બિયરના ટીમ મળી આવ્યા હતા. આ પ્રકરણમાં પોલીસે કુલ રૂૂપિયા 5,63,740 ના મુદ્દામાલ સાથે જય અંબે સોસાયટી માં રહેતા જીગર સાગરભાઈ પંડ્યા (ઉ.વ. 25) અને આ જ વિસ્તારમાં રહેતા અરજણભા ઉર્ફ અજય ગાંગાભા માણેક (ઉ.વ. 26) ની અટકાયત કરી ધોરણ સાત ગુનો નોંધ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. તુષાર પટેલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ડી.એન. વાંઝા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા
-
ગુજરાત2 days ago
દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો
-
આંતરરાષ્ટ્રીય2 days ago
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા
-
અમરેલી2 days ago
અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ
-
ગુજરાત16 hours ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
ગુજરાત2 days ago
PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી
-
રાષ્ટ્રીય19 hours ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી