પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત, બનાસકાંઠાના લેડી કોન્સ્ટેબલ સહિત 5ના મોત

  પંજાબમાંથી ગમ્ખવાર અકસ્માતની ઘટના સામે આવી છે. બઠિંડા ખાતે ગુરથાડી ગામ નજીક આજે સવારે એક ફોર્ચ્યુનર કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ગુજરાતના વાવ-થરાદ…

 

પંજાબમાંથી ગમ્ખવાર અકસ્માતની ઘટના સામે આવી છે. બઠિંડા ખાતે ગુરથાડી ગામ નજીક આજે સવારે એક ફોર્ચ્યુનર કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ગુજરાતના વાવ-થરાદ જિલ્લાની મહિલા કોન્સ્ટેબલ સહિત 5 લોકોનાં મોત થયાં છે. બઠિંડામાં નેશનલ હાઈવે પર ડિવાઈડર સાથે ફોર્ચ્યુનર કાર અથડાતાં કારનું પડીકું વળી ગયું હતું.

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ આ કાર બઠિંડાથી ડબવાલી તરફ જઇ રહી હતી. આ કારમાં ગુજરાત પોલીસની મહિલા કર્મચારી અમિતા અને તેના ચાર મિત્રો સવાર હતાં. પંજાબના બઠિંડામાં ગાઢ ધુમ્મસને કારણે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં મોતને ભેટેલા તમામ લોકો વાવ-થરાદ જિલ્લાના રહેવાસીઓ હતાં. અમિતાબહેન કરશનભાઈ રાજપૂત, અરજણભાઇ સુબાભાઇ રાજપૂત, ભરતભાઈ અજાભાઇ રાજપૂત, જનકભાઈ રાજપૂત અને સતીષ તરીકે આ લોકોનો ઓળખ થઇ છે. . આ લોકો શિમલાથી ફરીને પાછા આવતા હોવાની જાણકારી મળી રહી છે.

આ મામલે એસપી નરીન્દર સિંહે જણાવ્યું હતું કે આ તમામ ફોર્ચ્યુનર કારમાં શિમલા ગયાં હતાં. પરત ફરતી વખતે પંજાબના બઠિંડામાં ગાઢ ધુમ્મસને કારણે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *