આંતરરાષ્ટ્રીય
રશિયા બાદ ઓસ્ટ્રિયામાં PM મોદીનું ભવ્ય સ્વાગત, ચાન્સેલરે સેલ્ફી પોસ્ટ કરી
રશિયાનો પ્રવાસ પૂરો કરીને PM મોદી યુરોપિયન દેશ ઓસ્ટ્રિયા પહોંચ્યા છે. અહીં પણ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યુરોપીયન દેશમાં વડાપ્રધાનનું રેડ કાર્પેટ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રિયાના વિદેશ મંત્રી એલેક્ઝાંડર શૈલેનબર્ગ ખુદ પીએમ મોદીને રિસીવ કરવા એરપોર્ટ પહોંચ્યા હતા.પીએમ મોદીનું સ્વાગત કર્યા બાદ એલેક્ઝાંડર શૈલેનબર્ગે ટ્વિટ કર્યું, ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઓસ્ટ્રિયાની ઐતિહાસિક મુલાકાત પર હાર્દિક સ્વાગત છે.આપણા રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ છે. અમારા દેશો વચ્ચેની ભાગીદારી વૈશ્વિક સુરક્ષા, સ્થિરતા અને સમૃદ્ધિ માટે સંયુક્ત પ્રતિબદ્ધતા પર આધારિત છે.
એરપોર્ટથી પીએમ મોદી સીધા ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં હોટેલ રિટ્ઝ-કાર્લટન પહોંચ્યા.અહીં એનઆરઆઈઓએ તેમનું અભિવાદન કર્યું હતું. હોટેલ પહોંચતા જ ઓસ્ટ્રિયાના કલાકારોએ વંદે માતરમ સાથે વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું.ચાન્સેલર કાર્લ નેહમરે ઓસ્ટ્રિયા પહોંચેલા પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદી સાથે સેલ્ફી પોસ્ટ કરતા તેમણે કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિયેનામાં આપનું સ્વાગત છે. ઑસ્ટ્રિયામાં તમારું સ્વાગત કરવું એ આનંદ અને સન્માનની વાત છે.
ભારત-ઓસ્ટ્રિયાની મિત્રતા મજબૂત છે અને આવનારા સમયમાં તે વધુ મજબૂત બનશે. તમારા ઉષ્માભર્યા સ્વાગત બદલ આભાર. હું અમારી ચર્ચાઓ માટે આતુર છું. આપણા દેશો વૈશ્વિક કલ્યાણ માટે સાથે મળીને કામ કરતા રહેશે.આ વાત 41 વર્ષ પછી છે જ્યારે કોઈ ભારતીય વડાપ્રધાન ઓસ્ટ્રિયાની મુલાકાતે આવ્યા છે. આ પહેલા છેલ્લી મુલાકાત 1983માં થઈ હતી. ત્યારે ઈન્દિરા ગાંધી ભારતીય પીએમ તરીકે ઓસ્ટ્રિયા પહોંચ્યા હતા. ઈન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે 1971માં પ્રથમ વખત ઓસ્ટ્રિયા ગયા હતા. આ પછી, 1980 માં, તત્કાલિન ઓસ્ટ્રિયાના ચાન્સેલર બ્રુનો ક્રેઇસ્કી ભારતની મુલાકાતે આવ્યા હતા. આ પછી 1983માં ઈન્દિરા ગાંધીએ ફરી એકવાર ઑસ્ટ્રિયાની મુલાકાત લીધી, જેના પગલે 1984માં ઑસ્ટ્રિયાના તત્કાલીન ચાન્સેલર ફ્રેડ સિનોવિટ્ઝે ભારતની મુલાકાત લીધી.
1949માં રાજદ્વારી સંબંધોની સ્થાપના બાદ ઓસ્ટ્રિયા પહોંચનાર પ્રથમ વડાપ્રધાનની વાત કરીએ તો જવાહરલાલ નેહરુએ 1955માં પીએમ તરીકે ઓસ્ટ્રિયાની મુલાકાત લીધી હતી. ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચે નેતાઓ, મંત્રીઓ અને સંસદસભ્યોના સ્તરે અવારનવાર મુલાકાતો થતી રહે છે, પરંતુ ભારતમાંથી વડાપ્રધાન સ્તરે આ ત્રીજી મુલાકાત છે.
આંતરરાષ્ટ્રીય
પન્નુ કેસમાં અમેરિકી કોર્ટે અજિત ડોભાલને સમન્સ પાઠવતાં ભડકી ઉઠી ભારત સરકાર, આપ્યો આવો જવાબ
અમેરિકાની એક અદાલતે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાના આરોપમાં ભારત સરકારને સમન્સ મોકલયું છે. ન્યૂયોર્કના દક્ષિણી જિલ્લાની જિલ્લા અદાલતે આ સમન્સ ભારત સરકાર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, પૂર્વ RAW ચીફ સામંત ગોયલ, RAW એજન્ટ વિક્રમ યાદવ અને ઉદ્યોગપતિ નિખિલ ગુપ્તાના નામ પર જારી કર્યા છે. આ સમન્સમાં તમામ પક્ષકારોને 21 દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુના કેસમાં અમેરિકી કોર્ટ દ્વારા મોકલવામાં આવેલા સમન્સ પર ભારતે પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકી કોર્ટના સમન્સ સામે વાંધો ઉઠાવ્યો છે અને તેને ચિંતાજનક ગણાવ્યો છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, ‘આ મામલો સંપૂર્ણપણે અયોગ્ય અને સરકારની નીતિ વિરુદ્ધ છે. અમે આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહ્યા છીએ. ઉચ્ચ સ્તરીય તપાસ પણ શરૂ કરવામાં આવી છે અને તમામ પાસાઓ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું, ‘આ આરોપ સંપૂર્ણપણે પાયાવિહોણો છે. આ કેસ કોઈપણ રીતે અમારો અભિપ્રાય બદલશે નહીં. આ કેસ દાખલ કરનાર વ્યક્તિ ગેરકાયદેસર સંસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે આ મુદ્દો પહેલીવાર અમારા ધ્યાન પર આવ્યો ત્યારે અમે પગલાં લીધાં. પન્નુ, કટ્ટરપંથી શીખ્સ ફોર જસ્ટિસના વડા, ભારતીય નેતાઓ અને સંસ્થાઓ સામે ભડકાઉ ભાષણો અને ધમકીઓ આપવા માટે જાણીતા છે.
કઈ કોર્ટમાં કેસ છે?
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ન્યૂયોર્કની સધર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. જો કે આ વિવાદ વચ્ચે ભારતમાં અમેરિકી રાજદૂત એરિક ગારસેટ્ટીએ મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે આ બાબતથી ભારત-અમેરિકાના સંબંધો પર કોઈ અસર નહીં થાય.
શું છે મામલો?
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાના આરોપમાં અમેરિકન કોર્ટે ભારતને સમન્સ જારી કર્યું છે. આ સમન્સમાં ભારત સરકાર સહિત અનેક અગ્રણી ભારતીય અધિકારીઓના નામ સામેલ છે. ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના ષડયંત્રના આરોપમાં યુએસ કોર્ટ દ્વારા મોકલવામાં આવેલા સમન્સમાં ભારત સરકાર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, પૂર્વ RAW ચીફ સામંત ગોયલ, RAW એજન્ટ વિક્રમ યાદવ અને ભારતીય ઉદ્યોગપતિ નિખિલ ગુપ્તાના નામ પણ છે. મહત્વની વાત એ છે કે આ તમામને 21 દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય
ટ્રમ્પની ગૃપ્ત ફાઇલો ચોરી ઇરાની હેકર્સે પ્રમુખ બાઇડનની ટીમને આપી:FBI
ઇરાને આરોપને ફગાવી પુરાવા જાહેર કરવા કહ્યું
અમેરિકી પ્રમુખની ચૂંટણીને લઈને ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે કટ્ટર મુકાબલો ચાલી રહ્યો છે. બંને વચ્ચેની છેલ્લી અને પહેલી ડિબેટ ભલે કમલા હેરિસ જીતી ગઈ હોય, પરંતુ ટ્રમ્પે હજુ સુધી પોતાની હાર સ્વીકારી નથી. તેઓ સતત અમેરિકામાં નવી સરકાર બનાવવાનો દાવો કરી રહ્યા છે.
આ દરમિયાન અમેરિકન ગુપ્તચર એજન્સી એફબીઆઇના દાવાએ હલચલ મચાવી દીધી છે. એજન્સી અનુસાર, ઈરાની સાયબર હેકર્સએ જો બાઈડનની ટીમને ડોનાલ્ડ ટ્રમ્પના કેમ્પેઇનમાંથી ચોરાયેલી બિન-જાહેર ઓનલાઈન સામગ્રી મોકલી હતી.
ઞજ ઇન્ટેલિજન્સ અને કાયદા અમલીકરણ એજન્સીઓએ જણાવ્યું હતું કે, હેકર્સે પ્રમુખ બાઈડનની ઝુંબેશ સાથે સંકળાયેલા વ્યક્તિઓને ઇમેલ્સ મોકલ્યા હતા જેમાં ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પના અભિયાનમાંથી ચોરાયેલી બિન-જાહેર સામગ્રીના ભાગ હતા. ઉલ્લેખનીય છે કે, તે સમયે બાઈડને ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવાર હતા, પરંતુ જુલાઈમાં ખૂબ જ નાટકીય રીતે તેમણે ઉમેદવારી સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી અને કમલા હેરિસના નામને મંજૂરી આપી હતી.
એક નિવેદનમાં કહ્યું છે કે, જુલાઈમાં પ્રમુખ જો બાઈડનની કેમ્પેઇન ટીમ સાથે જોડાયેલા લોકોને એક અનઇચ્છનીય ઈ-મેલ મળ્યો હતો, જેમાં ઈરાની હેકર્સે ટ્રમ્પના કેમ્પેઇન સાથે સંબંધિત બિન-જાહેર ઓનલાઈન સામગ્રી મોકલી હતી. જો કે, બાઈડનની ટીમે તે ઈમેલનો જવાબ આપ્યો ન હતો. ઓગસ્ટમાં, એજન્સીએ હેક માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું હતું અને તેહરાન પર 2024ની ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. જો કે ઈરાને આ આરોપોને નકારી કાઢ્યા હતા.
Sports
બાંગ્લાદેશના હસમ મહમૂદનો તરખાટ, 35 રન આપી ભારતની 4 વિકેટ ઉડાવી
પ્રથમ ટેસ્ટ મેચમાં 54 ઓવરમાં 209 રન બનાવી ભારતે છ વિકેટ ગુમાવી
બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતે 3 વાગ્યા સુધીમાં 54 ઓવરમાં 209 રન બનાવીને 6 વિકેટ ગુમાવી છે. રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્ર્વિન રમી રહ્યા છે. હસન મહમુદે 13 ઓવરમાં 35 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ બેટિંગ કરતા છ મહત્વની વિકેટ ગુમાવી છે. આ વિકેટો કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી અને રિષભ પંતની છે. આ ચારેય વિકેટ બાંગ્લાદેશના યુવા બોલર હસન મહમૂદે લીધી છે જ્યારે લોકેશ રાહુલને મહેન્દી હસને અને જયસ્વાલને નાહિદ રાણાએ આઉટ કર્યા હતા.
હસન મહમૂદ તેની ચોથી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. તમને જણાવી દઈએ કે કોણ છે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના બોલર હસન મહેમૂદ જેણે ભારતીય ક્રિકેટ ટીમને ચોંકાવી દીધા હતા. હસન મહમૂદે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને શાનદાર શરૂૂઆત અપાવી છે. ભારત સામે બોલિંગ કરતી વખતે તેને 9 ઓવરમાં 4 મોટી વિકેટ ઝડપી હતી. તેને પહેલા રોહિત શર્મા, પછી શુભમન ગિલ, વિરાટ કોહલી અને રિષભ પંતની વિકેટ લીધી. રોહિત શર્માએ 19 બોલમાં 6 રન, શુભમન ગિલે 8 બોલમાં 0 રન, વિરાટ કોહલીએ 6 બોલમાં 6 રન અને રિષભ પંતે 52 બોલમાં 39 રન બનાવ્યા હતા. ભારતે આ ચાર વિકેટ માત્ર 96 રનમાં ગુમાવી દીધી હતી. હસન મહમૂદે કેચ આઉટ દ્વારા ચારેય વિકેટ લીધી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત2 days ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય12 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
કચ્છ2 days ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
-
ગુજરાત2 days ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય2 days ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો