ગુજરાત
નવરાત્રી બાદ મેઘરાજાના ગરબા, 131 તાલુકામાં વરસાદ
દસાડા-વિસાવદર- આહવામાં 3, વઢવાણ-ભૂજ-તાલાલા-ગોંડલ- મહુવા- કુતિયાણા- લોધિકામાં પણ સટાસટી, ભરૂચ નજીક વિજળી પડવાથી ત્રણના મોત
ગુજરાતમાં નવરાત્રી પુરી થવા છતા મેઘરાજા પીછો છોડતા નથી અને આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન વધુ 131 તાલુકામાં ભારે ઝાપટાથી માંડી ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. અમુક સ્થળે ભારે પવન સાથે વરસાદ ખાબકતા ખેતરોમાં પડેલા મગફળી સહીતના પાકના પાથરા તણાઇ ગયા હતા. તો ભરૂચના પાદરીયા ગામની સીમમાં વૃક્ષ ઉપર વીજળી પડતા નીચે ઉભેલા ત્રણ લોકોના મોત નિપજયા હતા. જયારે બે લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.
છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગરના દસાડા-જુનાગઢના વિસાવદર ઉપરાંત ડાંગ-આહવામાં 3 ઇંચ, વઢવાણ-ભુજ-ઉમરપાડા-બોડેલી- વઘઇ- ડેડીયાપાડામાં અઢીથી પોણા ત્રણ ઇંચ, તાલાલા-ગોંડલ- જગડીયા- મહુવા- કુતિયાણા- લોધિકા- લખતર- જાંબુઘોડામાં બેથી સવા બે ઇંચ વરસાદ પડયો છે. 24 કલાકમાં કુલ 36 તાલુકામાં એક ઇંચથી વધુ અને 15 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ગોંડલ
ગોંડલમાં સતત બીજે દિવસે ગાજવીજ સાથે દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો.વરસાદ ને કારણે ઉમવાડા અંડરબ્રિજ તથા રાતાપુલ હેઠળ પાણી ભરાતા ટ્રાફિક ઠપ્પ થઈ જવા પામ્યો હતો.સહજાનંદ નગરમાં ખાલી પ્લોટ તથા નિલેશભાઈ આડતીયા નાં મકાન નાં ફળીયા માં વિજળી પડી હતી.જેને કારણે કોઈ જાનહાની નથી થઈ પણ સોસાયટીનાં મોટાભાગ નાં ઘરોમાં ફ્રીઝ, ટીવી.એસી. સહિત નાં ઉપકરણો બળી ગયા હતા.
પાંચીયાવદર, ખરેડા પટ્ટી માં ધોધમાર સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો તથા ખેતરો માં પાણી ભરાયા હતા.છેલ્લા બે દીવસ નાં ભારે કમોસમી વરસાદ ને કારણે ખેડુતો એ વાવેલા પાકને ભારે નુકસાન પંહોચ્યુ છે.કીશાન અગ્રણી કનકસિંહ જાડેજાએ જણાવ્યુ કે વરસાદ ને કારણે મગફળી,કપાસ, તલી અને ડુંગળી નાં વાવેતર બળી જતા નિષ્ફળ ગયા હોય ખેડુત ને રડવાનો સમય આવ્યો છે.રાજ્ય સરકારે કમોસમી વરસાદ ને કારણે પાક બળી ગયા હોય ખેડુતો ને નુકશાની આવી હોય તુરંત વળતર આપવુ જોઈએ. ખેડુત લક્ષી માત્ર વાતો કરતી સરકારે પાક વિમા ની રકમ પણ હજુ ચુકવી નથી.ત્યાં વરસાદ ને કારણે ખેડુત પર નવો બોજ આવ્યો છે.તેમણે રાજ્ય સરકારની તિવ્ર આલોચના કરી છે.
મોટી પાનેલી
ઉપલેટા તાલુકાના મોટી પાનેલી તેમજ આજુબાજુ ના ગામો મૉં સતત બીજે દિવસે પણ કમોસમી વરસાદ આવતા ખેડૂતો ની માઠી દશા બેઠી હોય એવી પોઝિશન ઉભી થયેલ છે ગઈકાલે એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો આજે પણ સાંજે સાત વાગે જોરદાર વીજળીના ગડગડાટ વચ્ચે વરસાદ આવી પડતા સતત દોઢ કલાક થી ચાલુ છે જે બે ઇંચ કરતા વધુ પડેલ છે. ખેડૂતો ના કપાસ મગફળી તુવેર સોયાબીન જેવા મોલ સાથે નીરણ પણ ફેલ ગયેલ હોય કામોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે ખેડૂતોના મોઢે આવેલો કોરિયો છીનવાય ગયેલ છે જગતના તાત ની આવી કફોડી હાલત થી વિસ્તારમાં ખેડૂતો વિલે મોઢે નુકશાની સહન કરી રહ્યા છે આવી પરિસ્થિતિ મૉં ખેડૂતો કોને પોતાની માઠીદશા જણાવે?? એ પણ પ્રશ્ન ઉઠેલો છે.
કોટડાસાંગાણીમાં એક ઈંચ
કોટડાસાંગાણી પંથક માં એકાએક બપોરના સમયે વાતાવરણમાં પલટો આવતા બપોરના 4 વાગ્યે ના સમય માં વરસાદી માહોલ થયેલ એક કલાક માં એક ઈંચ જેવો વરસાદ વરસ્યો હતો અને છેલ્લા 24 કલાક મા બે ઈંચ જેટલો વરસાદ પડેલ છે કમોસમી વરસાદ વરસ્યો ખેડૂતોને મુશ્કેલી મુકાયા મગફળી અને કપાસ સોયાબીન અને મરચાં ડુંગળી જેવા વાવેતર મા ભારે નુકસાની નો સામનો કરવો પડી રહ્યો છે જે ખેડૂતોને પોતાની વાડીમાં મગફળી કાઢી ને વાડીમાં મગફળીના પાથરા કરીને રાખેલ હોય છે અને મગફળી હલરમા કાઢવાની હોય છે તે મગફળી ખેતરોમાં તરકામા સુકાંવામા રાખેલ હોય છે તે મગફળી ઉપર કમોસમી વરસાદ પડવાથી મગફળીના પાથરા વરસાદથી પલરીગયેલ જે ખેડૂતોને કમોસમી વરસાદથી ભારે મુશ્કેલીનો સામનો વહેઠવો પડેલ અને કપાસ મગફળી સોયાબીન અને પાકોમાં કમોસમી વરસાદ પડવાથી પાકોમાં નુકસાની ભીતિ સેવાઈ રહી છે.
કાલાવડ
કાલાવડ તાલુકાના નવાગામ, ધુન ધોરાજી, મોટી વાવડી, માછરડા, જામવાળી સહીતના ગ્રામ્ય પંથકમાં રવિવાર સાંજે વરસાદનું આગમન થયું. વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો. વરસાદ પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો. વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાયા. વરસાદ પડતા ખેડુતોનો તૈયાર થયેલ પાક ધોવાઇ જવાની ભીતી. મગફળી, કપાસ, ડુંગળી, સોયાબીન, તલના પાકમાં નુકસાન થવાની ચિંતામાં વધારો. ખેડૂતોના મોઢામાં આવેલ કોળીયો ઝુંટવાઇ જતા ખેડૂતોના હાલ બેહાલ.
ગુજરાત
દિવાળી પહેલાં ભેટ, મધ્યાહન ભોજનના કરારી સુપરવાઈઝરને 15ને બદલે 25 હજાર પગાર
વધુ 310 જગ્યાઓ પણ કરાર આધારિત ભરવામાં આવશે
દિવાળીના તહેવાર પહેલા સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. મધ્યાહન ભોજનમાં 11 માસના કરાર આધારિત એમડીએમ સુપરવાઈઝરના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. હવે મધ્યાહન ભોજન સુપરવાઈઝરને 15 હજારની જગ્યાએ દર મહિને 25 હજાર રૂૂપિયાનો પગાર મળશે. તહેવારો પહેલા સરકારે આ જાહેરાત કરી છે.
પીએમ પોષણ (મધ્યાહન ભોજન) યોજના હેઠળ તાલુકા કક્ષાએ ફરજ બજાવતા 11 માસના કરાર આધારિત એમડીએમ સુપરવાઈઝરનો મહિને પગાર 15 હજારથી વધારી 25 હજાર રૂૂપિયા કરી દેવામાં આવ્યો છે. આ વધારેલો પગાર નવેમ્બર મહિનાથી મળવા લાગશે.
રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે પીએમ પોષણ (મધ્યાહન ભોજન) એમ.ડી. એમ સુપરવાઈઝરની કુલ 310 જગ્યાઓ ભરવાની મંજૂરી પણ આપવામાં આવી છે. આ જગ્યાઓ 11 મહિનાના કરાર આધારિત ભરવામાં આવશે. નવી ભરતી થયેલા લોકોને પણ દર મહિને 25 હજારનું વેતન મળશે.
ગુજરાત
મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર
વિવિધ સેવાઓ માટે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ એક જ જગ્યાએ ફરિયાદ થઈ શકશે, ફરિયાદ નોંધાવવા જતાં હવે ચાર્જ કપાશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની ફરિયાદ નિવારણ પદ્ધતિ(કોલ સેન્ટર)માં કરવામાં આવેલ આધુનિકરણનું લોન્ચિંગ કાર્યક્રમ આજ તા.16/10/2024, બુધવાર સવારે 10:30 કલાકે અમીન માર્ગ સિવિક સેન્ટર, અમીન માર્ગખાતે યોજાયો.
ભારત સરકારના Ministry of Communication Information Technology“p Department Of Teleco mmunications (DOT દ્વારા ભારતની તમામ મહાનગર પાલિકાઓની વિવિધ સેવાઓ અંગેની ફરિયાદ માટે અલગ અલગ નંબરને બદલે તમામ ફરિયાદની નોંધણી સમગ્ર દેશમાં એક જ કોમન નંબર દ્વારા કરી શકાય તેવી વ્યવસ્થા શરૂૂ કરવામાં આવેલ છે. આ માટે 155304 નંબરનો શોર્ટ કોડ અમલમાં મુકવામાં આવેલ છે. ભારત સરકારની આ યોજનાનો અમલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે. હાલમાં કોલ સેન્ટરના નંબર 0281-2450077 તેમજ ટોલ-ફ્રી નંબર 1800-123-1973ના સ્થાને શોર્ટ કોર્ડ નંબર 155304 પરથી લોકો પોતાની મહાનગરપાલિકાની સેવાઓ અંગેની ફરિયાદો નોંધાવી શકશે આ નંબર 155304ને ઈફયિંલજ્ઞિુ1 નંબર તરીકે જાહેર કરવામાં આવેલ છે આથી તમામ ટેલિકોમ ઓપરેટરોને ફરજીયાતપણે આ સર્વિસ પ્રોવાઈડ કરવાની રહેશે. તેમજ – અન-રીસ્ટ્રીકટેડ સર્વિસ જે જઝઉ ઈજ્ઞમય પર પણ અવેલેબલ થશે.
આ ઉપરાંત કોલ સેન્ટરની હાલની સેવાઓને રાજકોટ મહાનગરપાલિકાના પોતાના ડાર્ક ફાયબર દ્વારા (10 ઞતયિ જઈંઙ કશક્ષય) મહાનગરપાલિકાનાં સેન્ટ્રલ ઝોન સર્વર સાથે કનેક્ટ કરવામાં આવેલ છે. આથી લોકોને રાજકોટ મહાનગરપાલિકાની સેવાઓ અંગેની પોતાની ફરિયાદો નોંધાવવામાં સરળતા રહેશે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ, મોબાઈલ એપ તેમજ વોટ્સએપ ચેટબોટ દ્વારા પણ લોકો પોતાની ફરિયાદો નોંધાવી શકે છે.
આમ, હવેથી મહાનગરપાલિકાની સેવાઓ અંગેની ફરિયાદો લોકો 0281-245007 અને 1800-123-1973 ને બદલે એક જ શોર્ટ કોડ 155304 નંબર ડાયલ કરી, સરળતાથી નોંધાવી શકશે. જો કે, આ નંબર ટોલફ્રી ન હોવાથી નાગરિકોના ફોનમાંથી ચાર્જ કપાશે.
અગાઉના નંબર 0281-245007 અને 1800-123-1973ની સેવા બંધ કરાશે
રાજકોટ મનપા દ્વારા નવો કમ્પ્લેઈન નંબર જાહેર કરાતા અગાઉ ફરિયાદ નોંધાવા માટે વપરાતા નંબર 0281-245007 અને ટોલફ્રી નંબર 1800-123-1973ની જગ્યાએ લોકોએ હવે 155304 નંબર પર ફરિયાદ નોંધાવી પડશે અગાઉના બંને નંબરની જગ્યાએ હવે એક જ નંબર પર રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિભાગની સેવાઓ અંગેની ફરિયાદ નોંધાવી શકાશે.
ગુજરાત
શેઠ હાઇસ્કૂલનું ગ્રાઉન્ડ શરદોત્સવ માટે નહીં મળતા કોંગ્રેસના ધરણાં
આયોજકો તંત્ર સામે લડી લેવાના મૂડમાં: અરજીના 15 દિવસ બાદ પણ જવાબ નહીં મળ્યો હોવાના આક્ષેપ
દર વર્ષની જેમ આ વર્ષે પણ કોઠારીયા કોલોની યુવા ગ્રુપ અને જિલ્લા નારી સુરક્ષા સમિતી દ્વારા શેઠ હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ રાજકોટ મનપા અને હાઇસ્કુલના મેનેજમેન્ટ દ્વારા ગ્રાઉન્ડ બાબતે કોઇ જવાબ નહીં આપતા આયોજકો દ્વારા આજે સાંજે ધરણા કરી અને વિરોધ પ્રદર્શન કરી માતાજીની આરતી કરાશે.
આ અંગે આયોજક ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઇન્દુભા રાઓલ, પૂર્વ સૈનિક નટુભા ઝાલા, નલીનભાઇ ચૌહાણ અને જિલ્લા નારી સુરક્ષા સમિતિના પ્રમુખ હેમાબેન કક્કડ, લીગલ એડવાઇઝર ભાવનાબેન વાઘેલા, સરલાબેન પાટડીયા, પ્રફુલાબેન ચૌહાણે જણાવ્યું હતું કે છેલ્લા 24 વર્ષથી શરદ પૂર્ણિમાએ આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે 15 દિવસ અગાઉ ગ્રાઉન્ડ માટેની અરજી કરવા છતા પણ મહાપાલિકા અને હાઇસ્કુલના મેનેજમેન્ટ દ્વારા મંજુરી માટે કોઇ જાણ કરવામાં આવી નથી. અનેક વખત જાણકારી માંગવા છતા પણ જવાબ આપવામાં આવતો નથી અને અરજીની પ્રક્રીયા કેટલે પહોંચી તે અંગે પણ જણાવવામાં આવતું નથી.
કોર્પોરેશન દ્વારા અર્વાચીન ગરબા માટે ગ્રાઉન્ડ ભાડે આપવામાં આવે છે કોઇ ચોકકસ સમાજને આપો છો ત્યારે અમે લોકો સર્વે સમાજની દિકરીઓ અને બહેનો માટે આયોજન કરીએ છીએ. તેમાં પણ તંત્ર દ્વારા રોડા નાખવામાં આવે છે. આવતીકાલે શરદોત્સવ હોય અમને હજુ સુધી ગ્રાઉન્ડ ફાળવવા બાબતે કોઇ જવાબ આપવામાં આવ્યો નથી જેથી અમારા આયોજન અંગે પણ મુંઝવણ ઉભી થાય છે. છતા પણ અમે આજે સાંજે હાઇસ્કુલ ખાતે તંત્રની તાનાશાહી સામે ધરણા પ્રદર્શન કરવામાં આવશે અને માતાજીની આરતી પણ કરાશે.
વધુમાં આયોજકોએ જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસથી ધક્કા ખાવા છતા પણ મનપા અને હાઇસ્કુલના સતાધીશો દ્વારા કોઇપણ જાતનો જવાબ આપવામાં આવ્યો નથી અને અરજીની પ્રક્રીયા અંગે પણ માહિતી આપવામાં આવતી નહી હોવાથી આ પ્રશ્ન આગામી દિવસોમાં મુખ્યમંત્રી દ્વારા યોજાનાર સ્વાગત કાર્યક્રમમાં મુકવામાં આવશે.
-
ક્રાઇમ2 days ago
ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો
-
આંતરરાષ્ટ્રીય2 days ago
SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા
-
ગુજરાત2 days ago
પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ
-
ગુજરાત2 days ago
આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત
-
આંતરરાષ્ટ્રીય2 days ago
પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ
-
રાષ્ટ્રીય14 hours ago
10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની
-
આંતરરાષ્ટ્રીય2 days ago
ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા
-
ગુજરાત2 days ago
વીજચોરી અંગે તપાસમાં ગયેલા પીજીવીસીએલના કર્મચારી ઉપર છેડતીનો આરોપ મૂકી હુમલો