ગુજરાત
સૌરાષ્ટ્રભરમાં ગણેશોત્સવનો વાજતે ગાજતે ઉત્સાહભેર પ્રારંભ
પૂજા, અર્ચન, આરાધના, મહાઆરતી, સત્યનારાયણની કથા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે
સૌરાષ્ટ્રભરમાં શનિવારથી શરૂ થયેલ ગણેશ ચતુર્થીના પર્વ નિમિતે જુદા જુદા વિસ્તારોમાં ગણેશ સ્થાપના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. આ પ્રસંગે વાજતે ગાજતે વિઘ્નહર્તા દેવને ભાવભરી રીતે સ્થાપિત કરાયા હતાં.ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
ખંભાળિયા
ખંભાળિયાના ધરમપુર ગ્રામ્ય વિસ્તારમાં આવેલી ધી પ્રેસિડેન્ટ સ્કૂલ ખાતે તાજેતરમાં ગણેશ ચતુર્થી નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિઘ્નહર્તા દેવના જન્મ પર્વ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓને બાલગણેશ બનાવી, તેમની પૂજા, અર્ચના, આરાધના તેમજ મહા આરતી કરવામાં આવી હતી. બાલગણેશ બનેલા આ વિદ્યાર્થી બાળક સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જેમાં સ્તુતિ સાથે ગણપતિ બાપ્પા મોરિયાના ગગનભેદી નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ખંભાળિયાના રહેણાંક વિસ્તારો રામનાથ સોસાયટી, નવાપરા, જૂની લોહાણા મહાજન વાડી – જલારામ ચોક, બેઠક રોડ, ઉપરાંત ઝવેરી બજાર, લુહારશાળ વિગેરે સ્થળોએ ગણેશ પંડાલોમાં આકર્ષક રોશની તેમજ સંગીતમય વાતાવરણ વચ્ચે જુદા જુદા કાર્યક્રમો શ્રીનાથજીની ઝાંખી, અન્નકૂટ દર્શન, વિગેરે માટે ગણેશ ભક્તોની ટીમ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
આકોલવાડી
ગણેશ ચતુર્થી ના દિવસે ગીર સોમનાથ જિલ્લાના આંકોલવાડી ખાતે આવેલ તપોવન વિદ્યા સંકુલ આકોલવાડી શાળામાં ગણપતિ બાપા ની સ્થાપના કરવામાં આવેલી જેમાં ધોરણ એલ કે જે થી ધોરણ 12 સુધીના બાળકોએ અબીલ ગુલાલ અને ગણપતિ બાપા મોરિયા ઘી ને લાડુ ચોરીયા ના નારા સાથે ગણપતિ બાપા ની પૂજા કરી સ્થાપના કરવામાં આવેલી હતી.
ફલ્લા
જામનગર તાલુકાના ફલ્લા ગામે દુંદાળા દેવ ગણપતિજીનીવાજતે ગાજતે સ્થાપના કરવામાં આવી હતી. વેપારી ભાવેશભાઈ ધમસાણિયાના પરિવાર દ્વારા રામ મંદિરચોકમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. દરરોજ આરતી સત્સંગ રાસગરબા સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
કેશોદ
કેશોદ શહેર અને તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં આજે ગણેશ ચતુર્થી થી રિધ્ધિ સિધ્ધિ ના દાતા ગજાનન ગણપતિ દાદાની આકર્ષક કલાત્મક મૂર્તિઓ વાજતેગાજતે ઉત્સાહભેર લઈ વિવિધ વિસ્તારોમાં સ્થાપના કરવામાં આવી છે. કેશોદ શહેરના વિવિધ વિસ્તારોમાં યુવક મંડળ યુવક મંડળ સત્સંગ મંડળ સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા દશ દિવસ સુધી ગણપતિની સ્થાપના કરી આસ્થાભેર પુજા અર્ચના કરી રાત્રે મહાઆરતી ઉપરાંત વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવેલ છે.
વેરાવળ
ગણેશ ચર્તુથીના પાવન દિવસે યાત્રાઘામ નગરી વેરાવળ-સોમનાથ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં અનેક સંસ્થા, મંડળો દ્વારા અંદાજે 350 જેટલા સ્થળોએ એક થી છ ફૂટ સુઘીના વિધ્નહર્તા ગણપતિજીની મૂતિઓની આસ્થા-ભેર સ્થાપન કરવામાં આવેલ છે. યાત્રાધામ નગરી વેરાવળ-સોમનાથ શહેરમાં શારદા સોસાયટીમાં સતિમાં ગ્રૃપ, ગણેશ મીત્ર મંડળ, તપેશ્વર મીત્ર મંડળ, મહારાષ્ટ્રીયન સમાજ, કાશી વિશ્વનાથ મંદિર, અટલ સ્પોટર્સ કોમ્પલેક્ષમાં અષ્ટવિનાયક તેમજ સોમનાથમાં રામરાખ ચોક સહીત બન્ને શહેરોના જુદા-જુદા વિસ્તારોમાં અંદાજે 350 થી વઘુ સ્થળોએ એકથી લઇને ચાર ફૂટ સુઘીની વિધ્નહર્તા ગણપતિજીની મૂર્તીઓની આસ્થાભેર સ્થાપના કરવામાં આવેલ છે.
ધોરાજી
ધોરાજી શહેરામા સહયોગ ગ્રુપ કા રાજા દ્વારા ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ સ્થાપના કરવામાં આવેલ જેમાં ગણેશ મહોત્સવ લઇને ભક્તોમા અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહયો છે ગણેશ ચતુર્થીના દિવસે ધોરાજીના વિવિધ સ્થળોએ ભગવાન ગણપતિની સ્થાપના કરવામાં આવીલછે. ત્યારે આજરોજ સહયોગ ગ્રુપ કા રાજા ગ્રુપ દ્વારા ગણેશજી ની મહાઆરતી કરવામાં આવેલ જેમાં આમંત્રણ અને માન આપીને ખાસ પધારેલ પૂર્વ સાંસદ સભ્ય રમેશભાઈ ધડુક દ્વારા મહા આરતી કરવામાં આવેલ આ ગણેશ મહોત્સવમાં ભક્તો દ્રારા દરરોજ સવાર સાંજ આરતી, પૂજન, પ્રસાદ સાથે આરાધના કરવામાં આવેછે તેમજ રોજ રાત્રે અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવે જેમા રાસગરબા.રામધુન. સત્યનારાયણ કથા.જેવા અનેક કાર્યક્રમો યોજવામા આવે છે.
નવાગામ
કાલાવડ તાલુકાના નવાગામ ખાતે યુવા ગ્રુપ દ્વારા પ્રતિવર્ષ મુજબ આ વખતે પણ ગણેશ મહોત્સવની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં પ્રતિદિન ગણપતિ દાદાની મહા આરતી આયોજન કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને અમારા યુવા પ્રેસ પ્રતિનિધિ હર્ષલ ખંધેડિયાએ સાથેની ટેલિફોનીક વાતચીતમાં યુવા ગ્રુપ દ્વારા જણાવ્યું કે, 11 તારીખને બુધવારે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન તેમજ ગણપતિ બાપાને છપ્પનભોગનો થાળ ધરવામાં આવશે. ત્યારે સમગ્ર ધર્મપ્રેમી જનતાને મહોત્સવમાં જોડાવવાનું આહવાન કરાયું છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન નવાગામ યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવેલ.
સાવરકુંડલા
ગણેશ ચતુર્થી ના પવિત્ર દિવસ નિમિત્તે સાવરકુંડલામાં સદભાવના ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભા યાત્રા નીકળી હતી જેમાં 51 દીકરીઓની કળશ યાત્રા,51 ફોરવીલ સાથે નાસીક ઢોલ અને ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. બપોરના 4:00 કલાકે આ શોભાયાત્રા નીકળી હતી જે દેવળા ગેઇટ ગાંધી ચોક મેઈન બજારથી નદી બજાર મણીભાઈ ચોક થી જે.વી.મોદી હાઇસ્કૂલ પાછળ નું મેદાન ખાતે શોભાયાત્રા પૂર્ણ થઈ હતી. લોકો એ ભાવ ઉત્સાહથી આ શોભાયાત્રામાં જોડાયા હતા અને વિઘ્નહર્તા ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ