Sports
ધોનીથી લઇને સચિન સુધીના ક્રિકેટરો આર્મી અને પોલીસમાં આપે છે વિશેષ સેવા
આર્મી, નેવી, એરફોર્સ અને પોલીસમાં ઉચ્ચ રેન્કથી પદવી આપવામાં આવે છે
ભારતીય ક્રિકેટમાં પોતાના અમૂલ્ય યોગદાનના કારણે કેટલાક ભારતીય ક્રિકેટરોને દેશના ભારતીય સશસ્ત્ર દળો એટલે કે આર્મી, નેવી, એરફોર્સ અને પોલીસમાં ઉચ્ચ રેન્કની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ક્રિકેટરોને ક્રિકેટ ફિલ્ડની સાથે આ સશસ્ત્ર દળોમાં પણ સેવા આપવાનો મોકો મળ્યો છે. આ લિસ્ટમાં ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર અને એમએસ ધોનીના નામ પણ સામેલ છે. આ સિવાય બીજા કયા ક્રિકેટરો છે જેમને સશસ્ત્ર દળોમાં સેવા કારવાનો મોકો મળ્યો છે.
મોહમ્મદ સિરાજ : ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ ટી20 વર્લ્ડ કપ 2024ની વિજેતા ટીમ ઈન્ડિયાની ભાગ હતો અને ત્રણ મેચમાં રમ્યો હતો. આ ચેમ્પિયન ટીમમાં તેલંગાણાનો તે એકમાત્ર ક્રિકેટર હતો. જેથી મોહમ્મદ સિરાજને તેલંગાણા સરકારે ડીએસપી તરીકે નિયુક્ત કરી તેનું સન્માન કર્યું છે.
જોગીન્દર શર્મા : ટી20 વર્લ્ડ કપ 2007માં ફાઈનલમાં પાકિસ્તાન સામે અંતિમ ઓવરમાં વિકેટ લઈ ભારતને ચેમ્પિયન બનાવનાર જોગીન્દર શર્મા ઓક્ટોબર 2007માં હરિયાણા પોલીસમાં જોડાયા હતા. રિટાયરમેન્ટ બાદ હાલમાં હરિયાણા પોલીસમાં ડીએસપીની પોસ્ટ પર છે.
હરભજન સિંહ : ટર્બનેટર તરીકે ફેમસ ભારતના પૂર્વ દિગ્ગજ સ્પિનર હરભજન સિંહ પણ જોગીન્દર શર્માની જેમ જ પંજાબ પોલીસમાં ડીએસપી તરીકે નિયુક્ત છે.
કપિલ દેવ : 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન અને ભારતના મહાન ક્રિકેટર કપિલ દેવ ઈન્ડિયન આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલ પદ પર છે.
એમએસ ધોની : 2007 ટી-20 વર્લ્ડ કપ અને 2011 ઓડીઆઇ વર્લ્ડ કપ વિજેતા મહાન કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની આર્મીમાં પેરાશૂટ રેજિમેન્ટમાં લેફ્ટનન્ટ કર્નલના માનદ રેન્કથી સન્માનિત છે.
સચિન તેંડુલકર : ક્રિકેટના ભગવાન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ભારતીય વાયુસેનામાં ગ્રુપ કેપ્ટન પદ પર છે. ક્રિકેટમાં તેમના સર્વોચ્ચ યોગદાન બદલ સચિન તેંડુલકરને ઈન્ડિયન એરફોર્સ દ્વારા આ વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું.
Sports
ફૂટબોલ સ્ટાર એમબાપ્પે પર બળાત્કારનો આરોપ
રમતગમત જગતમાં અચાનક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સ્ટાર ફૂટબોલર કૈલિયન એમબાપ્પે એક મોટા વિવાદમાં આવી ગયો છે. તેના પર હોટલમાં બળાત્કારનો આરોપ છે. જો કે, દિગ્ગજ ખેલાડીએ આ મામલે પોતાનું મૌન તોડ્યું અને તેને નકલી ગણાવ્યું. પરંતુ બીજી તરફ પોલીસે ઝડપી તપાસ શરૂૂ કરી છે.
એક અખબારના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તેના પર બળાત્કારનો આરોપ છે. હાલમાં પોલીસ તેમની તપાસ કરી રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું. પરંતુ ખબફાાય એ આ સમાચારની નિંદા કરી અને તેને નકલી ગણાવ્યો. અખબારે અહેવાલ આપ્યો છે કે સ્વીડિશ પોલીસ બેંક હોટેલમાં કથિત બળાત્કારની ઘટનાની તપાસ કરી રહી છે, જ્યાં ખબફાાય અને તેના સાથીઓ એક રાત રોકાયા હતા. ખબફાાય એ આ મુદ્દા પર પોતાનું મૌન તોડ્યું છે, અને દાવો કર્યો છે કે તે તેની છબી અને પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો પ્રયાસ છે, તે પણ બાકી પગાર અંગેની સુનાવણી પહેલા. તે જ સમયે, તેમની ટીમે દાવો કર્યો છે કે સત્ય બહાર લાવવા અને ફ્રેન્ચ ફોરવર્ડની છબી સુધારવા માટે તમામ કાયદાકીય પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત, ધ સનના અહેવાલ મુજબ, ટીમે ડાંકેની ઈજા પર પણ કહ્યું કે તેના પર લાગેલા આરોપો સંપૂર્ણપણે ખોટા અને બે જવાબદાર છે.
Sports
રોહિત શર્માને સામેલ કરવા RCBએ 20 કરોડ ખર્ચવા પડે: રવિચંદ્રન અશ્ર્વિન
આઈપીએલ 2025 પહેલા મેગા ઓકશન થવાનુ છે. બીસીસીઆઈએ રિટેન્શનના નિયમો પણ જાહેર કર્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ મહિનાના અંતે રિટેન કરવામાં આવનારા ખેલાડીઓના નામો જાહેર કરવામાં આવશે. દરેક ટીમને વધુમાં વધુ 6 ખેલાડીઓ રિટેન કરવાનો અધિકાર મળ્યો છે. આ સ્થિતિમાં, મુંબઈ ઇન્ડિયન્સને 5 ખિતાબ જીતાવી ચૂકેલા કેપ્ટન રોહિત શર્મા આગામી સીઝનમાં આ ટીમ સાથે રહેશે કે નહિ, આ સૌથી મોટો પ્રશ્ન છે.
રોહિત શર્મા જો રિલીઝ થાય છે તો તેઓ ઓકશનમાં જોવા મળશે. કેટલાક રિપોર્ટ્સ અનુસાર, જો રોહિત ઓકશનમાં આવે છે, તો પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર તેમના પર મોટી બોલી લગાવી શકે છે. આ બંને ટીમોને ઓકશનમાં નવા કેપ્ટનની શોધ રહેવાની છે. આ સ્થિતિમાં, રવિચન્દ્રન અશ્વિનએ તેમના યુટ્યૂબ ચેનલ પર આ મુદ્દે નિવેદન આપ્યું.
એક ફેનએ અશ્વિનને તેમના યુટ્યૂબ ચેનલ પર વિરાટ કોહલી અને રોહિત શર્માની એક જ ટીમમાં રમવાની સંભાવના બાબતે પૂછ્યું હતું. તેના જવાબમાં અશ્વિનએ કહ્યું કે છઈઇને જો રોહિતને તેમની ટીમમાં સામેલ કરવા હોય, તો 20 કરોડ રૂૂપિયા ખર્ચવા પડશે. રવિચન્દ્રન અશ્વિનએ કહ્યું, જો તમે રોહિત શર્મા ઇચ્છી રહ્યા છો, તો 20 કરોડ રાખવાની જરૂૂર પડશે.
રોહિત શર્માએ પોતાના ઈંઙક કરિયરની શરૂૂઆત ડેક્કન ચાર્જર્સ સાથે કરી હતી. ત્યારબાદ તેઓ 2011માં મુંબઈ ઇન્ડિયન્સમાં જોડાયા. ત્યાર બાદ, મુંબઈ ઇન્ડિયન્સે રોહિતને 2013માં કેપ્ટન બનાવ્યા. તેમણે પહેલી જ સીઝનમાં મુંબઈને ચેમ્પિયન બનાવવામાં સફળતા મેળવી. ત્યાર બાદ તેમણે 2015, 2017, 2019 અને 2020માં પણ મુંબઈને ઈંઙકમાં ચેમ્પિયન બનાવ્યું. પરંતુ છેલ્લીસીઝનમાં તેમને કેપ્ટનની ભૂમિકા પરથી હટાવવામાં આવ્યા હતા. મુંબઈની ટીમે રોહિતની જગ્યા પર ઇંફમિશસ ઙફક્ષમુફને ટીમની કમાન સોંપી હતી.
Sports
મેન્સ T20 ઇમર્જિંગ ટીમ એશિયા કપનું નેતૃત્વ કરશે તિલક વર્મા
ક્રિકેટ બોર્ડે ઓમાનમાં આયોજિત મેન્સ T20 ઇમર્જિંગ ટીમ એશિયા કપ માટે ભારત અ ટીમની જાહેરાત કરી છે. વન-ડે અને ટેસ્ટ-કેપ્ટન રોહિત શર્માના નજીકના અને મુંબઈ ઇન્ડિયન્સના પ્લેયર તિલક વર્માને અ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
યુવા ઓપનર અભિષેક શર્મા સતત બીજી વાર આ ટુર્નામેન્ટ રમશે. છેલ્લી વખત ભારત યશ ધુલની કપ્તાનીમાં આ ટુર્નામેન્ટમાં રમ્યું હતું, જ્યાં ફાઇનલમાં પાકિસ્તાન સામે હાર્યું હતું.
18થી 27 ઑક્ટોબર વચ્ચે આયોજિત આ ટુર્નામેન્ટમાં 8 ટીમ રમશે. ઇમર્જિંગ એશિયા કપ એશિયાના યુવા અને વિકાસશીલ ખેલાડીઓ માટેની ક્રિકેટ ટુર્નામેન્ટ છે. એનું આયોજન એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા કરવામાં આવે છે.
-
આંતરરાષ્ટ્રીય2 days ago
SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા
-
ક્રાઇમ2 days ago
ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો
-
આંતરરાષ્ટ્રીય2 days ago
પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ
-
રાષ્ટ્રીય16 hours ago
10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની
-
ગુજરાત2 days ago
પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા
-
ગુજરાત2 days ago
આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત
-
આંતરરાષ્ટ્રીય16 hours ago
નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ