ઈરાનમાં બંધક બનાવાયેલા ચાર ગુજરાતીઓ અંતે હેમખેમ પરત

નગ્ન કરી બેફામ માર માર્યાનો વીડિયો મોકલી ખંડણી માંગી હતી, માણસાના ધારાસભ્યે અમિત શાહને જાણ કરતાં અંતે મુક્તિ મળી આંખ ખોલતી ઘટનાઓ, છેતરપીંડી, રસ્તામા મોત,…

નગ્ન કરી બેફામ માર માર્યાનો વીડિયો મોકલી ખંડણી માંગી હતી, માણસાના ધારાસભ્યે અમિત શાહને જાણ કરતાં અંતે મુક્તિ મળી

આંખ ખોલતી ઘટનાઓ, છેતરપીંડી, રસ્તામા મોત, અપહરણની ઘટનાઓ… આટઆટલા કિસ્સાઓ છતાં ગુજરાતીઓનો વિદેશ જવાનો મોહ ઘટતો નથી. આ લાલચ તેમને ક્યારેક મોત સુધી લઈ જાય છે, તો ક્યારેક મોત બતાવીને પરત લઈ આવે છે. માણસાના ચાર લોકોને ડંકી રુટથી ઓસ્ટ્રેલિયા લઈ જવાની લાલચમાં ઈરાનમાં અપહરણ કરાવીને માર મરાયા હતા. આ આખી ઘટનામાં ત્રણ ગુજરાતી પુરુષો પર જે રીતે અમાનવીય અત્યાચાર કરાયો હતો. આ તમામ લોકો અંતે હેમખેમ ઘરે પહોંચી ગયા છે.

ગાંધીનગરના માણસાના બાપુપુરા ગામના લોકોને બંધક બનાવવાનો મામલામાં આખરે ઈરાનમાં બંધક બનેલા લોકોનો છુટકારો થયો છે. બાપુપુરા ગામના સરપંચ પ્રકાશ ચૌધરીએ આ માહિતી આપી છે. બંધક બનેલા લોકો ભારત પહોંચી અમદાવાદ પણ આવી ગયા છે. સરકારની મદદથી બંધકોને છૂટકારો થયાનું બાપુપુરા ગામના સરપંચે જણાવ્યું. એરપોર્ટ આવ્યા બાદ તમામ લોકોની ઘટના સંબધે પૂછપરછ થઇ શકે છે.

એક અહેવાલ મુજબ, માણસાના બાપુપુરા અને બડપુરા ગામોના આ ચાર ગુજરાતીઓને પહેલા દિલ્હી, ત્યાંથી બેંગકોક અને દુબઈ અને પછી તેહરાન લઈ જવામાં આવ્યા હતા. ઈરાન પહોંચ્યા પછી, તેમને ટેક્સીમાં બેસાડીને અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને બંધક બનાવવામાં આવ્યા હતા.

ઈરાનમાં આ ગુજરાતીઓને ક્રૂર ત્રાસ આપવામાં આવ્યો હતો. બે કથિત વિડીયો ક્લિપ્સ પણ સામે આવી છે, જેમાં બે યુવાનોને નગ્ન કરીને માર મારવામાં આવતા દર્શાવવામાં આવ્યા છે. ઈરાનમાં સામે આવેલા ત્રાસના વિડીયોમાં, બે યુવાનોને હાથ અને પગ બાંધીને માર મારવામાં આવતા જોવા મળે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો પીડિતાના એજન્ટ અને તેના પરિવારને મોકલવામાં આવ્યો હતો, તેમની પાસેથી ખંડણી માંગવામાં આવી હતી. જેમને માર મારવામાં આવી રહ્યો છે તેમને અપહરણકારોની માંગણીઓનું પાલન કરવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે.

તેઓ કહે છે કે તેઓ હવે તે સહન કરી શકતા નથી. આ બે વિડીયો ઉપરાંત, અપહરણકારોએ એક દંપતીનો ફોટો પણ ફરતો કર્યો છે જેમાં તેમના હાથ બાંધેલા અને મોં બંધાયેલા છે. માનસાના ધારાસભ્ય જયંતિ પટેલે 26 ઓક્ટોબરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખીને ઈરાનથી અપહરણ કરાયેલા ગુજરાતીઓને સુરક્ષિત પરત લાવવાની વિનંતી કરી હતી. આ ચાર ગુજરાતીઓ 19 ઓક્ટોબરના રોજ અમીરાતની ફ્લાઇટમાં ભારતથી નીકળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *