રાષ્ટ્રીય
એક્સાઇઝ કર્યા બાદ ભૂલથી પણ ન કરો આવી ભૂલો, સ્વાસ્થ્યને થશે ગંભીર નુકસાન
કેટલાક લોકો ફિટનેસ પ્રત્યે ઉત્સાહી હોય છે. જ્યારે કેટલાક લોકો માત્ર ફિટ રહેવા માટે વર્કઆઉટ કરે છે. આ સિવાય લોકો વજન ઘટાડવા માટે અમુક સમય માટે વર્કઆઉટ કરે છે. વર્કઆઉટ કરવા પાછળનું કારણ ગમે તે હોય, જો તમે હમણાં જ એક્સરસાઇઝ કરવાનું શરૂ કર્યું છે, તો જાણી લો કે વર્કઆઉટ કર્યા પછી પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
વ્યાયામ તમને સ્વસ્થ અને ફિટ રાખવામાં મદદ કરે છે. જો તમે સવારની શરૂઆત માત્ર હળવી શારીરિક પ્રવૃત્તિથી કરો છો, તો તે તમને વધુ ફિટ અનુભવશે. હમણાં માટે, ચાલો જાણીએ કે કસરત કર્યા પછી તરત જ શું ન કરવું જોઈએ.
તરત જ પાણી પીવો
વ્યાયામ કર્યા પછી, શરીરમાંથી ઘણો પરસેવો નીકળે છે, આવી સ્થિતિમાં, વર્કઆઉટ કર્યા પછી, વ્યક્તિને તીવ્ર તરસ લાગે છે અને લોકો એક સાથે ઘણું પાણી પીવે છે, પરંતુ આ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જો તમે વ્યાયામ કરી રહ્યા હોવ અથવા તે પછી તમારે પાણી પીવું હોય તો પહેલા આરામથી બેસો અને ઊંડો શ્વાસ લો અને પછી આરામ કરો. આ પછી થોડું-થોડું પાણી પીવું.
વર્કઆઉટ પછી તરત જ સ્નાન કરો
જો તમે પણ એવા લોકોમાંથી એક છો જે વર્કઆઉટ કર્યા પછી તરત જ સ્નાન કરે છે, તો જાણી લો કે તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. જો તમે વર્કઆઉટ અથવા કોઈ ભારે શારીરિક પ્રવૃત્તિ કરી હોય, તો તમારે ઓછામાં ઓછા અડધા કલાક પછી જ સ્નાન કરવું જોઈએ જ્યારે શરીર સંપૂર્ણપણે આરામ કરે.
ભારે ખોરાક ન ખાવો
જો તમે વર્કઆઉટ કર્યું હોય, તો તરત જ ભારે ખોરાક ખાવાનું ટાળો. આ સાથે, ઓછામાં ઓછા 30-35 મિનિટ વર્કઆઉટ કર્યા પછી જ કોઈપણ ભોજન અથવા નાસ્તો કરવાનો પ્રયાસ કરો. આ સિવાય જો તમે ભારે વર્કઆઉટ કર્યા પછી આવ્યા છો, તો આ પછી બીજી કોઈ પ્રવૃત્તિ ન કરો જેનાથી શરીર પર વધુ દબાણ આવે. આ તમારા સ્નાયુઓમાં તાણ પેદા કરી શકે છે.
રાષ્ટ્રીય
લિકર કેસમાં સીબીઆઇ, ઇડી પાસે પુરાવા જ નથી?
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કથિત એક્સાઈઝ કૌભાંડમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન લઈને જેલની બહાર આવ્યા પછી મુખ્ય મંત્રીપદ છોડવાની જાહેરાત કરી તેની ચોતરફ ચર્ચા છે. કેજરીવાલે કોઈને કલ્પના ના આવે એવો રાજકીય દાવ રમી નાખ્યો તેથી આ ચર્ચા સ્વાભાવિક છે પણ તેના કારણે એક મહત્ત્વનો મુદ્દો બાજુ પર રહી ગયો છે. આ મુદ્દો લિકર કેસમાં કેજરીવાલને જામીન મળ્યા તેના સૂચિતાર્થ છે.
કેજરીવાલને જામીન આપતી વખતે સુપ્રીમ કોર્ટે આડકતરી રીતે લિકર કૌભાંડ રાજકીય રીતે ઊભું કરાયેલું તિકડમ છે એવું કહી દીધું છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઈને રાજકીય ઈશારે વર્તવાના બદલે ન્યાયી રીતે વર્તવાનું કહ્યું, પાંજરામાં પુરાયેલા પોપટ તરીકેની તેની ઈમેજ બદલવા કહ્યું તેના પરથી સ્પષ્ટ છે કે, સુપ્રીમ કોર્ટ પણ લિકર કેસમાં ચાલી રહેલા ચલકચલાણાથી કંટાળી છે ને તેને પણ ખબર પડી ગઈ છે કે, આ તલમાં તેલ નથી.
સીબીઆઈએ 9 આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમાંથી અમનદીપ સિવાયના બાકીના 8ને જામીન મળી ગયા છે. ટૂંકમાં અમનદીપ સિવાયના બાકીના આરોપીઓ બહાર આવી ગયા છે. આ સંજોગોમાં માત્ર અમનદીપને જેલમાં રાખવાનો અર્થ નથી. સીબીઆઈ અને ઈડીએ કેજરીવાલ ઉપરાંત મનિષ સિસોદિયા, સંજયસિંહ અને કે. કવિતા એમ ચાર ટોચના નેતાઓની ધરપકડ કરી હતી. હવે આ ચારેય જેલની બહાર છે ને સીબીઆઈ કે ઈડી નવું કશું લાવી શક્યાં નથી એ જોતાં આ કેસ ડેડ એન્ડ પર આવીને ઊભો રહી ગયો છે.
આ સ્થિતિ એટલા માટે સર્જાઈ કે, ઈડી અને સીબીઆઈ બંનેએ પહેલા દિવસથી કોઈ પણ પ્રકારના નક્કર પુરાવા વિના એવો કેસ ઊભો કરી દીધો કે જેનો ઉદ્દેશ ભાજપના રાજકીય ફાયદો કરાવવાનો હતો. ભાજપ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલને સીધા જંગમાં પછાડી શકે તેમ નથી એટલે લેફ્ટનન્ટ ગવર્નર અને બીજા અધિકારીઓને હાથો બનાવીને કેજરીવાલ સરકારને પરેશાન કર્યા કરે છે. લિકર કેસના બહાને ભાજપ એક કદમ આગળ વધ્યો. મોદી સરકારે કેજરીવાલ સરકારે બનાવેલી એક નીતિને આધાર બનાવીને ભ્રષ્ટાચારનો કેસ તો કરી દીધો પણ ભ્રષ્ટાચાર થયો હોવાનું સાબિત ના કરી શક્યા.
સીબીઆઈ અને ઈડીનો કેસ એકદમ ખોખલો હતો. આખો કેસ ભાજપના નેતાઓના આક્ષેપોને આધારે ઊભો કરાયો અને તેના આધારે ધરપકડ કર્યા પછી ધરપકડ કરાયેલા ત્રણ આરોપીને સરકારી સાક્ષી બનાવીને આમ આદમી પાર્ટીના નેતાઓ તથા કે. કવિતાને અંદર કરી દેવાયાં. ઓરોબિંદો ફાર્માના ડિરેક્ટર પી સરથચંદ્ર રેડ્ડી, ટીડીપીના લોકસભાના સભ્ય મગુંતા શ્રીનિવાસુલુ રેડ્ડીના પુત્ર રાઘવ મગુંતા અને બિઝનેસમેન દિનેશ અરોરા એ ત્રણ સરકરી સાક્ષી બની ગયેલા આરોપીઓનાં નિવેદનોને બાદ કરતાં સીબીઆઈ અને ઈડી પાસે કોઈ પુરાવા જ નથી. આ કેસમાં ઈડીએ દાખલ કરેલી ચાર્જશીટ જોશો તો આ વાત સમજાશે.
આ કેસમાં અરવિંદ કેજરીવાલને એટલે આરોપી બનાવાયા કે, આમ આદમી પાર્ટીના સંરક્ષક હોવાથી અરવિંદ કેજરીવાલ પાર્ટી દ્વારા કરવામાં આવતા દરેક કાર્ય માટે જવાબદાર છે. આમ આદમી પાર્ટી આ કૌભાંડ અને અપરાધમાંથી મળેલી આવકની મુખ્ય લાભાર્થી છે એવો દાવો છે પણ પહેલાં આમ આદમી પાર્ટીએ કોઈ અપરાધ કર્યો છે એવું તો સાબિત કરવું પડે કે નહીં ?
રાષ્ટ્રીય
WHOની ચેતવણીની ઐસીતૈસી, ભારતીયો બેફામ ઝાપટે છે સફેદ ઝેર
શહેરમાં બેમાંથી એક વ્યક્તિ દર અઠવાડીયે મીઠાઇ-પેકેજ્ડ બેકરી પ્રોડક્ટ્સ-ચોકલેટ આરોગી જાય છે
WHOએ થોડા દિવસો પહેલા એક રિપોર્ટ જારી કર્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે ખાંડ હોય કે મીઠું, તેમાં માઈક્રોપ્લાસ્ટિક હોય છે. આપણે તેનું વધારે સેવન ન કરવું જોઈએ કારણ કે તે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. પરંતુ તાજેતરમાં ભારતીયો વિશે એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીયો ઘણી વધારે ખાંડ ખાય છે અને તેમની મીઠાઈ ખાવાની આદત દિવસેને દિવસે વધી રહી છે. તેમાં કોઈપણ પ્રકારનો ઘટાડો થયો નથી.
તાજેતરમાં એક સર્વેક્ષણ કરવામાં આવ્યું છે જેમાં જાણવા મળ્યું કે શહેરમાં રહેતા લોકોમાં 2 માંથી 1 ગ્રાહક દર અઠવાડિયે મીઠાઈ, પેકેજ્ડ બેકરી પ્રોડક્ટ્સ, ચોકલેટ, બિસ્કિટ ખાય છે. એટલું જ નહીં, મહિનામાં કેટલીય વાર પરંપરાગત મીઠાઈ ખાતા શહેરી ભારતીય પરિવારોનું પ્રમાણ 2023માં 41%થી વધીને 2024માં 51% થઈ ગયું છે. 56% શહેરી ભારતીય પરિવારો મહિનામાં 3 કે તેથી વધુ વખત કેક, બિસ્કિટ, આઈસક્રીમ, શેક, ચોકલેટ, કેન્ડી વગેરે ખાય છે.
18% ભારતીયો એવા છે જે દરરોજ આ ખાય છે. તહેવારોની સીઝન જલદી જ શરૂૂ થવાની છે, આવા સમયે ઓછી ખાંડવાળા વેરિયન્ટ લાવનારા બ્રાન્ડની સ્થિતિ વધુ સારી થઈ શકે છે.ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ અનુસાર, જ્યારે ખાંડના વપરાશની વાત આવે છે, ત્યારે ભારતમાં તેમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે, જે દેશમાં દર વર્ષે વધતી માંગનો સંકેત છે. ડીએફપીડીએ કહ્યું છે કે ભારતમાં વાર્ષિક ખાંડનો વપરાશ લગભગ 290 લાખ (29 મિલિયન) ટન (કખઝ) સુધી પહોંચી ગયો છે. વર્ષ 2019-20થી ખાંડના વપરાશનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે, જ્યારે તે 28 મિલિયન મેટ્રિક ટનથી વધુ હતું. જ્યારે દેશમાં ખાંડનો કુલ વપરાશ વધી રહ્યો છે, ત્યારે ખાંડ મુક્ત ઉત્પાદનોની માંગને પૂરી કરતું બજાર પણ વધી રહ્યું છે, ખાસ કરીને ભારતીય મીઠાઈઓ અને આઈસક્રીમમાં ખાંડનો વપરાશ ઘણો વધ્યો છે. કેટલાક ખાંડ વગરના વેરિયન્ટ પણ બજારમાં લાવવામાં આવ્યા છે.
ઘણા ફૂડ આઇટમ બ્રાન્ડ્સ લોન્ચ કરવામાં આવ્યા છે જ્યાં ખજૂર, અંજીર અને ગોળની કુદરતી ખાંડનો ઉપયોગ મીઠાશ તરીકે કરવામાં આવે છે. જો કે, એક ક્ષેત્ર જેના પર મોટાભાગના બ્રાન્ડ્સે ધ્યાન આપ્યું નથી, તે છે તેમના નિયમિત ઉત્પાદનોનું ઓછી ખાંડવાળું સંસ્કરણ રજૂ કરવું. નવેમ્બર 2023માં લોકલસર્કલ્સ દ્વારા ભારતમાં મીઠાઈઓનું સેવન કેવી રીતે કરવામાં આવે છે તે વિષય પર કરવામાં આવેલા સર્વેક્ષણ બાદ સેંકડો પોસ્ટ અને ટિપ્પણીઓ પ્રાપ્ત થયા બાદ, ગ્રાહકોએ લખ્યું કે કેવી રીતે પરંપરાગત મીઠાઈઓ, ચોકલેટ, કુકીઝ, બેકરી ઉત્પાદનો અને આઈસક્રીમ જેવા ઘણા ઉત્પાદનોમાં તેમને સતત ખાંડનું સ્તર અપેક્ષા કરતાં વધારે મળે છે.
ભોજન પછી કંઈક મીઠું ખાવું મોટાભાગના પરિવારોમાં અસામાન્ય વાત નથી, જ્યાં સુધી સ્વાસ્થ્યની સ્થિતિ તેની મંજૂરી ન આપે. સર્વેક્ષણમાં સૌ પ્રથમ ગ્રાહકોને પૂછવામાં આવ્યું, સામાન્ય રીતે તમે/તમારા પરિવારના સભ્યો દર મહિને કેટલી વાર પરંપરાગત ભારતીય મીઠાઈઓ ખાઓ છો? આ પ્રશ્ન પર 12,248 જવાબો મળ્યા, જેમાંથી માત્ર 10% એ જણાવ્યું કે તેઓ દરરોજ પરંપરાગત ભારતીય મીઠાઈઓ ખાય છે. 6% ઉત્તરદાતાઓએ જણાવ્યું કે દર મહિને 15 30 વખત; 8% ઉત્તરદાતાઓએ જણાવ્યું કે નસ્ત્રમહિનામાં 8-15 વખત; 27% ઉત્તરદાતાઓએ જણાવ્યું કે નસ્ત્રમહિનામાં 3-7 વખતસ્ત્રસ્ત્ર; અને 39% એ જણાવ્યું કે નસ્ત્રમહિનામાં 1-2 વખતસ્ત્રસ્ત્ર. માત્ર 4% ઉત્તરદાતાઓએ કહ્યું કે આ પ્રશ્ન લાગુ પડતો નથી કારણ કે તેઓ પરંપરાગત ભારતીય મીઠાઈઓ ખાતા નથી જ્યારે 6% ઉત્તરદાતાઓએ કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહીં. ટૂંકમાં, 51% શહેરી ભારતીય પરિવારો મહિનામાં 3 કે તેથી વધુ વખત પરંપરાગત ભારતીય મીઠાઈઓ ખાય છે.
51% શહેરી ભારતીય પરિવારો મહિનામાં 3 કે તેથી વધુ વખત પરંપરાગત ભારતીય મીઠાઈઓ ખાય છે. સર્વેક્ષણમાં એ વાત સામે આવી છે કે પરંપરાગત મીઠાઈઓનું સેવન કરતા શહેરી ભારતીય પરિવારોનું પ્રમાણ 2023માં 41%થી વધીને 2024માં 51% થઈ ગયું છે.
પરંપરાગત મીઠાઈઓનો વપરાશ પણ વધ્યો
લોકલસર્કલ્સે 2024માં મીઠાઈ વપરાશ પર એક સર્વે જારી કર્યો. આ સર્વેક્ષણ દ્વારા, પ્લેટફોર્મે એ સમજવાનો પ્રયાસ કર્યો કે શું ભારતીય ઘરોમાં ખાંડના વપરાશના પેટર્નમાં કોઈ ફેરફાર આવ્યો છે. જો હા, તો શું પરંપરાગત મીઠાઈઓથી ખાંડયુક્ત અન્ય ઉત્પાદનો તરફ કોઈ બદલાવ આવ્યો છે. તેણે સર્વેક્ષણ દ્વારા એ પણ સમજવાનો પ્રયાસ કર્યો કે ભારતીય ઘરેલુ ગ્રાહકો વચ્ચે ઓછી ખાંડવાળા ઉત્પાદનોની સ્વીકાર્યતા શું છે. સર્વેક્ષણને ભારતના 311 જિલ્લાઓમાં સ્થિત ઘરેલુ ગ્રાહકો પાસેથી 36,000થી વધુ પ્રતિક્રિયાઓ મળી. 61% ઉત્તરદાતાઓ પુરુષો હતા જ્યારે 39% ઉત્તરદાતાઓ મહિલાઓ હતી. 42% ઉત્તરદાતાઓ ટાયર 1, 29% ટાયર 2 અને 29% ઉત્તરદાતાઓ ટાયર 3 અને 4 જિલ્લાઓમાંથી હતા.
રાષ્ટ્રીય
વંદે ભારતને લીલી ઝંડી આપતા સમયે ટ્રેક પર પડ્યા ધારાસભ્ય
કાર્યકરો- અધિકારીઓએ દેકારો મચાવતા માંડ બચ્યા, ઇટાવા સ્ટેશનની ઘટના
ઈટાવામાં સોમવારે સાંજે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડવાના ચક્કરમાં ધારાસભ્ય સરિતા ભદૌરિયા ટ્રેનની આગળ જ રેલવે ટ્રેક પર પડી ગયાં. તેઓ રેલવે ટ્રેક પર પડતાં જ ભારે અફરાતફરી જોવા મળી. ટ્રેને પણ હોર્ન વગાડી દીધું હતું પરંતુ કાર્યકર્તાઓ અને અધિકારીઓએ દેકારો કરતા ટ્રેન આગળ વધી ન હતી અને ધારાસભ્ય માંડ માંડ બચ્યાં. ટ્રેન આગ્રાથી વારાણસી માટે જતી વખતે પહેલી વખત ઈટાવામાં રોકાઈ હતી.
અહીંથી ધારાસભ્ય સહિત તમામ જનપ્રતિનિધિ અને અધિકારી સ્ટેશન પર એકઠાં થયા હતા અને ટ્રેનના સ્વાગત કર્યા બાદ ટ્રેનને વારાણસી માટે રવાના કરાઈ હતી. ગગનભેદી નારાઓ સાથે ટ્રેનનું સ્વાગત કરાયું.
થોડી મિનિટ રોકાયા બાદ ટ્રેનને કાનપુર માટે રવાના થવાની હતી. એવામાં ત્યાંથી પણ જનપ્રતિનિધિઓ અને અધિકારીઓએ ટ્રેનને ગ્રીન સિગ્નલ આપવા માટે બોલાવવામાં આવ્યા હતા.
ટ્રેનની રવાનગીનો સમય થયો ત્યારે ધારાસભ્ય સરિતા ભદૌરિયા સહિત તમામ લોકો લીલી ઝંડી લઈને ટ્રેનની આગળ ઊભાં હતાં. ત્યારે ટ્રેન ચાલે તે પહેલાં જ અચાનક જ પાછળથી ધક્કો વાગતા ધારાસભ્ય સરિત ભદૌરિયા ટ્રેનની આગળ ટ્રેક પર પડી ગયાં હતાં. જેવાં જ તેઓ પડ્યા ત્યારે ટ્રેને પણ હોર્ન મારીને આગળ ચાલવાનો ઈશારો કર્યો. જો કે સદનસીબે ત્યારે ત્યાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને અધિકારીઓ ત્યાં ઊભા હતા અને એન્જિનના કાચ પર હાથ થપથપાવતા ગાડી ન ચલાવવાનો ઈશારો કર્યો. જે બાદ કેટલાંક લોકો રેલવે ટ્રેક પર કૂદી પડ્યાં અને ધારાસભ્યને પકડીને તેમણે ફરી પ્લેટફોર્મ પર ચઢાવ્યા, જે બાદ ટ્રેન રવાના થઈ હતી.
-
રાષ્ટ્રીય23 hours ago
ઈદ મિલાદ ઉન નબી પર કર્ણાટકમાં હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતર્યા, જુઓ વિડીયો
-
રાષ્ટ્રીય24 hours ago
VIDEO: કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મારવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, મોતના ડરથી ભાગતા જોવા મળ્યા
-
રાષ્ટ્રીય1 day ago
‘રાઈડ ઓફ પ્રાઈડ’ ગણાતી બુલેટનું પહેલાના સમયની કિંમત જાણો, બિલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત
-
ગુજરાત19 hours ago
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રની સારવાર માટે અમેરિકા જશે, એક મહિનાની રજા માગી
-
ગુજરાત19 hours ago
મનપા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો કાલથી પ્રારંભ
-
રાષ્ટ્રીય1 day ago
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે નવી ઊંચાઈ હાસલ કરી, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સ્મોલકેપ-મીડકેપ શેર્સમાં પણ તેજી
-
રાષ્ટ્રીય20 hours ago
બજાજના આઈપીઓમાં એકના ડબલ, રૂા.14,980 સામે 17,120ની કમાણી
-
ગુજરાત19 hours ago
રીબડા ગુરુકુળના ડ્રાઈવરે પીધેલી હાલતમાં બસ હંકારી છાત્રોના જીવ જોખમમાં મૂકયા