લગ્નમાંથી પરત ફરતા જાનૈયાઓને કાળ ભેટ્યો, રાજસ્થાનમાં દુલ્હા-દુલ્હન સહિત 5ના મોત

    લગ્નમાંથી પરત ફરતા જાનૈયાઓને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત.વાસ્તવમાં જયપુરમાં ટ્રક અને કાર વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમાં વરરાજા અને દુલ્હન…

 

 

લગ્નમાંથી પરત ફરતા જાનૈયાઓને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત.વાસ્તવમાં જયપુરમાં ટ્રક અને કાર વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમાં વરરાજા અને દુલ્હન સહિત પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે ચાર અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતના સમાચારથી મૃતકોના પરિવારોમાં શોકનો માહોલ છવાયો હતો.

પ્રાથમિક માહિતી મુજબ, કારમાં લગભગ 10થી વધુ લોકો હતા જેઓ મધ્યપ્રદેશથી લગ્ન સમારોહ પછી પરત ફરી રહ્યા હતા. નવપરિણીત યુગલ તેમનો પરિવાર અને સંબંધીઓ કારમાં હતા. કાર ભટકાબંસ ગામ નજીક પહોંચતાની સાથે જ સામેથી આવતા એક ઝડપથી આવતા કેન્ટરે તેને ટક્કર મારી દીધી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના ટુકડા થઈ ગયા. આ અકસ્માતમાં વરરાજા સહિત પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

પોલીસે જણાવ્યું હતું કે દૌસા-મનોહરપુર ધોરીમાર્ગ પર એક ટ્રક અને જીપ વચ્ચે ટક્કર થઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી ટીમે જણાવ્યું હતું કે કારમાં સવાર બધા લોકો મધ્યપ્રદેશથી લગ્ન સમારોહ પછી પરત ફરી રહ્યા હતા. ત્યારબાદ રાયસર નજીક જીપ નિયંત્રણ બહાર નીકળી ગઈ અને ટ્રક સાથે અથડાઈ. ટક્કર એટલી ગંભીર હતી કે જીપ ચકનાચૂર થઈ ગઈ હતી અને તેમાં સવાર લોકો ખરાબ રીતે ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકો અને પોલીસની મદદથી, ઘણી મહેનત બાદ ઘાયલો અને મૃતકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માત સમયે કારમાં લગભગ 14 થી 15 લોકો હતા, જેમાં વરરાજા અને તેમના પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય ઘાયલોને નજીકની NIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

ઘટનાની માહિતી મળ્યા બાદ, પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને અકસ્માતની તપાસ શરૂ કરી દીધી છે. તેઓ મૃતકોની ઓળખ કરવામાં અને અકસ્માતના કારણો શોધવામાં રોકાયેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *