અમરેલી
રાજુલાના સંધી-મુસ્લિમ સમાજના પ્રમુખના હત્યા કેસમાં આરોપીઓને મુકત કરતી કોર્ટ
10 વર્ષ પૂર્વે ખેલાયેલા ખુન કેસમાં રાજુલા સેશન્સ કોર્ટે આપ્યો શંકાનો લાભ
રાજુલાના સંધી-મુસ્લિમ સમાજનાં પ્રમુખની એક દશકા પહેલા થયેલી હત્યાના કેસમાં આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવા રાજુલા સેશન્સ કોર્ટે હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ રાજુલામાં રહેતા અલાઉદીન ઉમરભાઈ જાખરા એ તા.1/3/20214ના રાજુલા પોલીસ સ્ઠેશનમાં પોતાના મોટાભાઈ સુમારભાઈનુ ખુન થયું હોવાની ફરિયાદ નોંધાવતાં જણાવેલ હતું કે બનાવના દિવસે ફરિયાદી અને તેના મોટાભાઈ સુમારભાઈ બંને સવારના સાડા દશેક વાગ્યાના અરસામાં રાજુલા બસ સ્ટેન્ડથી હીંડોરણા કાંટે જતાં હતાં ત્યારે હોટલ લોર્ડઝ લાયન નજીક પહોંચતાં રોડ કાંઠે બાબુભાઈ કવાડની દુકાન નજીકમાં એક અલ્ટો કારમાં દીલુભાઈ દડુભાઈ વાળા, બાબાભાઈ દડુભાઈ, જોરૂભા નાનાભાઈ, જશુભાઈ નાનાભાઈ (રહે.બધા રાજુલા)એ મારૂતિ ફ્રન્ટી કાર જીજે 14ઈ 6209 પાછળથી આવી સમારભાઈના મોટરસાઈકલ ઉભુ રખાવી ચારેય જણાઓ કારમાંથી નીચે ઉતરી અગાઉના મનદુ:ખના કારણે દીલુ દડુ વાળાએ કહુાડાનો એક ઘા માથામાં મારી બાબાભાઈ દડુભાઈએ તલવારના બે ઘા ડાબા ગોઠણ તથા જમણા હાથે મારી ઈજા કરી જોરૂભા નાનાભાઈએ કુહાડીના ઘા મારી જશુભાઈ નાનાભાઈએ લોખંડના પાઈપના ઘા મારી ગંભીર ઈજાઓ કરી નાશી ગયેલ અને સમારભાઈનું મૃતયુ નિપજાવવા અંગેની ફરિયાદ નોંધાવેલ હતી.
ઉપરોકત ફરિયાદની તપાસ દરમ્યાન પોલીસે ચારેય આરોપીઓની અટક કરી તપાસ પૂર્ણ થઈ જતાં પોલીસે ચાર્જશીટ કોર્ટમાં રજુ કરી દીધેલ હતું. આ તમામ આરોપીઓનો કેસ રાજુલા સેશન્સ કોર્ટમાં ચાલવા ઉપર આવતાં આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કરવામાં આવેલ છે.
આ કેસમાં આરોપીઓ તરફે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટસના અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, અમૃતા ભારદ્વાજ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, કમલેશ ઉધરેજા, રાકેશ ભટ્ટ, તારક સાવંત, જીજ્ઞેશ લાખાણી, ચેતન પુરોહિત તથા રાજુલાના એડવોકેટ રમેશ ધાખડા વિગેરે રોકાયેલા હતાં.
અમરેલી
જાફરાબાદના ટીંબી ગામે રૂા. 1.30 લાખનો શંકાસ્પદ ઘઉંના જથ્થા સાથે બે પકડાયા
જાફરાબાદ તાલુકાના ટીંબીમાથી પોલીસે વાહનમાથી ઘઉંની 40 બોરીનો શંકાસ્પદ જથ્થો કબજે લઇ બે શખ્સોની અટકાયત કરી 1.30 લાખનો મુદામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. નાગેશ્રી પોલીસ મથકના પીએસઆઇ પી.વી.પલાસ અને ટીમે ગત રાત્રીના પેટ્રોલીંગ દરમિયાન ટીંબીમાથી એક ટેમ્પો નંબર જીજે 08 વાય 5668ને અટકાવી તલાશી લીધી હતી.
ટેમ્પોમા ઘઉંની 40 બોરી કુલ બે હજાર કિલો ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે પોલીસે પુછપરછ કરતા કોઇ આધાર પુરાવા વગરનો હોય પોલીસે ટીંબીમા રહેતા મુસ્તાક ઉર્ફે બાપુ જુમાશા પઠાણ અને આરીફશા સુલેમાનશા કનોજીયા નામના શખ્સોની અટકાયત કરી હતી. પોલીસે ઘઉંનો જથ્થો તેમજ વાહન મળી કુલ રૂૂપિયા 1.30 લાખનો જથ્થો કબજે લીધો હતો અને બીએનએસએસ કલમ 35(1) ઇ 106 મુજબ કાર્યવાહી કરી હતી.
અમરેલી
અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ
અમરેલીમા કુંકાવાવ રોડ પર ભારતનગર વિસ્તારમા રહેતી એક સગીરા પોતાના ઘરે એકલી હતી ત્યારે કૌટુંબિક ભાઇએ જ એકલતાનો લાભ લઇ છરી બતાવી નદીના પટમા લઇ જઇ દુષ્કર્મ ગુજારી મારી નાખવાની ધમકી આપતા આ બારામા તેની સામે અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે.
સગીરા પર દુષ્કર્મની આ ઘટના અમરેલીમા કુંકાવાવ રોડ પર ભારતનગર વિસ્તારમા નદીના પટમા બની હતી. અહી રહેતી એક સગીરાએ અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યુ઼ હતુ કે તે બિમાર હોય મજુરીકામે ગઇ ન હતી અને ઘરે એકલી હતી ત્યારે તેના મોટાબાપુના દીકરા ભાઇ અબ્દુલ દિનમહમદ ઝુણેજા તેના ઘરે આવ્યો હતો.આ શખ્સે તેને છરી બતાવી બળજબરીપુર્વક સાથે લઇ ગયો હતો. આ શખ્સે નદીના પટમા તેના પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ અને છરી બતાવી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવની વધુ તપાસ પીઆઇ કે.બી.જાડેજા ચલાવી રહ્યાં છે.
અમરેલી
ધારીમાં પાંચ વર્ષની બાળા સાથે અડપલાં કરનાર આધેડ ઝડપાયો
લોકોએ પકડી લમધારી પોલીસને હવાલે કર્યો
ધારીમાં એક પાંચ વર્ષની બાળાને મોબાઇલ બતાવવાના બહાને એકાંતમા લઇ જઇ અહીના જ શખ્સે અડપલા કર્યાના કેસમાં પોલીસે આ શખ્સની ધરપકડ કરી છે. ધારી પોલીસે આ પ્રકરણમા ધારીમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા હિમત હસમુખ બોસમીયા (ઉ.વ.45) નામના શખ્સની પોકસો એકટ અને ભારતીય ન્યાય સંહિતાની જુદીજુદી કલમો હેઠળ તેની ધરપકડ કરી છે. ગત 13મી તારીખની બપોરે હિમત બોસમીયા પાંચ વર્ષની એક બાળાને રમાડવાના બહાને તથા મોબાઇલ બતાવવાના બહાને અહીની લક્ષ્મી લોજની અંદરના ભાગે લઇ ગયો હતો. બાળકીના મા-બાપ કામમા વ્યસ્ત હતા તેનો લાભ લઇ આ શખ્સે બાળકીના શરીરે અડપલા કરી નિર્લજજ વર્તન કર્યુ હતુ. જેને પગલે લોકોએ તેને મેથીપાક ચખાડી પોલીસને જાણ કરી હતી.
પીઆઇ એ.એમ.દેસાઇ સ્ટાફના જીતેન્દ્રભાઇ ભેડા, કુમારસિંહ રાઠોડ, સંજયભાઇ સરધારા વિગેરેએ આ શખ્સની ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય બની રહેશે કે, અમરેલી જિલ્લામાં નરાધમોએ હદ વટાવી છે. 43 વર્ષના આધેડે બાળાના માતા-પિતા કામમાં વ્યસ્ત હોવાનો ગેરલાભ ઉઠાવી લઇ જઇ અડપલા કરતા ભારે ચકચાર જાગી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા
-
ગુજરાત2 days ago
દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો
-
આંતરરાષ્ટ્રીય2 days ago
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા
-
અમરેલી2 days ago
અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ
-
ગુજરાત16 hours ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
ગુજરાત2 days ago
PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી
-
રાષ્ટ્રીય19 hours ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી