ગુજરાત
બિલ્ડર દિલીપ લાડાણી સાચા છે: મ્યુનિ. કમિશનર
લાડાણી એસોસિએટનો પ્રોજેક્ટ યુનિ.ની જગ્યા પર નથી, ડી.એલ.આર. મુજબ દિવાલ છે ત્યાં યુનિ. હદ પૂરી થાય છે મ્યુનિ. કમિશનરે યુનિ.ને પત્ર પાઠવ્યો
શહેરમાં જમીન કૌભાંડો થતાં હોવાનું રોજે રોજ બહાર આવતું હોય છે. જેમાં તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન ઉપર લાડાણી એસોસીએટ દ્વારા કબ્જો જમાવી બિલ્ડીંગ તૈયાર કરી નાખ્યાની ફરિયાદ યુનિવર્સિટી દ્વારા મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવી હતી. અને આ જમીનના કૌભાંડિયાઓને ખુલ્લા પાડવાનું કહેવામાં આવેલ પરંતુ આ ફરિયાદ ખોટી હોવાનું મ્યુનિસિપલ કમિશનરે સાબિત કરી યુનિવર્સિટીને પત્ર પાઠવી જણાવ્યું છે કે, દિલીપ લાડાણી દ્વારા તૈયાર થયેલ પ્રોજેક્ટ યુનિવર્સિટીની જગ્યા પર નથી. ડીએલઆર મુજબ દિવાલ છે ત્યાં યુનિવર્સિટીની હદ પુરી થાય છે. છતાં તમારી પાસે કઈ પુરાવા હોય તો મોકલવામાં આવે તમ કહી બિલ્ડર દિલીપ લાડાણીને ક્લીનચીટ આપવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન ઉપર બિલ્ડર દિલીપ લાડાણી દ્વારા કબ્જો કરી રહેણાકના બિલ્ડીંગ તૈયાર કરીલીધાના આક્ષેપ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યા હતાં. અને મ્યુનિસિપલ કમિશનર આ બાબતે તપાસ કરે તેમ જણાવ્યું હતું. જેના લીધે મ્યુનિસિપલ કમિશનરે આ મુદ્દે તટસ્થ તપાસ કરી આજરોજ જણાવેલ કે, ટીપી સ્કીમ નં. 16 રૈયા સર્વે નંબર રૈયા 318 અને મુંજકા 49ના ફાઈનલ પ્લોટ નંબર 1 થી 7 જમીન 1844 ચો.મી. ઉપર લાડાણી એસોસીએટ દ્વારા રહેણાકની ઈમારત બનાવી લેવામાં આવી છે. તે ગેરકાયદેસર હોવાનું યુનિવર્સિટી દ્વારા કહેવામાં આવ્યું છે. પરંતુ તપાસ કરતા માલુમ પડેલ કે, ડીએલઆર મુજબ તમામ જમીનની માપણી કરવામાં આવી છે. જેમાં બહાર આવ્યા મુજબ યુનિવર્સિટીની હદ પુરી થાય છે. અને તેમની દિવાલ છે.
ત્યાંથી દિલીપ લાડાણીની માલીકીની જમીનની હદ શરૂ થાય છે. અને આ જમીન ઉપર તેમને કાયદેસર રીતે પ્લાન મંજુર કરાવી પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. કુલ 409 એકરમાં યુનિવર્સિટીની જગ્યા આવેલ છે. તે પૈકી સર્વે નં. રૈયા 318 અને મુંજકા 49ના ફાઈનલ પોઈન્ટ 1થી 7 પૈકીની જમીનના માલીક દિલીપ લાડાણી હોવાનું સાબિત થાય છે. યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં પત્ર લખવામાં આવેલ કે, યુનિવર્સિટીની દિવાલ તોડીને તેમની જમીનમાં ઘુસપેટ કરીને કબ્જો જમાવી પ્રોજેક્ટ તૈયાર કરી નાખવામાં આવ્યો છે. પરંતુ તપાસમાં બહાર આવ્યા મુજબ આ પ્રકારની કોઈ કાર્યવાહી થઈ નથી. યુનિવર્સિટીની દિવાલ છે ત્યાર બાદ દિલીપ લાડાણીની માલીકીની જમીનની હદ શરૂ થાય છે. અને તેઓએ તેમની માલીકીની જમીન ઉપર પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. અને આ મુજબનો પત્ર યુનિવર્સિટીના વીસીને પાઠવવામાં આવ્યો છે.
મ્યુનિસિપલ કમિશનરે વધુમાં જણાવેલ કે, જમીન કૌભાંડોમાં દિલીપ લાડાણીની સંડોવણી હોવાનો પત્ર યુનિવર્સિટી દ્વારા લખવામાં આવ્યો હતો. જેની તટસ્થ તપાસ કરવામાં આવી છે. દીલીપ લાડાણી દ્વારા આ જમીન ઉપર બાંધેલ પ્રોજેક્ટના તમામ પ્લાનની ચકાસણી તેમજ બીએલઆર મુજબ માપણી કરવામાં આવતા યુનિવર્સિટીની એક ચો.ફૂટ જગ્યા પણ દિલીપ લાડાણીના પ્રોજેક્ટમાં આવતી નથી તેમ જાણવા મળેલ છે. છતાં જમીન ઉપર કબ્જો દિલીપ લાડાણી દ્વારા કરવામાં આવ્યો હોય તો તેના આધાર પુરાવા યુનિવર્સિટી રજૂ કરી શકે છે. તેમ જણાવ્યું હતું.
આ મુદ્દો ચગાવ્યો કોણે ? અને કોનું હિત
યુનિવર્સિટીની હદ પુરી થાય છે ત્યાંથી દિલીપ એસોસીએટની જમીનની હદ શરૂ થઈ રહી છે તે અને આ જમીન ઉપર તૈયાર થયેલ પ્રોજેક્ટ કાયદેસર છે તેવી ક્લિનચીટ મ્યુનિસિપલ કમિશનરે આપી આજે યુનિવર્સિટીના વીસીને પત્ર પાઠવ્યો છે. પરંતુ આ લગડી જેવી જગ્યા ઉપર કોની નજર હતી અને કૌભાંડ ન હોવા છતાં દિલીપ લાડાણીને સંડોવીને કૌભાંડ ઉભુ કરવામાં આવ્યું તેની તપાસ કરવાની જરૂર છે. અને આ કૌભાંડ ચગાવવા પાછળ કોનું હીત છુપાયેલું છે. તે પણ જાણવું જોઈએ તેવી ચર્ચા ઉઠી છે.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ