ક્રાઇમ
જેતપુર નજીક કારની ઠોકરે ઘવાયેલા રાજકોટના બાઇકચાલક યુવાનનું મોત
જેતપુર નજીક પાંચ દિવસ પૂર્વે કારની ઠોકરે ઘવાયેલા રાજકોટના બાઇક ચાલક યુવાનનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. રૂખાડિયાપરામાં રહેતો યુવાન સગીરા અને બાળક સાથે બાઇક લઇ ધોરાજી જતો હતો ત્યારે કાર ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં સગીરા અને બાળકને પણ ઇજા થઇ હતી.
જાણવા મળતી વિગત મુજબ, રૂખાડીયાપરામાં રાજીવ નગરમાં રહેતો નવાબ મહેબુબભાઇ બુખારી (ઉવ.23)નામનો યુવાન ગત તા.5/10ના રોજ રિયા હનીશભાઇ શેખ (ઉવ.12) અને ફેજ અમીતભાઇ બેલીમ (ઉવ.4)ને લઇ બાઇક ઉપર ધોરાજી જઇ રહ્યો હતો દરમિયાન જેતપુર નજીક બાયપાસ હાઇવે પર પધારો હોટલ પાસે અજાણી કારના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં યુવાન સહિત ત્રણેયને ઇજા થતા સારવાર માટે પ્રથમ જેતપુર બાદ વધુ સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન ગંભીર રીતે ઘવાયેલા નવાબ બુખારીનું હોસ્પિટલના બિછાને આજે સવારે મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઇ એક બહેનમાં મોટો અને અપરિણત હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી હતી. આ અંગે જેતપુર તાલુકા પોલીસે અકસ્માત સર્જા નાશી છુટેલા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
ક્રાઇમ
રાજકોટના સોની વેપારી સાથે રૂા.2.56 કરોડની ઠગાઈ
દુકાનમાં જ કામ કરતા બે સગા ભાઈઓ દાગીના બનાવવા માટેનું સોનું લઈ ફરાર થઈ જતાં પોલીસ ફરિયાદ
રાજકોટના સોની બજારમાં સોની વેપારીને ત્યાં કામ કરતા બે સગા ભાઈઓ રૂા. 2.56 કરોડનું સોનું લઈને ફરાર થઈ જતાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પશ્ર્ચિમ બંગાળના આ બન્ને સગા ભાઈઓ છેલ્લા 10 મહિનાથી વેપારીને ત્યાં કામ કરતા હતાં. અને 13 દિવસ પૂર્વે સોનાના દાગીના બનાવવા માટે આપેલું 3816.840 ગ્રામ સોનું લઈને ભાગી ગયા હતાં. આ મામલે પોલીસે ગુનો નોંધી બન્ને ભાઈઓની શોધખોળ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ રાજકોટના લક્ષ્મીવાડી મેઈન રોડ ઉપર નરેન્દ્ર પેલેસ એપાર્ટમેન્ટ ફ્લેટ નં. 101માં રહેતા અને છેલ્લા ઘણા વખતથી સોની બજારમાં જૂની ગધીવાડમાં આવેલ સોની ચેમ્બરની બાજુમાં શ્રધ્ધા કોમ્પલેક્ષમાં શ્રી બંશીધર જવેલર્સ નામની દુકાન ધરાવતા આશિષભાઈ જાદવભાઈ નાંઢાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પશ્ર્ચિમ બંગાળના હુગલી જિલ્લાના બાબનાન દાદપુર તાલુકાના ઉત્તરગુનપાલા નામના ગામના વતની ગૌરાંગ તરુણદાસ અને તેનો ભાઈ સૌરભ તરુણદાસનું નામ આપ્યું છે. ફરિયાદમાં આશિષભાઈએ જણાવ્યા મુજબ તેઓ ઘણા વખતથી સોની બજારમાં પેઢી ધરાવે છે અને સોનાના દાગીના બનાવવાનું કામ કરતા હોય ગૌરાંગોદાસ અને તેનો ભાઈ સૌરભદાસ જાન્યુઆરી મહિનામાં આશિષભાઈને ત્યાં નોકરી પર લાગ્યા હતાં.
સોનાના દાગીના બનાવવાનું કામ કરતા બન્ને ભાઈઓ છેલ્લા 10 મહિનાથી અલગ અલગ ઘાટના દાગીના બનાવતા હતા દરમિયાન બન્ને ભાઈઓ ગત તા. 4-10થી અચાનક જ દુકાને કામે આવ્યા ન હતાં. જેથી વેપારીએ તેના ઘરે તપાસ કરતા ગૌરાંગોદાસ અને સૌરભ દાસ ઘરે હાજર મળ્યા ન હતાં. તે દરમિયાન તપાસ કરતા ગૌરાંગોદાસ અને સૌરભદાસે આશિષભાઈ સોની પાસેથી સોનાના દાગીના બનાવવા માટેનું 3816.840 ગ્રામ સોનું દુકાનમાંથી લઈ ભાગી ગયા હોય રૂા. 2.56.12.932ની કિંમતનું સોનું લઈને ભાગી ગયેલા આ બન્ને ભાઈઓ વિરુદ્ધ આશિષભાઈએ એડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી બન્ને ભાઈઓની શોધખોળ શરૂ કરી છે.
પોલીસ દ્વારા કારીગરોનું વેરિફીકેશન છતાં ચોરી અને છેતરપિંડીના બનાવો વધ્યા
સોની બજારમાં સોની વેપારી તેમજ અલગ અલગ પેઢીઓમાં કામ કરતા આશરે 90 હજારથી વધુ સોની કારીગરો કે, જેઓ પશ્ર્ચિમ બંગાળ સહિતના અન્ય રાજ્યોના વતની હોય તેનું વેરીફીકેશન ફરજિયાત બનાવવમાં આવ્યું છે. અને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી સોની બજારમાં કામ કરતા કારીગરોની નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવા માટે આદેશ કરાયો હોય અને આ જાહેરનામાનો ભંગ કરનાર 100થી વધુ સોની વેપારીઓ સામે પોલીસે ગુના નોંધ્યા હોવા છતાં ચોરી અને છેતરપીંડીના બનાવો અટક્યા નથી અને દિવાળી નજીક આવતા જ સોનીબજારના વેપારીઓ સાથે આવા બનાવો અવાર નવાર બનતા રહે છે. પોલીસ દ્વારા રૂા. 2.56 કરોડનું સોનું લઈને ભાગી છુટેલા બન્ને ભાઈઓ ગૌરાંગોદાસ અને સૌરભદાસના મુળ વતન પશ્ર્ચિમ બંગાળના ઘર અને પરિવારની માહિતી હોય આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
ક્રાઇમ
દેવભૂમિ દ્વારકામાં ગૌવંશની હત્યાથી અરેરાટી
દ્વારકામાં બે શખ્સોએ ગૌવંશને હથિયારો વડે મારી, અને તેના ટુકડા જાહેર માર્ગ પર ફેંકી દીધાના જઘન્ય બનાવમાં દ્વારકા તથા જામનગરના બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ કરુણ બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દ્વારકામાં હાથી ગેટની સામેના વિસ્તારમાં રહેતા પરસોતમ ઉર્ફે મનસુખ ઉર્ફે ટુકડો વેલજીભાઈ પરમાર અને જામનગરમાં હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં રહેતા દીપક કરસન સોલંકી નામના બે શખ્સો દ્વારા ગૌવંશનું કોઈ પણ તીક્ષ્ણ હથિયાર કે શસ્ત્ર વડે મોતની નીપજાવી અને તેના ટુકડા તથા પગના ટુકડા જાહેર માર્ગ પર ફેંકી દીધા હતા. આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકાના હેડ કોન્સ્ટેબલ રાજદિપસિંહ હરિશ્ચંદ્રસિંહ જાડેજાની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે ઉપરોક્ત બંને શખ્સો સામે ધી ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના પી.આઈ. ડી.એચ. ભટ્ટ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ બનાવે ગૌ પ્રેમીઓમાં રોશની લાગણી ફેલાવી છે.
છરી બતાવીને ધમકી
ઓખા મંડળના મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતા મેઘરાજ હાજાભા ભગાડ નામના 23 વર્ષના યુવાન ગત તારીખ 14 ના રોજ ભીમરાણા ગામે આવેલા મોગલ માતાજીના મંદિરે હતા. ત્યારે કાળા કલરની હેરિયર ગાડીમાં આવેલા મહાવીરસિંહ જયેન્દ્રસિંહ વાઢેર (રહે. ભીમરાણા) એ ફરિયાદી મેઘરાજને પહેલ કે તું અને તારો બાપ મારી અને પરબતભા કનુભા માણેક વચ્ચેની માથાકૂટમાં કેમ રસ લ્યો છો? તેમ કહી, બિભત્સ ગાળો કાઢી, છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
દારૂૂ સાથે ઝડપાયો
દ્વારકામાં આવળપરા વિસ્તારમાં રહેતા રવિ મહેન્દ્રભાઈ માલવી નામના 34 વર્ષના કુંભાર શખ્સને પોલીસે વિદેશી દારૂૂના ચાર ચપલા સાથે ઝડપી લઇ, ધોરણસર કાર્યવાહી કરી હતી. ઓખાના મફતિયા પરા વિસ્તારમાં રહેતા સીદીયાભા આશપારભા માણેક નામના 29 વર્ષના શખ્સને પોલીસે વરલી મટકાનો જુગાર રમતા ઝડપી લઇ, મુદામાલ કબજે કર્યો હતો.
ભાણવડ, કલ્યાણપુરમાં બે આસામીઓ સામે જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
ભાણવડના કૈલાશ નગર વિસ્તારમાં રહેતા સુમિતાબેન ધર્મેશભાઈ રાવલિયા (ઉ.વ. 44) એ પોતાની માલિકીની દુકાન તથા વાળો પરપ્રાંતિય આસામીને ભાડે આપી સ્થાનિક પોલીસને જાણ કરી ન હતી. આ જ રીતે કલ્યાણપુર તાલુકાના માંગરીયા ગામે રહેતા ધર્મેન્દ્રસિંહ સહદેવસિંહ જાડેજા નામના યુવાને પોતાનું મકાન ભાડુઆતને આપીને આ ભાડુઆતના આધાર પુરાવા સ્થાનિક પોલીસમાં જમા ન કરાવતા આ અંગે પોલીસે જાહેરનામા ભંગની કલમ હેઠળ બંને સામે કાર્યવાહી કરી હતી.
ક્રાઇમ
હળવદમાં આસ્થા ટેક્નો પ્લાસ્ટ કંપનીમાં આધેડ સહિત 3 ઉપર 6 શખ્સોનો હુમલો
હળવદમા આરોપીની માતા સાથે આધેડે ફોનમાં ઉંચા અવાજે વાત કરતા આરોપીઓ હળવદની આસ્થા ટેકનો પ્લાસ્ટ કંપનીમાં પ્રવેશી આધેડને પાઈપ વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપીઓએ ફરીયાદીને તથા સાહેદોને જાનથી મારી નાખવાના ઈરાદાથી કાર ભટકાડી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે જ્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આસ્થા ટેકનો પ્લાસ્ટ કંપનીમાં રહેતા મનોજ રમાશંકર યાદવએ અજયભાઈ સુરેશભાઈ કુડેચા, હાર્દિકભાઈ સુરેશભાઈ કુડેચા, સુરેશભાઈ કુડેચા, શીતલબેન સુરેશભાઈ કુડેચા, સંજયભાઈ ચંદુભાઈ કુડેચા, વિજયભાઈ ચંદુભાઈ કુડેચા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપી અજયભાઈના માતા શીતલબેન સાથે ફોન કરી ઉચા અવાજે વાત કરી હતી જેના કારણે આરોપીઓ પાઈપ જેવા હથીયારો ધારણ કરી આસ્થા ટેકનો પ્લાસ્ટ હળવદ કંપનીમાં પ્રવેશી ફરીયાદીને પાઈપ વડે મારમારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી વિજયભાઈ આઇ 20 કાર રજીસ્ટર નંબર -જીજે-13-સીસી 2871 વાળી કાર ફરીયાદી તથા સાહેદોને મારી નાખવાના ઈરાદાથી ભટકાડી માથે ચડાવી દેતા સાહેદ ઉપેન્દ્રરાયને જમણા પગમાં તથા શશીકાંતભાઈને કમરના ભાગે ઈજાઓ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
-
આંતરરાષ્ટ્રીય2 days ago
SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા
-
ક્રાઇમ2 days ago
ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો
-
રાષ્ટ્રીય18 hours ago
10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની
-
આંતરરાષ્ટ્રીય18 hours ago
નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા
-
ગુજરાત2 days ago
પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ
-
ગુજરાત2 days ago
આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત