ગુજરાત
વર્ચસ્વની લડાઇ: રાષ્ટ્રીય કરણી સેના અને શ્રી રાજપૂત કરણી સેનાના વડાઓ વચ્ચે અથડામણ
શિવસિંહ શેખાવત અને મહિપાલ મકરાણા દ્વારા સામસામા ગોળીબારના આક્ષેપ
રાજસ્થાન, યુ.પી., મધ્યપ્રદેશ અને ગુજરાત સહિતના રાજ્યોમાં મોટો વ્યાય ધરાવતી ક્ષત્રિય સમાજની બે ટોચની સંસ્થાઓ રાષ્ટ્રીય કરણીસેના અને શ્રી રાજપૂત કરણી સેનાના ટોચના હોદેદારો વચ્ચે વર્ચસ્વની ચાલી રહેલી લડાઇ હવે લોહિયાળ બની છે અને જયપુરમાં ગઇકાલે સાંજે રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ શિવસિંહ શેખાવત તથા શ્રી રાજપૂત કરણી સેનાના મહિપાલ મકરાણાના જૂથો વચ્ચે અથડામણ થતા સામસામા ગોળીબારના પણ આક્ષેપો થયા છે.
આ અથડામણમાં મહિપાલ મકરાણાને બંદૂકના કુંદાથી માથામાં મારવામાં આવતા તેમને ઇજા થઇ હતી. મકરાણા સહિત ચારની ધરપકડ પણ કરવામાં આવી છે.
રાજપૂત સમાજના બે મોટા નેતાઓ રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ શિવસિંહ શેખાવત અને શ્રી રાજપૂત કરણી સેનાના મહિપાલ મકરાણા વચ્ચે વિવાદ થયો હતો. આ વિવાદમાં ગોળીબાર થયો છે. બંને પક્ષોએ એકબીજા પર ફાયરિંગનો આરોપ લગાવ્યો છે. આ વિવાદમાં મહિપાલ મકરાણા ઘાયલ થયા છે. રાજસ્થાનની રાજધાની જયપુરના ચિત્રકુટમાં શિવસિંહ શેખાવતના કાર્યાલયમાં આ ઘટના બની હતી.
મળતી માહિતી મુજબ શિવ સિંહ શેખાવત પર ફાયરિંગ કરવામાં આવ્યું છે.
જો કે તેને ગોળી વાગી ન હતી. ગોળીબાર દરમિયાન શિવ સિંહ બચી ગયો હતો. ચાર બદમાશોએ ફાયરિંગ કર્યું હતું. પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લીધા છે.
શિવસિંહ શેખાવતને ઘણા સમયથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી. રાષ્ટ્રીય કરણી સેનાનું કાર્યાલય જયપુરના ચિત્રકૂટ વિસ્તારમાં છે. આ સમગ્ર ઘટના આ ઓફિસમાં જ બની હતી. શ્રી રાજપૂત કરણી સેના અધ્યક્ષ મહિપાલ મકરાણા રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ શિવ સિંહ શેખાવતના જ કાર્યાલય પર પહોંચ્યા હતા.
કહેવાય છે કે સુખદેવ સિંહ ગોગામેડીના મૃત્યુ બાદ શિવ સિંહ શેખાવત અને મહિપાલ મકરાણા વચ્ચે રાષ્ટ્રીય કરણી સેના પર વર્ચસ્વને લઈને વિવાદ ચાલી રહ્યો હતો, ત્યારબાદ મકરાણાએ બીજી પાર્ટી પણ બનાવી લીધી હતી. હાલમાં પોલીસે મહિપાલ મકરાણાની ધરપકડ કરી છે.
જ્યારે શિવ સિંહે મહિપાલ સિંહ મકરાણા પર ફાયરિંગનો આરોપ લગાવ્યો છે, તો મહિપાલ સિંહ મકરાણાએ પણ શિવ સિંહ પર ફાયરિંગનો આરોપ લગાવ્યો છે. શ્રી રાજપૂત કરણી સેનાના પ્રદેશ પ્રમુખ મહિપાલ મકરાણાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
શિવ સિંહે કહ્યું કે થોડા દિવસ પહેલા તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ગોળીબાર દરમિયાન, મહિપાલને કાબૂમાં લેવા માટે, બંદૂકધારીએ બંદૂકના બટથી હુમલો કર્યો, જેમાં મકરાનાને ઈજા થઈ છે.
મળતી માહિતી મુજબ, શિવ સિંહ શેખાવતે આરોપ લગાવ્યો છે કે સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસમાં મહિપાલ મકરાણાનો હાથ છે. શેખાવતે એક નિવેદન જાહેર કરીને આરોપ લગાવ્યો છે કે મકરાના નશામાં ધૂત તેમની ઓફિસ પહોંચ્યા હતા અને વાતચીત દરમિયાન મકરાનાએ ગોળીબાર કર્યો હતો.
શેખાવતે વધુમાં જણાવ્યું હતું કે મકરાનાએ મારી હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. અમે બધા સુશાંત સિંહ રાજપૂત કેસને લઈને મળ્યા હતા. અચાનક મકરાના ઓફિસમાં ઘૂસી ગયા અને ગોળીબાર કર્યો હતો. પછી મારા બંદૂકધારીએ તેમને તેમની રાઈફલના બટથી તેમને માર્યા હતા. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય11 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
કચ્છ2 days ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
-
ગુજરાત2 days ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો