Connect with us

Sports

બેટસમેનો નિષ્ફળ, બોલરોની કારી ન ફાવી, અવનવા પ્રયોગોથી ભારત લંકા સામે શ્રેણી હાર્યુ

Published

on

ત્રીજી વન ડેમાં અવિશ્કા ફર્નાન્ડો (96 રન)ની શાનદાર ઈનિંગ અને ડ્યુનિથ વેલાલાગે (05/27)ની ધારદાર બોલિંગ સામે ભારતીય ટીમે શરણાગતિ સ્વીકારી હતી. શ્રીલંકાએ ત્રીજી અને છેલ્લી ઓડીઆઇ મેચમાં ભારતને 110 રનથી હરાવ્યું હતું. જેની સાથે વન ડે શ્રેણી 2-0થી જીતી હતી. ભારતીય ટીમ 1997 પછી એટલે કે 27 વર્ષ પછી શ્રીલંકા સામે શ્રેણી હારી છે.


ભારતીય ટીમ આ સિરીઝમાં બેટિંગમાં સંપૂર્ણપણે નિરાશ થઈ છે. ટીમ ઈન્ડિયાની હારના મોટા કારણો બહાર આવ્યા છે.શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં ભારતીય બેટિંગ સંપૂર્ણપણે નિરાશ થઈ ગઈ છે. શ્રેણીની ત્રણેય મેચમાં બેટ્સમેનો રન બનાવી શક્યા ન હતા. પ્રથમ વનડે મેચમાં ભારતીય ટીમ 230 રનના સ્કોરનો પીછો કરી શકી ન હતી અને મેચ ટાઈ રહી હતી. જ્યારે બીજી મેચમાં 241 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 42.2 ઓવરમાં 208 રનમાં સમેટાઈ ગઈ હતી. શ્રેણીની છેલ્લી મેચમાં પણ આ જ વાર્તાનું પુનરાવર્તન થયું હતું. 249 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 138 રનમાં સમેટાઈ ગઈ હતી.


શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં રોહિત શર્મા સહિત ઘણા સીનિયર ખેલાડીઓ ટીમનો ભાગ હતા, પરંતુ રોહિત સિવાય કોઈ બેટ્સમેન જવાબદારી નિભાવી શક્યો ન હતો. વિરાટ કોહલી ત્રણ મેચમાં માત્ર 58 રન જ બનાવી શક્યો હતો. જ્યારે શ્રેયસ અય્યરે ત્રણ મેચમાં 38 રન બનાવ્યા હતા. પ્રથમ બે મેચમાં કેએલ રાહુલને તક આપવામાં આવી હતી, પ્રથમ મેચમાં કેએલ રાહુલે 33 રન બનાવ્યા હતા, જ્યારે બીજી મેચમાં તે ખાતું પણ ખોલી શક્યો ન હતો. છેલ્લી ઓડીઆઇ મેચમાં ઋષભ પંતને તક આપવામાં આવી હતી, પરંતુ લગભગ 18 મહિના બાદ ઓડીઆઇમાં વાપસી કરી રહેલો પંત માત્ર છ રન બનાવી શક્યો હતો. સિનિયર ખેલાડીઓના ફ્લોપ શોએ ટીમ ઈન્ડિયાની નાવ ડૂબી ગઈ.


શ્રીલંકા સામેની વનડે સીરીઝમાં પણ ટીમ ઈન્ડિયાની બોલિંગ સારી દેખાઈ ન હતી અને આ સીરીઝમાં જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો હતો અને વનડે સીરીઝમાં મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહને તક આપવામાં આવી હતી, પરંતુ બંને બોલરો પ્રભાવ પાડી શક્યા ન હતા. સ્પિન બોલિંગની વાત કરીએ તો કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર પણ શ્રીલંકાના બેટ્સમેનો પર પ્રભુત્વ જમાવી શક્યા નથી.
વચ્ચેની ઓવરોમાં જ્યારે ટીમ ઈન્ડિયાને વિકેટની જરૂૂર હતી ત્યારે શ્રીલંકાના બેટ્સમેનોએ સ્પિન ફ્રેન્ડલી પિચ પર જે રીતે બોલિંગ કરી હતી તે રીતે ભારતીય બોલરો બોલિંગ કરી શક્યા ન હતા.


શ્રીલંકામાં વનડે શ્રેણીની તમામ મેચો કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી. સ્પિન ફ્રેન્ડલી પિચ પર ભારતીય બેટિંગ ખુલ્લી પડી હતી. પ્રથમ ઓડીઆઇ મેચમાં વાનિન્દુ હસરગા (ત્રણ વિકેટ) અને પાર્ટ-ટાઈમર બોલર ચારિથ અસલંકાએ (ત્રણ વિકેટ) ટીમ ઈન્ડિયાને ચોંકાવી દીધી હતી, જ્યારે બીજી ઓડીઆઇ મેચમાં જ્યોફ્રી વાંડરસે (06 વિકેટ)એ એકલા હાથે ટીમ ઈન્ડિયાને હરાવી હતી. છેલ્લી ઘઉઈં મેચમાં ભારતે ડ્યુનિથ વેલેજ (પાંચ વિકેટ) સામે આત્મસમર્પણ કર્યું હતું. ભારતીય બેટ્સમેનો શ્રીલંકાના સ્પિનરોને વાંચવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યા, જેના કારણે ટીમને પરિણામ ભોગવવા પડ્યા.


આ વનડે સીરીઝમાં ટીમ ઈન્ડિયા તરફથી ઘણા પ્રયોગો જોવા મળ્યા. પ્રથમ વનડે મેચમાં વોશિંગ્ટન સુંદરના બેટિંગ ક્રમમાં ફેરફાર થયો હતો અને તેને બેટિંગ માટે પ્રમોટ કરવામાં આવ્યો હતો. બીજી વનડે મેચમાં પણ આ પ્રયોગ અટક્યો ન હતો, આ મેચમાં શિવમ દુબેને બેટિંગ માટે મોકલવામાં આવ્યો હતો અને તે ખાતું પણ ખોલી શક્યો ન હતો.


બેટિંગ ક્રમમાં ફેરફારને કારણે ચોથા નંબરે રમી રહેલા શ્રેયસ અય્યર પોતાની સ્થિતિમાં રમી શક્યા નહોતા, જ્યારે પાંચમા નંબરે રમી રહેલા રાહુલ વધુ નીચે ખસી ગયા હતા. બેટિંગ ક્રમમાં આવેલા ફેરફારને કારણે મુખ્ય બેટ્સમેનોને એડજસ્ટ થવાની તક મળી ન હતી અને તેઓ લયમાં દેખાતા નહોતા અને તેમની વિકેટો ગુમાવી હતી.

Sports

મહિલા T20 વર્લ્ડ કપ જીતનાર ટીમને મળશે 23 લાખ 40 હજાર યુએસ ડોલર

Published

on

By

પુરુષ અને મહિલાઓને સમાન ઇનામી રકમની ઈંઈઈની જાહેરાત

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ઈંઈઈ) એ મહિલા ઝ20 વર્લ્ડ કપ 2024 માટે ઇનામી રકમની જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે હવે પુરૂૂષ અને મહિલાઓને સમાન ઈનામની રકમ આપવામાં આવશે. જેની શરૂૂઆત આવતા મહિને સંયુક્ત આરબ અમીરાતમાં યોજાનાર મહિલા ઝ20 વર્લ્ડ કપથી થશે. ઈંઈઈના નિવેદન મુજબ મહિલા ઝ20 વર્લ્ડ કપ જીતનાર ટીમને હવે 23 લાખ 40 હજાર યુએસ ડોલર મળશે.

ગયા વર્ષે દક્ષિણ આફ્રિકામાં રમાયેલ મહિલા ઝ20 વર્લ્ડ કપ જીતવા બદલ ઓસ્ટ્રેલિયાને 1 મિલિયન યુએસ ડોલરની ઈનામી રકમ મળી હતી.આ રીતે તેમાં 134 ટકાનો વધારો થયો છે. ભારતીય પુરૂૂષ ટીમને આ વર્ષે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા ઝ20 વર્લ્ડ કપની વિજેતા બનવા માટે 23 લાખ 40 હજાર યુએસ ડોલરની ઈનામી રકમ મળી હતી.


ICCએ કહ્યું કે ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 પ્રથમ ઈંઈઈ ટૂર્નામેન્ટ હશે. જેમાં મહિલાઓને પુરૂૂષો જેટલી ઈનામી રકમ મળશે જે આ રમતના ઈતિહાસમાં મહત્વની સિદ્ધિ હશે.


મહિલા ઝ20 વર્લ્ડ કપ 3 ઓક્ટોબરથી ઞઅઊમાં રમાશે. અગાઉ તેનું આયોજન બાંગ્લાદેશમાં થવાનું હતું. પરંતુ ત્યાંની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઈંઈઈએ મહિલા ઝ20 વર્લ્ડ કપને સંયુક્ત આરબ અમીરાતમાં શિફ્ટ કરી દીધો. ભારત 4 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે મહિલા ઝ20 વર્લ્ડ કપમાં પોતાની સફર શરૂૂ કરશે.


ઈંઈઈના અધ્યક્ષ ગ્રેગ બાર્કલેએ કહ્યું- રમતના ઈતિહાસમાં આ એક મહત્વપૂર્ણ ક્ષણ છે અને મને ખુશી છે કે ઈંઈઈ વૈશ્વિક ઈવેન્ટ્સમાં ભાગ લેનારા પુરુષ અને મહિલા ક્રિકેટરોને હવે સમાન પુરસ્કાર આપવામાં આવશે. 2017થી, અમે સમાન ઈનામી રકમ હાંસલ કરવાના સ્પષ્ટ ઉદ્દેશ્ય સાથે દર વર્ષે મહિલાઓની ઈવેન્ટ્સમાં ઈનામની રકમમાં વધારો કર્યો છે અને હવેથી ઈંઈઈ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીતવા માટેની ઈનામની રકમ ઈંઈઈ પુરૂૂષ ક્રિકેટ વર્લ્ડ જીતવા માટે સમાન હશે.

Continue Reading

Sports

ગૌતમ ગંભીરના આક્રમક વલણ પર પૂર્વ ક્રિકેટરનો ખુલાસો, શું ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ખતરામાં છે?

Published

on

By

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ અને પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરનું આક્રમક વલણ કોઈનાથી છુપાયેલું નથી. હવે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે પણ આ અંગે ખુલાસો કર્યો છે. લિજેન્ડ્સ લીગ ક્રિકેટ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કાર્તિકે ગંભીર વિશે મોટી વાત કરી છે.

દિનેશ કાર્તિકે ગૌતમ ગંભીરના આક્રમક વલણ વિશે વાત કરી
કાર્યક્રમ દરમિયાન વાત કરતી વખતે કાર્તિકે કહ્યું, ‘તેની આક્રમકતા સામાન્ય રીતે તેના ખેલાડીઓને બચાવવા માટે જોવા મળે છે. ટીમના ખેલાડીઓ આ વખતે એન્જોય કરશે. ગંભીરને જાણ્યા પછી હું કહી શકું છું કે તે કોઈ કારણ વગર ગુસ્સે થઈ જાય તેવો વ્યક્તિ નથી. મને ખાતરી છે કે જે પણ જરૂરી હશે તેના માટે તે સખત શબ્દોનો ઉપયોગ કરશે અને ખેલાડીઓ પાસેથી શ્રેષ્ઠ પ્રદર્શન મેળવવું તેનું કામ હશે. છે.

કાર્ટિને આગળ કહ્યું, ‘ગંભીર એવો ખેલાડી છે જેણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં સારું પ્રદર્શન કર્યું છે. તેની પાસે રમતના પલ્સ રાખવાની કળા છે, જે કોચ માટે જરૂરી છે. તે કોચ તરીકે તેના પ્રારંભિક તબક્કામાં છે, મને વિશ્વાસ છે કે તે તમામ ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કરશે. કોચિંકનો વર્કલોડ તેના માટે અત્યાર સુધી સારો રહ્યો છે. હવે તે બાંગ્લાદેશ શ્રેણી પર છે, બાંગ્લાદેશ માટે અહીં ભારતને હરાવવું આસાન નહીં હોય.

કાર્તિક અને શિખર ડેબ્યુ કરશે
તમને જણાવી દઈએ કે આ વખતે દિનેશ કાર્તિક લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં રમતા જોવા મળ્યા હતા. તેની સાથે શિખર ધવન પણ આ ટૂર્નામેન્ટમાં ભારત તરફથી રમતા જોવા મળશે. આ કાર્યક્રમ દરમિયાન, સુરેશ રૈના, જે પહેલાથી જ આ લીગમાં રમી રહ્યો છે, તેણે કાર્તિક અને શિખરનું ટુર્નામેન્ટમાં સ્વાગત કર્યું. આ બંને ખેલાડીઓ આ સિઝનમાં લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં ડેબ્યૂ કરતા જોવા મળશે.

Continue Reading

Sports

ભારતે પાંચમી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી, હોકી ફાઇનલમાં ચીનને તેના જ ઘરમાં હરાવી ઇતિહાસ રચ્યો

Published

on

By

ભારતે ફાઇનલમાં ચીનને 1-0થી હરાવીને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024નો ખિતાબ જીતી લીધો છે. પ્રથમ ત્રણ ક્વાર્ટર ગોલ રહિત રહ્યા બાદ આખરે ટીમ ઈન્ડિયાએ ચોથા અને છેલ્લા ક્વાર્ટરમાં શાનદાર ગોલ કરીને 1-0ની સરસાઈ મેળવી લીધી હતી જે અંત સુધી ટકી હતી. મેચનો એકમાત્ર ગોલ ભારતના જુગરાજે કર્યો હતો. ઈતિહાસમાં આ પાંચમી વખત છે જ્યારે ભારતે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે.

મેચની શરૂઆતમાં ચીને આક્રમક વલણ અપનાવીને ભારતીય ડિફેન્સને બેકફૂટ પર મૂકી દીધું હતું. ભારતને પહેલા ક્વાર્ટરમાં બે પેનલ્ટી કોર્નર મળ્યા, પરંતુ બંને વખત ચીનના ગોલકીપરે પોતાની ગોલ પોસ્ટ સુરક્ષિત રાખી. બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં પણ બંને ટીમોએ ગોલ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો. પરંતુ મેચનો એકમાત્ર ગોલ 51મી મિનિટે આવ્યો, જ્યાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે જુગરાજને પાસ કર્યો અને તેણે બોલને ગોલ પોસ્ટમાં ધકેલતા શાનદાર ગોલ કર્યો.

આ જીત સાથે ભારતે ગોલ્ડ મેડલ અને ચીને સિલ્વર મેડલ જીત્યો છે. જ્યારે ત્રીજા સ્થાન માટે પાકિસ્તાને દક્ષિણ કોરિયાને 5-2થી હરાવ્યું હતું. અંતિમ ક્ષણોમાં ચીનના ખેલાડીઓએ લાંબા સમય સુધી બોલ પર કબજો જમાવ્યો હતો, પરંતુ ભારતનું ડિફેન્સ પણ શાનદાર હતું. આ પહેલા ટૂર્નામેન્ટના ગ્રુપ સ્ટેજ દરમિયાન ભારત અને ચીન આમને-સામને આવ્યા હતા, જ્યાં ટીમ ઈન્ડિયાએ 3-0થી આસાન વિજય નોંધાવ્યો હતો.

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત 2011માં થઈ હતી, જ્યાં ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવીને ટાઈટલ જીત્યું હતું. જે બાદ 2016માં ભારતે ફરી એકવાર પાકિસ્તાનને 3-2થી હરાવી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. 2018માં ભારત અને પાકિસ્તાનને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. 2023માં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતે મલેશિયાને 4-3થી હરાવીને ચોથી વખત આ ટ્રોફી જીતી હતી.

Continue Reading
રાષ્ટ્રીય16 hours ago

વન નેશન, વન ઈલેક્શન પ્રસ્તાવને કેબિનેટની લીલીઝંડી

રાષ્ટ્રીય16 hours ago

સિંધુ જળ કરારમાં ફેરફાર કરવા પાક.ને ભારતની નોટિસ

ગુજરાત16 hours ago

ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટમાં પેઈડ FSIમાં મળશે વળતર

ગુજરાત16 hours ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

ગુજરાત16 hours ago

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

આંતરરાષ્ટ્રીય16 hours ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

રાષ્ટ્રીય17 hours ago

TATA ગ્રૂપના ઉતરાધિકારી તરીકે માયા ટાટાનું નામ મોખરે

રાષ્ટ્રીય17 hours ago

આર્થિક અસમાનતા વધી, 10 કરોડથી વધુ કમાણી કરનારા ભારતીયોમાં વધારો

રાષ્ટ્રીય17 hours ago

મહારાષ્ટ્રના ભિવંડી અને રાજસ્થાનના બરાનમાં ગણેશ વિસર્જનમાં બબાલ

રાષ્ટ્રીય17 hours ago

ટોલ વસૂલાત પહેલા અને પછી સરકારને ઘણા ખર્ચાઓ ભોગવવા પડે છે: ગડકરી

રાષ્ટ્રીય2 days ago

‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા

ગુજરાત2 days ago

દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો

આંતરરાષ્ટ્રીય2 days ago

બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા

અમરેલી2 days ago

અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ

ગુજરાત16 hours ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

ગુજરાત2 days ago

PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ

આંતરરાષ્ટ્રીય2 days ago

અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી

રાષ્ટ્રીય19 hours ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

ગુજરાત2 days ago

મોદી@74: કુંડળી જ મંગળ તો અમંગળ કોણ કરી શકે?

ગુજરાત2 days ago

મોદી વડાપ્રધાન બનશે: 34 વર્ષ પહેલાં ધીરૂભાઇ અંબાણીએ ભાખ્યું હતું

Trending