Sports
બેટસમેનો નિષ્ફળ, બોલરોની કારી ન ફાવી, અવનવા પ્રયોગોથી ભારત લંકા સામે શ્રેણી હાર્યુ
ત્રીજી વન ડેમાં અવિશ્કા ફર્નાન્ડો (96 રન)ની શાનદાર ઈનિંગ અને ડ્યુનિથ વેલાલાગે (05/27)ની ધારદાર બોલિંગ સામે ભારતીય ટીમે શરણાગતિ સ્વીકારી હતી. શ્રીલંકાએ ત્રીજી અને છેલ્લી ઓડીઆઇ મેચમાં ભારતને 110 રનથી હરાવ્યું હતું. જેની સાથે વન ડે શ્રેણી 2-0થી જીતી હતી. ભારતીય ટીમ 1997 પછી એટલે કે 27 વર્ષ પછી શ્રીલંકા સામે શ્રેણી હારી છે.
ભારતીય ટીમ આ સિરીઝમાં બેટિંગમાં સંપૂર્ણપણે નિરાશ થઈ છે. ટીમ ઈન્ડિયાની હારના મોટા કારણો બહાર આવ્યા છે.શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં ભારતીય બેટિંગ સંપૂર્ણપણે નિરાશ થઈ ગઈ છે. શ્રેણીની ત્રણેય મેચમાં બેટ્સમેનો રન બનાવી શક્યા ન હતા. પ્રથમ વનડે મેચમાં ભારતીય ટીમ 230 રનના સ્કોરનો પીછો કરી શકી ન હતી અને મેચ ટાઈ રહી હતી. જ્યારે બીજી મેચમાં 241 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 42.2 ઓવરમાં 208 રનમાં સમેટાઈ ગઈ હતી. શ્રેણીની છેલ્લી મેચમાં પણ આ જ વાર્તાનું પુનરાવર્તન થયું હતું. 249 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 138 રનમાં સમેટાઈ ગઈ હતી.
શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં રોહિત શર્મા સહિત ઘણા સીનિયર ખેલાડીઓ ટીમનો ભાગ હતા, પરંતુ રોહિત સિવાય કોઈ બેટ્સમેન જવાબદારી નિભાવી શક્યો ન હતો. વિરાટ કોહલી ત્રણ મેચમાં માત્ર 58 રન જ બનાવી શક્યો હતો. જ્યારે શ્રેયસ અય્યરે ત્રણ મેચમાં 38 રન બનાવ્યા હતા. પ્રથમ બે મેચમાં કેએલ રાહુલને તક આપવામાં આવી હતી, પ્રથમ મેચમાં કેએલ રાહુલે 33 રન બનાવ્યા હતા, જ્યારે બીજી મેચમાં તે ખાતું પણ ખોલી શક્યો ન હતો. છેલ્લી ઓડીઆઇ મેચમાં ઋષભ પંતને તક આપવામાં આવી હતી, પરંતુ લગભગ 18 મહિના બાદ ઓડીઆઇમાં વાપસી કરી રહેલો પંત માત્ર છ રન બનાવી શક્યો હતો. સિનિયર ખેલાડીઓના ફ્લોપ શોએ ટીમ ઈન્ડિયાની નાવ ડૂબી ગઈ.
શ્રીલંકા સામેની વનડે સીરીઝમાં પણ ટીમ ઈન્ડિયાની બોલિંગ સારી દેખાઈ ન હતી અને આ સીરીઝમાં જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો હતો અને વનડે સીરીઝમાં મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહને તક આપવામાં આવી હતી, પરંતુ બંને બોલરો પ્રભાવ પાડી શક્યા ન હતા. સ્પિન બોલિંગની વાત કરીએ તો કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર પણ શ્રીલંકાના બેટ્સમેનો પર પ્રભુત્વ જમાવી શક્યા નથી.
વચ્ચેની ઓવરોમાં જ્યારે ટીમ ઈન્ડિયાને વિકેટની જરૂૂર હતી ત્યારે શ્રીલંકાના બેટ્સમેનોએ સ્પિન ફ્રેન્ડલી પિચ પર જે રીતે બોલિંગ કરી હતી તે રીતે ભારતીય બોલરો બોલિંગ કરી શક્યા ન હતા.
શ્રીલંકામાં વનડે શ્રેણીની તમામ મેચો કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી. સ્પિન ફ્રેન્ડલી પિચ પર ભારતીય બેટિંગ ખુલ્લી પડી હતી. પ્રથમ ઓડીઆઇ મેચમાં વાનિન્દુ હસરગા (ત્રણ વિકેટ) અને પાર્ટ-ટાઈમર બોલર ચારિથ અસલંકાએ (ત્રણ વિકેટ) ટીમ ઈન્ડિયાને ચોંકાવી દીધી હતી, જ્યારે બીજી ઓડીઆઇ મેચમાં જ્યોફ્રી વાંડરસે (06 વિકેટ)એ એકલા હાથે ટીમ ઈન્ડિયાને હરાવી હતી. છેલ્લી ઘઉઈં મેચમાં ભારતે ડ્યુનિથ વેલેજ (પાંચ વિકેટ) સામે આત્મસમર્પણ કર્યું હતું. ભારતીય બેટ્સમેનો શ્રીલંકાના સ્પિનરોને વાંચવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યા, જેના કારણે ટીમને પરિણામ ભોગવવા પડ્યા.
આ વનડે સીરીઝમાં ટીમ ઈન્ડિયા તરફથી ઘણા પ્રયોગો જોવા મળ્યા. પ્રથમ વનડે મેચમાં વોશિંગ્ટન સુંદરના બેટિંગ ક્રમમાં ફેરફાર થયો હતો અને તેને બેટિંગ માટે પ્રમોટ કરવામાં આવ્યો હતો. બીજી વનડે મેચમાં પણ આ પ્રયોગ અટક્યો ન હતો, આ મેચમાં શિવમ દુબેને બેટિંગ માટે મોકલવામાં આવ્યો હતો અને તે ખાતું પણ ખોલી શક્યો ન હતો.
બેટિંગ ક્રમમાં ફેરફારને કારણે ચોથા નંબરે રમી રહેલા શ્રેયસ અય્યર પોતાની સ્થિતિમાં રમી શક્યા નહોતા, જ્યારે પાંચમા નંબરે રમી રહેલા રાહુલ વધુ નીચે ખસી ગયા હતા. બેટિંગ ક્રમમાં આવેલા ફેરફારને કારણે મુખ્ય બેટ્સમેનોને એડજસ્ટ થવાની તક મળી ન હતી અને તેઓ લયમાં દેખાતા નહોતા અને તેમની વિકેટો ગુમાવી હતી.
Sports
બાંગ્લાદેશને હળવાશથી ન લેતા, ટીમ ઈન્ડિયાને ગાવસ્કરે આપી ચેતવણી
ભારતીય ટીમ 19 સપ્ટેમ્બરથી બે ટેસ્ટ મેચ માટે બાંગ્લાદેશની યજમાની કરી રહી છે. રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમ આ ટેસ્ટ સિરીઝ માટે ઘણો પરસેવો પાડી રહી છે.
પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નાઈના ખઅ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. બાંગ્લાદેશની ટીમે હાલમાં જ પાકિસ્તાન વિરૂૂદ્ધ પાકિસ્તાનમાં બે મેચની ટેસ્ટ સિરીઝ જીતી હતી. ત્યારે સુનીલ ગાવસ્કરે રોહિત શર્મા સહિત ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશને કોઈપણ રીતે હળવાશમાં લેવાની ભૂલ ન કરવાની ચેતવણી આપી છે. બે વર્ષ પહેલા ઢાકામાં રમાયેલી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે ભારતને મુશ્કેલી મૂકી હતી, જો કે શ્રેયસ અય્યર અને આર અશ્વિને મળીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી અને બાંગ્લાદેશને ભારત સામે તેની પ્રથમ ટેસ્ટ જીત નોંધાવતા અટકાવ્યું હતું.
ગાવસ્કરે પોતાની કોલમમાં લખ્યું છે કે, નપાકિસ્તાનમાં રમાયેલી બંને ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને હરાવીને બાંગ્લાદેશે બતાવ્યું કે તેમની પાસે કેટલી તાકાત છે. આટલું જ નહીં બે વર્ષ પહેલા જ્યારે ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો હતો ત્યારે પણ આ ટીમે ભારતને ટક્કર આપી હતી. હવે પાકિસ્તાન સામે ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ તેમનું મનોબળ વધી ગયું છે અને હવે તે ભારતને પણ હરાવવા માંગશે. ગાવસ્કરે આગળ કહ્યું કે, તેમની પાસે કેટલાક સારા ખેલાડીઓ છે અને કેટલાક યુવા ક્રિકેટરો પણ પ્રભાવિત કર્યા છે, જેઓ વિપક્ષનો સામનો કરવાથી ડરતા નથી.
હવે જે પણ ટીમ તેમની સામે રમશે, તેમને(બાંગ્લાદેશ) હળવાશમાં નહીં લે, કારણ કે તેઓ જાણે છે કે બાંગ્લાદેશે પાકિસ્તાનને ટેસ્ટ સિરીઝમાં 2-0થી હરાવ્યું છે. ત્યારે આ સિરીઝ જોવા જેવી રહેશે.
Sports
હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત-ચીનનો મુકાબલો
સેમિફાઇનલમાં કોરિયાને હરાવી સતત છઠ્ઠી જીત મેળવી
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024 માં, ભારતીય હોકી ટીમે શાનદાર પ્રદર્શન સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. 16 સપ્ટેમ્બર (સોમવાર)ના રોજ ચીનના હુલુનબુર ખાતે રમાયેલી બીજી સેમિફાઇનલમાં ભારતે કોરિયાને 4-1થી હરાવ્યું. ભારત માટે કેપ્ટન હરમનપ્રીત સિંહે સૌથી વધુ બે ગોલ (19મી અને 45મી મિનિટ) કર્યા હતા. જ્યારે ઉત્તમ સિંહ (13મી મિનિટ) અને જર્મનપ્રીત સિંહ (32મી મિનિટ)એ એક-એક ગોલ કર્યો હતો. આ બંને ગોલ હરમનપ્રીતે પેનલ્ટી કોર્નર પર કર્યા હતા જ્યારે ઉત્તમ અને જરમનપ્રીતે ફિલ્ડ ગોલ કર્યા હતા.
બીજી તરફ કોરિયા માટે એકમાત્ર ગોલ યાંગ જિહુને (33મી મિનિટ) પેનલ્ટી કોર્નર પરથી કર્યો હતો. ફાઇનલમાં ભારતનો મુકાબલો યજમાન ચીન સામે થશે. ચીને પ્રથમ સેમિફાઇનલમાં પાકિસ્તાનને શૂટઆઉટમાં 2-0થી હરાવ્યું હતું. ચીનની ટીમ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી છે. ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બર (મંગળવાર)ના રોજ રમાશે.
વર્તમાન ટુર્નામેન્ટમાં ભારતીય હોકી ટીમની આ સતત છઠ્ઠી જીત હતી. ભારતીય ટીમે પૂલ સ્ટેજમાં તેની તમામ પાંચ મેચ જીતી હતી અને ટૂર્નામેન્ટની વર્તમાન સિઝનમાં અજેય રહેનારી એકમાત્ર ટીમ છે. ભારતીય ટીમે તેની છેલ્લી પૂલ મેચમાં પાકિસ્તાનને 2-1થી હરાવ્યું હતું. આ પહેલા તેણે કોરિયાને 3-1થી હરાવ્યું હતું. જ્યારે ભારતીય ટીમે મલેશિયાને 8-1થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ પહેલા ભારતીય ટીમે ચીનને 3-0 અને જાપાનને 5-0થી હરાવ્યું હતું.
Sports
હાથમાં ઇજાના કારણે ડાયમંડ લીગમાં હાર થઇ: નીરજ ચોપડા
પ્રથમ પુરસ્કાર મેળવવામાં માત્ર એક સેન્ટીમીટરથી ચૂકી ગયા
Diamond leaguage 2024 માં પ્રથમ પુરસ્કાર મેળવવામાં માત્ર એક સેન્ટીમીટરથી ચૂક ગયા હતાં. ગયયફિષ ઈવજ્ઞાફિ એ ઉશફળજ્ઞક્ષમ કયફલીય 2024 ની ફાઈનલમાં 87.89 મીટરનો જેવલીન થ્રો કર્યો હતો.
ત્યારે તેઓ Diamond leaguage2024 માં બીજા સ્થાને આવ્યા હતાં. તો ઉશફળજ્ઞક્ષમ કયફલીય 2024 માં પ્રથમ સ્થાન પર ગ્રેનેડાના એન્ડરસન પીટર્સે બેસ્ટ થ્રો 87.87 મીટરનો કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ત્યારે ગયયફિષ ઈવજ્ઞાફિ નજીવા અંતરથી ચૂકી ગયા છે. ત્યારે ગયયફિષ ઈવજ્ઞાફિ એ તેની પાછળનું કારણ જણાવ્યું છે.
ગયયફિષ ઈવજ્ઞાફિ એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. તેમાં ગયયફિષ ઈવજ્ઞાફિ એ લખ્યું છે કે, 2024 ના ખેલ સમાપ્ત થયા છે. હું તે દરેક વસ્તુઓ પર ધ્યાન આપીશ, જે મેં વર્ષ દરમિયાન નોંધ કરી છે. તો તેમાં પણ ખાસ કરીને ખેલક્ષેત્રે સુધારો, અસફળતાઓ, માનસિકતા અને વિવિધ શારીરિક બાબતનો સમાવેશ છે.
સોમવારના રોજ પ્રશિક્ષણ દરમિયાન હું ઘાયલ થયો હતો. તેના કારણે જમણા હાથમં નાનો ફ્રેક્ચર આવ્યો હતો. મારા માટે આ એક પડકારદાયક છે. તેમ છતાં હું મારી ટીમના માર્ગદર્શન અને સારવાર હેઠળ બ્રુસેલ્સમાં પ્રદર્શન માટે તૈયાર હતો.
ગયયફિષ ઈવજ્ઞાફિ એ વધુમાં જણાવ્યું કે, વર્ષ 2024 ની આ અંતિમ મેચ હતી. જોકે હું નક્કી કરેલા લક્ષ્યાંક પર સ્પર્ધા દરમિયાન પહોંચી શક્યો નહીં. પરંતુ મને લાગે છે કે, આ એક એવી સ્પર્ધા હતી, જેના માધ્યમથી મને ઘણું વધુ શીખવા મળ્યું છે. હવે, હું સંપૂર્ણ રીતે તંદુક્સત છું. હું તમારા બધાના સમર્થનનો આભાર વ્યક્ત કરું છું. વર્ષ 2024 એ મને એક ઉત્તમ રમતવીર અને માણસ બનાવ્યો છે. હવે, વર્ષ 2025 ના રણમેદાનમાં મુલાકાત થશે.
-
રાષ્ટ્રીય24 hours ago
ઈદ મિલાદ ઉન નબી પર કર્ણાટકમાં હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતર્યા, જુઓ વિડીયો
-
રાષ્ટ્રીય1 day ago
VIDEO: કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મારવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, મોતના ડરથી ભાગતા જોવા મળ્યા
-
રાષ્ટ્રીય1 day ago
‘રાઈડ ઓફ પ્રાઈડ’ ગણાતી બુલેટનું પહેલાના સમયની કિંમત જાણો, બિલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત
-
ગુજરાત20 hours ago
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રની સારવાર માટે અમેરિકા જશે, એક મહિનાની રજા માગી
-
ગુજરાત20 hours ago
મનપા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો કાલથી પ્રારંભ
-
રાષ્ટ્રીય1 day ago
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે નવી ઊંચાઈ હાસલ કરી, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સ્મોલકેપ-મીડકેપ શેર્સમાં પણ તેજી
-
રાષ્ટ્રીય20 hours ago
બજાજના આઈપીઓમાં એકના ડબલ, રૂા.14,980 સામે 17,120ની કમાણી
-
ધાર્મિક19 hours ago
ઘરમાં ભૂલથી પણ આ જગ્યાએ ન રાખવી જોઈએ પિતૃની તસવીર, નહીંતર સુખ શાંતિ હણી જશે