બાંગ્લાદેશ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે તાત્કાલિક અસરથી દેશમાં IPL મેચોના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો છે. એક દિવસ અગાઉ બાંગ્લાદેશે જાહેરાત કરી હતી કે તેમની ટીમ ટી20 વર્લ્ડકપ માટે ભારત નહીં આવે. હવે IPLના પ્રસારણ પર પણ રોક લગાવવાના આદેશ આપ્યા છે.
https://x.com/ANI/status/2008084594550256002?s=20
BCCIએ કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR)ને IPL 2026 સીઝન પહેલા મુસ્તફિઝુર રહેમાનને મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેને KKR માટે મુખ્ય ખેલાડી માનવામાં આવતો હતો. જો કે, તેના અસ્પષ્ટ બાકાત રાખવાથી બાંગ્લાદેશમાં રોષ ફેલાયો હતો. ત્યાં, તેને માત્ર રમતગમતના નિર્ણય તરીકે નહીં, પરંતુ રાષ્ટ્રીય સન્માનના મુદ્દા તરીકે જોવામાં આવ્યું.
બાંગ્લાદેશની સરકારે કહ્યું છે, કે આગામી IPLમાં કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમમાંથી બાંગ્લાદેશ ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનને કાઢી મૂકવાના નિર્ણયથી અમે દુ:ખી અને આક્રોશમાં છીએ. જેથી આગામી આદેશ સુધી IPLની મેચ અને તેને લગતાં તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવાના આદેશ આપીએ છીએ.
T20 વર્લ્ડ કપ પર પણ અસર પડી શકે છે
મુસ્તફિઝુર વિવાદ હવે ફક્ત IPL પૂરતો મર્યાદિત નથી. તેની અસર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ જોવા મળી રહી છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ને પત્ર લખીને વિનંતી કરી છે કે 2026 T20 વર્લ્ડ કપ માટે ભારતમાં યોજાનારી તેની મેચો શ્રીલંકામાં ખસેડવામાં આવે. બીસીબીનું કહેવું છે કે હાલના સંજોગોમાં, ભારતમાં ખેલાડીઓની સલામતી અને ન્યાયીપણા પર કોઈ વિશ્વાસ નથી.
અહેવાલ છે કે બાંગ્લાદેશે સ્પષ્ટ કરી દીધું છે કે તે ફેબ્રુઆરી 2026 માં યોજાનાર ટી20 વર્લ્ડ કપ માટે તેની ટીમ ભારત મોકલશે નહીં. જો આ નિર્ણય લાગુ કરવામાં આવે તો, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના ક્રિકેટ સંબંધોમાં મોટો તિરાડ પડી શકે છે.
