શાકભાજીના ધંધાર્થી યુવાન ઉપર હુમલો

જામનગરમાં રામેશ્વર નગરમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા સુરેશ ધોકળભાઈ પાણખાણીયા નામના વેપારી યુવાને પોતાના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી પગ ભાંગી નાખવા અંગે…

જામનગરમાં રામેશ્વર નગરમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા સુરેશ ધોકળભાઈ પાણખાણીયા નામના વેપારી યુવાને પોતાના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી પગ ભાંગી નાખવા અંગે રાંદલ નગરમાં રહેતા સાહેબનો લાલિયો અને તેના એક સાગરીત સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર શાકભાજી નો વેપારી યુવાન રાંદલ નગરમાં રહેતી એક મહિલાના ઘેર શાકભાજી આપવા જાય છે, જેથી તેના પર શંકા વહેમ કરીને બંને આરોપીઓએ અહીં ફરીથી આવતો નહીં, તેમ કરી હુમલો કરી દીધા નું પોલીસમાં જાહેર થયું છે. પોલીસ બંને હુમલાખોર આરોપીઓને શોધી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *