ક્રાઇમ
ગરબી રમતી બાળાઓની છેડતી કરતા ટપોરીઓને સમજાવવા જતાં આયોજક પર હુમલો
વાંકાનેરના ઠીકરિયાળા ગામે ગરબી રમતી બાળા વચ્ચેથી બિન્દાસ્ત બાઈક પસાર કરી છેડતીનો પ્રયાસ કરનારા ત્રણ ઇસમ સામે ફરિયાદ નોંધાઇ છે. આ ઘટનાના પગલે આયોજક સમજાવટથી કામ લેવા જતાં આરોપીઓ વિફર્યાં હતા અને છરી બતાવી માર માર્યો હતો.
વાંકાનેર તાલુકાના ઠીકરિયાળા ગામે પ્રાચીન ગરબીમાં રાસ-ગરબા રમતી બાળાઓની વચ્ચેથી ત્રણ-ત્રણ વખત બાઈક પસાર કરી ત્રણ ઇસમો દ્વારા છેડતીનો પ્રયાસ કરી, ગરબીના આયોજકને છરી બતાવી ઢીકા પાટુનો માર મારતા આ મામલે ત્રણ ઇસમો સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઠીકરિયાળા ગામ ખાતે રામજી મંદિર ચોકમાં પ્રાચીન ગરબી યોજાતી હોય, જેમાં ગત તા.8ના રાજ રાત્રીના બાળાઓ રાસ-ગરબા રમતી હોય ત્યારે આરોપી હર્ષદ રાજાભાઈ નાકિયા (રહે. ઠીકરિયાળા), દેવ ડાભી (રહે. કુવાડવા) અને એક અજાણ્યા ઇસમ સહિત ત્રણેય શખ્સોએ પોતાનું હિરો સ્પ્લેન્ડર બાઈક નં. જીજે 13 બીઇ 6248 ત્રણ-ત્રણ વખત રાસ-ગરબા રમતી બાળાઓ વચ્ચે નાંખી બાળાઓની છેડતી કરવાનો પ્રયાસ કરતા ગરબી મંડળના સભ્ય અશ્વિનભાઈ ગેલાભાઈ માંડાણીએ ત્રણેય શખ્સોને રોકતા આરોપી દેવ ડાભીએ છરી બતાવી, ધમકી આપી ત્રણેય આરોપીઓએ ફરિયાદીને ઢીકા પાટુંનો માર મારતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ગરબી આયોજકની ફરિયાદ પરથી ત્રણેય ઇસમો સામે ગુન્હો નોંધી તપાસ શરૂૂ કરી છે.
ક્રાઇમ
બ્રાન્ડેડ કંપનીના નામે આરોગ્ય સાથે ચેડા!! એમેઝોનમાંથી મંગાવેલી ડો.બર્ગ કંપનીની D-3,K2ની દવાઓમાં વિટામિનને બદલે નીકળ્યું સ્ટાર્ચ
જો તમે પણ એમેઝોનમાંથી વિટામિનની કેપ્સુલ મગાવી ખાતા હોવ તો ચેતી જજો. વિદેશની ડો. બર્ગ કંપનીની વિટામિન D-3 અને K2ની કેપ્સ્યુલના નામે અજાણ્યા શખ્સો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું સામે આવ્યું છે. ઓનલાઈન શોપિંગ એપ પર જે કેપ્સુલનો વેચાણ થઇ રહ્યો છે તેમાં વિટામિન નહીં પણ સ્ટાર્ચ નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.
આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ પોલીસે જ કર્યો હતો. પોલીસે જ આ કેપ્સ્યુલનો ઓનલાઈન ઓર્ડર કરી FSLમાં ચકાસણી કરાવી હતી. આ રીપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ કેપ્સ્યુલમાં વિટામિનને બદલે સ્ટાર્ચની હાજરી જોવા મળી હતી. આ કેસ્પ્યુલ ખાવાથી તમારા આંતરડા ઉપર અને પાચન ક્રિયા ઉપર મોટાપાયે નુકસાન થઈ શકે છે. તેમજ હાડકાં પણ નબળા પડી શકે છે
આ અંગે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના PI એસ.જે. જાડેજાએ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, ઓનલાઇન શોપિંગ એપ્લિકેશન એમેઝોન પર ડો. બર્ગ કંપનીની વિટામિન D-3 અને K2ની કેપ્શ્યુલમાં જાહેરાત તેમજ લેબલ ઉપર દર્શાવવામાં આવેલ કન્ટેન્ટના બદલે અન્ય કોઇ પદાર્થ ભરી ગ્રાહકો પાસેથી પૂરી રકમ મેળવી છેતરપિંડી કરી ગ્રાહકોના સ્વાસ્થને નુકશાન થાય તેવુ કૃત્ય કરવામાં આવી રહ્યું છે.
આથી ખરાઇ કરવા ડો. બર્ગ કંપનીની વિટામિન D-3 અને K2ની એક બોટલમાં 60 કેપ્સ્યુલ તેવી કુલ 2 બોટલ એમેઝોન એપ્લિકેશનના અમારા મોબાઈલ નંબરથી રજિસ્ટર કરેલ એકાઉન્ટમાંથી 11 જૂન, 2024ના ઓર્ડર કર્યો હતો. કેપ્સ્યુલ અમારા સ્કોડમાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ નટવરસિંહ છત્રસિંહ ચાવડાના ઘરના સરનામે મળે તે રીતે ઓર્ડર કર્યો હતો. આ ઓર્ડર કરવામાં આવેલ ડો.બર્ગ કંપનીની વિટામીન D-3 અને K2ની કેપ્સ્યુલની 2 બોટલ નટવરસિંહના ઘરે બે ખાખી કલરના બોક્સમાં સીલ પેક પ્રાપ્ત થઈ હતી.બાદમાં અમે કેપ્સ્યુલ અમદાવાદની FSL ઓફિસ ખાતે તપાસ કરવા મોકલી હતી. જેનો રિપોર્ટ આવતા જાણવા મળ્યું હતું કે, ડો. બર્ગ કંપનીની વિટામીન D-3 અને K2ના લેબલવાળી બંન્ને બોટલોમાં રહેલ કેપ્સ્યુલમાં વિટામીનની હાજરી નથી. તેમજ બંન્ને બોટલોમાં રહેલ કેપ્સ્યુલમાં સ્ટાર્ચની હાજરી છે.
અજાણ્યા શખ્સો વિરૂદ્ધ આઇપીસીની કલમ 406, 420, 120બી, 276 તેમજ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 66ડી મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ક્રાઇમ
મોરબી રોડ ઉપર બાઇક સ્લિપ થતા આરટીઓ એજન્ટનું મોત
શહેરમાં આરટીઓ કચેરીની બાજુમાં આવેલ મનોહર સોસાયટીમાં રહેતા અને આરટીઓ એજન્ટ તરીકે કામ કરતા પ્રૌઢ પોતાનું બાઈક લઈને ગ્રીનલેન્ડ ચોકડી અને મોરબી રોડ જકાત નાકા વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા પ્રૌઢનું મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. કરૂૂણ ઘટના વચ્ચે 108 ની ટીમની માનવતા મહેંકી ઉઠી હોય તેમ મૃતક પાસેથી મળી આવેલ રોકડ, બે વીંટી અને મોબાઈલ પરિવારને પરત કર્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં આરટીઓ કચેરી પાસે આવેલી મનોહર સોસાયટીમાં રહેતા રાજેન્દ્રભાઈ નવલભાઇ ખુભલા નામના 45 વર્ષના પ્રૌઢ પોતાનું બાઈક લઇ રાત્રીના દસેક વાગ્યાના અરસામાં ગ્રીનલેન્ડ ચોકડી અને મોરબી રોડ જકાતનાકા વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે રાજેન્દ્રભાઈએ ડ્રાઇવિંગ પરનો કાબૂ ગુમાવતા બાઈક સ્લીપ થયું હતું. બાઇક અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા રાજેન્દ્રભાઈને 108 મારફતે તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ નીપજ્યું હતું. પ્રૌઢના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
પ્રાથમિક પૂછપરછમાં રાજેન્દ્રભાઈ ખુભલા બે ભાઈ એક બહેનના નાના હતા અને તેમને સંતાનમાં એક પુત્રી છે રાજેન્દ્રભાઈ ખુભલા આરટીઓ એજન્ટ તરીકે કામ કરતા હતા અને મોરબી રોડ જકાતનાકાથી ઘરે જતા હતા ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. ક કરૂૂણ ઘટના વચ્ચે 108 ની ટીમની વફાદારી પણ સામે આવી છે જેમાં 108 ના પાયલોટ મયુરભાઈ ગોહિલ અને ઇએમટી ભાવેશભાઈ વાઢેર દ્વારા અકસ્માતમાં ઘવાયેલા રાજેન્દ્રભાઈને સારવારમાં ખસેડાયા હતા ત્યારે તેમની પાસેથી મળી આવેલ રૂૂ.6,000 ની રોકડ, બે વીંટી અને એક મોબાઇલ મળી પરિવારને પરત કરી માનવતા મહેકાવી હતી આ અકસ્માતની ઘટના અંગે એ ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ક્રાઇમ
ભુણાવાના બંધ કારખાનામાંથી 12.52 લાખનો દારૂ ઝડપાયો
ગ્રામ્ય એલસીબીના દરોડા બાદ બે બૂટલેગરોની ધરપકડ: રૂા.17.52 લાખનો મુદ્દામાલ કબજે
ભુણાવાની સીમમાં બંધ કારખાનામાં બુટલેગરોએ છુપાવેલો રૂા.12.52 લાખનો વિદેશી દારૂ રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે બાતમીના આધારે ઝડપી પડ્યો હતો. આ દારૂનો જથ્થો છુપાવનાર બે બુટલેગરોની ધરપકડ કરી દારૂ સપ્લાયરની શોધખોળ શરૂ કરી છે. એલસીબીએ દારૂ સહિત રૂા.17.52 લાખનો મુદ્દામાલ કબ્જે ર્ક્યો હતો.
ગોંડલ નજીક ભુણાવા ગામની સીમમાં ઉમિયાજી ઇન્ડસ્ટ્રીયલ ઝોન જીઆઇડીસી વિસ્તારમાં બંધ પ્લાસ્ટિક કારખાનામાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે ગ્રામ્ય એલસીબીના પી.આઇ. વી.વી.ઓેડેદરા અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં બુલેરો પીકપ વાહન જીજે 04 એટી 2497 નંબરની બોલેરોમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ઉપરાંત એલસીબીની ટીમે તપાસ કરતા પ્લાસ્ટિકના બંધ કારખાનામાં ઓરડીમાંથી દારૂનો અન્ય જથ્થો પણ મળી આવ્યો હતો. એલસીબીની ટીમે ગણતરી કરતા જુદી-જુદી બ્રાન્ડની રૂા.12.52લાખની કિંમતની 2412 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.
આ દારૂ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું કે, ભુણાવા ગામે ઉમિયાજી ઇન્ડ્રસ્ટીઝ ઝોનમાં આવેલા બંધ કારખાનાના તાળા તોડી આ દારૂનો જથ્થો ગોંડલના ભુણાવા ગામના ભુપેન્દ્રસિંહ ઉર્ફે ભુપી ગજેન્દ્રસિંહ જાડેજા અને ગોંડલના મહાકાળી નગરમાં રહેતા કૌશિક યોગેશ અગ્રવત બુટલેરોએ છુપાવેલ હોવાનું જાણવા મળતા બન્નેની ધરપકડ કરવામાં આવી હતી.
આ દારૂનો જથ્થો ક્યાંયથી લાવયા તે માટે રિમાન્ડ ઉપર પૂછપરછ કરવામાં આવી છે.રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ, તથા ડીઆઇજી જયપાલસિંહ રાઠૌડની સુચના અને માર્ગદર્શન હેઠળ એલસીબીના પી.આઇ. વી.વી.ઓડેદરા સાથે પો.પીએસઆઇ તથા એ.એસ.આઇ. બાલકૃષ્ણ ત્રિવેદી, અમિતસિંહ જાડેજા, અનિલભાઇ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, વાઘાભાઇ આલ, ધર્મેશભાઇ બાવળીયા, રસિકભાઇ જમોડ, મહીપાલસિંહ ચુડાસમા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
-
ક્રાઇમ2 days ago
ખંભાળિયામાં સગીર ભત્રીજા દ્વારા ફઈ પર દુષ્કર્મ
-
રાષ્ટ્રીય2 days ago
બહુચરાઈ હિંસાના આરોપીઓ આવ્યા સામે,મુખ્ય આરોપી સરફરાઝનું એન્કાઉન્ટર,નેપાળ ભાગી રહ્યા હતા
-
ગુજરાત2 days ago
કોઈનો દોષનો ટોપલો કોઈના ઉપર મુકતા નહીં, નોટ લખી યુવાનનો આપઘાત
-
ગુજરાત2 days ago
વાગુદડના ધમાલિયા સાધુના આશ્રમ પર બુલડોઝર ફર્યું
-
ગુજરાત14 hours ago
ભીમા દુલાની વાડીમાંથી શસ્ત્રોનો જથ્થો, 1 કરોડ રોકડા ઝડપાયા
-
ગુજરાત2 days ago
ફેરિયાઓના ત્રાસ સામે વેપારીઓનો આક્રોશ, ઉગ્ર આંદોલનની ચીમકી
-
ગુજરાત2 days ago
સાયબર ક્રાઇમના છેતરપિંડીના ગુનામાં નાસતો-ફરતો શખ્સ રાજસ્થાનથી ઝડપાયો
-
ગુજરાત2 days ago
રાજકોટ શહેર-જિલ્લાના 22 નાયબ મામલતદારોની બદલી