Connect with us

ગુજરાત

જુદા જુદા ત્રણ ચેક પરત ફરવાના કેસમાં આરોપીને એક-એક વર્ષની જેલ

Published

on


સરધારમાં રહેતા આરોપીએ મિત્રતાના દાવે લીધેલા રૂૂ.14 લાખની ચુકવણી માટે આપેલા ત્રણેય ચેક પરત ફરવાના ગુનામાં અદાલતે આરોપીને એક એક વર્ષની કેદ અને રૂૂ.14 લાખના બદલે રૂૂ.21 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે આ કેસની હકીકત મુજબ સરધારમાં રહેતા મયુરસિંહ ચંદ્રસિંહ જાડેજાએ મિત્રતાના દાવે મહિપાલસિંહ હેમંતસિંહ જાડેજા પાસેથી રૂૂ.14 લાખ હાથ ઉછીના લીધા હતા.


જે રૂૂપિયાની ચુકવણી માટે મયુરસિંહ જાડેજા જુદા જુદા ત્રણ ચેક આપ્યા હતા. જે ત્રણેય ચેક વગર વસૂલાતે પરત ફરતા ફરિયાદી મહિપાલસિંહ જાડેજાએ નોટીસ પાઠવી હતી જે નોટીસ બજી જવા છતાં રૂૂપિયાની ચુકવણી નહીં કરતા મહિપાલસિંહ જાડેજાએ મિત્ર મયુરસિંહ જાડેજા વિરુદ્ધ અદાલતમાં ચેક પરત ફર્યાની ફરિયાદ દાખલ કરી હતી.


જે કેસ પડધરી કોર્ટમાં ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની રજૂઆત બાદ ફરિયાદી વતી રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈ અદાલતે આરોપી મયુરસિંહ ચંદ્રસિંહ જાડેજાને જુદા જુદા ત્રણ ચેક રીટર્ન કેસમાં તકસીરવાન ઠેરવી એક એક વર્ષની કેદ અને રૂૂ.14 લાખના બદલે રૂૂ.21 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.


આ કેસમાં ફરિયાદી તરફે રાજકોટના યુવા એડવોકેટ કુલદીપસિંહ બી. જાડેજા, જ્યોત્સનાબા પી. જાડેજા, શિવરાજસિંહ ઝાલા, રવિરાજસિંહ પરમાર, હેતલ ભટ્ટ, રિંકલ પરમાર અને ભૂમિલ સોલંકી રોકાયા હતા.

અમરેલી

ઈકોસેન્સેટિવ ઝોન મુદ્દે ખેડૂતોની વહારે આવતા પૂર્વ કાયદામંત્રી દિલીપ સંઘાણી

Published

on

By

માણસને સ્વબચાવનો અધિકાર છે, શું ખેડુતો, મજુરો જંગલી પ્રાણીની હત્યા કરે છે? વન્ય પ્રાણીઓએ કેટલા માણસોનો ભોગ લીધો? સંઘાણી

અમરેલી જિલ્લામા સાવરકુંડલાના એક કાર્યક્રમમાં ઇકોસેન્સેટિવ ઝોન મુદ્દે ઇફકોના ચેરમેન અને ભાજપ નેતા અને પૂર્વ કાયદામંત્રી દિલીપ સંઘાણી ખૂલીને બોલ્યા છે. તેમણે જણાવ્યું કે ઇકોસેન્સેટિવ ઝોન મુદ્દે કોડીનાર તાલાલા ગીર વિસ્તારના કિસાન સંઘના ખેડૂતો દિલીપ સંઘાણીને મળ્યા હતા. જે મોટુ સંમેલન કરવાના છે.
વનવિભાગ કે અન્ય લોકો ખેડૂતોને ડરાવા માંગતા હોય, જેલમાં પુરી દેવાની વાતો કરતા હોય તો સીઆરપીસીની કલમ 93,104,103,માં જોગવાઈ છે. માણસને જાન માલ મિલકત જોખમ હોય છે, ત્યારે સામા વ્યક્તિનો જાન લેવો તે સ્વબચાવ અધિકાર આપ્યો છે. ત્યારે ખેડૂતો મજૂર કામ કરતા પર વન્યપ્રાણી હુમલો કરે જાન લે ત્યારે મારે જંગલી પુશું બચાવનાર વ્યક્તિઓને મારે પૂછવું છે.


છેલ્લા બે વર્ષમાં ખેડૂતો મજદૂરો ખેતરમાં કામ કરતા લોકો દ્વારા કેટલા જંગલી પ્રાણીની હત્યાઓ થઇ? કેટલાને નુકસાન થયું છે?..દિલીપ સંઘાણીએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા 2 વર્ષમાં 39 જેટલા લોકોના મૃત્યુ જંગલી વન્યપ્રાણીના હુમલાના કારણે થયા છે. 239 જેટલા લોકોને ગંભીર ઇજાઓ થઈ છે. જો માણસ માટે સ્વબચાવનો અધિકાર હોય તો જંગલી પ્રાણી માટે કેમ નહિ.. આવા અનેક મુદાઓ સાથે અમારી વિચારમંચ પર અમારી રજૂઆતો ચાલુ છે. આ વિચારોના આધારે સરકારએ નિયમોમાં ફેરફાર કરવા જોઈએ.


ઇકોઝોન મુદ્દે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે ઇકોઝોન મુદ્દે ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢના ખેડૂતો સંગઠનો દ્વારા આવેદન પત્ર આપી રોષ વ્યક્ત કરી વિરોધ નોંધાવયા બાદ આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે. ઠેર ઠેર વિરોધ ખેડૂતો કરી રહ્યા છે તેવા સમયે ખેડૂતો ઇકોઝોન અટકાવવા માંગ વચ્ચે દિલીપ સંઘાણી ખેડૂતોની વ્હારે આવ્યા છે.

Continue Reading

ગુજરાત

વિશ્ર્વમાં પ્રથમ વખત 9 વર્ષીય બાળકીના હાથનું ટ્રાન્સપ્લાન્ટ

Published

on

By

સુરતની રિયાએ ડોનેટ કરેલા હાથથી 15 વર્ષીય કિશોરી ભાઈને બાંધશે રાખડી
વીજ કરંટ લાગતા ખભા સુધીનો હાથ ગુમાવનાર મુંબઈની કિશોરીને જીવનમાં સર્વસ્વ પાછું મળી ગયું

સપ્ટેમ્બર મહિનામાં સુરતની કિરણ હોસ્પીટલમાં બ્રેઈનડેડ જાહેર કરાયેલી 9 વર્ષીય સ્વ. રિયા બોબી મિસ્ત્રીના હાથનું દાન ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી કરાવવામાં આવ્યું હતું. જે સમગ્ર વિશ્વમાં સૌથી નાની ઉમરની એટલે કે 9 વર્ષની બાળકીના હાથનું દાન કરવાની સૌ પ્રથમ ઘટના હતી. મિસ્ત્રી પરિવારે પોતાની વ્હાલસોયી 9 વર્ષીય દીકરી સ્વ. રિયાના હાથ સહીત ફેફસાં, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન આપ્યું હતું.


દાન કરાયેલા સ્વ. રિયાના જમણા હાથનું ટ્રાન્સપ્લાન્ટ ગોરેગાવ, મુંબઈની રહેવાસી 15 વર્ષીય કિશોરીમાં મુંબઈની ગ્લોબલ હોસ્પીટલમાં ડો. નિલેશ સાતભાય અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતું. ખભાના સ્તરથી વિશ્વનું આ સૌ પ્રથમ ટ્રાન્સપ્લાન્ટ હતું. આ કિશોરી હાલમાં મુંબઈમાં ધોરણ 11 માં અભ્યાસ કરે છે. તેના માતા-પિતાનું તે એક માત્ર સંતાન છે. તેના પિતા એડવરટાઈઝીંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે.


આ કિશોરી 30 ઓક્ટોમ્બર 2022ને દિવસે અલીગઢ, ઉત્તરપ્રદેશમાં તેની પિતરાઈ બહેન સાથે અગાસીમાં રમતી હતી, ત્યારે અકસ્માતે 11000 કિલોવોટ નો વાયર પકડી લેતા તેના બંને હાથ દાજી ગયા હતા. જમણા હાથમાં ગેગરીન થઈ જવાને કારણે તેનો જમણો હાથ ખભાના સ્તર થી કાપી નાંખવો પડ્યો હતો. ડાબા હાથમાં પણ ઘણી બધી ઈજાઓ થવાથી ડાબા હાથનું કાર્ય પણ ખુબ જ ઓછું થઇ ગયું હતું.


ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાળા અને ડોનેટ લાઈફની ટીમે મુંબઈની ગ્લોબલ હોસ્પીટલમાં અંગદાતા સ્વ. રિયા બોબી મિસ્ત્રીના જમણા હાથનું ટ્રાન્સપ્લાન્ટ જે કિશોરીમાં કરવામાં આવ્યું હતું તે કિશોરી અને તેના પરિવારની મુલાકાત લઈ તેને મળેલ નવજીવન અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે શુભકામના પાઠવી હતી. ખભાના સ્તરના ટ્રાન્સપ્લાન્ટ પછી, તે કિશોરીને તેના જીવનમાં સર્વસ્વ પાછુ મળી ગયું હોય એવી લાગણી અનુભવતી હતી.


ડોનેટ લાઈફની ટીમ સાથેની વાતચીતમાં તે કિશોરીના માતા-પિતાએ સ્વ. રિયાના માતા-પિતાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓના નિર્ણયને કારણે આજે અમારી દીકરીને જમણો હાથ મળ્યો છે અને તેના જીવનમાં ખુશાલી આવી છે. સ્વ. રિયાના પરિવાર નો આભાર માનવા માટે અમારી પાસે કોઈ શબ્દ નથી. અમે તેઓને નતમસ્તક નમન કરીએ છીએ.તે કિશોરી એ જણાવ્યું હતું કે, ખભાના સ્તરથી મારું ટ્રાન્સપ્લાન્ટ થવાથી મારો આત્મવિશ્વાસ વધ્યો છે, મારા જીવનમાં નવી ખુશાલી આવી છે. સ્વ. રિયાનો પરિવાર પણ મારો જ પરિવાર છે. સ્વ. રિયાના હાથના દાનને કારણે મારા જમણા હાથનું ખભાના સ્તર થી ટ્રાન્સપ્લાન્ટ થયું, તે હાથ થી આવતા વર્ષે રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે સ્વ. રિયાના ભાઈને રાખડી બાંધીશ.


ડોનેટ લાઈફ સંસ્થાનો આભાર વ્યક્ત કરતા તે કિશોરી અને તેના માતા-પિતા એ જણાવ્યું હતું કે, ડોનેટ લાઈફ સંસ્થા સમાજમાં અંગદાનની જનજાગૃતિ ફેલાવીને, અંગદાન કરાવવાનું જે કાર્ય કરે છે, તેને કારણે અમારી પુત્રી જેવા અન્ય દર્દીઓને નવજીવન આપવા માટે ડોનેટ લાઈફ સંસ્થા એક માધ્યમ છે. આ જ રીતે સમાજમાં અંગદાનની વધુને વધુ જનજાગૃતિ ફેલાવીને વધુને વધુ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવુજીવન આપતા રહો તેવી લાગણી પણ તેઓએ વ્યક્ત કરી હતી.

Continue Reading

ગુજરાત

દિવાળી ફળી: પાંચ દિવસમાં એસટીમાં 9.60 કરોડની એડવાન્સ ટિકિટ બુક

Published

on

By

દૈનિક 75 હજારથી વધુ ટિકિટનું થતું બુકિંગ

દિવાળીમાં આ વર્ષે એસટી બસોના એડવાન્સ ટિકિટ બુકિંગમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. તા.9 થી 13 ઓક્ટોબરના છેલ્લા પાંચ દિવસમાં જ 9.60 કરોડની કિંમતની કુલ 3,97,290 ટિકિટો એડવાન્સમાં બુકિંગ થઈ જવા પામી છે. મુસાફરોના મિજાજ જોતા આ વર્ષે દિવાળીના તહેવારમાં અતિભારે ધસારો જોવા મળશે.
હાલ અમદાવાદ ગીતા મંદિર સ્ટેશને રોજની પાંચકે હજાર ટિકિટો કાઉન્ટરો પરથી એડવાન્સ બુક થઈ રહી છે. જેના માટે મુસાફરોના ભારે ધસારા વચ્ચે પડાપડીના દૃશ્યો જોવા મળી રહ્યા છે. અમદાવાદમાંથી સૌરાષ્ટ્ર તરફ સૌથી વધુ બુકિંગ થયા હોવાનું જાણવા મળે છે. સુરતથી સૌરાષ્ટ્ર તરફ તેમજ અમદાવાદ અને સુરતથી દાહોદ-ગોધરા માટેના બુકિંગ વધારે છે. ગત તા. 13 ઓક્ટોબરે એક જ દિવસમાં 83,576 ટિકિટો બુક થઇ હતી. જેના થકી નિગમને 1.97 કરોડની જંગી આવક થવા પામી હતી.


સામાન્ય દિવસોમાં રોજ 55 હજારથી 60 હજાર ટિકિટોનું એડવાન્સ બુકિંગ થતું હોય છે, પરંતુ હાલમાં રોજની 75 હજારથી વધુ ટિકિટો બુક થઇ રહી છે. ગત તા. 9 ઓક્ટોબરે 77,401 ટિકિટ બુક થઇ હતી. તેવી જ રીતે અનુક્રમે તા. 10ના રોજ 75,637 તા. 11ના રોજ 77,607 તા. 12ના રોજ 83,069 ટિકિટ બુક થઇ હતી. હાલ ઓનલાઇન એપ અને વેબસાઇટ પરથી બુકિંગ કરવા પર એક ટકો ડિસ્કાઉન્ટ મળતું હોય છે. બીજી તરફ સ્ટેશનો પર જઇને કાઉન્ટરો પરથી પણ બુકિંગ કરાવવા માટે મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે.

Continue Reading
આંતરરાષ્ટ્રીય40 seconds ago

કેલિફોર્નિયામાં બેફામ દોડતી ટેસ્લા કાર ઘરમાં ઘુસી સળગી, ગુજરાતીનું મોત

અમરેલી1 min ago

ઈકોસેન્સેટિવ ઝોન મુદ્દે ખેડૂતોની વહારે આવતા પૂર્વ કાયદામંત્રી દિલીપ સંઘાણી

રાષ્ટ્રીય4 mins ago

બંગાળની ખાડીમાં લો પ્રેસર ચક્રવાતમાં ફેરવાયું, આંધ્રપ્રદેશ-પુડુચેરીમાં વાવાઝોડું

ગુજરાત4 mins ago

વિશ્ર્વમાં પ્રથમ વખત 9 વર્ષીય બાળકીના હાથનું ટ્રાન્સપ્લાન્ટ

આંતરરાષ્ટ્રીય5 mins ago

ટ્રુડોનું શિર્ષાસન, પુરાવા વગર ભારત પર આરોપ લગાવ્યાની કબુલાત

ગુજરાત8 mins ago

દિવાળી ફળી: પાંચ દિવસમાં એસટીમાં 9.60 કરોડની એડવાન્સ ટિકિટ બુક

રાષ્ટ્રીય19 mins ago

નશાબંધી રાજ્ય બિહારમાં લઠ્ઠાકાંડ!! ઝેરી દારૂના કારણે અત્યાર સુધીમાં 20ના મોત

Sports26 mins ago

ભારતે બીજા દિવસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો લીધો નિર્ણય,જાણો બંને ટીમોની પ્લેઈંગ ઈવેંટ

રાષ્ટ્રીય31 mins ago

આ વ્યક્તિ હશે સુપ્રીમ કોર્ટના આગામી મુખ્ય ન્યાયાધીશ, જસ્ટિસ ચંદ્રચૂડે કરી આ નામની ભલામણ

રાષ્ટ્રીય39 mins ago

હવે દેશમાં કાયદો ‘આંધળો’ નથી!!! ન્યાયની દેવીની આંખો પરથી પટ્ટી હટાવાઈ અને હાથમાં તલવારના બદલે બંધારણ

આંતરરાષ્ટ્રીય2 days ago

SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા

ક્રાઇમ2 days ago

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો

રાષ્ટ્રીય17 hours ago

10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની

આંતરરાષ્ટ્રીય18 hours ago

નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ

આંતરરાષ્ટ્રીય2 days ago

પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ

આંતરરાષ્ટ્રીય2 days ago

ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા

ગુજરાત2 days ago

પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ

ગુજરાત2 days ago

આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત

આંતરરાષ્ટ્રીય2 days ago

ઇજિપ્તમાં વિદ્યાર્થીઓને લઇ જતી બસનો અકસ્માત, 12 લોકોનાં મોત, 33 ગંભીર

ગુજરાત2 days ago

વીજચોરી અંગે તપાસમાં ગયેલા પીજીવીસીએલના કર્મચારી ઉપર છેડતીનો આરોપ મૂકી હુમલો

Trending