અમરેલી
વડિયા ગ્રામપંચાયતમાં સામાજિક ન્યાય સમિતિની બેઠકમાં હોબાળો મચ્યાનો વીડિયો વાઇરલ
પંચાયત સૂત્રોની પક્ષપાતી કામગીરીથી લોકોમાં રોષ
અમરેલી જિલ્લાના વડિયામાં ગ્રામપંચાયત માં વડિયા ના એક જાગૃત નાગરિક દ્વારા માહિતી અધિકાર અધિનિયમ મુજબ છેલ્લા ચાર વર્ષમાં થયેલા કામોની સંપૂર્ણ માહિતી સાથે સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન અને તેમની મિટિંગો ની માહિતી તેમાં ઉપસ્થિત સભ્યો ની સાહીના નમૂના સાથે માંગતા મહિલા સદસ્યોં ના પતિદેવો અને દીકરાઓ થી ચાલતા વહીવટ માં ગરમાવો જોવા મળી રહ્યો છે.
આ જાગૃત નાગરિક સંતોષભાઈ સોંદરવા ની જાગૃતતા ના કારણે વડિયા ગ્રામપંચાયત દ્વારા સામાજિક ન્યાય સમિતિ ની મિટિંગ તાત્કાલિક આયોજિત કરવાની ફરજ પડી હતી આ મિટિંગ ની જાણ વડિયા ના આ જાગૃત નાગરિકોને થતા તે સમગ્ર અનુ. જાતિ વિસ્તારના જાગૃત યુવાનોને જાણ કરી એક સાથે આ મિટિંગ માં રજુવાતો અને અનુ. જાતિ માટેની ગ્રાન્ટ ના કામની ઉઘરાણી કરવા લાગતા તેમણે તે સભામાંથી બહાર નીકળવાનું કહેવામાં આવતા ગ્રામપંચાયત માં તલાટી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સહીત અન્ય સભ્યો સાથે ઉગ્ર બોલાચાલી નો વિડિઓ વાઇરલ થયા હતા જેમા વડિયા ગ્રામપંચાયત દ્વવારા અનુ. જાતિ વિસ્તાર ને કરવામા આવતા અન્યાય બાબતે ઉગ્ર રાજુવાતો થયેલી જોવા મળી હતી .
આ સમયે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મુન્નાભાઈ બાદશાહ એ રાજીનામું આપવાની તૈયારી દર્શાવતો વિડિઓ પણ વાઇરલ થયો હતો. આ જાગૃત નાગરિકો દ્વારા સામાજિક ન્યાય સમિતિની બેઠક માં અનુ. જાતિ ના લોકો માટેના અંતિમધામ ના વિકાસ માટે રસ્તા, લાઈટ, પાણી દીવાલ સહીત ની માંગણીઓ મુકતા સમગ્ર કેમ્પસ માં ગરમાવો આવતો જોવા મળ્યો હતો.જોકે વડિયા ગ્રામપંચાયત માં વર્તમાન સરપંચ અને તેમની સમગ્ર સભ્યોની બોડી માં કોઈ વિકાસલક્ષી કાર્યો તેમના કાર્યકાળ માં થતા ના હોવાથી લોકોમાં પણ ઉગ્ર નારાજગી જોવા મળી રહી છે સાથે જે ગણ્યા ગાંઠ્યા રસ્તાઓ બન્યા છે તે વર્તમાન હોદેદારો ના પરિવાર ના સભ્યોના પગ ખરાબ ના થાય તેવા હેતુથી બન્યા હોવાથી ચૂંટાયેલા લોકોના પરિવારના સભ્યોને જ તેનો લાભ મળી રહ્યો છે તો વડિયા ની મુખ્ય બજારોમાં પણ ચોમાસામાં લોકો કાદવ કીચડ થી પરેશાન થતા અને પંચાયત સામે રોષ ઠાલવતા જોવા મળી રહ્યા છે.
ત્યારે વડિયા ગ્રામમ મુખ્ય રસ્તાઓ બનાવે તેવુ નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા ના લોકદરબાર માં પણ પ્રશ્ન રજુ કરાયા હતા ત્યારે વડિયા માં પાયાની સુવિધાઓ માં નેતાઓના ઘર ના રસ્તાઓને બદલે મુખ્ય રસ્તા નુ નવીનીકરણ થાય તેવી વડિયા ના લોકોની માંગણી જોવા મળી રહી છે. આ બાબતે બિસ્માર રસ્તાઓને લઈને વડિયા વિકાસ સમિતિ નામની સંસ્થાએ પણ ઉચ્ચ કક્ષાએ રજુવાત કરી છે.આવનારા દિવસોમાં જો કોઈ વિકાસ કર્યો થાય નહિ તો વડિયા ના જાગૃત નાગરિકો વર્તમાન પંચાયત બોડી સામે આંદોલન છેડે તો નવાઈ નહિ.
અમરેલી
જાફરાબાદના સનખડા ગામે નદીમાં નાહવા પડેલા યુવાનનું ડૂબી જતાં મોત
દસેક મિત્રો સાથે માલણ નદીમાં નાહવા પડતા પાણીમાં ગરકાવ થયો હતો
મૂળ અમરેલી જિલ્લા નાં જાફરાબાદ તાલુકાના જયદિપ વાધેલા નામનો 20 વર્ષિય યુવક પોતાના સનખડા ગામે થી અભ્યાસ કરવા આવતા યુવાનો સાથે મિત્રતા કેળવી હોય અને ઉના નાં સનખડા ગામે ભાદરવી પૂનમનો ભવ્ય મેળો ભરાય છે તે માણવા મિત્રો ની સાથે સનખડા ગામે આવેલ હતો બપોરના સમયે દશ બાર મિત્રો માલણ નદી માં નાહવા ગયેલ આ દરમિયાન જયદિપ વાધેલા શ્મશાન નજીક આવેલા ઊંડા ભુવા નાં પાણીમાં તણાવવા લાગતાં ડૂબવા લાગ્યો હતો અને બુમાબુમ પાડતાં તેનાં મિત્રો દ્વારા બચાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ રાવલ નદીમાં પાણી નાં પ્રહાર ભારે વહેતાં હોવાનાં કારણે બચાવવો મુશ્કેલ બનતાં તાત્કાલિક ગામલોકો ને જાણ થતાં મોટીસંખ્યામાં લોકો નદી કાંઠે ઉમટી પડી પહેલાં તરવૈયા યુવાનો એ શોધખોળ કરતાં નિષ્ફળ રહ્યા હતા.
ત્યાર બાદ ત્યાં બંદોબસ્ત માં રહેલ પોલીસ એ નદી નાં કાંઠે ભેગા થયેલાં લોકો ને દુર કરી મામલતદાર અને ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા એન.ડી.આર.એફ ટીમ ને સ્થળે બોલાવી શ્મશાન નજીક તપાસ શરૂૂ કરતાં બે કલાક ની ભારે જહેમત બાદ આશાસ્પદ યુવાન જયદિપ વાધેલા ઉવ20 નાં મૃતદેહ ને પાણી માંથી બહાર કાઢીને સનખડા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી એમ માટે ખસેડવામાં આવ્યો હતો મૃતક જયદીપ વાધેલા નાં પરીવાર ને જાણ કરાતાં તે પણ જાફરાબાદ થી સનખડા દોડી આવ્યા હતા અને પોતાનાં લાડકવાયા જવાન જોધ દિકરા નાં મૃતદેહ ને જોતાં ભાગી પડ્યા હતાં અને શોકમય વાતાવરણ ફેલાયું હતું.
અમરેલી
જાફરાબાદના ટીંબી ગામે રૂા. 1.30 લાખનો શંકાસ્પદ ઘઉંના જથ્થા સાથે બે પકડાયા
જાફરાબાદ તાલુકાના ટીંબીમાથી પોલીસે વાહનમાથી ઘઉંની 40 બોરીનો શંકાસ્પદ જથ્થો કબજે લઇ બે શખ્સોની અટકાયત કરી 1.30 લાખનો મુદામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. નાગેશ્રી પોલીસ મથકના પીએસઆઇ પી.વી.પલાસ અને ટીમે ગત રાત્રીના પેટ્રોલીંગ દરમિયાન ટીંબીમાથી એક ટેમ્પો નંબર જીજે 08 વાય 5668ને અટકાવી તલાશી લીધી હતી.
ટેમ્પોમા ઘઉંની 40 બોરી કુલ બે હજાર કિલો ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે પોલીસે પુછપરછ કરતા કોઇ આધાર પુરાવા વગરનો હોય પોલીસે ટીંબીમા રહેતા મુસ્તાક ઉર્ફે બાપુ જુમાશા પઠાણ અને આરીફશા સુલેમાનશા કનોજીયા નામના શખ્સોની અટકાયત કરી હતી. પોલીસે ઘઉંનો જથ્થો તેમજ વાહન મળી કુલ રૂૂપિયા 1.30 લાખનો જથ્થો કબજે લીધો હતો અને બીએનએસએસ કલમ 35(1) ઇ 106 મુજબ કાર્યવાહી કરી હતી.
અમરેલી
અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ
અમરેલીમા કુંકાવાવ રોડ પર ભારતનગર વિસ્તારમા રહેતી એક સગીરા પોતાના ઘરે એકલી હતી ત્યારે કૌટુંબિક ભાઇએ જ એકલતાનો લાભ લઇ છરી બતાવી નદીના પટમા લઇ જઇ દુષ્કર્મ ગુજારી મારી નાખવાની ધમકી આપતા આ બારામા તેની સામે અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે.
સગીરા પર દુષ્કર્મની આ ઘટના અમરેલીમા કુંકાવાવ રોડ પર ભારતનગર વિસ્તારમા નદીના પટમા બની હતી. અહી રહેતી એક સગીરાએ અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યુ઼ હતુ કે તે બિમાર હોય મજુરીકામે ગઇ ન હતી અને ઘરે એકલી હતી ત્યારે તેના મોટાબાપુના દીકરા ભાઇ અબ્દુલ દિનમહમદ ઝુણેજા તેના ઘરે આવ્યો હતો.આ શખ્સે તેને છરી બતાવી બળજબરીપુર્વક સાથે લઇ ગયો હતો. આ શખ્સે નદીના પટમા તેના પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ અને છરી બતાવી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવની વધુ તપાસ પીઆઇ કે.બી.જાડેજા ચલાવી રહ્યાં છે.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય9 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
કચ્છ1 day ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો