ગુજરાત
જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉ.ની 21મી વર્ષગાંઠની અનોખી ઉજવણી
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ડાયાબિટીસ બાળકો માટે 21 વર્ષથી કાર્યરત જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન ડાયાબીટીસ બાળકો માટે આશીર્વાદરૂૂપ બની રહી છે. સંસ્થાના 21 માં સ્થાપના દિવસે ટાઈપ 1 ડાયાબિટીસ બાળકો માટે ચેક અપ અને અવેરનેસના કાર્યક્રમનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે VYOસંસ્થાના સંસ્થાપક વલ્લભકુલભૂષણ વૈષ્ણવચાર્ય ગોસ્વામી108 વ્રજરાજ કુમાર જી મહારાજ ઉપસ્થિત રહીને બાળકોને તેમના વાલીઓને મંગલ આશિષ પાઠવ્યા હતા તેમ જ આ કાર્યક્રમમાં જાણીતા ક્રિકેટર જયદેવ ઉનડકટ અને બ્રાન્ડ ઇન્ડિયા પ્રાચી નાગપાલ તેમજ ફિલ્મ અભિનેત્રી ઐશ્વર્યા સખુજા પણ ઉપસ્થિત રહીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.
આ કાર્યક્રમની શરૂૂઆતમાં જ વિશેષ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને ટાઈપ વન ડાયાબિટીસ પીડિત બાળકોના જીવનમાં ઉજાસ રૂૂપી તેજ પથરાય તે માટેની પ્રાર્થના કરવામાં આવી હતી તેમજ VYOસંસ્થાના સંસ્થાપક વલ્લભ સ્કૂલ ભૂષણ વૈષ્ણવવાચાર્ય ગોસ્વામી 108 વ્રજરાજ કુમાર મહારાજનું હાર પહેરાવી અને સાલ ઓઢાળીને સન્માન કરવામાં આવ્યું હતું જાણીતા ક્રિકેટ જયદેવ ઉનડકડ અને મિસ બ્રાન્ડ ઇન્ડિયા પ્રાચી નાગપાલ અને ફિલ્મ અભિનેત્રી ઐશ્વર્યા સખૂજા ને મોમેન્ટ આપીને સન્માનિત કર્યા હતા ત્યાં ઉપસ્થિત અતિથિ વિશેષ દ્વારા તત્વજ્ઞાન બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું તેમજ કેમ્પમાં ટાઈપ વન બાળકોને 2500 રૂૂપિયાને મૂલ્યની ડાયાબિટીસ કીટ આપવામાં આવી હતી ત્યારબાદ ડાયાબિટીસ થી પીડિત બાળકો માટે નિશુલ્ક મેગા ચેકઅપ કેમ્પ અને એવરનેસ કેમ્પ ની સાથે બાળકો અને પરિવારજનો માટે બપોરના ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં દાતાઓ દ્વારા દાનની વણઝાર કરવામાં આવી હતી જેમાં પ્રભુદાસ ભાઈ પારેખ શિલ્પા જ્વેલર્સ દ્વારા પાંચ લાખ કમલનયનભાઈ સોજીત્રા ગુજરાત મિરર ફાઉન્ડેશન દ્વારા એક લાખ શંભુભાઈ પરસાણા દ્વારા ત્રણ મહિના માટે 50 બાળકોને દતક લેવામાં આવ્યા હતા. તેમજ જયેશભાઈ ઝવેરી મુંબઈ થી એક લાખ, દિવ્યરાજસિંહ જાડેજા એક લાખ , હંસાબેન ઝવેરી મુંબઈ થી એક લાખ હેમંતભાઈ પટેલ દ્વારા 55555, ફર્ન હોટલ સંજયભાઈ ચંડી ભમમર દ્વારા 11111 ક્રિકેટર જયદેવ ઉનડકટ દ્વારા 51000 સહિતના દાતાઓ દ્વારા અનુદાન અર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અપુલભાઈ દોશી એ જણાવ્યું હતું કે બે દાયકા પહેલા આ સંસ્થા શરૂૂ કરવામાં આવી હતી.
આ સંસ્થામાં ટાઈપ વન ડાયાબિટીસથી પીડિત અત્યારે 2000 બાળકો છે બાળકો માટે મનોરંજન કાર્યક્રમ તેમજ અવેરનેસ અને એજ્યુકેશન પિકનિક જેવા અનેક 74 જેટલા કાર્યક્રમો કરવામાં આવ્યા છે આ સંસ્થા આર્થિક રીતે જરૂૂરિયાતમંદ 500 થી વધુ બાળકોને નિશુલ્ક સંપૂર્ણ સારવાર આપવામાં આવે છે તેમજ બાકીના દરેક બાળકોને તમામ સુવિધાઓમાંથી 40 થી 50 ટકા સુધી રાહત દરે સેવા આપવામાં આવે છે આગામી દિવસોમાં ટાઈપ વન ડાયાબિટીસ એજ્યુકેશનલ એન્ડ રિસર્ચ સેન્ટર સ્થાપવની ચર્ચા વિચારણા ચાલી રહી છે.
ડાયાબિટીસ બાળકો અને તેમના પરિવારો ને પ્રોત્સાહન આપવા માટે પ્રસિદ્ધ ક્રિકેટર જયદેવ ઉનટકટ જણાવ્યું હતું કે તમે તમારા બાળકને કોઈપણ રમતગમત ક્ષેત્રે જેમાં તેમને રસ હોય તેમાં જોડો આ ક્ષેત્રમાં જોડો મતદાન મત ક્ષેત્રે જોડાશે તો તે કમજોર નથી તેવું સ્વીકારતું થશે તમારા બાળકને પૂરું પ્રોત્સાહન આપો ટાઈપ વન ડાયાબિટીસ તમારી કમજોરી નથી તમારા એક ભાગ છે તેવું સ્વીકારી આગળ વધવું જોઈએ.
આ કાર્યક્રમમાં ફાલ્કન ગૃપના કમલ નયનભાઈ સોજીત્રાએ જણાવ્યું હતું કે હું સતત જીડીએફ ને મારો પરિવાર માનું છું અને આ પરિવારના બાળકનો હું મામા એટલે કે આ પરિવારના બાળક મારા ભાણેજ છે એટલા માટે જ હું કહું છું કે બાળકની સ્થિતિ ન જોતા તેમની ક્ષમતા જોવી જરૂૂરી છે તેમણે ઐશ્વર્યા અને પ્રાચી ધન્યવાદ માન્યો હતો અને આવા બાળકો ખુબ ખુબ જીવનમાં આગળ વધે એવી પ્રભુને પ્રાર્થના પણ કરી હતી અને તેમણે કહ્યું હતું કે અહીંયા ઉપસ્થિત મહાનુભાવો છે આ સંસ્થામાંથી કોઈ પણ બાળક ગ્રેજ્યુએટ અથવા તો એજ્યુકેશન પૂર્ણ કરી આવે તો ઉપયોગી થવું નોકરી ધંધા માટે ઉપયોગી થવું મિસ બ્રાન્ડ ઇન્ડિયા પ્રાચીબેન નાગપાલે જણાવ્યું હતું કે તમે ભૂલી જાવ કે તમે ટાઈપ વન ડાયાબિટીસ પીડિત છો એ તમારી કમજોરી નથી તેને તમારી તાકાત બનાવો હું દિવસમાં પાંચ વાર ઇન્સ્યુલીન લેવામાં કોઈપણ સ્થળ તે જગ્યાથી અચકાતી નથી કોઈપણ માતાએ કે બાળક કે ઇન્સ્યુલીન લેવામાં ક્યારે પણ કોઈ સ્થળ કે જગ્યાથી અચકાવવું નહીં આ બાળકોને ના માતા પિતાએ ગર્વથી કહેવું કે હું ટાઈપ વન બાળકની ના માતા પિતા છે.
ફિલ્મ અભિનેત્રી એશ્વર્યા સખુંજાએ જણાવ્યું હતું કે હું ગર્વથી કહું છું ટાઈપ વન ડાયાબિટીસ છે પહેલા મને પણ ડર લાગતો હતો ઇન્સ્યુલન્સ લેવામાં પણ ડર લાગતો હતો અને સંકોચ પણ થતો હતો જ્યારે મને પ્રથમ વાર ખબર પડી કે મને ટાઈપ વન ડાયાબિટીસ છે ત્યારે હું ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને ઘણા ડોક્ટરોને બતાવ્યું હતું ત્યારે આખરે પરિણામ ટાઈપ વન ડાયાબિટીસ જ આવ્યું હતું ત્યારે ભગવાન થઈને પ્રગટ થયા હોય તેમ જેડીએફના સભ્યએ મને સમજાવ્યું હતું ત્યારથી જ હું જે ડી એફ સાથે જોડાયેલી છું જ્યારે સર્વપ્રથમ વાર ખબર પડે ત્યારે થોડું અઘરું લાગે પણ સમયની સાથે સાથે સરળ બની જાય છે.
આ કાર્યક્રમમાં VYOસંસ્થાના સંસ્થાપક વલ્લભ કુલ વિભૂષણ વૈષ્ણવવાચાર્ય ગોસ્વામી 108 વ્રજરાજ કુમાર મહારાજ બાળકોને આશીર્વાદ તેમજ આશીર્વાદ આપી અને બાળકો તેમજ તેના માતા પિતા નો ઉત્સાહ વધાર્યો હતો અને જણાવ્યું હતું કે જીડીએફ 20 વર્ષથી કાર્યરત સંસ્થા છે તેમને હું અભિનંદન પાઠવું છું પરંતુ જે બાળકને ટાઈપ વન ડાયાબિટીસ છે તેવા બાળકના માતા-પિતા આયોજક બની જાય તો સોનામાં સુગંધ ભળી જાય અહીં ઘણા એવા ડોક્ટર પણ ઉપસ્થિત છે જે નિશુલ્ક સેવા આપે છે માતા-પિતા બાળકના દર્દ ને સમજી શકે એ વાત ખરી છે પરંતુ શાસ્ત્રોમાં આધિ વ્યાધી અને ઉપાધિ આવા ત્રણ પ્રકારના દુ:ખ મનુષ્યને આવે છે તેવું કહેવામાં આવ્યું છે કૃષ્ણ ભગવાનની માતાને પણ દુ:ખ સહન કરવું પડ્યું હતું તેમજ સીતા માતાને પણ દુ:ખ સહન કરવું પડ્યું હતું તો આપણે તો મનુષ્ય માત્ર છીએ. ત્યારબાદ છેલ્લે VYOસંસ્થા દ્વારા એક લાખનું અનુદાન અને વ્રજરાજકુમારજી મહારાજ દ્વારા 50,000 નું અનુદાન આપવાની ઘોષણા કરી હતી ખાસ ઉપસ્થિત રહેશે.
આ સેવા કાર્યોમાં કમલનયનભાઈ સોજીત્રા (ફાલ્કન પંપ) પ્રભુદાસ પારેખ, ઇસુઝું મોટર ના જગતસિંહ જાડેજા, પ્રશાંત કાસ્ટિંગ વાળા શંભુભાઈ પરસાણા, ધીરુભાઈ સુવાગીયા હરીશભાઈ લાખાણી ,પરેશભાઈ રૂૂપારેલીયા ,પૃથ્વીરાજસિંહ જાડેજા મનીષભાઈ માડેકા જગદીશભાઈ કોટડીયા રાજુભાઈ પોબારુ ,પુનિતભાઈ ચોવટીયા કિશોરભાઈ ત્રિવેદી અને જીતેન્દ્રભાઈ અમલાણી મિતુલભાઈ મહેતા હિતેશભાઈ કક્કડ અમિતભાઈ ગઢીયા નવીનભાઈ શેઠ જયેશભાઈ ઝવેરી દેવાંગભાઈ માકડ મેહુલભાઈ રવાણી કિરીટભાઈ પટેલ હર્ષદભાઈ અદાણી ડોક્ટર મિલન પટેલ ડોક્ટર જે પી ભટ્ટ જયેશભાઈ ઉપાધ્યાય અનુપમભાઈ દોશી રમેશભાઈ ઠક્કર અરવિંદભાઈ શાહ વિપુલભાઈ દોશી અલ્પેશભાઈ કેસરિયા ડોક્ટર નિશાન ચોટાઈ ભરતભાઈ શાહ શાહ કુમારભાઈ દોશી નિલેશભાઈ ભોજાણી અતુલભાઇ દોશી અને બાળકોની લાઈફ લાઇન જેવા ડોક્ટરો નિલેશભાઈ દેત્રોજા ,ડોક્ટર કૌશલભાઈ શેઠ, ડોક્ટર પંકજભાઈ પટેલ, ડોક્ટર તપનભાઈ પારેખ, ડોક્ટર હર્ષભાઈ દુર્ગીયા ડોક્ટર ચેતનભાઇ દવે, ડોક્ટર સાગરભાઇ બરાસરા અને ડોક્ટર ઝલક શાહ ઉપાધ્યાય, ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.
આ કાર્યક્રમની અપૂર્વભાઈ દોશી અનીશભાઈ શાહ રોહિતભાઈ કાનાબાર હરિકૃષ્ણ પંડ્યા અમિત દોષી જય લાખાણી મિતેશ ગણતરા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય9 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
કચ્છ1 day ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો