ગુજરાત
જૂનાગઢ જિલ્લામાંથી સસ્તા અનાજના કાળાબજારનું નવતર કૌભાંડ
રેશનિંગની દુકાનોએથી વિતરણ બાદ ઘેર-ઘેર ફરી અનાજ ઉઘરાવી લેતી ટોળકીનો પર્દાફાશ
બિલખામાં ગોડાઉન ઉપર દરોડો, ટ્રક અને રૂા.9.25 લાખનો અનાજનો જથ્થો કબજે
જૂનાગઢ જિલ્લામાંથી રેશનિંગનુ અનાજ કાળાબજારમાં ઠાલવવાનુ નવતર કૌભાંડ જિલ્લા કલેકટર દ્વારા ઝડપીલેવામા આવ્યુ હતુ અને એક ગોડાઉનમાં છૂપાવવામાં આવેલ રૂા.9.25 લાખનુ અનાજ અને એક ટ્રક કબજે કરેલ છે.મળતી માહિતી મુજબ સસ્તા અનાજની દૂકાનોએથી વિતરણ થયા બાદ કૌભાંડકારો દ્વારા ઘેર-ઘેર જઇ રેશનિંગનું અનાજ એકત્ર કરવામા આવતુ હતુ જિલ્લા કલેકટરને આ રેકેટની જાણ થતા તેમણે વોચ ગોઠવી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
જુનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સરકારી અનાજની ગેરકાયદેસર લે વેચ થતી હોવાની તંત્રને ફરિયાદ મળી હતી. જેના આધારે જુનાગઢ કલેક્ટર ટીમ દ્વારા બીલખાથી ગેરકાયદેસર રીતે વેચાતું 6,59,100 અનાજ ટ્રક મળી કુલ 12,25,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
જૂનાગઢ જિલ્લા કલેક્ટરની સૂચનાથી પ્રાંત અધિકારી,જિલ્લા પુરવઠા અધિકારી જુનાગઢની ટીમ દ્વારા સરકારી અનાજનુ હબ ગણાતા બીલખામાં ગેરકાયદે અનાજના ગોડાઉનો પર દરોડા પાડવામાં આવ્યા હતા.જેમાં કેટલાક ઈસમો જિલ્લામાં વાજબી ભાવની દુકાને મળતું અનાજ વિતરણ થયાં બાદ ઘરે-ઘરે જઈ એકત્રિત કરી તેનો ગેરકાયદેસર વ્યાપાર કરતા હોવાની વાતની મળી હતી. જેને લઇ જુનાગઢ તંત્ર દ્વારા બિલખા ખાતે ગેરકાયદેસર વહેંચાતા અનાજના ગોડાઉન પર રેડ કરવામાં આવી હતી.
અગાઉ શહેરમાંથી છકડો રીક્ષા પકડી તેના આધારે પાદરિયામાં બે મોટા ગોડાઉન પકડી પાડવામાં આવેલ હતાં અને 5.37 લાખનું ગેરકાયદે સંગ્રહ કરેલું સરકારી અનાજનો જથ્થો સિઝ કરવામાં આવેલ હતો. આ રેશનકાર્ડ ધારકોના રેશનકાર્ડની માહિતી મેળવી તેમના રેશનકાર્ડ રદ કરવાની કાર્યવાહી ચાલુમાં છે. આ તપાસમાં પકડાયેલા ફેરિયાઓની ઊંડી તપાસના કરતા સમગ્ર ધંધાનું કેન્દ્રબિંદુ બિલખા હોવાનું સામે આવ્યું હતું.
જેને લઇ જિલ્લા કલેકટરની સૂચનાથી આવા ઈસમો પર સતત વોચ ગોઠવવામાં આવેલ હતી. બીલખા ખાતે ડીકોય ગોઠવવામાં આવેલ હતી. આ દરમિયાન એક ગોડાઉન ધારક ઈસમ ઈમ્તિયાઝ જીકરભાઈ ચોટલિયા તેના ગોડાઉનમાં ગેરકાયદેસર અનાજ આઇશર ટ્રકમાં ભરી અને બહાર વેચી દઈ સગે-વગે કરી નાખવાની ફિરાકમાં હતો. તે દરમિયાન સ્થળે પહોંચી જઈ અને અનાજ ભરેલો ટ્રક તથા ગોડાઉન ઝડપી લીધા હતા. તેઓને સદરહુ અનાજના જથ્થાની કાયદેસરતા બાબતે પુછપરછ કરતાં કોઈ પ્રકારના આધાર પુરાવા રજુ કર્યા ન હતા. જ્યારે જુનાગઢ તંત્ર દ્વારા ઘઉં-7350 કિલો કિંમત રૂૂ. 1,98,450,ચોખા-1750 કિલો કિંમત રૂૂ 68,250,ઘઉં+ચોખા(મિક્સ)- 16,900, કિલો 6,59,100 આમ જણસીની કુલ કિંમત 9,25,800,વાહન આઇશર કિંમત અંદાજિત 3,00,000 મળી કુલ રૂૂ 12,25,800 નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો.
ગુજરાત
ખંભાળિયા: સ્વચ્છતા-સેવાના મુદ્દે પટેલ હોસ્પિટલે મેળવ્યો પ્રથમ ક્રમાંક
ખંભાળિયામાં નગરપાલિકા તેમજ સરકારી તંત્ર દ્વારા સ્વચ્છતા સંદર્ભે વિવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. આ વચ્ચે ખંભાળિયા શહેરને સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ મળે તે માટે તંત્ર દ્વારા લોકોને અપીલ સાથે વિવિધ પ્રકારની ઝુંબેશ આદરવામાં આવી રહી છે. સાથે સાથે વિવિધ ધંધાકીય એકમોમાં પણ આ પ્રકારે લેવામાં આવતા પગલાં વચ્ચે ક્રમાંક સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે.
ખંભાળિયા શહેરમાં કાર્યરત વિવિધ હોસ્પિટલોમાં સ્વચ્છતા સહિતની બાબતે ચોક્કસ અધિકારીઓની ટીમ દ્વારા વિવિધ પ્રકારના સર્વેક્ષણ બાદ અત્રે જડેશ્વર રોડ ઉપર આવેલી પટેલ મેટરનીટી હોમ એન્ડ આઈવીએફ સેન્ટરને આ મુદ્દે પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. આ મુદ્દે પટેલ હોસ્પિટલના ડાયરેક્ટર ડો શાલીન પટેલ તથા ડો. બીજલબેન પટેલે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં સ્વચ્છતાને ખાસ પ્રાધાન્ય આપવામાં આવે છે. તે માટે અલગ અલગ કન્ટેનરો તેમજ ચોક્કસ સ્ટાફની નિયુક્તિ પણ કરવામાં આવી છે. હોસ્પિટલને પ્રાપ્ત થયેલા પ્રથમ ક્રમાંકમાં સ્વચ્છતા સાથે દર્દીઓને મળતી વિવિધ પ્રકારની જરૂરી સુવિધાઓ તેમજ સરકારના નિયમોની થતી ચુસ્ત અમલવારીને ધ્યાને લેવામાં આવે છે.
આ સર્વેક્ષણ સરકારના નિયત પ્રતિનિધિ તેમજ નગરપાલિકા સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. જેમાં આ હોસ્પિટલ માટે સિટીઝન ફીડબેકને પણ ધ્યાને લેવામાં આવ્યું હતું. સરકારના સ્વચ્છ ભારત મિશન ઉદ્દેશ સહિતની બાબતોને ધ્યાને લઈ અને પટેલ હોસ્પિટલને સ્વચ્છતા અને ચોખ્ખાઈ માટે આ સર્ટિફિકેટ સાંપળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલના ડાયરેક્ટર ડો. પટેલ દંપતી સામાજિક તેમજ સેવાકાર્યોમાં પણ અગ્રેસર રહે છે. સાથે સાથે સુવ્યવસ્થિત રીતે દર્દીઓની સેવા અને સરકાર દ્વારા આપવામાં આવેલા આ સર્ટિફિકેટ બદલ નગર નગરજનોએ તેમને અભિનંદન પાઠવ્યા છે.
ક્રાઇમ
ભાણવડમાં સહાયની બાકી ચુકવણી સંદર્ભે લાંચ લેતા આસિસ્ટન્ટ વર્ક મેનેજર ઝડપાયો
- રૂ. 3,500 ની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી લીધો –
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે સરકારની મનરેગા યોજનામાં બાકી ચુકવણી સંદર્ભ આસામી પાસેથી રૂપિયા 3,500 ની લાંચ લેતા કરાર આધારિત આસિસ્ટન્ટ વર્ક મેનેજર ઝડપાઈ ગયો હતો.
આ સમગ્ર પ્રકરણ અંગે સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ સરકારની રોજગાર અર્થની મનરેગા યોજનાની વિવિધ આશરે 266 યોજનાઓ પૈકી વાઢીયું ઘાસની વાવણી કરવા માટે એક આસામી દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સરકાર દ્વારા રૂપિયા 23,000 ની રકમ મંજૂર કરાઈ હતી. જે પૈકી રૂ. 14,000 ની રકમ અરજદારને મળી ગઈ હતી. જ્યારે બાકી રહેતા રૂ. 9,000 ની ચુકવણી માટે અરજદાર પાસેથી ભાણવડ તાલુકા પંચાયતમાં આસિસ્ટન્ટ વર્ક મેનેજર કરાર આધારિત તરીકે કામ કરતા મિહિર વી. બારોટ દ્વારા રૂ. 3,500 ની માંગણી કરવામાં આવી હતી.
લાંચની આ રકમ અરજદાર આપવા માંગતા ન હોવાથી તેમણે એન્ટી કરપ્શન બ્યુરો વિભાગનો સંપર્ક કર્યો હતો. જેને અનુલક્ષીને રાજકોટ એ.સી.બી. એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના વડપણ હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા એ.સી.બી. પી.આઈ. એસ.સી. શર્મા દ્વારા આ અંગે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં આજરોજ સવારે ભાણવડમાં જકાતનાકા પાસે આવેલી દ્વારકાધીશ પાન નામની દુકાન નજીક આરોપી મિહિર બારોટને ફરિયાદી પાસેથી રૂ. 3,500 ની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યો હતો.
આ બનાવે ભાણવડ સાથે જિલ્લાભરના સરકારી કર્મચારીઓમાં ભારે ચર્ચા જગાવી છે.
ગુજરાત
બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરવા ગયેલા યુવાનનું હાર્ટએટેક આવતા મોત
શહેરમાં થોડા સમય પહેલા જ પ્ર.નગર પોલીસ મથકમાં અરજી કરવા ગયેલા ફર્નિચરના વેપારીનું પોલીસ મથકમાં જ હાર્ટ એટેક આવતા મોત નીપજ્યાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે આવો જ એક વધુ બનાવ બી ડીવીઝન પોલીસ મથકમાં બનાવા પામ્યો છે. જેમાં મોરબી રોડ પર ન્યુ જલારામ સોસાયટીમાં રહેતો યુવાન દારૂડીયા સાથે માથાકુટ થતા બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ કરવા માટે ગયો હતો ત્યારે પોલીસ મથકમાં જ એકા એક ગભરામણ થતા ઢળી પડ્યો હતો. જેથી પોલીસ સ્ટાફ દ્વારા સીપીઆર આપવામાં આવ્યું હતું. આમ છતાં, તેનો જીવ બચ્યો ન હતો. આ બનાવથી છ વર્ષની પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર જકાતનાકા પાસે આવેલી ન્યુ જલારામ સોસાયટીમાં રહેતા અલ્પેશ અરજણભાઇ દામાણી (ઉ.વ.36) નામનો યુવાન તેના પિતારાઇ ભાઇ અમીતભાઇ સાથે ગઇકાલે રાત્રે બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ કરવા માટે ગયો હતો ત્યારે અચાનક તેને છાતીમાં ગભરામણ થયા બાદ પોલીસ મથકમાં જ ઢળી પડતા ત્યાં હાજર પોલીસ સ્ટાફ દ્વારા યુવાનને સીપીઆર આપવામાં આવ્યા હતા. પરંતુ તે ભાનમાં ન આવતા તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને જોઇ તપાસી મૃત જાહેર કર્યો હતો. હાર્ટએટેક આવતા મોત નીપજ્યું હતું.
પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન બે ભાઇ ત્રણ બહેનમાં વચેટ અને ઇમીટેશનનું કામ કરતો હતો તેને સંતાનમાં છ વર્ષની પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં તે ગઇકાલે રાત્રે ઘર નજીક આટો મારવા નીકળ્યો હતો ત્યારે અજાણ્યો શખ્સ શેરીમાં દારૂ પીતો હોય તેની પાસેથી નીકળતા આ શખ્સે ‘તારે અહીંથી નીકળવાનું નહીં’ કહીને માથાકુટ કરી ઝાપટ મારી હતી. જેથી તેઓ પિતરાઇ ભાઇ સાથે આ શખ્સ વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે જ હાર્ટએટેક આવતા તેમનું મોત નીપજ્યું હતુ.ં
-
ગુજરાત7 hours ago
સોમનાથમાં બુલડોઝર કાર્યવાહી મામલે મુસ્લિમ પક્ષને કોઈ રાહત નહીં, SCએ કહ્યું – જમીનનો કબજો સરકાર પાસે જ રહેશે
-
ગુજરાત1 day ago
ગુરુપુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદીનું શુકન સાચવતા ગ્રાહકો
-
ગુજરાત1 day ago
કૃષિ રાહત પેકેજ આવકાર્ય પણ સમયસર ચૂકવાય તો ખેડૂતોને શિયાળુ પાકમાં કામ આવે
-
ગુજરાત1 day ago
રાજકોટ જેલના કેદીઓની કામગીરીની પ્રશંસા કરતું રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ
-
ગુજરાત1 day ago
ડિપાર્ટમેન્ટના અધ્યાપકોને હાંસિયામાં ધકેલી કોલેજોના આચાર્યોને બનાવાયા ભવનના વડા
-
ગુજરાત1 day ago
વેજાગામ-વાજડી-સોખડા-મનહરપુર સહિત 3 ટીપી સ્કીમનો મુસદ્દો જાહેર
-
ગુજરાત1 day ago
CBSC દ્વારા ધો.10 અને 12ની પ્રેેક્ટિકલ પરીક્ષા તા.1 જાન્યુઆરીથી શરૂ
-
ગુજરાત1 day ago
ગંદકી સબબ 40 વેપારીઓ પાસેથી મનપાએ રૂા.19150નો દંડ વસુલ્યો