ગુજરાત
6 દિવસની બાળકીએ 4 લોકોને આપ્યું નવજીવન
સુરત શહેરમાં માત્ર 6 દિવસના બાળકના 5 અંગોનું દાન કરવામાં આવ્યું છે. 6 દિવસના બાળકના લીવર, બંને કીડની અને બંને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતું. બાળકના અંગદાનથી 4 લોકોને જીવન મળ્યું છે.
દેશનો આ ત્રીજો કિસ્સો છે જેમાં નાના બાળકનું અંગદાન કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક ગામના વતની અને હાલમાં સુરતના વેલંજા સ્થિત સુખશાંતિ સોસાયટીમાં મયુરભાઈ ઠુંમર પરિવાર સાથે રહે છે અને તેઓ પ્લંબિંગનું મજુરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
ગત તા. 23/09/2024 સોમવારના રાત્રે 8:24 વાગ્યે મયુરભાઈની પત્ની મનિષાબેને નોર્મલ ડિલીવરી સાથે કામરેજની હોસ્પિટલમાં બેબીનો જન્મ થયો હતો જ્યાંથી બાળકીને સારવાર અર્થે સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત ડાયમંડ હોસ્પીટલમાં ગઈંઈઞ વિભાગમાં ખસેડવામાં આવી હતી. આ દરમ્યાન તા. 27/09/2024નાં રોજ તબીબોએ બેબીને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવી હતી.
બાળકના અંગદાન માટે પરિવારજનોની સંમતી મળતા ગુજરાત સરકારની સોટો સંસ્થાના નો સંપર્ક કરી, ડાયમંડ હોસ્પિટલ માંથી સોટોમાં રજિસ્ટ્રેશનની પ્રોસેસ શરૂૂ કરાવવામાં આવી હતી. સોટો ગુજરાત દ્વારા લીવર – નાણાવટી હોસ્પિટલ, મુંબઈ અને બન્ને કિડની- ઈંઊંઉછઈ, અમદાવાદ, બંને ચક્ષુ- લોક્દ્રષ્ટિ ચક્ષુબેંક, અમદાવાદ એલોકેશન કરવામાં આવ્યું હતું.
પી.એમ.ગોંડલિયા અને વિપુલ તળાવીયાએ જણાવ્યું હતું કે, આ 18મુ અંગદાન સંસ્થાના માધ્યમથી કરાવવામાં આવ્યું હતું. વિશેષમાં વિપુલ તળાવીયાએ જણાવ્યું હતું કે અંગદાન માટે ઠુંમર પરિવાર દ્વારા અમારી સંસ્થા ઉપર અતૂટ વિશ્વાસ મૂકીને જૂની માનસિકતાઓથી દુર થઈ અંગદાન જાગૃતિના અભિયાનમાં સમગ્ર પરિવારના મોભી તથા યુવાનો સામેલ થયા હતા.
અગાઉ 100 કલાકના બાળકનું અંગદાન અને 120 કલાકના બાળકનું અંગદાન પણ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશના માધ્યમથી થયું હતું.
ગુજરાત
નવાગઢમાં મનાસિક બીમારીથી કંટાળી વૃદ્ધાનો જાત જલાવી આપઘાત
જેતપુરના નવાગઢમાં રહેતા 90 વર્ષિય વૃધ્ધાએ માનસિક બિમારીથી કંટાળી જાત જલાવી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમનું એક સપ્તાહની સારવાર બાદ હોસ્પિટલના બીછાને મોત નિપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
જાણવા મળતી વિગત મુજબ, નવાગઢ રેલવે સ્ટેશન પાસે રહેતા સવિતાબેન સવજીભાઈ મોઢવાડિયા (ઉ.90) નામના વૃધ્ધાએ ગત તા.25-9નાં રોજ પોતાના ઘરે કેરોસીન છાંટી જાત જલાવી લીધી હતી. જેથી તેમને તાત્કાલીક સારવાર માટે પ્રથમ જેતપુર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અહિં તેમનું એક સપ્તાહની સારવાર બાદ આજે સવારે મોત નિપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક વૃધ્ધાને સંતાનમાં ત્રણ પુત્ર અને ચાર પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.તેઓએ માનસિક બિમારીથી કંટાળી આ પગલું ભરી લીધાનું ખુલવા પામ્યું હતું.
ક્રાઇમ
3 દિવસ પૂર્વે પુત્રવધૂએ ચામાં ઘેની ટીકડાં પીવડાવ્યાનું નાટક કરનાર પ્રૌઢે ફરી ટીકડા ખાધા
શહેરના મિલપરામાં રહેતા વૃધ્ધ ત્રણ દિવસ પૂર્વે પુત્રવધૂએ ચા મા ઘેની ટીકડા પીવડાવી દીધાનું નાટક કરી સિવિલમાં દાખલ થયા હતાં. જેઓએ આજે ફરીથી ભુલથી ઘેનના ટીકડા પી ગયાનું જણાવી સિવિલમાં દાખલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, મિલપરા શેરી નં.7/18માં રહેતા સાબુમલ પાલુમલ તલવાણી (ઉ.68) નામના વૃધ્ધ ગઈ રાત્રે અઢી વાગ્યાના અરસામાં પોતાના ઘરે ભૂલથી ઘેનના ટીકડા પી જતાં તેઓ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ભક્તિનગર પોલીસને જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ઉપરોકત વૃધ્ધ ત્રણ દિવસ પહેલા પણ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. ત્યારે તેમણે સિવિલ ચોકીના સ્ટાફ સમક્ષ એવી નોંધ કરાવી હતી કે તેઓને તેમના પુત્રવધુએ ચા મા ઘેનના ટીકડા નાખી પીવડાવી દીધા છે. જો કે ભકિતનગર પોલીસ પહોંચે તે પહેલા જ હોસ્પિટલમાંથી નાસી છુટયા હતાં ત્યારે ફરી દાખલ થતાં વૃધ્ધ નાટક કરતાં હોવાનું જાણવા મળ્યું હતું.
ક્રાઇમ
જામનગર રોડ ઉપર ફ્રૂટનો વેપારી ત્રીજી વખત ડ્રગ્સ વેંચતા ઝડપાયો
શહેરમાં માદક પદાર્થેની હેરાફેરી કરતાં તત્વો ઉપર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે ત્યારે શહેરના જામનગર રોડ પર નવી કોર્ટ પાસેથી એસઓજીની ટીમ ફ્રુટની આડમાં ડ્રગ્સ વેચતા વેપારીને ત્રીજી વખત ઝડપી પાડયો હતો. આ ડ્રગ્સ પેડલર ફ્રુટના વેપારી પાસેથી રૂા.1.95 લાખની કિંમતનું 19.52 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સહિત રૂા.2.50 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ ડ્રગ્સ તે કયાંથી લાવ્યો તે બાબતે રિમાન્ડ ઉપર પુછપરછ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, શહેરમાં બેફામ બનેલા ડ્રગ્સ પેડલરો અને નશાના કારોબાર કરતાં તત્વો ઉપર એસઓજીની ટીમ ધોંસ બોલાવી રહી છે. ત્યારે શહેરનાં જામનગર રોડ પર નવા કોર્ટ બિલ્ડીંગ પાસેથી એકટીવા નં.જીજે.3.એનસી.9648માં ડ્રગ્સ સાથે એક શખ્સ નીકળવાનો હોવાની બાતમીને આધારે એસઓજીની ટીમે તેને ઝડપી લીધો હતો. એકટીવાના ચાલક બજરંગવાડી શેરી નં.2 ટાવર નીચે રહેતા ફ્રુટ અને કાપડનો વેપાર કરતાં જલાલમીયા તાલબમીયા કાદરી (ઉ.51)ની ધરપકડ કરી તેની પાસેથી રૂા.1.95 લાખની કિંમતનું 19.52 ગ્રામ ડ્રગ્સ સહિત રૂા.2.50 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ફ્રુટ અને કાપડનો વેપાર કરતાં વેપારી જલાલમીયા ફ્રુટની આડમાં નશાનો કારોબાર ચલાવે છે. આ શખ્સને ત્રીજી વખત ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. અગાઉ પણ બે વખત પકડાયેલો જલાલમીયા છેલ્લા ત્રણ વર્ષથી ડ્રગ્સ પેડલર બની ગયો હોય તે આ ડ્રગ્સ કોની પાસેથી લાવતો અને કોને કોને વેંચતો તે સહિતની બાબતો ઉપર તપાસ કેન્દ્રીત કરવામાં આવી છે.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલની સુચના મુજબ એસીપી ભરત બી.બસીયાના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ એસ.એમ.જાડેજા, પીએસઆઈ એમ.બી.માજીરાણા સાથે સ્ટાફના ધર્મેશભાઈ ખેર, ઈન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, દિગ્વીજયસિંહ ગોહિલ, અરૂણભાઈ બાંભણીયા, મૌલીકભાઈ સાવલીયા, હાર્દિકસિંહ પરમાર સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
-
ગુજરાત2 days ago
મોરબીમાં કારમાં આગ ભભૂકી: સિરામિક ઉદ્યોગપતિ ભડથું
-
ગુજરાત1 day ago
એઈમ્સમાં નવી રમત: મહિલા તબીબની માનસિક સંતાપની ફરિયાદમાં બિલાડીને જ દૂધના રખોપા
-
આંતરરાષ્ટ્રીય23 hours ago
લેબનોનમાં પેજર હુમલાથી ભારત એલર્ટ, ચીની ઉપકરણો પર પ્રતિબંધ લાગશે
-
ધાર્મિક1 day ago
આવતી કાલથી નવરાત્રી શરૂ, જાણો કલશ સ્થાપનાના શુભ મુહૂર્ત
-
ક્રાઇમ2 days ago
ફલેવરવાળો વિદેશી દારૂ બનાવવાનું કારખાનું પકડાયું
-
ગુજરાત23 hours ago
કોંગી અગ્રણીઓ સામેનો બદનક્ષીનો કેસ વિથ ડ્રો કરવા કોર્ટમાં પુરશીષ રજૂ કરતાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી
-
ક્રાઇમ2 days ago
લખતરના ઢાંકી ગામે ફાયરિંગની ઘટનામાં 12 વર્ષના બાળકનું મોત
-
ગુજરાત2 days ago
રિંગ રોડ-2 ફોરલેન બનાવવા 80 કરોડના ખર્ચને મંજૂરી