Connect with us

અમરેલી

રાજુલાના ચારનાળા નજીક કાર અડફેટે બાઇકચાલક સહિત બેનાં કરૂણ મોત

Published

on

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા જાફરાબાદ વિસ્તાર માંથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલા નજીક ચારનાળા બ્રિજ પર મહુવા તરફથી ફોરવિલ કાર પસાર થતી વખતે સામેથી બાઇક સવાર આવતા બંને સવારને ફોરવિલ કાર ચાલકે ઉલાળયા નીચે સર્વિસ રોડ ઉપર 50 ફૂટ નીચે પટકાતા બંનેના કમકમાટી ભર્યા મોત થયા ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલ્સ મારફતે રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ફરજ પરના ડોકટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા ઘટના સ્થળે રાજુલા પોલીસ દોડી તપાસ હાથ ઉપરાંત નેશનલ હાઇવે પર ગંભીર અકસ્માત થતા વાહન ચાલકો ઉભા રહેતા ટ્રાફિક જામ થયો હતો અકસ્માતમાં ફોરવિલ કાર ચાલક ફરાર થયા હતા રાજુલા પોલીસ અકસ્માતનો ગુન્હો નોંધવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


મૃતક યુપી અને અને બંગાળ રાજ્યના રેહવાસી મૃતક દિપકકુમાર ગુપ્તા ઉંમર 29 યુપી રાજય,કૃષ્ણનંદ બાગ ઉંમર 27 વેસ્ટ બંગાળ રાજ્યના રેહવાસી બંનેના ઘટનાના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે મૃતકો સ્થાનિક નેશનલ હાઇવેમાં કામ કરતી ખાનગી કંપનીમાં કામ કરતા હતા હોસ્પિટલમાં ખસેડતા ખાનગી કંપનીના લોકો પણ દોડી આવ્યા હતા.

અમરેલી

ઈકોસેન્સેટિવ ઝોન મુદ્દે ખેડૂતોની વહારે આવતા પૂર્વ કાયદામંત્રી દિલીપ સંઘાણી

Published

on

By

માણસને સ્વબચાવનો અધિકાર છે, શું ખેડુતો, મજુરો જંગલી પ્રાણીની હત્યા કરે છે? વન્ય પ્રાણીઓએ કેટલા માણસોનો ભોગ લીધો? સંઘાણી

અમરેલી જિલ્લામા સાવરકુંડલાના એક કાર્યક્રમમાં ઇકોસેન્સેટિવ ઝોન મુદ્દે ઇફકોના ચેરમેન અને ભાજપ નેતા અને પૂર્વ કાયદામંત્રી દિલીપ સંઘાણી ખૂલીને બોલ્યા છે. તેમણે જણાવ્યું કે ઇકોસેન્સેટિવ ઝોન મુદ્દે કોડીનાર તાલાલા ગીર વિસ્તારના કિસાન સંઘના ખેડૂતો દિલીપ સંઘાણીને મળ્યા હતા. જે મોટુ સંમેલન કરવાના છે.
વનવિભાગ કે અન્ય લોકો ખેડૂતોને ડરાવા માંગતા હોય, જેલમાં પુરી દેવાની વાતો કરતા હોય તો સીઆરપીસીની કલમ 93,104,103,માં જોગવાઈ છે. માણસને જાન માલ મિલકત જોખમ હોય છે, ત્યારે સામા વ્યક્તિનો જાન લેવો તે સ્વબચાવ અધિકાર આપ્યો છે. ત્યારે ખેડૂતો મજૂર કામ કરતા પર વન્યપ્રાણી હુમલો કરે જાન લે ત્યારે મારે જંગલી પુશું બચાવનાર વ્યક્તિઓને મારે પૂછવું છે.


છેલ્લા બે વર્ષમાં ખેડૂતો મજદૂરો ખેતરમાં કામ કરતા લોકો દ્વારા કેટલા જંગલી પ્રાણીની હત્યાઓ થઇ? કેટલાને નુકસાન થયું છે?..દિલીપ સંઘાણીએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા 2 વર્ષમાં 39 જેટલા લોકોના મૃત્યુ જંગલી વન્યપ્રાણીના હુમલાના કારણે થયા છે. 239 જેટલા લોકોને ગંભીર ઇજાઓ થઈ છે. જો માણસ માટે સ્વબચાવનો અધિકાર હોય તો જંગલી પ્રાણી માટે કેમ નહિ.. આવા અનેક મુદાઓ સાથે અમારી વિચારમંચ પર અમારી રજૂઆતો ચાલુ છે. આ વિચારોના આધારે સરકારએ નિયમોમાં ફેરફાર કરવા જોઈએ.


ઇકોઝોન મુદ્દે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે ઇકોઝોન મુદ્દે ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢના ખેડૂતો સંગઠનો દ્વારા આવેદન પત્ર આપી રોષ વ્યક્ત કરી વિરોધ નોંધાવયા બાદ આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે. ઠેર ઠેર વિરોધ ખેડૂતો કરી રહ્યા છે તેવા સમયે ખેડૂતો ઇકોઝોન અટકાવવા માંગ વચ્ચે દિલીપ સંઘાણી ખેડૂતોની વ્હારે આવ્યા છે.

Continue Reading

અમરેલી

વનવિભાગ ખેડૂતોને ડરાવવાની વાતો કરે તો સીઆરપીસીની જોગવાઇ જોઇ લેવી જોઇએ

Published

on

By

અમરેલી જિલ્લામા સાવરકુંડલાના એક કાર્યક્રમમાં ઇકોસેન્સેટિવ ઝોન મુદ્દે ઇફકોના ચેરમેન અને ભાજપ નેતા અને પૂર્વ કાયદામંત્રી દિલીપ સંઘાણી ખૂલીને બોલ્યા છે. તેમણે જણાવ્યું કે ઇકોસેન્સેટિવ ઝોન મુદ્દે મને ગઇકાલે કોડીનાર તાલાલા ગીર વિસ્તારના કિસાન સંઘના ખેડૂતો મને મળ્યા હતા અને તેઓ મોટુ સંમલેન કરવાના છે. હું કહીશ કે, વન વિભાગ ખેડૂતોને ડરાવવા માંગતા હોય, જેલમાં પુરવાની વાતો કરતા હોય તો સીઆરપીસીની જોગવાઇ જોઇ લેવી જોઇએ. દિલીપ સંઘાણીએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા 2 વર્ષમાં 39 જેટલા લોકોના મૃત્યુ જંગલી વન્યપ્રાણીના હુમલાના કારણે થયા છે. 239 જેટલા લોકોને ગંભીર ઇજાઓ થઈ છે. જો માણસ માટે સ્વબચાવનો અધિકાર હોય તો જંગલી પ્રાણી માટે કેમ નહિ.. આવા અનેક મુદાઓ સાથે અમારી વિચારમંચ પર અમારી રજૂઆતો ચાલુ છે. આ વિચારોના આધારે સરકારએ નિયમોમાં ફેરફાર કરવા જોઈએ.


ઇકોઝોન મુદ્દે ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢના ખેડૂતો સંગઠનો દ્વારા આવેદન પત્ર આપી રોષ વ્યક્ત કરી વિરોધ નોંધાવયા બાદ આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે. ઠેર ઠેર વિરોધ ખેડૂતો કરી રહ્યા છે તેવા સમયે ખેડૂતો ઇકોઝોન અટકાવવા માંગ વચ્ચે દિલીપ સંઘાણી ખેડૂતોની વ્હારે આવ્યા છે.

Continue Reading

અમરેલી

કોડીનાર તાલુકાના વડોદરા ગામના યુવાનના મૃત્યુ કેસમાં 66.45 લાખનું વળતર ચૂકવવા આદેશ

Published

on

By

અકસ્માતના બનાવમાં મોટર એક્સિડેન્ટ કલેમ ટ્રિબ્યુનલનો ચુકાદો

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કડોદરા ગામના આશાસ્પદ અને નવયુવાન સ્વ વિપુલભાઈ રાણાભાઇ વાળા બાંધકામ કોન્ટ્રાક્ટર નું કામ કરતા હતા અને તેઓ ગત તારીખ 08/11/2022 ના રોજ રાત્રિના આશરે 9:30 કલાકની આસપાસ તેઓના હવાલા વાળી મોટરસાયકલ રજીસ્ટર નંબર ૠઉં-32-અઇ-5913 લઈને ઝાંઝરીયા ગામેથી તેઓનું કામકાજ પતાવી કડોદરા ગામ તરફ આવતા હતા તેવા સમયે કોડીનાર ઉના હાઇવે રોડ પર જાયકા હોટલ હોટલ પાસે પહોંચતા ટ્રેક્ટર રજીસ્ટર નંબર ૠઉં-17-ઉ-2094 ના ડ્રાઈવરે ગુજરનારની મોટરસાયકલને હડફેટે લેતા ગંભીર સ્વરૂૂપની ઇજાઓ થતા તારીખ 27/11/2022 ના રોજ અકસ્માતે મોત નીપજેલ.

જેમાં કોડીનાર પોલીસે અકસ્માત કરનાર ટ્રેક્ટરના ડ્રાઇવરની સામે ધોરણસરની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલ ત્યારબાદ આ બાબતે ગુજરનારના વારસદારોએ કોડીનાર ના એડવોકેટ પ્રતાપસિંહ વી. ચાવડા દ્વારા મહેરબાન કોડીનારના મોટર એક્સી ક્લેમ ટ્રીબ્યુનલ સમક્ષ તારીખ 21/12/2022 ના રોજ ક્લેમ કેસ નંબર 25/2022 થી અકસ્માત કરનાર ટ્રેક્ટરના માલિક તેમજ ડ્રાઇવર સામે ક્લેમ અરજી દાખલ કરેલ જે અરજીના કામે મહેરબાન કોડીનારના મોટર એકસી ક્લેમ ટ્રિબ્યુનલ જજ એસ. આઈ. ભોરાણીયાએ આ કામે અરજદારોએ રજૂ કરેલ પુરાવા તથા એડવોકેટ પ્રતાપસિંહ વી. ચાવડાની દલીલો ધ્યાને લઈ તારીખ 14/10/2024 ના રોજ ગુજરનારના વારસદારોને વળતર ની રકમ રૂૂપિયા 66,45,000/- તેમજ તેના ઉપર અરજી ની તારીખથી 9% લેખેનું વ્યાજ રૂૂપિયા 12,00,000/- મળી કુલ રૂૂપિયા 78,45,000/- તથા ખર્ચ સહિતની તમામ રકમ ચૂકવવા સામાવાળા ડ્રાઇવર તથા માલિક ની સામે હુકમ કરેલ છે.


આ બનાવમાં સંડોવાયેલ ટ્રેક્ટર ના માલિકે વીમો ઉત્તરાવેલ ન હોય જેથી આવડી મોટી રકમ ટ્રેક્ટર ના ડ્રાઈવર તથા માલિક સંયુક્ત તથા વિભક્ત રીતે ચૂકવવા જવાબદાર થયા છે. આના ઉપરથી વાહન માલીકોએ વીમો લેવો કેટલું જરૂૂરી છે તેનો બોધપાઠ લેવો જોઈએ.

Continue Reading
ગુજરાત18 mins ago

કોઈનો દોષનો ટોપલો કોઈના ઉપર મુકતા નહીં, નોટ લખી યુવાનનો આપઘાત

ગુજરાત23 mins ago

વાગુદડના ધમાલિયા સાધુના આશ્રમ પર બુલડોઝર ફર્યું

ગુજરાત27 mins ago

રાજકોટ શહેર-જિલ્લાના 22 નાયબ મામલતદારોની બદલી

રાષ્ટ્રીય32 mins ago

ચિટફંડ કેસમાં EDના સહારા ગ્રૂપની વિવિધ ઓફિસો પર દરોડા

રાષ્ટ્રીય35 mins ago

મથુરામાં વીજથાંભલા સાથે ગાડી ટકરાયા બાદ રિવર્સ લેવા જતા ચાર કચડાઇ મર્યા

રાષ્ટ્રીય39 mins ago

બિહારમાં લઠ્ઠાકાંડ 28ને ભરખી ગયો, 25થી વધુ સારવારમાં, 3ની ધરપકડ

ગુજરાત39 mins ago

સાયબર ક્રાઇમના છેતરપિંડીના ગુનામાં નાસતો-ફરતો શખ્સ રાજસ્થાનથી ઝડપાયો

ગુજરાત41 mins ago

યાર્ડમાં જણસીઓના ઢગલા: આવક બંધ કરાઈ

ગુજરાત44 mins ago

ભ્રષ્ટ અધિકારી વિરુદ્ધ 99789 42501 પર ફરિયાદ કરો: ACB

ગુજરાત44 mins ago

શહેરમાંથી વધુ 578 બોર્ડ-બેનર ઉતારી 50 રેંકડી કરી જપ્ત

ક્રાઇમ5 hours ago

ખંભાળિયામાં સગીર ભત્રીજા દ્વારા ફઈ પર દુષ્કર્મ

રાષ્ટ્રીય24 hours ago

10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની

આંતરરાષ્ટ્રીય1 day ago

નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ

ગુજરાત1 day ago

મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર

ગુજરાત1 day ago

શાકભાજીના કચરામાંથી ખાતર બનાવતા પ્લાન્ટની મુલાકાત લેતા મ્યુનિ.કમિશનર દેસાઇ

ગુજરાત1 day ago

શેઠ હાઇસ્કૂલનું ગ્રાઉન્ડ શરદોત્સવ માટે નહીં મળતા કોંગ્રેસના ધરણાં

ગુજરાત1 day ago

શહેરમાં લટકતા જોખમી 1270 બોર્ડ-બેનરો ઉતારતી મનપા

રાષ્ટ્રીય2 hours ago

બહુચરાઈ હિંસાના આરોપીઓ આવ્યા સામે,મુખ્ય આરોપી સરફરાઝનું એન્કાઉન્ટર,નેપાળ ભાગી રહ્યા હતા

ગુજરાત1 day ago

ગોંડલ તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરો

ગુજરાત1 day ago

ફાયર વિભાગ માટે 3.54 કરોડના 4 વાહનોનું લોકાર્પણ

Trending