Connect with us

ગુજરાત

મહાનગરપાલિકાને મળશે 215.25 કરોડના વિકાસ કામોની ભેટ

Published

on


ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યની ધૂરા સંભાળી તેને 23 વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહી છે. તે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાને રૂા. 215.25 કરોડના વિકાસ કામોની ભેટ આપશે. જેનું લોકાર્પણ અને ખાતમુહર્ત સોમવારે મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગર ખાતેથી કરવામાં આવશે.


વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 23 વર્ષ પહેલા 7 ઓક્ટોબર, 2001ના રોજ પ્રથમવાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારથી લઈને અત્યાર સુધીના સફળ અને સક્ષમ નેતૃત્વ હેઠળ ગુજરાત રીન્યુએબલ ઉર્જાના પર્યાય તરીકે સ્થાપિત, ઉર્જાશક્તિ-જળશક્તિ-જ્ઞાનશક્તિ-જનશક્તિ અને રક્ષાશક્તિના પંચામૃત ગુજરાત, સૌથી ઊંચા સ્ટેચ્યુ અને સૌથી મોટા સ્ટેડિયમથી ગૌરવાન્વિત ગુજરાત, 24 કલાક વિજળીની સંકલ્પનાથી સાકાર ગુજરાત, ગરબા-ધોરડો અને સ્મૃતિવનથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિથી સુશોભિત ગુજરાત, ગીફ્ટ-ડાયમંડ બુર્સ અને ઢોલેરો છે ગુજરાતના વિકાસના નિમિત, દેશના ગ્રોથ એન્જીન તરીકે પ્રસ્થાપિત ગુજરાત અને પ્રો-પીપલ ગવર્નન્સ, પોલિસી ડ્રીવન સ્ટેક તરીકે સ્થાપિત ગુજરાત વગેરે જેવા પર્યાયથી ગુજરાત વિકસિત ભારતના નિર્માણ માટે સમર્પિત થયેલ છે ત્યારે આ 23 વર્ષની વિકાસ ગાથાને વિકાસ સપ્તાહ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે.


આ વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત થીમેટીક દિવસો, વિકાસ પદયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિકાસ પ્રદર્શન, સોશ્યલ/ડીઝીટલ મીડિયા ઝુંબેશ, સફળતાની વાર્તાઓ, યુવા વર્ગની સહભાગિતા, કલા સ્થાપત્ય, વિકાસ રથ, ગુજરાત વિકાસ ઈનોવેશન એકસ્પો, ગુજરાતના મહત્વના સ્થળોનું સુશોભન, ભીંત ચિત્રો, શાળાઓમાં પ્રવચનો અને ક્વિઝનું આયોજન વગેરે કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત તા.14/10/2024, સોમવારના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્ય સરકારના વિવિધ વિભાગો જેવા કે, પાણી પુરવઠા વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, નર્મદા જળ સંપતિ તથા ગૃહ વિભાગના એક સાથે અનેકવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત માટે કાર્યક્રમ યોજાનાર છે.

ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજકોટ મહાનગર પાલિકાના રૂા. 215.25 કરોડના કુલ 42 વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે જેમાં રૈયા સ્માર્ટ સીટીમાં રૂા. 7.92 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ઈલેક્ટ્રીક બસ ચાર્જીંગ સ્ટેશનનું લોકાર્પણ, રૂા. 101.89 કરોડના ખર્ચે બાધકામ વિભાગના 25 કામો, રૂા. 52.33 કરોડના ખર્ચે ડ્રેનેજ વિભાગના પાંચ અને રૂા. 53.21 કરોડના ખર્ચે નિર્માણ થનાર વોટર વર્કસ વિભાગના અગિયાર કામોનું ખાતમુહુર્ત કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રાજકોટ મહાનગર પાલિકાનામેયર નયનાબેન પેઢડીયા,ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ,શાસકપક્ષદંડક મનિષભાઈ રાડીયા ઉપસ્થિત રહેનાર છે.

ગુજરાત

સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી, રાજ્ય સરકાર આ તારીખે કરશે ઓક્ટોબર માસના પગાર-પેન્શનની એડવાન્સ ચૂકવણી

Published

on

By

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ, નિવૃત્ત પેન્શનર્સ આગામી દિવાળીના તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસથી કરી શકે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ વર્ષે દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને કર્મચારીઓને મળતા માસિક પગાર તેમજ પેન્શનર્સને પેન્શનની રકમની ચુકવણી એડવાન્સમાં કરાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે નાણાં વિભાગને આપેલા દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકારના કર્મચારીઓ, પેન્શનર્સને ઓક્ટોબર માસની 23 થી 25 તારીખ દરમિયાન આ મહિનાના પગાર અને પેન્શનનું એડવાન્સ ચુકવણું કરવામાં આવશે. મુખ્યમંત્રી સમક્ષ વિવિધ કર્મચારી મંડળો, એસોસિએશન અને અગ્રણીઓની આ સંદર્ભમાં મળેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતા તેમણે ઓક્ટોબર-2024ના પગાર-પેન્શન એડવાન્સમાં ચૂકવવાનો આ નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રી સમક્ષ વિવિધ કર્મચારી મંડળો, એસોસિએશન અને અગ્રણીઓની આ સંદર્ભમાં મળેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતા તેમણે ઓક્ટોબર-2024ના પગાર-પેન્શન એડવાન્સમાં ચૂકવવાનો આ નિર્ણય કર્યો છે.

Continue Reading

કચ્છ

કચ્છના કંડલાની એગ્રોટેક કંપનીમાં મોટી દુર્ઘટના, વેસ્ટ પ્રવાહીની ટાંકી સાફ કરવા ઉતરેલા 5 શ્રમિકના મોત

Published

on

By

કચ્છના કંડલામાં એક દુર્ઘટના સર્જાઈ છે. કંડલાની એગ્રો ટેક કંપનીમાં વેસ્ટ પ્રવાહીની ટાંકી સાફ કરવા દરમ્યાન 5 શ્રમિકોનો મોત થયાં છે. આ ઘટના કંપનીમાં રાત્રીના 12.30 કલાકે સર્જાઈ હતી.

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં સુપરવાઈઝર સહિત પાંચ કર્મચારીઓના મોત થયાં છે. આ મામલે કંડલા પોલીસ અને ફેક્ટરી ઈન્સ્પેક્ટરે વધુ તપાસ હાથ ધરી. દુષિત પાણીની સફાઈ કરતી વખતે આ દુર્ઘટના સર્જાઈ 1:16 PM 10/16/2024હતી.

Continue Reading

ગુજરાત

દિગ્વિજય પ્લોટના કારખાનામાંથી પિત્તળના સળિયા ચોરનાર બે મહિલાને ઝડપી લેતી પોલીસ

Published

on

By

રૂા.40 હજારના પિત્તળના સળિયા કબજે કરી ચોરીનો ભેદ ઉકેલતી પોલીસ

જામનગર શહેરમાં થયેલી ચોરીના અનડિટેક્ટ ગુનાઓને ઝડપી લેવાના ઉદ્દેશ્યથી જામનગર સિટી એ ડીવીઝન પોલીસે સફળતા મેળવી છે. પોલીસે બે મહિલા આરોપીઓને ઝડપી પાડી, ચોરી થયેલ આશરે 40,000 રૂૂપિયાની કિંમતના પીતળના સળિયા કબજે કર્યા છે.


પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, જામનગર સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે, તન્ના હોલની સામે પ્રદર્શન ગ્રાઉન્ડના ગેઇટ પાસે બે શંકાસ્પદ મહિલાઓ ચોરી થયેલ પીતળના સળિયા સાથે ઉભી છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગીતાબેન પરમાર અને સામુબેન પરમાર નામની બે મહિલાઓને ઝડપી પાડી હતી. તેમની પાસેથી ચોરી થયેલ આશરે 80 કિલો વજનના પીતળના સળિયા કબજે કરવામાં આવ્યા હતા.


પોલીસે જણાવ્યું હતું કે, ઝડપાયેલી બંને મહિલાઓ સામે ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે અને તેમની સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. ચાવડા અને તેમની ટીમે સફળતા મેળવી હતી.આ ઘટનાએ જામનગર શહેરમાં ચોરીના ગુનાઓ સામે પોલીસની કાર્યવાહીને વેગ મળ્યો છે.

Continue Reading
રાષ્ટ્રીય8 mins ago

હરિયાણાના મુખ્યમંત્રી પદે કાલે શપથ લેશે નાયબસિંહ સૈની

આંતરરાષ્ટ્રીય1 hour ago

જયશંકરે SCOની બેઠકમાં પાકિસ્તાનની ક્લાસ લગાવી!!! આતંકવાદ પર શાહબાઝ શરીફને ઘેર્યા

રાષ્ટ્રીય1 hour ago

નાયબ સિંહ સૈની બનશે હરિયાણાના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળની બેઠકમાં સર્વાનુમતે લેવાયો નિર્ણય

રાષ્ટ્રીય1 hour ago

ડાબા હાથથી કામ કરતા લોકોને હૃદય અને મગજના રોગોનું જોખમ વધારે,જાણો નિષ્ણાંતો પાસેથી

ગુજરાત1 hour ago

સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી, રાજ્ય સરકાર આ તારીખે કરશે ઓક્ટોબર માસના પગાર-પેન્શનની એડવાન્સ ચૂકવણી

રાષ્ટ્રીય1 hour ago

સરકારી કર્મચારીઓને કેન્દ્ર સરકારે આપી દિવાળીની ભેટ, મોંઘવારીના ભથ્થામાં કર્યો વધારો

મનોરંજન2 hours ago

કોણ છે સાઉથના આ સુપરસ્ટાર કે જેની સામે બધા બોલિવૂડ સ્ટાર્સના લગ્ન નિષ્ફળ!,જાણો

કચ્છ3 hours ago

કચ્છના કંડલાની એગ્રોટેક કંપનીમાં મોટી દુર્ઘટના, વેસ્ટ પ્રવાહીની ટાંકી સાફ કરવા ઉતરેલા 5 શ્રમિકના મોત

રાષ્ટ્રીય3 hours ago

જમ્મુ-કાશ્મીરના સીએમ બન્યા ઓમર અબ્દુલ્લા, બીજી વખત લીધા શપથ, INDIA ગઠબંધનના નેતાઓ રહ્યાં હાજર

ગુજરાત3 hours ago

દિગ્વિજય પ્લોટના કારખાનામાંથી પિત્તળના સળિયા ચોરનાર બે મહિલાને ઝડપી લેતી પોલીસ

ક્રાઇમ23 hours ago

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો

આંતરરાષ્ટ્રીય22 hours ago

SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા

ગુજરાત23 hours ago

પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ

ગુજરાત23 hours ago

આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત

ગુજરાત2 days ago

ગુજરાતમાં પણ ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા રાજકોટમાં માંગ

ગુજરાત23 hours ago

વીજચોરી અંગે તપાસમાં ગયેલા પીજીવીસીએલના કર્મચારી ઉપર છેડતીનો આરોપ મૂકી હુમલો

ગુજરાત23 hours ago

ત્રણેય ઝોનમાં 84 આસામી પાસેથી 12.74 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું

કચ્છ2 days ago

રાજકોટ માવતર ધરાવતી પરિણીતાએ છૂટાછેડા વગર બીજા લગ્ન કરતા ફરિયાદ

ગુજરાત2 days ago

રોગચાળો બેકાબૂ: ડેેન્ગ્યુએ વધુ બે ભોગ લીધા

ગુજરાત2 days ago

વિવિધ કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે લોકોને માહિતગાર કરાશે

Trending