Connect with us

ગુજરાત

વડાપ્રધાન કાલથી 3 દી’ ગુજરાતમાં, સોમવારે ભાજપનું શક્તિ પ્રદર્શન

Published

on

GMDC ગ્રાઉન્ડમાં ભાજપના એક લાખ કાર્યકરોનું સંમેલન યોજાશે: જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા

વડાપ્રધાન મોદી રવિવારે સાંજે આવશે અને મંગળવારે રવાના થશે, ગાંધીનગરમાં વંદે મેટ્રો અને ગ્લોબલ રિ-ઇન્વેસ્ટમેન્ટ રિન્યૂએબલ એનર્જીનો કરાવશે પ્રારંભ

ગણેશ વિસર્જન અને ઇદના જુલૂસ સમયે જ કાર્યક્રમો ગોઠવાતા અમદાવાદ-ગાંધીનગર પોલીસની કસોટી

લોકસભાની ચૂંટણી બાદ વડાપ્રધાન મોદી પ્રથમ વખત ગુજરાત આવી રહ્યાં છે. વડાપ્રધાન મોદી આવતીકાલે તા.15 સપ્ટેમ્બરે સાંજે ગુજરાત આવશે જે તેમના જન્મદિવસના દિવસ સુધી એટલે કે 17 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં રોકાશે. ત્યારે વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસનો સમગ્ર કાર્યક્રમ સામે આવી ગયો છે.
વડાપ્રધાન મોદી 15 સપ્ટેમ્બર 2024ના રોજ ગુજરાત પ્રવાસ પર આવશે. તેઓ 4:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે અને અહીંથી સીધા જ વડસર એરફોર્સ સ્ટેશને રવાના થશે. અહીં તેઓ એરફોર્સ દ્વારા નવા તૈયાર કરવામાં આવેલા ઓપરેશન કોમ્પલેક્સની મુલાકાત લેશે. જે બાદ સાંજે 6 વાગ્યે તેઓ સીધા ગાંધીનગર ખાતે રાજભવન આવી પહોંચશે જ્યાં તેઓ રાત્રી ભોજન અને રાતવાસો કરશે.


રાજભવન ખાતે રાત્રી રોકાણ દરમિયાન તેઓ મહત્વની બેઠકો કરે તેવી શક્યતા છે. પ્રવાસના બીજા દિવસે, એટલે કે 16 સપ્ટેમ્બરના રોજ સવારે તેઓ મહાત્મા મંદિર ખાતે યોજાનાર એક કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાર બાદ સવારે 10 વાગ્યે તેઓ ફોર્થ ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટનો શુભારંભ કરાવશે. ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ થતાં તેઓ 12 વાગ્યે પરત રાજભવન આવશે અને અહીં ભોજન પણ કરશે.


રાજભવન ખાતે બપોરનું ભોજન લઈને તેઓ 1:30 વાગતા ગાંધીનગર સેક્ટર 1 ખાતે તૈયાર કરવામાં આવેલા મેટ્રો સ્ટેશનની મુલાકાત લેશે. પ્રાપ્ત વિગતો અનુસાર તેઓ અહીંથી ગિફ્ટ સીટી સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી શકે છે. લગભગ 3 વાગીને 30 મિનીટ આસપાસ તેઓ GMDCગ્રાઉન્ડ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચશે. ત્યારબાદ સાંજે 6 વાગ્યે ફરી રાજભવન આવીને ભોજન લઇ રાત્રી રોકાણ કરશે. બીજા દિવસે સવારે તેમના જન્મદિને એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ તેઓ સવારે 9 વાગ્યે ગુજરાત પાસેથી વધામણા લઈને ભુવનેશ્વર જવા રવાના થશે.


17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ છે ત્યારે ગુજરાત ભાજપ દ્વારા 16મી સપ્ટેમ્બરે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 16 સપ્ટેમ્બરે બપોરે 3-30 વાગ્યે ગુજરાત ભાજપ જબરૂ શક્તિ પ્રદર્શન કરશે. અમદાવાદના GMDCમેદાનમાં 1 લાખ ભાજપ કાર્યકરો એકત્રિત થશે. આ કાર્યક્રમની જાહેરાત ભાજપના સદસ્યતા અભિયાનના પ્રારંભ પ્રસંગે પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે કરી હતી.


ઉલ્લેખનીય છે કે સતત ત્રીજી વાર વડાપ્રધાન બન્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીની આ પ્રથમ ગુજરાત યાત્રા છે. તેમના આગમનને લઈને ગુજરાતમાં તડામાર તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. સુરક્ષાને લઈને પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય (ખગછઊ) દ્વારા આયોજિત ચોથી રી-ઇન્વેસ્ટ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પોનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ 16થી 18 સપ્ટેમ્બર, 2024 દરમિયાન ગુજરાતના ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાશે. આ સમિટમાં 40થી વધુ સત્રો, 5 પ્લેનરી ચર્ચાઓ અને 115થી વધુ ઇ2ઇ (બિઝનેસ ટુ બિઝનેસ) મીટિંગ્સ યોજાશે, જેમાં 140 દેશોના 25,000 પ્રતિનિધિઓ, 200થી વધુ વક્તાઓ ભાગ લેશે. આ કાર્યક્રમના સહયોગી દેશો ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને નોર્વે છે, જ્યારે સહયોગી રાજ્યોમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ થાય છે.


ત્રીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ લીધા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે. તેઓ પોતાનો જન્મદિવસ ગુજરાતમાં જ ઉજવશે. તા. 16મીએ વડાપ્રધાનનો જીએમડીસી ગ્રાઉન્ડમાં કાર્યક્રમ હોવાથી તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સુરક્ષા માટે સિનિયર ઓફિસરો ઉપરાંત બે હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અધિકારીઓ ગ્રાઉન્ડ પર તૈનાત રહેશે. કાર્યક્રમ દરમિયાન જીએમડીસી ગ્રાઉન્ડ આજુબાજુના માર્ગ પર વાહન વ્યવહાર બંધ રાખવામાં આવશે. આ માટેના વૈકલ્પિક રૂૂટ અંગે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને જાહેરાત કરી છે.શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. જેને પગલે તમામ મોટા પંડાલ પાસે પોલીસ બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉપરાંત, આગામી સોમવારે વડાપ્રાધન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાત લઇને જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમમાં ખાસ હાજરી આપવાના છે. જેને પગલે હવે સમગ્ર જીએમડીસી ગ્રાઉન્ડમાં સુરક્ષાની તડામાર તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. પોલીસ કમિશનર કચેરી ખાતેથી જાણવા મળતી માહિતી મુજબ વડાપ્રધાનના કાર્યક્રમને લઇને સિનિયર આઇપીએસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. લગભગ બે હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને તમામ એજન્સીઓ સુરક્ષા માટે જીએમડીસી ગ્રાઉન્ડ પર તૈનાત રહેશે.

ગણેશ વિસર્જન, ઇદના જુલૂસ સમયે જ વડાપ્રધાન ગુજરાતમાં
17મી સપ્ટેમ્બરે શહેરમાં ગણેશ વિસર્જન અને ઇદ-એ-મિલાદનું જુલૂસ આયોજિત હોવાથી શહેરમાં 12 હજારનો પોલીસ સ્ટાફ તૈનાત રહેશે. આ ઉપરાંત, ડ્રોનથી સર્વેલન્સ, સીસીટીવીથી નજર રાખવા માટે પોલીસ કંમાન્ડ એન્ડ કંટ્રોલ રૂૂમથી સ્ટાફને કામગીરી સોંપવામાં આવી છે. પોલીસ અધિકારીઓને પણ પોતાના વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવાની સૂચના આપી દેવામાં આવી છે.

NSGની ટીમનું આગમન
વડાપ્રધાનના આગમનને લઇને અમદાવાદ એરપોર્ટ પર ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એરપોર્ટ પર પેસેન્જર ઉપરાંત તેમને લેવા અને મૂકવા માટે આવતા વાહનો અને લોકો પર પણ નજર રાખવામાં આવી રહી છે. સીઆઇએસએફની ટીમને રાઉન્ડ ધી ક્લોક એરપોર્ટ પર પેટ્રોલિંગ માટે સૂચના આપી દેવાઇ છે. સ્થાનિક પોલીસ પણ ડીસીપી કક્ષાના અધિકારીના માર્ગદર્શન હેઠળ સતત પેટ્રોલિંગ કરશે. વડાપ્રધાનની મુલાકાતને લઇને એનએસજીની ટીમ અમદાવાદ આવી ગઇ છે. અધિકારીઓ એરપોર્ટ ઉપરાંત મોદીના તમામ કાર્યક્રમોના સ્થળની વિઝિટ લઇને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહયા છે. જરૂૂર જણાય ત્યાં સૂચનો પણ કરી રહ્યા છે. આઇબીની ટીમ પણ અઠવાડિયાથી અમદાવાદ આવી ગઇ છે.

ગુજરાત

અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા

Published

on

By

જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.


અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.


ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.


ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.

Continue Reading

ક્રાઇમ

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

Published

on

By

કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.

ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા

Published

on

By

શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો

રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.


જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Continue Reading
રાષ્ટ્રીય9 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

રાષ્ટ્રીય10 hours ago

દિલ્હીમાં યમુના નદીના કિનારે બનેલો બંસેરા પાર્ક 25 રીતે પ્રવાસીઓને કરે છે આકર્ષિત , જાણો તેની તમામ ખાસિયતો

આંતરરાષ્ટ્રીય10 hours ago

પન્નુ કેસમાં અમેરિકી કોર્ટે અજિત ડોભાલને સમન્સ પાઠવતાં ભડકી ઉઠી ભારત સરકાર, આપ્યો આવો જવાબ

રાષ્ટ્રીય10 hours ago

યુપી-બિહારમાં વરસાદનું તાંડવ, 300 ગામડાંઓ ડૂબી ગયા: 247 શાળાઓ બંધ

રાષ્ટ્રીય10 hours ago

બિહાર NDAમાં દંગલ, જેડીયુનો 130 અને એલજેપીઆરનો 38 બેઠકનો દાવો

રાષ્ટ્રીય10 hours ago

50 વર્ષના સંશોધન બાદ નવા બ્લડ ગ્રુપ એમએએલની શોધ કરતા વૈજ્ઞાનિકો

ગુજરાત11 hours ago

અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા

આંતરરાષ્ટ્રીય11 hours ago

ટ્રમ્પની ગૃપ્ત ફાઇલો ચોરી ઇરાની હેકર્સે પ્રમુખ બાઇડનની ટીમને આપી:FBI

ક્રાઇમ11 hours ago

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

રાષ્ટ્રીય11 hours ago

ભારત પોતાના લોકોને ફંડિગ દ્વારા આપણી સંસદમાં મોકલે છે, કેનેડાનો ગંભીર આરોપ

રાષ્ટ્રીય2 days ago

બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત

ગુજરાત1 day ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

રાષ્ટ્રીય2 days ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

કચ્છ2 days ago

રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત

રાષ્ટ્રીય9 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

કચ્છ1 day ago

કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત

ગુજરાત1 day ago

આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે

આંતરરાષ્ટ્રીય1 day ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

ગુજરાત1 day ago

રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ

ગુજરાત1 day ago

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

Trending