ગુજરાત
સફાઈ કામદારોની ભરતીનો ગેરબંધારણીય ઠરાવ રદ કરો: કોંગ્રેસ
મનપા દ્વારા સફાઈ કામદારોની ભરતીના નિયમોમાં ફેરફાર કરી ગેરબંધારણીય ઠરાવ મંજુર કરી ભરતી ચાલુ કરતા વાલ્મીકી સમાજ અને યુનિયનોની સાથો સાથ શહેર કોંગ્રેસ દ્વારા પણ તેનો વિરોધ કરી ઠરાવ રદ કરવા સહિતના પ્રશ્ર્ને આજરોજ કચેરી ખાતે ધસી જઈ મ્યુનિસિપલ કમિશનરને આવેદન પાઠવી પ્રશ્ર્નોનો ઉકેલ લાવવા માટે રજૂઆત કરી હતી.
ભારત દેશના બંધારણે તમામ નાગરિકોને સમાન અધિકારો આપ્યા છે જેમાં ગરીબ વંચિત સમાજ માટે સામાજિક ન્યાયની તરફેણ કરેલ છે તેના અનુસંધાને અમો આપને જણાવીએ છીએ કે રાજકોટ મહાનગરપાલિકાનું સેટઅપ જે 4,900 સફાઈ કામદારોનું છે તે આપ જાણો છો આ સેટઅપ 25 વર્ષ પહેલાંનું છે એટલે કે તે સમયે કોઠારીયા વાવડી મોવડી મુંઝકા નાના મૌવા મોટા મૌવા રૈયા માધાપર વગેરે ગામો રાજકોટ કોર્પોરેશનમાં ભળેલા નહોતા ત્યારથી ચાલ્યુ આવે છે અને તેમાંથી પણ 2148 સફાઈ કામદારો કે જે નોકરી કરે છે અને 2220 જેટલા સફાઈ કામદારો કોન્ટ્રાક્ટર મારફત કામ કરે છે જેનો કોન્ટ્રાક્ટરો દ્વારા શોષણ કરવામાં આવી રહ્યો છે અને બાકી રહેતી 532 જગ્યાઓ માટેનું આપે જાહેરાત આપી છે તેમાં પણ ખોટા અને ગેર બંધારણીય અને અમાનવીય કૃત્ય રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તારીખ 07/03/2024 ના રોજ કરવામાં આવેલ છે આપે જણાવેલ છે કે જેના માતા-પિતા દાદા દાદી રાજકોટ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારી તરીકે નોકરી કરેલ હશે તેને જ નોકરી મળશે અને તેને પણ પાર્ટ ટાઇમ નોકરી આપવામાં આવશે એટલે કે મિનિમમ વેતનનું અડધું વેતન 7,300 આપ 1 મહિનાના ચૂકવશો તેમાં પણ તેમનું શોષણ છે આ નિયમ અનુસૂચિત જાતિના લોકોનું શોષણ કરતો ઠરાવ છે તે નિયમ વિરુદ્ધ અને ગેર બંધારણીય ઠરાવ છે આપ જુઓ 25 વર્ષથી 4,900 નો સેટઅપ ની પણ પૂરી ભરતી થતી નથી તો નવા ભળેલા વિસ્તારો જે નવા સેટઅપ મુજબ લગભગ 170 કિલોમીટર જેવો વિસ્તાર થાય છે તો નવા સેટઅપ ગોઠવો તો 10,000 થી 11000 હજાર સફાઈ કામદારોની જરૂૂરીયાત પડે તેમ છે જે આપ તો કરતા નથી પણ ઉપરથી અનુસૂચિત જાતિના લોકો ઉપર અન્યાય કરો છો બધા જ કર્મચારીઓને પગાર ચૂકવવામાં વાંધો નથી ફક્ત સફાઈ કામદારોનો જ પગાર ચૂકવવામાં વાંધો આવે છે.
આપ સાહેબ વહીવટી વિભાગના વડા છો ત્યારે અમારી કોંગ્રેસ પક્ષ તરીકે માંગણી છે કે આપ નવા વિસ્તારો ભર્યા છે તે મુજબ નવું સેટઅપ ઊભું કરો અને હાલ જે ઘેર બંધારણીય ઠરાવ મુજબ ભરતી કરો છો તો વિધવા બેનો ત્યક્તા બેનો નો પણ આ ભરતીમાં સમાવેશ નહીં થાય સફાઈ કામદારો માથે વધારે કામનો બોજો આવશે જો આપ રાજકોટને સ્વચ્છ નિરોગી રાખવા માંગતા હો તો સફાઈ કર્મચારીને ભરતી પૂરી નવા સેટઅપ મુજબ કરો. અંતમાં અમારી આપ સાહેબ પાસે આગ્રહ ભરી રજૂઆત છે કે તારીખ 7 4 2024 નો ઠરાવ રદ કરી ફરીથી જાહેરાત આપવામાં આવે જેમાં ગરીબ વંચિત અને શોષિત તેમજ વિધવા અને ત્યક્તા બેનો અને બેરોજગારો બધાને રોજગારીની તક મળે તેવી આશા રાખી રહ્યા છીએ.
અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે કે નવા વિસ્તારો ભરેલા છે તે મુજબ સેટઅપ બનાવો અને ભરતી કરો તો લગભગ 6,000 થી પણ વધારે લોકોને ભરતી કરવાની થાય છે તો રાજકોટના લોકોના હિતમાં હશે રાજકોટના લોકોના સ્વાસ્થ્ય માટે પણ હિતાવહ હશે અને અનુસૂચિત જાતિના લોકોને રોજી રોટી પણ મળશે અને બેકારીમાં પણ થોડો ઘટાડો થશે અન્ય મહાનગરપાલિકાઓ ની જેમ રાજકોટમાં પણ નિયમો સરખા લાગુ થવા જોઈએ અને અન્ય મહાનગરપાલિકાઓની જેમ જ ભરતી કરો તેવી પણ અમારી લાગણી છે.
મનપામાં વિપક્ષને ઓફિસ ફાળવો
શહેર કોંગ્રેસ દ્વારા આજે સફાઈ કામદારોના પ્રશ્ર્ને રજૂઆત કરવાની સાથો સાથ વિપક્ષને મનપાની કચેરીમાં ઓફિસ ફાળવવામાં આવે તેમ કહી જણાવેલ કે, લોકોના રોજબરોજના નાના-મોટા ઘણા પ્રશ્નો હોય છે. આથી કોંગ્રેસની ઓફિસ હોય તો તેઓના પ્રશ્ર્નો ઉકેલવામાં મદદ કરી શકાય તેવો એક માત્ર ઉદ્દેશથી કાર્યાલય ફાળવવામાં આવે તેમ જણાવ્યું હતું.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય9 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
કચ્છ1 day ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો