ગુજરાત
અનરાધાર 12 ઇંચ વરસાદથી શહેર બેટમાં ફેરવાયું
જનજીવન પર માઠી અસર, રણજિત સાગર રોડ પરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, 60 લોકોનું રેસ્કયૂ
જામનગરમા છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદ નોંધાયો છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વરસાદની સરેરાશ ચાર થી વધુ ઇંચ નોંધાઈ છે. જો કે, લાલપુર તાલુકામાં સૌથી વધુ નવ મીમી વરસાદ નોંધાયો છે.
જિલ્લા કંટ્રોલ રૂૂમના જણાવ્યા અનુસાર આજે સવારે છ ના વાગ્યા સુધીમા જામનગર શહેરમાં 107 મીમી, જોડીયામાં 66 મીમી, ધ્રોલમાં 63 મીમી, કાલાવડમાં 172 મીમી, લાલપુરમા 168 મીમી અને જામજોધપુરમાં 218 મીમી વરસાદ નોંધાયો છે. દર બે કલાકે પડેલા વરસાદના આંકડાઓ મુજબ, રાત્રિના સમયે વરસાદની તીવ્રતા વધી હતી. જામનગર શહેરમાં સવારથી સાંજ સુધીમાં 107 મીમી વરસાદ નોંધાયો છે. જોડીયા, ધ્રોલ, લાલપુર અને કાલાવડમાં પણ સરેરાશ 60 થી 170 મીમી વરસાદ નોંધાયો છે.
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. આજે પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં જિલ્લાના વિવિધ તાલુકા વિસ્તારના ગામડાઓમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના અનેક ગામોમાં 8 થી 11 ઇંચ સુધી વરસાદ નોંધાતાં ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
વિગતો મુજબ, વસઈમાં 185 મીમી, લાખાબાવળમાં 175 મીમી, જામવંથલીમાં 230 મીમી, મોટી ભલસાણમાં 235 મીમી, દરેડમાં 195 મીમી, ખરેડીમાં 196, મોટા વડાળામાં 150 મીમી, ભલસાણ બેરાજામાં 170 મીમી, મોટા પાંચદેવડામાં 190 મીમી, સમાણામાં 176 મીમી, શેઠ વડાળામાં 155 મીમી, વાંસજાળીયામાં 180 મીમી, ધ્રાફામાં 180 મીમી, પરડવામાં 175 મીમી, નરએણમાં 205 મીમી, મોડપરમાં 195 મીમી, હરીપરમાં 185 મીમી, સૈથી વધુ લતીપુરમાં 290 મીમી, સહિતના અનેક ગામોમાં ભારે વરસાદ નોંધાયો છે.
આ ભારે વરસાદને કારણે જિલ્લાના નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. અનેક ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. રસ્તાઓ બંધ થઈ જતાં વાહન વ્યવહાર ખોરવાયો છે. ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જળબંબાકાર વાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે.
ખાસ કરીને રણજીતસાગર વિસ્તારના પટેલ પાર્ક, વૃંદાવન પાર્ક, મોદી સ્કુલ, કાલીંદી સ્કુલ જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.શહેરના શુભમ સોસાયટી 2, 3, 4, કિર્તી પાન રોડ, રણજીતસાગર રોડ જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે ઝડપી કાર્યવાહી કરીને 2 પ્રેગ્નન્ટ મહિલાઓ સહિત 40થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે.ડ્રોન કેમેરાથી લેવામાં આવેલી તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે રસ્તાઓ અને ઘરો પાણીમાં ડૂબી ગયા છે.
અનેક ઘરોમાં પાણી ઘૂસી જવાથી લોકોને પોતાના ઘરો ખાલી કરીને સલામત સ્થળે જવું પડ્યું છે.જામનગર મહાનગરપાલિકા દ્વારા પાણી નિકાલની કામગીરી શરૂૂ કરવામાં આવી છે. પરંતુ ભારે વરસાદને કારણે પાણી નિકાલની કામગીરીમાં મુશ્કેલીઓ પડી રહી છે.શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવે તેવી લોકોની માંગ છે.
ધોધમાર વરસાદથી વિકરાળ સ્થિતિ: લોકોના જીવન અને મિલકતને ભારે નુકસાન
છેલ્લા ત્રણ દિવસથી જામનગર શહેરમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે શહેરમાં જળબંબાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને લોકોના જીવન અને મિલકતને ભારે નુકસાન થયું છે.શહેરના રણજીતસાગર રોડ, સરદાર પાર્ક, વ્રજ, આશીર્વાદ, મંગલદીપ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઘરોમાં પાણી ઘૂસી જવાથી ઘરવખરી, અનાજ, કઠોળ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો સહિતની વસ્તુઓ બગડી ગઈ છે. ઘરોમાં કાદવ કિચડ ભરાઈ જવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ઉપરવાસમાં ભારે વરસાદને કારણે રંગમતી નદી બે કાંઠે વહી રહી છે. જામનગર જિલ્લાના તમામ જળાશયો ઓવરફ્લો થઈ ગયા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એનડીઆરએફની ટીમને રાહત અને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાણી ભરાયેલા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ભારે વરસાદને કારણે જામનગર શહેરનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લોકોને રોજિંદા જીવન જીવવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. શહેરના વેપાર-ધંધા પણ પ્રભાવિત થયા છે.
દરેડમાં ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ
જામનગર નજીક દરેડ અને આસપાસના વિસ્તારમાં પડેલા વરસાદના કારણે દરેડ વિસ્તારમાં આવેલું ખોડીયાર મંદિર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયું છે, અને માત્ર મંદિરના ગુંબજ દેખાયા છે. જામનગર નજીક દરેડ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે તેમજ રણજીત સાગર ડેમ અને કંકાવટી ડેમ ઓવરફ્લો થઈ જવાના કારણે રંગમતી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા, અને દરેડનું ખોડીયાર મંદિર કે જે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. મંદિરના માત્ર ગુંબજ દેખાઇ રહ્યા હતા, અને પાણીનો ધસમસતો પ્રવાહ મંદિર પરિસર વિસ્તારમાંથી વહી રહ્યો છે.
બેડી યુવાન તણાયો: તંત્ર દ્વારા શોધખોળ
જામનગરના બેડી વિસ્તારમાં આજે વહેલી સવારે એક યુવાન તણાઈ ગયો હતો. જે અંગેની માહિતી પોલીસને મળતાં સૌપ્રથમ પોલીસ તંત્ર દોડતું થયું હતું જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ ખુદ બનાવના સ્થળે પહોંચ્યા હતા, અને બાળકને શોધવા માટે ની સમીક્ષા કરી હતી. પોલીસ વિભાગ દ્વારા સ્થાનિક તરવૈયાની મદદ લેવામાં આવી હતી. ત્યારબાદ એસ.ડી.આર.એફ. ની ટીમ પણ લાપતા બનેલા યુવાનને શોધવામાં જોડાઈ હતી. જો કે મોડી સાંજ સુધી યુવાનનો કોઈ પત્તો સાંપડ્યો નથી, જેથી પરિવારજનો ચિંતામાં મુકાયા છે.
ત્રણ દરવાજા પાસે હોર્ડીંગનું જોખમ
ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલી એક ઇમારતની અગાસી પર લગાવેલું એક વિશાળ હોડિંગ આજે અચાનક તૂટી પડ્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ હોડિંગ હાલમાં બાજુની દુકાનના બિલ્ડીંગ પર અડધું લટકી રહ્યું છે. જેના કારણે આસપાસના વિસ્તારમાંથી પસાર થતા લોકો પર કોઈપણ સમયે પડી શકે તેવી શક્યતાને નકારી શકાય નહીં.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ