ગુજરાત
મનપાની સામાન્ય સભામાં નવી પાંચ ટીપી સ્કીમને લગતો ઠરાવ રજૂ
વિપક્ષે પ્રશ્ન ઉઠાવ્યો કે ઢોરનાં ડબ્બામાં ઢોર ટપોટપ મરી રહ્યા છે : ડોક્ટર અને ઘાસચારાની શું વ્યવસ્થા છે? તથા મરેલ ઢોરનાં હાડકાંનું વેચાણ થઇ રહ્યું છે
જામનગર મહાનગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભામાં શહેરના વિકાસ અને નાગરિકોના હિતમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે. સભામાં મુખ્યત્વે શહેરની પાંચ ટીપી સ્કીમને લગતા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં ટીપી સ્કીમ નંબર 11 અને 20ને સરકારમાં પરામર્શ માટે મોકલવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત, ટીપી સ્કીમ નંબર 25, 26 અને 27 માટે નવો મુસદ્દો જાહેર કરવાની પ્રક્રિયા શરૂૂ કરવાનો નિર્ણય પણ લેવાયો છે. આ સ્કીમોને લઈને જાહેર જનતા પાસેથી વાંધા-સુચનો મંગાવવામાં આવશે અને ત્યારબાદ આખરી મંજૂરી માટે સરકારને મોકલવામાં આવશે.
સભામાં શહેરમાં ફાયર પ્રિવેન્શન વિંગની રચના કરવાનો નિર્ણય પણ લેવાયો છે. સરકારની ગાઈડલાઈન મુજબ આ વિંગમાં અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે અને તેઓ ફાયર એનઓસી સહિતની કામગીરી સંભાળશે.
જામનગર મહાનગરપાલિકા ની સામાન્ય સભા આજે મેયર વિનોદ ખીમસર્યા નાં અધ્યક્ષ સ્થાને મળી હતી. ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા ,મ્યુનિ કમિશનર ડી એન મોદી, ઉપરાંત કોર્પોરેટરો અને અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.
તારીખ 15 જુલાઈથી 31 જુલાઈ સુધી સો ટકા વ્યાજ માંફી ની સ્કીમ ની અમલવારી કરવામાં આવી હતી જેને આજે સામાન્ય સભા એ સર્વાનુમતે મંજૂરી આપી હતી.
ટી પી સ્કીમ નંબર 25,26 અને 27 માટે ફરીથી ઇરાદો જાહેર કરી પ્રક્રિયા કરવા ની સરકાર ની સૂચના મુજબ આજે સામાન્ય સભામાં આ ત્રણેય ટીપી સ્કીમ નો ઇરાદો જાહેર કરવાની દરખાસ્ત ને આજે સામન્ય સભા મા મંજૂરી આપવામાં આવી હતી. હવે આ ટીબી સ્કીમો ની વિગત ગેજેટ મા પ્રસિદ્ધ થયા પછી વાંધા સુચનો માંગવામાં આવશે અને ત્યારબાદ સંપૂર્ણ દરખાસ્ત મંજૂરી માટે સરકારમાં મોકલવામાં આવશે.
જ્યારે ટીપી સ્કીમ નંબર 11 અને 20 ને પરામર્શ માટે ની દરખાસ્ત ને સામાન્ય સભાએ મંજૂરી આપી હતી. હવે આ દરખાસ્ત આખરી મંજૂરી માટે સરકાર સમક્ષ મોકલવામાં આવશે.આ ઉપરાંત એક દરખાસ્ત અધ્યક્ષ સ્થાને થી રજૂ કરવામાં આવી હતી. જેમાં સરકાર ની ગાઈડલાઈન મુજબ ફાયર પ્રિવેન્શન વિંગ ની રચના કરવા માટે સામાન્ય સભા માં ઠરાવ કરાયો હતો. હવે સરકાર ની સૂચના મુજબ આ ફાયર પ્રિવેન્સં વિગ માં અધિકારી ઓ ની નિમણૂક થશે અને તેઓ દ્વારા ફાયર એનઓસી સહિત ની કામગીરી કરવામાં આવશે. આ પછી પ્રશ્નોત્તરી યોજાઈ હતી જેમાં ભાગ લેતા વિપક્ષના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા એ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ઢોર નાં ડબ્બા મા ઢોર ટપોટપ મરી રહ્યા છે.ડોક્ટર ની ઘાસચારા ની સુ વ્યવસ્થા છે.? તથા મરેલ ઢોર નાં હાડકા નું વેચાણ થઇ રહ્યું છે.
જેના જવાબ મા જણાવાયું હતું કે ચાર ડોક્ટર છે.37 સફાઈ કામદાર છે., તમામ ઢોર ને પૂરતો ઘાસચારો આપવામાં આવે છે.અને હાડકા નું વેચાણ થતું નથી.તો વિપક્ષી કોર્પોરેટર જેનબબેન ખફી એ રણમલ તળાવ પાર્ટ -2 નું બુરાણ થતું હોવા નો પ્રશ્ન ઉઠાવો હતો જેને જવાબ મા જણાવાયું હતું કે તળાવ બુરવા મા આવતું નથી ઉલ્ટા નું પાણી ની સંગ્રહ શકતી વધે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.જ્યારે આનંદ રાઠોડ એ સેટઅપ નો પ્રશ્ન ઉઠાવ્યો હતો.જેનો સબંધિત અધિકારી દ્વારા જવાબ અપાયો હતો. સભામાં ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં મહાનગરપાલિકાના અધિકારીઓએ ઢોરની સારસંભાળ, રણમલ તળાવની જાળવણી અને સેટઅપને લગતા પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય8 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
કચ્છ1 day ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત