ગુજરાત
રાજકોટના બે સહિત 25 પોલીસ અધિકારીઓ-કર્મચારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક
ડીસીપી સજ્જનસિંહ પરમાર અને એસીબીના ડીવાયએસપી કે.એચ.ગોહિલની પસંદગી, 26મી જાન્યુઆરીએ મેડલ થશે અર્પણ
સ્વાતંત્ર્ય દિન 2024ના અવસર પર પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના જવાનો માટે રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજકોટનાં ઝોન-1ના ડીસીપી સજ્જનસિંહ પરમાર તેમજ એસીબીના મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહજી ગોહિલ સહિત ગુજરાત રાજ્યના 25 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની પસંદગી થઈ છે. આ અધિકારીઓ અને કર્મચારીઓને તેમની સેવા બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક આપવામાં આવશે.
પોલીસ વિભાગ તેમજ હોમગાર્ડ તેમજ ફાયર સર્વિસ અને ડીફેન્સ તેમજ જે તે વિભાગનાં અધિકારીઓ અને કર્મચારીઓને તેમની વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક દર વર્ષે આપવામાં આવે છે અને મેડલ ફોર મેરિટોરિયસ સર્વિસ સંસાધન અને ફરજ પ્રત્યે સમર્પણની લાક્ષણિકતા ધરાવતાં મુલ્યવાન સેવા માટે એનાયત કરવામાં આવે છે તેમજ પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક આપવામાં આવે છે.
આ જાહેર થયેલી યાદીમાં દેશભરનાં કુલ 1037 જવાનોને આ અલગ અલગ વિભાગમાં રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત થઈ છે. જેમાં ગુજરાતના 25 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટનાં ડીસીપી સજ્જનસિંહ પરમાર તથા એસીબીના ડીવાયએસપી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ઉપરાંત ગુજરાતના અલગ અલગ અધિકારીઓની પસંદગી થઈ છે.
જેમાં ડીવાયએસપી બી.એચ. ચાવડા તથા પીએસઆઈ બી.એમ. બોરાણાને તેમની વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક આપવામાં આવશે તેમજ મેડલ ફોર મેરિટોરિયસ સર્વિસ માટે પસંદગી પામેલા અધિકારીઓમાં એસઆરપીના કમાન્ડન્ટ આઈપીએસ અધિકારી એ.એમ.મુનીયા, આઈપીએસ અધિકારી એવા એસઆરપીના અન્ય કમાન્ડન્ટ રાજેન્દ્રસિંહ ચુડાસમાં તેમજ ડીવાયએસપી બી.સી.ઠાકર, ડીવાયએસપી ડી.જે.ચૌધરી, એસીપી એન.પી.ગોહિલ, ડીવાય એસપી જે.બી.પુરોહિત, પીએસ આઈ કે.ડી.પંથ, પીએસઆઈ એ.એ. શ્રીમાળી, એએસઆઈ વી.એન.પટેલ, એએસઆઈ બી. આઈ.મુબારક, પીએસઆઈ આઈ.એ.સિસોદીયા, હેડ કોન્સ્ટેબ આર.કે.પટેલ, પીએસઆઈ કે.એસ. સિસોદીયા, હથિયારી એકમના પીએસઆઈ પી.ડી.પટેલ, હેડ કોન્સ્ટેબલ એમ.એસ.પટેલ અને પીએસઆઈ ડી.સી.વાઘેલાનો સમાવેશ થાય છે. જ્યારે હોમગાર્ડના પ્લાટુન કમાન્ડન્ટ એસ.બી.વસાવા, હવાલદાર કલાર્ક પી.ડી.ઝાલા તથા ડેપ્યુટી ચીફ વોર્ડન બી.એસ.શાહ અને એમ.બી.સોરઠીયાનો સમાવેશ કરાયો છે.
વિશિષ્ઠ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક તેમજ વિશિષ્ઠ રેકોર્ડ માટે એનાયત કરવામાં આવે છે. પ્રતિષ્ઠિત સેવા માટે 102, રાષ્ટ્રપતિ ચંદ્રમાંથી 94 પોલીસ સેવા, 4 ફાયર સર્વિસ અને 4 સિવિલ ડીફેન્સ અને હોમગાર્ડ સર્વિસને એનાયત કરવામાં આવે છે. મેરિટોરિયસ સર્વિસ માટે 753 મેડલમાંથી 667 પોલીસ સેવા, 32 ફાયર સર્વિસ 27 ડિફેન્સ સર્વિસ અને હોમગાર્ડ સર્વિસ તેમજ 27 સુધારાત્મક સેવા કરનારને આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે.
શૌર્ય માટે રાષ્ટ્રપતિ ચંદ્રક (પીએમજી) અને મેડલ ફોર શૂરતા (જીએમ)ને અનુક્રમે જીવન અને સંપત્તિ બચાવવા, અથવા ગુનાખોરી અટકાવવા અથવા ગુનેગારોની ધરપકડ કરવા માટે, સંબંધિત અધિકારીની ફરજો અને ફરજોના સંબંધમાં અંદાજવામાં આવતા જોખમને ધ્યાનમાં રાખીને અનુક્રમે શૌર્ય અને બહાદુરીના દુર્લભ અધિનિયમના આધારે આપવામાં આવે છે.
277 વીરતા પુરસ્કારોમાંથી મોટા ભાગના, ડાબેરી ઉગ્રવાદથી અસરગ્રસ્ત વિસ્તારોના 119 કર્મચારીઓ, જમ્મુ અને કાશ્મીર પ્રદેશના 133 કર્મચારીઓ અને અન્ય પ્રદેશોમાંથી 25 કર્મચારીઓને તેમની બહાદુરી માટે સન્માનિત કરવામાં આવ્યા છે.
બહાદુરી મેડલ મેળવનારા કર્મચારીઓમાં 15ના સભ્યો તરીકે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (મોનુસ્કો)માં યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન સ્ટેબિલાઇઝેશન મિશનના ભાગરૂૂપે શાંતિ જાળવવાના પ્રતિષ્ઠિત કાર્યમાં ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ થ બુટેમ્બો ખાતે મોરોક્કન રેપિડ ડિપ્લોયમેન્ટ બટાલિયન (એમઓઆરડીબી) કેમ્પમાં બીએસએફની કોંગોની ટુકડી બીએસએફના જવાનોને 02 પીએમજી એનાયત કરવામાં આવ્યા છે.
277 વીરતા મેડલમાંથી 275 જીએમ જમ્મુ-કાશ્મીર પોલીસના 72 જવાનો, મહારાષ્ટ્રના 18 જવાનો, છત્તીસગઢના 26 જવાનો, ઝારખંડના 23 જવાનો, ઓડિશાના 15 જવાનો, દિલ્હીના 08 જવાનો, સીઆરપીએફના 65 જવાનો, એસએસબીના 21 જવાનો અને અન્ય રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને સીએપીએફના બાકીના જવાનોને 275 જીએમ એનાયત કરવામાં આવ્યા છે.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય9 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
કચ્છ1 day ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો