ક્રાઇમ
મોરબીમાં હાર્ડવેરના વેપારી પરિવારનો સામૂહિક આપઘાત
દંપતી અને પુત્રના અલગ-અલગ રૂમમાં ગળેફાંસો ખાઘેલી હાલતમાં મૃતદેહો મળ્યા : વ્યાજનું ચક્ર કે પૈસાની લેતી-દેતી ? સ્યૂસાઇડ નોટ મળી
બે દિવસ પહેલાં જ પુત્ર હર્ષનો જન્મદિવસ ઉજવ્યો હતો: પોલીસ તપાસનો ધમધમાટ
મોરબી શહેરમા રવાપર રોડ ઉપર ચકિયા હનુમાન મંદિર સામે આવેલ વસંત પ્લોટમાં રહેતા હાર્ડવેરના વેપારીએ પત્નિ અને પુત્ર સાથે મળી ઘરના બેડરૂૂમ, હોલ અને કિચનમાં અલગ અલગ જગ્યાએ સામુહિક રીતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી ગઇ છે. બનાવને પગલે મોરબી જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ બનાવ સ્થળે દોડી આવ્યા હતા. મૃતકના રૂમમાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવતા કબજે લઇ બનાવનુંકારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર ચકિયા હનુમાન મંદિર સામે વસંતપ્લોટમા આવેલ રોયલ પેલેસ નામના ફ્લેટમાં ચોથા માળે રહેતા હરેશભાઇ દેવચંદભાઈ કાનાબાર, ઉ.57, તેમના પત્ની વર્ષાબેન હરેશભાઇ કાનાબાર ઉ.55 અને પુત્ર હર્ષ હરેશભાઇ કાનાબાર ઉ.19એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ફેલટમાં ગળેફાંસો ખાઈ સામુહિક આત્મહત્યા કરી લીધી હોવાનું મૃતકના ભાઈ પંકજભાઈ કાનાબારે પોલીસને જાણ કરતા ગંભીર બનાવ મામલે મોરબી જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો વસંતપ્લોટ ખાતે બનાવ સ્થળે દોડી આવ્યો હતો.
ઉલ્લેખનિય છે કે, મૃતક હરેશભાઇને હાર્ડવેરની દુકાન હોવાનું તેમજ બે દિવસ પહેલા જ પુત્ર હર્ષનો જન્મ દિવસ હોવાનું નજીકના પરિવારજનો જણાવી રહ્યા છે. બીજી તરફ પોલીસને બનાવ સ્થળેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી હોવાનું અને સ્યુસાઇડ નોટમાં પરિવારના આ પગલાં માટે કોઈ જવાબદાર ન હોવાનું જણાવ્યું હોવાનું સૂત્રો ઉમેરી રહ્યા છે, હાલમાં પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી છે.
ચોકવાનારી બાબત એ છે કે, સામુહિક આપઘાત કરી લેનાર દંપતીએ કઠણ કાળજે આ અંતિમ પગલું ભરવા માટે ત્રણેય વ્યક્તિએ ફ્લેટમાં અલગ અલગ જગ્યાએ ગળેફાંસો ખાધો હતો જેમા એક વ્યક્તિ બેડરૂૂમમાં, એક વ્યક્તિ હોલમાં અને એક વ્યક્તિએ રસોડામાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. હાલમાં પોલીસે આ ગંભીર બનાવમાં ઝીણવટભરી તપાસ શરૂૂ કરી છે. બનાવ અંગે વેપારી દંપતિ અને પુત્રના આપઘાત પ્રકરણમાં પૈસાની લેતી-દેતી કે વ્યાજ ચક્રમાં ફસાયા હોવાની હાલ ચર્ચા છે. જો કે, મોરબી પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને સ્યુસાઇડ નોટ કબજે લઇ બનાવનું સચોટ કારણ જાણવા ત્રણયે ના મોબાઇલ લઇ કોલ ડીટેઇલ કઢાવવા ફોરેન્સીક લેબમાં મોકલવામાં આવ્યા છે.
ક્રાઇમ
ચોટીલાના નાની મોલડીના પ્રૌઢની હત્યાનો ભેદ ખુલ્યો: યુવતી અને બે સગીર ભાઇઓની ધરપકડ
ચોટીલાના નાની મોલડી ગામે કાઠી દરબાર ભુપતભાઇ જેઠુરભાઇ ખાચરની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખી હત્યામાં સંડોવાયેલ ઝીંઝુડાની 27 વર્ષીય યુવતી અને તેના બે સગીર ભાઇઓની ધરપકડ કરી હતી. રૂપીયાની લેતી દેતી બાબતે કાઠી દરબાર પ્રૌઢને મોતને ઘાટ ઉતારી લાશને કુવામાં ફેંકી દીધી હતી.
ચોટીલાના ઠાંગા પંથકમાં આવેલ ઠાંગનાથ મહાદેવજીના મંદીર પાસે આવેલા કુવામાંથી નાની મોલડીના 48 વર્ષીય ભુપતભાઈ જેઠુરભાઈ ખાચરની લાશ મળી આવી હતી. લાશ પર ઈજાના નીશાન હોવાથી તેઓની હત્યા કરાઈ હોવાનું પ્રથમ દૃષ્ટીએ લાગતુ હતુ. ત્યારે મૃતકના ભાઈ ભરતભાઈ જેઠુરભાઈ ખાચરે ઝીંઝુડા ગામની ધારા મહેશગીરી ગૌસ્વામી સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદ નોંધાતા જ નાની મોલડી પીઆઈ એન.એસ.પરમાર સહિતનાઓએ તપાસના ચક્રો ગતીમાન કરીને 20 વર્ષીય ધારા ગૌસ્વામી અને તેના ર સગીર ભાઈઓની ધરપકડ કરી લીધી છે. પોલીસ પાસેથી મળતી માહીતી મુજબ ધારા ગૌસ્વામી અને મૃતક ભુપતભાઈ છેલ્લા દોઢેક વર્ષથી એક બીજાના સંપર્કમાં હતા. ધારા અવારનવાર ભુપતભાઈને બાઈક પર મુકવા આવતી હતી. અને બન્ને વચ્ચે પૈસાની લેતી-દેતીના સબંધો પણ થયા હતા.
ત્યારે આ પૈસાની લેતી દેતી બાબતે જ ધારાએ બન્ને સગીર ભાઈઓ સાથે મળી હત્યાનો પ્લાન કર્યો હતો. અને બનાવના દિવસે પણ રાત્રે ધારા બાઈક લઈને ભુપતભાઈને મુકવા આવી હતી. અને બન્ને ઠાંગનાથ મહાદેવ મંદીર નજીક આવેલા કુવા પાસે બેઠા હતા. જેમાં ધારાના 2 સગીર ભાઈઓ અગાઉથી હાજર હતા. અને બન્નેએ લોખંડના પાઈપના ઉપરા છાપરી 5 થી 6 ભુપતભાઈના માથે મારી તેઓનું ઘટનાસ્થળે મોત નીપજાવ્યુ હતુ. બાદમાં બનાવ આત્મહત્યાનો લાગે તે માટે લાશને કુવામાં ફેંકી દીધી હતી. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તેઓને કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરી છે.
ક્રાઇમ
અંકલેશ્ર્વરથી રાજકોટ આવતા બે શખ્સો 3156 દારૂની બોટલ સાથે ઝડપાયા
સાયલાના નવા સુદામડા ગામ પાસે પોલીસે બાતમીના આધારે ટ્રકને ઊભી રખાવીને તલાસી લીધી હતી. જેમાંથી 21 દારૂૂની પેટી, બિયર અને ચપલા સહિત કુલ 3156 વિદેશી દારૂૂનો જથ્થા સાથે ટ્રકચાલક અને ક્લિરને ઝડપી લીધા હતા. આ બનાવમાં દારૂૂ અને ટ્રક સહિત કુલ રૂૂ. 8.37 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. સાયલા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન નેશનલ હાઇવે ઉપર વિદેશી દારૂૂની હેરફેર થતી હોવાની બાતમી મળી હતી. સાયલા પોલીસે નવા સુદામડા ગામ પાસે વોચ રાખી હતી પૂરઝડપે રાજકોટ તરફ જતી ટ્રકને ઊભી રખાવીને પૂછપરછ કરતા તેમાં માલના પાર્સલ હોવાનું વાહનચાલકે જણાવ્યું હતું.
પરંતુ સાયલા પોલીસે ટ્રકની પાછળ માલના પાર્સલની તપાસ હાથ ધરતા પ્લાસ્ટિક કંતાન વીંટાળેલા પાર્સલોમાં વિદેશી દારૂૂ મળી આવ્યો હતો. ટ્રકચાલકની પૂછપરછ કરતા પોરબંદરવાળા 56 વર્ષના નરેશ કિશન પરમાર અને 10થી વધુ દારૂૂ પીવાના ગુનામાં આરોપી ક્લિનર તરીકે સબીર યુનુસ હાજી માકડા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ટ્રક સહિત તમામ મુદ્દામાલ સાયલા પોલીસ સ્ટેશનને લઈ જવાયો હતો.
વિદેશી દારૂૂની તપાસ કરતા જુદી જુદી બ્રાન્ડની 21 વિદેશી દારૂૂની પેટી, બિયર અને ચપલા સહિત કુલ 3156 વિદેશી દારૂૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 3,37,320નો વિદેશી દારૂૂ અને બિયર તેમજ રૂૂપિયા 5 લાખની ટ્રક સહિતનો કુલ રૂૂ. 8,37,320નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને બંને આ આરોપી સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જેમાં ટ્રકચાલક નરેશભાઈ પરમારની પ્રાથમિક તપાસમાં અંકલેશ્વરથી વિદેશી દારૂૂ ભરીને જતો હોવાનું બહાર આવ્યું હતું.
ક્રાઇમ
ઉતાવળથી મૃતદેહની અંતિમવિધિ કરી નાખી, ક્રાઇમ સીનની વીડિયોગ્રાફી પણ ન કરી
કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં એક ટ્રેની મહિલા ડોક્ટર સાથે કથિત દુષ્કર્મ બાદ હત્યા મામલે CBIએ કોલકાતા પોલીસ પર મોટા આરોપ લગાવ્યો છે. CBIના આરોપ પ્રમાણે કોલકાતા પોલીસ અધિકારી અભિજીત મંડલે આરોપી સંજય રોયને બચાવવાનો પ્રયાસ કર્યો અને 31 વર્ષીય મહિલા ડોક્ટરના મૃતદેહનો ઉતાવળમાં અંતિમ સંસ્કાર કરાવી દીધો.
CBIઅધિકારીઓએ આરોપ લગાવ્યો છે કે, મંડલને 9 ઓગસ્ટના રોજ સવારે 10:03 વાગ્યે આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ પાસેથી ઘટના વિશે જાણકારી મળી હતી પરંતુ તે તાત્કાલિક ઘટનાસ્થળે નહોતો પહોંચ્યો. તાલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અધિકારી હોવા છતાં તેઓ સવારે 11:00 વાગ્યે ત્યાં પહોંચ્યા હતા.અધિકારીઓએ એવો પણ આરોપ લગાવ્યો છે કે પોલીસ રેકોર્ડમાં મંડલની જનરલ ડાયરીની નોંધણીમાં ખોટી માહિતી હતી, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ડોક્ટરનો મૃતદેહ ચેસ્ટ મેડિસિનના સેમિનાર રૂૂમમાં બેભાન અવસ્થામાં પડેલો મળી આવ્યો હતો. જ્યારે હકીકત એ હતી કે, પીડિતાને પહેલાથી જ ડોક્ટરોએ મૃત જાહેર કરી દીધી હતી જેમણે શરીરની તપાસ કરી હતી. CBIને શંકા છે કે મંડલે હોસ્પિટલના અધિકારીઓ અને અન્ય અજાણ્યા લોકો સાથે મળીને કાવતરા હેઠળ જાણી જોઈને ડાયરી એન્ટ્રીમાં ખોટા તથ્યો નોંધ્યા હતા.એજન્સીએ એ પણ આરોપ લગાવ્યો કે મંડલ ક્રાઈમ સીનને સુરક્ષિત રાખવામાં અને સુરક્ષા કરવા માટે કોર્ડન કરવામાં નિષ્ફળ રહ્યો છે. જેના કારણે અનધિકૃત લોકોને ક્રાઈમ સુધી પહોંચવાની અને મહત્વપૂર્ણ પુરાવાઓને નુકસાન પહોંચાડવાની તક મળી. CBI તપાસમાં સામે આવ્યું છે કે, કોલકાતા પોલીસે ઋઈંછ નોંધવામાં 14 કલાકનો વિલંબ કર્યો હતો.
મંડલ પર બંગાળ નાર્કોટિક્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (ઇગજજ)ની જોગવાઈઓ હેઠળ ક્રાઈમ સીન પાસેથી વસ્તુઓને હટાવવા, જૈવિક નમૂનાઓને સીલ કરવા વગેરેની સમગ્ર પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અધિકારીઓએ એવો પણ આરોપ લગાવ્યો છે કે પરિવારના સભ્યોની બીજી વખત મૃતદેહ પરીક્ષણની માગણી છતાં મંડલે સોમવારે ઉતાવળમાં અંતિમ સંસ્કારની મંજૂરી આપી હતી.
CBIતપાસમાં કોલકાતા પોલીસ દ્વારા મહત્વપૂર્ણ પુરાવા જપ્ત કરવામાં થયેલી ચૂક પણ સામે આવી છે. 10 ઓગષ્ટના રોજ ક્રાઈમમાં ભૂમિકા સામે આવ્યા છતાં આરોપી સંજય રોયના કપડા અને સામાન જપ્ત કરવામાં બે દિવસોનો બિનજરૂૂરી વિલંબ કરવા માટે મંડલને જવાબદાર ઠેરવવામાં આવ્યો છે. CBIને શંકા છે કે, તપાસની દિશાને ભટકાવવાના ઈરાદાથી સંજય રોય અને અન્ય અજ્ઞાત આરોપીઓની તપાસ કરવા માટે અન્ય સંભવિત આરોપીઓ સાથે ગુનાહિત કાવતરું ઘડવામાં આવ્યું હતું.
-
રાષ્ટ્રીય23 hours ago
ઈદ મિલાદ ઉન નબી પર કર્ણાટકમાં હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતર્યા, જુઓ વિડીયો
-
રાષ્ટ્રીય24 hours ago
VIDEO: કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મારવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, મોતના ડરથી ભાગતા જોવા મળ્યા
-
રાષ્ટ્રીય1 day ago
‘રાઈડ ઓફ પ્રાઈડ’ ગણાતી બુલેટનું પહેલાના સમયની કિંમત જાણો, બિલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત
-
ગુજરાત19 hours ago
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રની સારવાર માટે અમેરિકા જશે, એક મહિનાની રજા માગી
-
ગુજરાત19 hours ago
મનપા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો કાલથી પ્રારંભ
-
રાષ્ટ્રીય1 day ago
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે નવી ઊંચાઈ હાસલ કરી, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સ્મોલકેપ-મીડકેપ શેર્સમાં પણ તેજી
-
રાષ્ટ્રીય19 hours ago
બજાજના આઈપીઓમાં એકના ડબલ, રૂા.14,980 સામે 17,120ની કમાણી
-
ધાર્મિક18 hours ago
ઘરમાં ભૂલથી પણ આ જગ્યાએ ન રાખવી જોઈએ પિતૃની તસવીર, નહીંતર સુખ શાંતિ હણી જશે